નાના ઉપગ્રહોના લોન્ચિંગ વ્હીકલ એસએસએલવીને ખાનગી ક્ષેત્રને સોંપવા તૈયારી

વ્હીકલ 500 કિગ્રા વજનના ઉપગ્રહોને લો-અર્થ ઓર્બિટમાં મૂકવા માટેની સેવાઓ પ્રદાન કરે છે નવી દિલ્હીટૂંક સમયમાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન તેના નાના સેટેલાઇટ લોન્ચ વ્હીકલને ખાનગી ક્ષેત્રને ટ્રાન્સફર કરશે. આ પહેલા, તે રોકેટ દ્વારા બે ડેવલપમેન્ટ ફ્લાઇટ્સ લોન્ચ કરશે, જે 500 કિગ્રા વજનના ઉપગ્રહોને લો-અર્થ ઓર્બિટમાં મૂકવા માટેની સેવાઓ પ્રદાન કરે છે.એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું…

રેપ પીડિત મહિલાએ આપેલી નિશાની પરથી યુપીથી આરોપી ઝડપાયો

આરોપી યુપીનો રહેવાસી છે અને મુંબઈમાં રહીને ઓટો ડ્રાઈવરનું કામ કરે છે, મહિલા સાથે દુષ્કર્મ આચરતા પહેલા તેની સાથે મારપીટ પણ કરી હતી મુંબઈમુંબઈમાં ઓટોમાં મહિલા સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. પોલીસે મહિલાની નિશાનદેહી પર ઉત્તર પ્રદેશથી આરોપીની ધરપકડ કરી છે. આરોપી યુપીનો રહેવાસી છે અને મુંબઈમાં રહીને ઓટો ડ્રાઈવરનું કામ કરે છે. પોલીસના…

શિવસેનાના ચિહનને લઈને સુપ્રીમમાં 31 જુલાઈએ સુનાવણી

ચૂંટણી પંચે શિંદે જૂથને ધનુષ-બાનના ચૂંટણી ચિહ્ન અને પક્ષ પર અધિકારો આપ્યા હતા, જેને ઠાકરે જૂથ દ્વારા પડકારવામાં આવ્યો છે મુંબઈશિવસેનાના ચિહ્નને લઈને ઉદ્ધવ જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર વહેલી સુનાવણીની માંગ પર સુપ્રીમ કોર્ટે 31 જુલાઈએ સુનાવણીનો આદેશ જાહેર કર્યો છે. ઉદ્ધવ જૂથે ચૂંટણી પંચના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. ચૂંટણી પંચે…

દિલ્હી અંગે વટહુકમ મામલે કેન્દ્રને સુપ્રીમની નોટિસ, કેજરીને રાહત

કેન્દ્ર સરકારને 2 અઠવાડિયામાં જવાબ રજુ કરવા આદેશ, દિલ્હી સરકારને ઉપરાજ્યપાલને પક્ષકાર તરીકે સામેલ કરવા માટેની અરજીમાં સુધારો કરવાની પણ મંજુરી અપાઈ નવી દિલ્હીઆજે સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં કેન્દ્ર સરકારના વટહુકમ મામલે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કેન્દ્ર સરકારના વટહુકમ વિરુદ્ધ દિલ્હી સરકારની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કોર્ટે કેન્દ્ર સરકારને નોટીસ…

મણિપુરની હિંસામાં પોલીસ કર્મીનું મોત, 10થી વધુ લોકો ઘાયલ

ગોળીબાર કંગપોકલી જિલ્લાના કાંગચુપ વિસ્તારના ગામો અને પહાડી વિસ્તારોને નિશાન બનાવીને કરવામાં આવ્યો ઈમ્ફાલમણિપુરના પશ્ચિમી કંગપોકપી વિસ્તારમાં આખીરાત હિંસક અથડામણો ચાલી હતી, ત્યારબાદ આજે એક પોલીસ કર્મચારીનું મોત નિપજ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ઘટનામાં 10 અન્ય લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે. એક અધિકારીએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે, વહેલી સવારે 3.00…

દેશના અનેક રાજ્યોમાં વરસાદી આફતથી 50થી વધુનાં મોત

દેશભરમાં મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન, આભ ફાટવા, મકાન ધરાશાયી થવા, વૃક્ષો પડવા અને વીજળી પડવા જેવી ઘટનાઓથી ભારે તબાહી નવી દિલ્હીઉત્તર અને પશ્ચિમ ભારતમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. હિમાચલ પ્રદેશ સહિતના પહાડી રાજ્યોને સૌથી વધુ નુકસાન થયું છે. છેલ્લા 24 કલાકમાં મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન, આભ ફાટવા, મકાન ધરાશાયી થવા, વૃક્ષો પડવા અને વીજળી…

2014 અને 19માં વૈચારિક મતભેદોથી ભાજપ સાથે ચૂંટણી વાટાઘોટો પડી ભાંગીઃ શરદ પવાર

એનસીપીના વડાએ કહ્યું કે તેઓ પાર્ટી માટે કામ કરી રહ્યા છે અને તેમની પાસે કોઈ મંત્રી પદ નથી તેમજ મને નિવૃત્ત થવાનું કહેનારા એ કોણ ? હું હજુ પણ કામ કરી શકું છું મુંબઈમહારાષ્ટ્રમાં જ્યારથી અજિત પવારે બળવો કર્યો છે ત્યારથી રાજકારણમાં ઉથલપાથલ જોવા મળી રહી છે અને રોજ રોજ નિવેદનો સામે આવી રહ્યા છે…

જૈન મુની કામકુમાર નંદી મહારાજનું અપહરણ કરી હત્યા કરાઈ

ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરીને શંકાસ્પદની પૂછપરછ કરતા જૈન મુનિની હત્યા કરી લાશ ફેંકી દીધી હોવાની કબૂલાત કરી, અન્ય એકની પણ ધરપકડ બેલગામ કર્ણાટકના બેલગામ જિલ્લામાં જૈન મુનિની હત્યાનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. મુનિ કામકુમાર નંદી મહારાજ બુધવારથી ગુમ હતા. ગુરુવારે જ ભક્તોએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ કિસ્સો જિલ્લાના ચિક્કોડી…

કાનપુરમાં ઘરમાં પાળતું પ્રાણીઓ પાળવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત

ઘરમાં મનપસંદ ગાય પાળવા પર પણ રોક લગાવી દેવાઈ, હવે ઘરમાં માત્ર બે ગાય જ રાખી શકાશે, આ માટે પણ રજિસ્ટ્રેશન કરાવવું પડશે લખનૌ જો તમે પાલતુ પ્રાણી કે બિલાડી પાળવાનો શોખ ધરાવતા હોવ તો આ સમાચાર તમારા માટે કામના છે. ઉત્તર પ્રદેશના કાનપુર કોર્પોરેશને ઘરમાં પાલતુ પ્રાણીઓ પાળવા માટે રજિસ્ટ્રેશન કરાવવુ અનિવાર્ય કર્યુ છે….

રાહુલ ગાંધી સોનીપતના ગામોમાં ખેડૂતો વચ્ચે પહોંચી ગયા

રાહુલ ગાંધીએ ખેડૂતોની વચ્ચે પહોંચીને ટ્રેક્ટર ચલાવ્યું, ડાંગર રોપી, લોકોની ભીડ ભેગી થઈ ગઈ સોનીપતરાહુલ ગાંધી આજે સવારે કંઇક અનોખા અંદાજમાં જ જોવા મળ્યા હતા. રાહુલ ગાંધી સોનીપતના બરોડા વિસ્તારના ઘણા ગામોના ખેતરોમાં કામ કરી રહેલા ખેડૂતોની વચ્ચે પહોંચ્યા હતા. ત્યાં પહોંચતા જ લોકોની ભીડ એકઠી થઈ ગઈ અને બધા પોતપોતાના કામ છોડીને તેને મળવા…

