જુલાઈમાં ગુપ્ત નવરાત્રિથી ગુરુ પૂર્ણિમા સહિતના ધાર્મિક પર્વોની ઉજવણી થશે
હરિશયની એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ; જગન્નાથ રથયાત્રા સહિત અનેક મહત્વના વ્રત-ઉત્સવો જુલાઈમાં આવશે નવી દિલ્હી જુલાઈ 2026નો મહિનો ધાર્મિક દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મહિનામાં યોગિની એકાદશી, અષાઢ ગુપ્ત નવરાત્રિ, શ્રી જગન્નાથ રથયાત્રા, હરિશયની (દેવશયની) એકાદશી, ચાતુર્માસનો પ્રારંભ અને ગુરુ પૂર્ણિમા જેવા અનેક મહત્વના વ્રત અને તહેવારોની ઉજવણી થશે. ધાર્મિક માન્યતા અનુસાર હરિશયની એકાદશીથી…
