કાશ્મીરમાં 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં ચૂંટણી યોજોઃ સુપ્રીમ

રાજ્ય તરીકેનો દરજ્જો પણ જમ્મુ-કાશ્મીરને જલદી પરત કરવામાં આવે નવી દિલ્હીસુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની બેન્ચે જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370ની જોગવાઈઓને નાબૂદ કરવાને પડકારતી અરજીઓ પર ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સીજેઆઈ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે કલમ 370 નાબૂદ કરવાનો આદેશ બંધારણીય રીતે માન્ય છે. જમ્મુ અને કાશ્મીરની બંધારણ સભાની ભલામણ ભારતના રાષ્ટ્રપતિ માટે બંધનકર્તા નથી….

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની સુપ્રીમની મંજૂરી

જમ્મુ-કાશ્મીરમાં બંધારણની તમામ જોગવાઈઓ લાગુ થશે, રાષ્ટ્રપતિને કલમ 370 પર નિર્ણય લેવાનો સંપૂર્ણ અધિકાર નવી દિલ્હીઆખરે સુપ્રીમકોર્ટની બંધારણીય બેન્ચે ચુકાદો આપી દીધો છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય યથાવત્ રાખતાં અને તે નિર્ણયને યોગ્ય ગણાવતાં સુપ્રીમકોર્ટે કહ્યું કે 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં ચૂંટણીનું આયોજન કરી દેવામાં આવે. આ સાથે સુપ્રીમકોર્ટે કહ્યું કે જમ્મુ-કાશ્મીરનો…

ચીન સરહદ પર ટાટાના ચિપ પ્રોસિંગ પ્લાન્ટની તડામાર તૈયારી

ટાટા આ પ્લાન્ટના નિર્માણ માટે 40 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરશે, ચીનને ઝટકો નવી દિલ્હીભારત મેન્યુફેક્ચરીંગ, પાર્ટ્સ સહિતના સેક્ટરોમાં સતત હરણફાળ ગતી કરી રહ્યું છે. ભારત ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ અને તેના પાર્ટ્સના મેન્યુફેક્ચરિંગ મામલે આત્મનિર્ભર પણ બનવા ઈચ્છે છે. વર્તમાન સમયમાં ભારત મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઝડપી ગતીએ ગ્રોથ નોંધાવી રહ્યું છે, તેમ છતાં ચીન તેમજ અન્ય દેશોમાંથી…

કલમ 370 પર સુપ્રીમના નિર્ણય પર નિરાશા વ્યક્ત કરતા ઓમર-ગુલામનબી અને મહેબુબા

મહેબુબા મુફ્તીએ સોશિયલ મીડિયા પર વિવાદિત વીડિયો પોસ્ટ કરી આ ચુકાદાની મૃત્યુદંડ સાથે તુલના કરી નવી દિલ્હીકલમ 370ની કાયદેસરતા અંગે સુપ્રીમકોર્ટે ચુકાદો આપી દીધો છે. ટોચની કોર્ટે કેન્દ્ર સરકારના કમલ 370 અંગેના નિર્ણયને યથાવત્ રાખ્યો અને કહ્યું કે હવે તેના પર ચર્ચા કરવી યોગ્ય નથી કેમ કે જ્યારે જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ બન્યો હતો ત્યારે…

નર એરબેઝ પર તેજસ એમકે-1એ ફાઈટર જેટના પ્રથમ સ્ક્વોડ્રનને તૈનાત કરાશે

ઈન્ડિયન એરફોર્સ તેજસ એમકે-1એ ફાઈટર જેટની તૈનાતીથી ફ્લાઈંગ કોફિન ફ્લીટને તેજસથી બદલવા માંગે છે નવી દિલ્હીરાજસ્થાનનું બિકાનેર શહેર પાકિસ્તાન સરહદથી લગભગ 200 કિલોમીટર દૂર છે. આ જ શહેરમાં ભારતીય વાયુસેનાનું મુખ્ય બેઝ નર એરબેઝ છે. ઈન્ડિયન એરફોર્સે કહ્યું કે તે તેજસ એમકે-1એ ફાઈટર જેટના પ્રથમ સ્ક્વોડ્રનને આ જ એરબેઝ પર તૈનાત કરશે. આનાથી ભારતીય વાયુસેના…

ટીમ ઈન્ડિયામાં રોહિત કોહલી જેટલો જ ફિટ છેઃ અંકિત ક્લિયર

ભારતીય ટીમના સ્ટ્રેન્થ અને કંડીશનિંગ કોચે ટીમના સ્ટાર ખેલાડીઓની ફિટનેસ પર વાત કરી નવી દિલ્હીભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને તેની ફિટનેસને લઈને યુઝર્સ સોશ્યલ મીડિયા પર ટ્રોલ કરતા હોય છે. આટલું જ નહીં પરંતુ કેટલાંક ફેન્સ તેને પોતાની ફિટનેસ બનાવી રાખવા માટે સલાહ આપતા પણ જોવા મળતા હોય છે. પરંતુ જો રોહિત શર્મા ફિટ નથી…

કર્ણાટકમાં ગમે ત્યારે કોંગ્રેસની સરકાર પડી જશેઃ એચ.જી. કુમારસ્વામી

સત્તાધારી કોંગ્રેસના એક દિગ્ગજ મંત્રી કેન્દ્ર દ્વારા શરૂ કરાયેલ કાયદાકીય મુશ્કેલીઓથી બચવા ભાજપમાં સામેલ થવાનું વિચારી રહ્યા છે બેંગલુરૂકર્ણાટકમાં મોટી રાજકીય ઉથલ-પાથલ થવાનો અને કોંગ્રેસની સરકાર પડી ભાંગવાની તૈયારીઓ થઈ રહી હોવાનો જેડીએસએ દાવો કર્યો છે. આ ચોંકાવનારું નિવેદન જનતા દળ (સેક્યુલર)ના નેતા એચ.ડી.કુમારસ્વામીએ આપ્યું છે. તેમણે કહ્યું કે, કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર ગમે ત્યારે પડી…

આઈસીસી નવેમ્બર બ્લેયર ઓફ ધ મંથ માટે ટ્રેવિસ હેડની પસંદગી

પ્લેયર ઓફ ધ મંથ તરીકે ત્રણ ખેલાડીઓને નોમિનેટ કર્યા જેમાં ટ્રેવિસ હેડ, ગ્લેન મેકસવેલ અને ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું નામ પણ સામેલ દુબઈભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વન-ડે વર્લ્ડ કપ2023ની ફાઈનલ મેચમાં ટ્રેવિસ હેડે શાનદાર બેટિંગ કરી ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી જીત અપાવી હતી. હેડે ફાઈનલ મેચમાં 120 બોલમાં 137 રન બનાવ્યા હતા….

મોહન યાદવ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી, નરેન્દ્ર સિંહ તોમર વિધાનસભાના અધ્યક્ષ

ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે આ નિર્ણય લેવાયો ભોપાલછત્તીસગઢ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ ગઈ છે. 4 રાજ્યોમાં વિધાનસસભા ચૂંટણી પરિણામોની જાહેરાત થયાના 8 દિવસ બાદ મધ્યપ્રદેશમાં નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરાઈ છે. કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરને વિધાનસભા અધ્યક્ષ બનાવાયા છે. અગાઉ શિવરાજ સિંહ ચૌહાણ સહિતના નામો ચર્ચા હતા, જોકે…

સેન્સેક્સ 70 હજારની સપાટીને સ્પર્શી ગયો, નિફ્ટી 21000 નજીક

સેન્સેક્સ 103 પોઈન્ટના વધારા સાથે 69,928.53 પર જ્યારે નિફ્ટી 28 પોઈન્ટ વધીને 20,997.10 પર બંધ થયો મુંબઈએસએમસીજી અને ઈન્ફ્રા ઈન્ડેક્સ આજે 0.66 ટકાના વધારા સાથે બંધ થયા છે, જ્યારે આઈટી અને ઓટો ઈન્ડેક્સ 0.50 ટકાના વધારા સાથે બંધ થયા છે. નિફ્ટી મિડકેપ 100 0.75 ટકા વધ્યો હતો, જ્યારે બેન્કિંગ શેરોમાં આજે નજીવો (0.11 ટકા) વધારો…

શુગર મિલ્સ માટે વિશ્વનાં સૌથી મોટાં ગિયરબોક્સમાનું એક ગિયરબોક્સ લોન્ચ

આ ગિયરબોક્સ વધુ અને તેનું સ્થિરતાનું તથા ચમકદાર ટેક્નોલોજીનું ઉપયોગ કરીને સુગર મિલોની પ્રક્રિયાઓને સશક્ત અને યથાર્થ બનાવી રહ્યું છે અમદાવાદમિલ ગિયર્સ પ્રાઇવેટ લિમિટેડ, ગુજરાતની સૌથી અગ્રણી પ્રમુખ ઉદ્યોગ નવીકરણમાં, ખાસ કરીને શુગર મિલ ઉદ્યોગ માટે બનાવવામાં આવેલા વિશ્વના સૌથી મોટાં ગિયરબોક્સમાનું એક ગિયરબોક્સ લોન્ચ કર્યુ છે. આ ક્રાંતિકારી ઉત્પાદન ઔદ્યોગિક ઇન્જનિયરિંગ સિગ્મેન્ટમાં એક મહત્તમ…

ગુજરાત જાયન્ટસે અનકેપ્ડ કાશવી ગૌતમને બે કરોડમાં ખરીદી

કાશવી ડબલ્યુપીએલ ઈતિહાસની સૌથી મોંઘી અનકેપ્ડ ખેલાડી બની ગઈ મુંબઈવર્ષ 2023માં બીસીસીઆઈ દ્વારા ડબલ્યુપીએલની શરૂઆત કરવામાં આવી હતી. હવે આ ટુર્નામેન્ટના બીજા સિઝનની તૈયારીઓ શરુ થઇ ગઈ છે. જેના માટે આજે મુંબઈમાં ડબલ્યુપીએલ ઓક્શન 2024નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઓક્શનમાં કુલ 165 મહિલા ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવી રહી છે, જેમાં માત્ર 30…

બરોડા બીએનપી પારિબા એએમસી અને નૈનીતાલ બેંક લિમિટેડે મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટ્સના વિતરણના કરાર પર હસ્તાક્ષર કર્યા

મુંબઈ બરોડા બીએનપી પારિબા એએમસી અને નૈનીતાલ બેંક લિમિટેડે (એનબીએલ) બરોડા બીએનપી પારિબા એએમસીના હેડ-પીએસયુ ચેનલ શ્રી યોગેશ શર્મા, નૈનીતાલ બેંક લિમિટેડના એમડી અને સીઈઓ શ્રી નિખિલ મોહન તથા બંને સંસ્થાઓના સિનિયર અધિકારીઓની હાજરીમાં મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટ્સના વિતરણ માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. કરાર એનબીએલને તેના ગ્રાહકોને ઇક્વિટી ફંડ્સ, ફિક્સ્ડ ઇન્કમ ફંડ્સ અને હાઇબ્રિડ…

WPL હરાજી: મુખ્ય કોચ લ્યુક વિલિયમ્સ કહે છે કે અમારી યોજનાઓથી આરામદાયક છે કારણ કે RCB મજબૂત ટીમને સુરક્ષિત કરવા માંગે છે

મુંબઈ :રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) આજે પછીથી મુંબઈમાં વુમન્સ પ્રીમિયર લીગ (WPL) 2024 પ્લેયર ઓક્શન દરમિયાન ક્યારે અને ક્યાં ચપ્પુ વધારવું તે બરાબર જાણશે કારણ કે મુખ્ય કોચ લ્યુક વિલિયમ્સે ટીમની તૈયારીઓ અને વિસ્તૃત પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. નિર્ણાયક ઘટના માટે આયોજન. વિલિયમ્સ, ભૂતકાળમાં વિમેન્સ બિગ બેશ લીગ અને વિમેન્સ હંડ્રેડ ચેમ્પિયનશિપના ટાઇટલ જીતી…

ઓલે ગુન્નર સોલ્સ્કજાયરનો ભારત પ્રવાસ ફેબ્રુઆરી 2024 સુધી મુલતવી રાખવામાં આવ્યો

મુંબઈ, ફૂટબોલના દિગ્ગજ ખેલાડી ઓલે ગુન્નર સોલ્સ્કજાયરની ભારતની પ્રથમ મુલાકાત ફેબ્રુઆરી 2024 સુધી મુલતવી રાખવામાં આવી છે. માન્ચેસ્ટર યુનાઈટેડનો ભૂતપૂર્વ સ્ટાર 15 થી 17 ડિસેમ્બર દરમિયાન દેશની મુલાકાતે આવવાનો હતો પરંતુ કેટલાક અનિવાર્યતાને કારણે પ્રવાસ વિલંબમાં મૂકાયો છે. કારણો “જે દિવસથી મેં તિલક પાસેથી ફૂટબોલના ક્રેઝ અને માન્ચેસ્ટર યુનાઇટેડના ચાહકો વિશે સાંભળ્યું ત્યારથી હું ભારતની…

ચોવિસ કલાકમાં ઈઝરાયેલના હુમલામાં 300 પેલેસ્ટિનિયનનાં મોત

ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ માટે યુએનએસસીમાં યુએનના પ્રસ્તાવમાં નિરાશા સાંપડી હતી, અમેરિકાના વીટોને કારણે પ્રસ્તાવ પસાર થઈ શક્યો ન હતો ગાઝાગાઝામાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા બે મહિનાથી વધુ સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. અહેવાલ અનુસાર છેલ્લા 24 કલાકમાં ગાઝામાં ઈઝરાયેલ સેનાના હુમલામાં 300 પેલેસ્ટિનિયન નાગરિકોના મોત થયા છે. દરમિયાન, ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંયુક્ત રાષ્ટ્ર…

વિદ્યાર્થીઓને આધાર જેવું અપાર આઈડી આપવામાં આવશે

આ 12 અંકનું આઈડી હશે, જે તેને કિન્ડરગાર્ટનથી લઈને પીએચડીના અભ્યાસ અને નોકરી મેળવવા સુધી મદદરૂપ થશે નવી દિલ્હી‘વન નેશન, વન સ્ટુડન્ટ’ હેઠળ હવે દરેક વિદ્યાર્થીની એક વિશેષ ઓળખ (12 અંકનું આઈડી) હશે, જે તેને કિન્ડરગાર્ટનથી લઈને પીએચડીના અભ્યાસ અને નોકરી મેળવવા સુધી મદદરૂપ થશે. આ આઈડી જે આધારની જેમ કામ કરશે તેને ઓટોમેટેડ પરમેનન્ટ…

સરકારી નોકરીમાં પતિ-પત્નીનું એક સ્થળે પોસ્ટિંગ અધિકાર નથી

બંનેની એક જ જગ્યાએ પોસ્ટિંગ ત્યારે જ સંભવ હોય છે જ્યારે વહીવટી જરૂરિયાતોને કોઈ નુકસાન ન થતું હોયઃ કોર્ટ લખનઉહાઈકોર્ટની લખનઉ બેન્ચે તેના એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું કે પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય તો એક જ સ્થળે બંનેને પોસ્ટિંગ મળે તેના પર વિચાર કરવામાં આવી શકે પણ આ કોઈ અબાધિત અધિકાર નથી.કોર્ટે કહ્યું કે બંનેની…

પગમાં ઈજા થતાં દ.આફ્રિકાનો પેસ બોલર લુંગી એનગિડી સિરિઝમાંથી આઉટ

લુંગી એનગિડીના બહાર થયા બાદ બ્યુરોન હેન્ડ્રીક્સને બે વર્ષ બાદ પુનરાગમન કરવાની તક મળી ડરબનઆવતીકાલથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી20આઈ સિરીઝ શરુ થવાની છે. પરંતુ આ સિરીઝ શરુ થતા પહેલા સાઉથ આફ્રિકન ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ભારત સામે રમાનાર ટી20આઈ સિરીઝમાંથી સાઉથ આફ્રિકાનો મુખ્ય ફાસ્ટ બોલર લુંગી એનગિડી બહાર થઇ ગયો છે. મળેલા…

ધારાસભ્ય બનનારા સાંસદોને 30 દિવસમાં સરકારી ઘર ખાલી કરવા નોટિસ

હવે આ તમામ નેતાઓએ દિલ્હીમાં સરકારી બંગલા ખાલી કરવા પડશે નવી દિલ્હીત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે બમ્પર જીત મેળવી હતી. આ ચૂંટણીઓમાં પાર્ટીએ પોતાના 21 સાંસદોને પણ મેદાનમાં ઉતાર્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે જે સાંસદોએ જીત મેળવી છે અને પોતાના સાંસદ પદેથી રાજીનામું આપીને વિધાનસભાનું સભ્યપદ જાળવી રાખ્યું છે તેમને 30 દિવસમાં દિલ્હીમાં તેમના…