હીરામણિ સાંધ્યજીવન કુટિર ભજનકાર મુકેશ ભટ્ટનો ભજનનો કાર્યક્રમ યોજાયો
તા.23-06-2025ને સોમવારે રાધાકૃષ્ણ મહિલા મંડળ – સાબરમતી, અમદાવાદ દ્વારા પ્રખ્યાત ભજનકાર મુકેશ ભટ્ટના ભજનનો કાર્યક્રમ હીરામણિ સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)માં રાખવામાં આવ્યો હતો. મુકેશ ભટ્ટના ભજનો સાંભળવા સંસ્થાના પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ શ્રીમતી નીતાબેન અમીન, સી.ઈ.ઓ ભગવત અમીન તથા વૃદ્ધાશ્રમના તમામ વડીલઓએ ઉપસ્થિત રહી ભજનનો આનંદ માણ્યો હતો.
