
ભારતીય સૈન્યના ઓપરેશન સિંદૂરનાં શૌર્ય અને પરાક્રમને બિરદાવતા શ્રી હાર્દિકસિંહ ડોડીયા અને તેમની ટીમ દ્વારા તા. ૧૬ ઓગસ્ટ થી ૨૯ ઓગસ્ટ સુધી નડાબેટ થી દાંડી સુધી “ઓપરેશન સિંદૂર સ્વાભિમાન યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું છે.જેની ફ્લેગ ઓફ સેરેમની તા. ૧૫ ઓગસ્ટ ના રોજ રાજ્યસભા સાંસદ નરહરિ અમીન, અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ, ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચા પ્રમુખ પ્રશાંત કોરાટ, AMCની લીગલ કમિટીનાં ચેરમેન અને બાપુનગર વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સીલર પ્રકાશગુર્જર, જયરાજસિંહ પરમાર તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવી.