ઠાકરે-શિંદે જૂથના ધારાસભ્યોની અયોગ્યતા પર વિધાનસભા અધ્યક્ષે નોટિસ ફટકારી

આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે રાજ્ય સરકારમાં મંત્રી મંડળ વિસ્તારની ચર્ચા છે મુંબઈમહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી રાજકારણ ગરમાયુ છે અને ભારે ઉથપાથલ જોવા મળી રહી છે ત્યારે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષે શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથના ધારાસભ્યોને નોટિસ ફટકારી છે અને સાત દિવસની અંદર જવાબ રજૂ કરવા કહેવાયું છે.વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે જણાવ્યું હતું…

અમરનાથ યાત્રામાં છેલ્લા બે દિવસમાં છ લોકોનાં મોત થયા

આ વર્ષે અત્યાર સુધીમાં તીર્થયાત્રામાં મૃત્યુઆંક વધીને નવ થઈ ગયો જમ્મુઅમરનાથ યાત્રાને લઈને એક ચિંતાજનક અહેવાલ આવ્યા છે. આ યાત્રા દરમિયાન બે દિવસમાં છ લોકો મૃત્યુ પામી ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વર્ષે અત્યાર સુધીમાં તીર્થયાત્રામાં મૃત્યુઆંક વધીને નવ થઈ ગયો છે. જોકે આ મૃત્યુ કેમ થયા તેના વિશે સત્તાધીશોએ વધુ માહિતી આપી…

પ્રદીપે મિસાઈલ,ડ્રોન-રોબોટિક પ્રોગ્રામ્સ અંગેની માહિતી પાક. મહિલા ઈન્ટેલિજન્સને શેર કરી હતી

પાકિસ્તાની એજન્ટે સોશિયલ મીડિયા પર કુરુલકર સાથે જોડાવા માટે અલગ-અલગ નામોથી નકલી એકાઉન્ટ બનાવ્યા હતા, આમાંથી બે નામ ઝારા દાસગુપ્તા અને જુહી અરોરા હતા નવી દિલ્હીપાડોશી દેશ પાકિસ્તાન સાથે ગુપ્ત માહિતી શેર કરવા બદલ ધરપકડ કરાયેલા ડીઆરડીઓ વૈજ્ઞાનિક પ્રદીપ કુરુલકરને લઈને ચાર્જશીટમાં મોટા ખુલાસા થયા છે. એટીએસે 30 જૂને સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ સબમિટ કરી હતી,…

કર્ણાટક વિધાન સભામાં ધારાસભ્યની ખુરશી પર અજાણ્યો શખ્સ બેસી ગયો

અજાણ્યો શખ્સ વિધાનસભાના ગૃહમાં ઘૂસ્યો અને દેવદુર્ગના ધારાસભ્ય કરીયમ્માની ખુરશી પર બેસી ગયો, ધરપકડ કરવામાં આવી બેંગલુરૂકર્ણાટક વિધાનસભામાં નવી ચૂંટાયેલી સરકાર શુક્રવારે તેનું બજેટ રજૂ કરી રહી હતી, આ દરમિયાન એક ઘટનાએ વિધાનસભાની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કરી દીધા હતા. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા શુક્રવારે વિધાનસભામાં બજેટ રજૂ કરી રહ્યા હતા, તે દરમિયાન એક અજાણ્યો અને…

યુપીના લખનૌ મેટ્રો સ્ટેશનને બોમ્બથી ઊડાવી દેવાની ધમકી

રાજધાનીના દરેક મેટ્રો સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી લખનૌરાજધાની લખનૌના મેટ્રો સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ત્યારબાદ રાજધાનીના દરેક મેટ્રો સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. મેટ્રો સ્ટેશનને ઉડાવી દેવાની ધમકી આપતી આ માહિતી પોલીસ કંટ્રોલ રૂમ 112 પર મળી છે. આ માહિતી મળતાં જ પોલીસે ચારબાગથી હઝરતગંજ સુધી…

