તેલંગણાના એક ગામમાં લગભગ 100 વાંદરાના મૃતદેહ મળ્યા

Spread the love

મૃત વાંદરાઓના કેટલાક સેમ્પલ પણ લેવામાં આવ્યા, સેમ્પલ હૈદરાબાદની ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા

હૈદરાબાદ

તેલંગાણાના સિદ્ધીપેટ જિલ્લામાં એક ગામની બહાર લગભગ 100 વાંદરાઓના મૃતદેહ મળી આવ્યા હતા. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુનિગડાપાના કેટલાક ગ્રામજનોએ શનિવારે તેમના ખેતરો પાસે મૃત વાંદરાઓ જોયા અને સ્થાનિક અધિકારીઓને જાણ કરી. આ પછી અધિકારીઓએ વેટરનરી વિભાગને જાણ કરી હતી.
પશુચિકિત્સા અને પશુપાલન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે વિભાગના અધિકારીઓએ હજુ સુધી તેમના મૃત્યુના કારણ અંગે કોઈ માહિતી આપી નથી. તેમજ મૃત વાંદરાઓના કેટલાક સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે સેમ્પલ હૈદરાબાદની ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટ મળ્યા બાદ મૃત્યુના કારણની પુષ્ટિ કરી શકાશે.
જો કે, એવી આશંકા સેવાઇ રહી છે કે વાંદરાઓને અન્ય કોઈ જગ્યાએ ઝેર આપીને મારી નાખવામાં આવ્યા હતા અને પોતાને બચાવવા માટે, તેમના મૃતદેહને ગામની નજીક ફેંકી દેવામાં આવ્યા હતા. સેમ્પલની તપાસની સાથે પોલીસ આ મામલે પણ ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આવું દ્રશ્ય જોઈને ગામના લોકોમાં પણ ગભરાટ ફેલાઈ ગયો છે અને બધા ખૂબ જ ડરી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *