આરએસએસ અને ચીન વચ્ચે શું સબંધ છેઃ કે.સી.વેણુગોપાલ

અદાણી અને ચીન વચ્ચેના સંબંધો જાણીતા છે અને હવે બેઠકના એક મહિના બાદ આરએસએસના ચીન સાથેની લિન્ક પણ સામે આવી નવી દિલ્હીચીનના ડિપ્લોમેટ્સની નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના નેતાઓ સાથે મુલાકાત અંગે હવે કોંગ્રેસે સવાલો ઊઠાવ્યા છે. નાગપુરમાં સ્મૃતિ મંદિર પરિસરમાં આયોજિત આ બેઠક વિશે કોંગ્રેસ મહાસચિવ કે.સી.વેણુગોપાલે પૂછ્યું કે આરએસએસ અને ચીન વચ્ચે…

એસટીએફ દેવેન્દ્ર તિવારી, અન્ય શકમંદોની તલાશ માટે ટેક્નોલોજીના સહારે

દેવેન્દ્રની એક ફોર્ચ્યુનર, ઈકો સ્પોર્ટ્સ અને બોલેરો વાહનો, ત્રણ અલગ-અલગ ડ્રાઈવર, એક પર્સનલ આસિસ્ટન્ટ, બે સોશિયલ મીડિયા હેન્ડલર્સ, ઓફિસમાં એક રિસેપ્શનિસ્ટ, બે ગનર્સ વિશે માહિતી મળી લખનૌરામ મંદિર, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને એસટીએફ પ્રમુખ અમિતાભ યશને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મામલે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની ટીમ ધીમે ધીમે અનેક ખુલાસા કરી રહી છે. એસટીએફ દેવેન્દ્ર તિવારી,…

દેશમાં ચોવિસ કલાકમાં કોરોનાના 774 નવા કેસ, બેનાં મોત

તમિલનાડુ અને ગુજરાતમાં એક-એક કોરોનાના દર્દીનું મોત થયું નવી દિલ્હીભારત સહિત વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 774 કેસ નોધાયા છે અને બે સંક્રમિત દર્દીઓના મૃત્યું થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાયલ અનુસાર, કોરોનાની દર્દીઓની સંખ્યા 4,187 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં તમિલનાડુ અને ગુજરાતમાં…

અયોધ્યા જવા અંગે કોંગ્રેસના નેતાઓ હજુ પણ અવઢવમાં

કોંગ્રેસના અધ્યક્ષ અયોધ્યા જવા અંગે વહેલી તકે નિર્ણય લેશે નવી દિલ્હીઉત્તરપ્રદેશ ના અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એકતરફ ભાજપ આ મુદ્દાનો જોરશોરથી લાભ ખાંટવાનો પ્રયાસ કરી રહી છે, તો બીજીતરફ વિરોધી પાર્ટીઓ કોઈને કોઈ મામલે ભાજપ પર નિશાન સાધવામાં લાગી છે. અયોધ્યામાં 22 જાન્યુઆરીના સમારોહમાં કોંગ્રેસના જવા અંગે…

ગુરુ મચ્છીન્દ્રનાથનું મંદિરને હું આઝાદ કરાવીશઃ એકનાથ શિંદે

દરગાહની નીચે મંદિરોના દાવાનું સમર્થન કરતા મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનનું મંદિરને આઝાદ કરાવવાનું લોકોને વચન મુંબઈમહારાષ્ટ્રના થાણે જિલ્લામાં સ્થિત હાજી અબ્દુલ રહેમાન ઉર્ફે મલંગ શાહની દરગાહને લઈને ફરી એકવાર વિવાદ ઉભો થયો છે. હિન્દુ સંગઠનોનો દાવો છે કે આ દરગાહની નીચે હિન્દુ મંદિરો છે. તેમણે તપાસની માંગણી તેજ કરી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ હિન્દુ સંગઠનોના આ…

સીબીએસઈ ધો.10-12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે

ધોરણ 10 અને 12 બંનેની બોર્ડ પરીક્ષાઓ એક જ વખતમાં આયોજિત કરવામાં આવશે, શિફ્ટ-તમામ દિવસે સવારે 10.30થી બપોરે 1.30 વાગ્યા સુધી રહેશે નવી દિલ્હી કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઈ) એ નવો સીબીએસઈ બોર્ડ પરીક્ષા 2024 નો ટાઈમટેબલ જાહેર કરી દીધો છે. અમુક વિષયના પેપરમાં પરિવર્તન સાથે સીબીએસઈએ નવો ટાઈમટેબલ જાહેર કર્યો છે. જે પણ વિદ્યાર્થી…

પૃથ્વી યોજના માટે 4797 કરોડના ખર્ચને કેન્દ્ર સરકારની મંજૂરી

આ યોજના સંશોધન, હવામાન, આબોહવા, મહાસાગર, ક્રાયોસ્ફિયર, સિસ્મોલોજીમાં આવતા પડકારોનો સામનો કરવામાં સક્ષમ બનાવશે નવી દિલ્હીકેન્દ્રીય મંત્રીમંડળે ‘પૃથ્વી યોજના’ હેઠળના અભ્યાસને વધુ ગતિશીલ બનાવવા પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં 2021-26ના સમયગાળા દરમિયાન લાગુ કરવામાં આવનાર પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની વ્યાપક યોજના ‘પૃથ્વી વિજ્ઞાન’ને મંજૂરી આપી છે….

આંગણવાડીની બહેનોને કર્મચારી ગણી ગ્રેચ્યુટીનો લાભ આપવા આદેશ

કોર્ટે આંગણવાડીની બહેનોને કર્મચારી હોવાના હકનો આદેશ આપતા ગુજરાત સરકારની પુન:વિચારણાની અરજીને ફગાવી દીધી નવી દિલ્હીગુજરાતની આંગણવાડીની બહેના માટે સુપ્રીમ કોર્ટ મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. રાજ્ય સરકારે કરેલી પુન:વિચારણાની અરજીને કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, આંગણવાડીની બહેનોને હવે કર્મચારી ગણવા તેમજ તમામને ગ્રેચ્યુટીના લાભ આપવામાં આવે.સુપ્રીમ કોર્ટમાં આંગણવાડી બહેનોના મુદ્દાને લઈને પિટિશન દાખલ…

દેશમાં ચોવિસ કલાકમાં કોરોનાના 761 કેસ, 12 જણાનાં મોત

એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 4334 થઈ, સૌથી ખરાબ સ્થિતિ કર્ણાટક રાજ્યની છે જ્યાં ગઈકાલે 298 નવા કેસ નોંધાયા નવી દિલ્હી દેશમાં વધી રહેલા કોરોનાના કેસથી કેન્દ્ર અને રાજ્ય સરકારોનું ટેન્શન વધારી દીધુ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ દેશમા છેલ્લા 24 કલાકમાં 761 કેસ નોંધાયા છે જ્યારે કોરોનાથી 12 લોકોએ જીવ ગુમાવ્યો…

સરકારી કર્મીઓને માર્ચ-24ના ક્વાર્ટરમાં પીએફમાં 7.1 ટકા વ્યાજ મળશે

જીપીએફના વ્યાજદરમાં કોઈ પરિવર્તન કરવામાં આવ્યુ નથી નવી દિલ્હી સરકારી કર્મચારીઓ માટે પ્રોવિડન્ટ ફંડના નવા વ્યાજ દર નક્કી થઈ ગયા છે. સરકારે જણાવી દીધુ છે કે જનરલ પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ કરનાર સરકારી કર્મચારીઓને જાન્યુઆરીથી માર્ચ 2024ના ત્રણ મહિના એટલે કે ચાલુ નાણાકીય વર્ષના અંતિમ ત્રિમાસિકમાં 7.1 ટકાના દરથી વ્યાજ મળવાનું છે.  નાણા મંત્રાલયે તાજેતરના નોટિફિકેશનમાં…

યુવાનને ટોર્ચર કરાયાનો પૂર્વ ક્રિકેટર સામે આક્ષેપ

પવનની માતાએ આ કેસમાં તત્કાલિન ડીએસપી અને પૂર્વ ક્રિકેટર જોગીન્દર શર્મા સહિતના પર આરોપ લગાવ્યો હિસ્સાર  હરિયાણાના ડાબરા ગામના 27 વર્ષીય પવનના શંકાસ્પદ મોતના મામલામાં પરિવારે ત્રીજા દિવસે પણ મૃતદેહ લેવાનો ઈન્કાર કરી દીધો હતો. બુધવારે સાંજે સિવિલ હોસ્પિટલમાં સીએમઓ ઓફિસની બહાર પાર્કમાં સ્વજનો ધરણા પર બેઠા હતા. ગુરુવારે પવનની નાની બહેન સંજુની તબિયત પણ…

યુએસ દ્વારા નિખિલ ગુપ્તાના પ્રત્યાર્પણની શંકાએ સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર

આ સંવેદનશીલ મામલામાં સરકાર જ યોગ્ય નિર્ણય લઈ શકે છે, કોર્ટ તેમાં દખલ ન કરી શકેઃ સુપ્રીમ કોર્ટ નવી દિલ્હીઅમેરિકામાં ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના પ્રયાસના કેસમાં આરોપી નિખિલ ગુપ્તા ચેક રિપબ્લિક ની જેલમાં બંધ છે. હવે આ મામલે નિખિલના પરિવારે ભારતની સુપ્રીમ કોર્ટમાં અરજી કરતા કોર્ટે સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. પરિવારે…

રામલલાની મૂર્તિને મોદી સ્પર્શ કરે એ મર્યાદાની વિરુધ્ધઃ પુરીના શંકાચાર્ય

પદની ગરિમાનું ધ્યાનમાં રાખીને પુરીના શંકાચાર્ય સ્વામી નિશ્ચલાનંદનો કાર્યક્રમમાં સામેલ ન થવાનો નિર્ણય પુરીદેશના લાખો હિન્દુઓની પ્રતિક્ષાનો અંત થોડા દિવસો બાદ આવશે જ્યારે ભગવાન રામલલા અયોધ્યામાં ભવ્ય મંદિરમાં બિરાજશે. 22મી જાન્યુઆરીએ થનારા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને જ્યાં દેશભરના શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ આને લઈને રાજકીય પક્ષો એકબીજા પર આક્ષેપ અને…

હોસ્પિટલ્સ લોહી માટે માત્ર પ્રોસેસિંગ ફી જ વસૂલી શકશે

સરકાર તરફથી જાહેર કરાયેલી એડવાઈઝરી તમામ હોસ્પિટલો અને બ્લડ બેન્કોને જારી કરી દેવામાં આવી, નવા નિયમોનું કડક રીતે પાલન કરવા નિર્દેશ નવી દિલ્હીદરેક વ્યક્તિ લોહીની કિંમત જાણે જ છે કે જીવનમાં જીવવા માટે તે કેટલો જરૂરી છે. જ્યારે બીજી બાજુ હવે લોહીના વેચાણનો ધંધો બંધ થશે. એટલે કે હવે દેશમાં લોહી વેચી નહીં શકાય. તેનાથી…

દિલ્હીમાં પેથોલોજી અને રેડિયોલોજી ટેસ્ટમાં કૌભાંડમાં સીબીઆઈ તપાસનો એલજીનો આદેશ

મોહલ્લા ક્લિનિકોમાં નકલી લેબ ટેસ્ટ માટે નકલી અથવા જે મોબાઈલ નંબર સેવામાં જ નથી તેને નોંધીને દર્દીઓની એન્ટ્રી બતાવાઈ નવી દિલ્હી દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે સંકટમાં ઘેરાયેલી કેજરીવાલ સરકાર ફરી એક વખત સંકટના વાદળ ઘેરાયા છે. દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેના હાલના દિવસોમાં કેજરીવાલ સરકાર વિરુદ્ધ એક્શન મોડમાં ચાલી રહ્યા છે ત્યારે એલજીપણ એક પછી…

કોંગ્રેસના આત્મા હિંદુ, આમં6ણ હોય તો અયોધ્યા જવું જોઈએઃ યુટીબી

કોંગ્રેસ પાર્ટીનો આત્મા જ હિન્દૂ છે અને તેમાં છુપાવવા જેવું કંઈ નથીઃ શિવસેનાના મુખપત્ર સામનામાં ટીપ્પણી મુંબઈ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ બાદ 22 જાન્યુઆરીએ ભગવાન રામની મૂર્તીની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ માટે તડામાર તૈયારી ચાલી રહી છે ત્યારે આ મુદ્દા પર રાજકારણ પર ગરમાયું છે. ભાજપ માટે આવનારી લોકસભા ચૂંટણી માટે આ મુદ્દો મહત્વનો સાબિત…

ધરપકડની શક્યતા વચ્ચે કેજરીવાલ ત્રણ દિવસ ગુજરાત આવશે

કેજરીવાલ પાર્ટી કાર્યકર્તા સમ્મેલનમાં હાજરી આપશે તેમજ જાહેરસભાને સંબોધશે નવી દિલ્હી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડીએ દિલ્હીની એક્સાઈઝ નીતિમાં કથિત કૌભાંડ કેસમાં હાજર થવા ત્રીજીવાર સમન્સ મોકલ્યા હતા તેમ છતાં તેઓ ઈડી સમક્ષ હાજર નહોતા થયા ત્યારે તેની સામે આકરા પગલા લેવામાં આવી શકે છે અને પાર્ટીએ દાવો કર્યો છે કે તેની ગમે તે સમયે…

આંધ્રના મુખ્યમંત્રીના બહેન શર્મિલાનો પક્ષ કોંગ્રેસમાં જોડાશે

49 વર્ષીય વાયએસ શર્મિલા તેલંગાણામાં સક્રિય વાયએસઆરતેલંગાણા પાર્ટીના સ્થાપક અને પ્રમુખ છે હૈદ્રાબાદ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીના બહેન અને વાયએસઆરટીપીના પાર્ટી પ્રમુખ વાયએસ શર્મિલા ટૂંક સમયમાં જ પોતાની પાર્ટીને કોંગ્રેસ સાથે જોડશે તેવી જાહેરાત કરવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર કોંગ્રેસ વાયએસ શર્મિલાને લોકસભાની ચૂંટણીમાં મહત્ત્વની ભૂમિકા આપી શકે છે. કોંગ્રેસને પહેલા કર્ણાટકમાં…

કાશ્મીરના કિશ્તવાડમાં 3.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

ભૂકંપનું કેન્દ્ર બિંદુ કિશ્તવાડ નજીક પાંચ કિમી ઊંડે હતું જમ્મુ જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વહેલી સવારે ભારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અધિકારીઓએ કહ્યું કે ગુરુવારે સવારે 3.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપને કારણે અત્યાર સુધી કોઈ મોટી જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.  રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ કહ્યું કે ભૂકંપનો આંચકો મોડી રાતે 12.38 વાગ્યે આવ્યો હતો. જેનું…

ચોરોને પગાર પર રાખતી પહાડી ગેંગના આઠ ઝડપાયા

આ આંતરરાજ્ય ટોળકી જે દેશના વિવિધ રાજ્યોમાં સક્રિય હતીઅને મોબાઈલ ફોન ચોરી કરવાની સાથે ખાતામાંથી પૈસા પણ ઉપાડી લેતી હતી ભૂવનેશ્વર કોઈ તમને પૂછે કે શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ચોરોને નોકરી આપવામાં આવે છે? તેમને માસિક પગાર ચૂકવાય છે? તો તમે જ ના પાડશો. પરંતુ તમને વિશ્વાસ નહીં થાય કે આવો જ એક…