રાહુલ ગાંધીન સમર્થનમાં 12 જુલાઈએ દેશભરમાં કોંગ્રેસનું મૌન સત્યાગ્રહ

આ સત્યાગ્રહ સવારે 10:00થી સાંજના 5:00 વાગ્યા સુધી રાજ્યના મુખ્યાલયમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની સામે યોજાશે નવી દિલ્હીગુજરાત હાઈકોર્ટે “મોદી સરનેમ” પરની ટિપ્પણીને લગતા ફોજદારી માનહાનિના કેસને નકારી કાઢ્યા બાદ કોંગ્રેસે રાહુલ ગાંધી પ્રત્યે એકતા પ્રકટ કરતા 12 જુલાઈના રોજે તમામ રાજ્યોમાં મૌન સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું છે. આ સત્યાગ્રહ સવારે 10:00થી સાંજના 5:00 વાગ્યા સુધી…

6000 કિલો લોખંડના પુલની કથિત ચોરી બદલ ચારની ધરપકડ

પેટાઃ મલાડ(વેસ્ટ)માં 90 ફૂટ લાંબુ મેટલ સ્ટ્રક્ચર યુટિલિટી કંપની અદાણી ઇલેક્ટ્રિસિટી દ્વારા વિશાળ ઇલેક્ટ્રિક કેબલ પસાર કરવા માટે મૂકવામાં આવ્યું હતું નવી મુંબઇમુંબઈ પોલીસે શહેરના પશ્ચિમી ઉપનગરમાં નાળા પરના 6,000 કિલો લોખંડના પુલની કથિત રીતે ચોરી કરવા બદલ ચાર લોકોની ધરપકડ કરી છે.બાંગુર નગર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે મલાડ(વેસ્ટ)માં 90 ફૂટ લાંબુ…

એકનાથ શિંદેને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવા જણાવાયું છેઃ આદિત્ય ઠાકરે

આદિત્ય ઠાકરેએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ટૂંક સમયમાં મહારાષ્ટ્ર સરકારમાં મોટું પરિવર્તન જોવા મળી શકે છે મુંબઈમહારાષ્ટ્રમાં વર્તમાન સમયમાં રાજકારણમાં થયેલી ઉથલપાથલથી સૌ કોઈ વાકેફ છે. અજિત પવાર જ્યારથી ડે.સીએમ તરીકે શિંદે અને ભાજપના ગઠબંધનવાળી સરકારમાં સામેલ થયા છે ત્યારથી એકનાથ શિંદેને લઈને અનેક દાવાઓ કરવામાં આવી રહ્યા છે. આ સૌની વચ્ચે ઉદ્ધવ…

પશ્ચિમ બંગાળની પંચાયતની ચૂંટણીમાં ભારે હિંસા, 14 લોકોનાં મોત

ચૂંટણીના પરિણામ 11 જુલાઇએ આવશે, બંગાળમાં કેન્દ્રીય દળોની 485 કંપનીઓ તૈનાત,. હિંસા રોકવા આ કંપનીઓના 65,000 જવાન હાજર છતાં ઠેર-ઠેર હિંસા કોલકાતાઆજે પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણી યોજાઇ રહી છે. ચૂંટણીમાં હિંસાની આશંકા વચ્ચે ભારે સંખ્યામાં સુરક્ષાદળને તૈનાત કરવામાં આવ્યા છે. તેમ છતા અલગ અલગ જગ્યાએ હિંસક અથડામણની ઘટનાઓ સામે આવી છે જેમાં 14 લોકોના મોત…

સિકરમાં ભીડ પર મધમાખીઓનો હુમલો, 80થી વધુ ઘાયલ

ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, બે ગંભીર ઘાયલોને મોટી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા સીકરરાજસ્થાનના સીકર જિલ્લામાં મધમાખીઓએ ભીડ પર હુમલો કર્યો છે. આ હુમલો એવા સમયે થયો જ્યારે એક વ્યક્તિના અંતિમ સંસ્કાર માટે લોકો એકઠા થયા હતા. મધમાખીઓના આ હુમલામાં 80થી વધુ લોકો ઘાયલ થયા છે જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા…