ISL 2023-24: ચેન્નાઈની નજર પ્રથમ જીત, ઘરઆંગણે મોહન બાગાન સુપર જાયન્ટનો સામનો

ચેન્નાઈ ચેન્નઈના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે શનિવારે જ્યારે તેઓ મોહન બાગાન સુપર જાયન્ટ સાથે શિંગડાને લૉક કરશે ત્યારે ચેન્નઈ એફસી 2023/24 ઈન્ડિયન સુપર લીગ સીઝનની તેમની પ્રથમ જીત મેળવવા માટે આતુર હશે. મરિના મચાન્સે ઝુંબેશની શરૂઆત કરી નથી કારણ કે તેઓ ઓવેન કોયલના નેતૃત્વમાં ગમ્યું હશે, ઓડિશા એફસી અને નોર્થઈસ્ટ યુનાઈટેડ એફસી સામે તેમની પ્રથમ…

2023નો નોબલ શાંતિ પુરસ્કાર ઈરાનના એક્ટિવિસ્ટ નરગીસ મોહમ્મદીને

નરગીસ 1990ના દાયકાથી મહિલાઓના અધિકારો માટે અવાજ ઉઠાવી રહી છે,  2003માં તેહરાનમાં ડિફેન્ડર્સ ઑફ હ્યુમન રાઇટ્સ સેન્ટરમાં કામ શરૂ કર્યું વોશિંગ્ટન નોબલ પુરસ્કાર-2023  હેઠળ શાંતિ પુરસ્કારની ઘોષણા કરવામાં આવી છે. આ વર્ષે ઈરાનની એક્ટીવીસ્ટ નરગીસ મોહમ્મદીને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. મોહમ્મદીને આ પુરસ્કાર ઈરાનમાં મહિલાઓની સ્થિતિ સુધારવા માટેના તેમના સંઘર્ષ બદલ તેને એનાયત…

રશિયા પાસેથી સસ્તું ઓઈલ દેશ-વૈશ્વિક હિતોને ધ્યાનમાં રાખીને ખરીદ્યુઃ પુરી

પુરીએ રશિયા પાસેથી સસ્તુ ક્રુડ ખરીદવાની ભારતની યોજના અને તેનાથી દેશના નાગરિકોનું હિત તેમજ 2008ની મંદી અંગેનો પણ ઉલ્લેખ કર્યો નવી દિલ્હી ભારતના પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સંયુક્ત આરબ અમીરાતમાં યોજાયેલ ઑઈલ એન્ડ ગેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. અહીં તેમણે રશિયા પાસેથી સસ્તુ ક્રુડ ખરીદવાની ભારતની યોજના અને તેનાથી દેશના નાગરિકોનું હિત તેમજ 2008ની…

પાકિસ્તાનના સૌથી મોટા પરમાણુ યુનિટની નજીક મોટો વિસ્ફોટ

2012થી ટીટીપી આ પરમાણુ એકમ પર હુમલાની અનેક ધમકીઓ આપી ચૂક્યું હોઈ બ્લાસ્ટ પાછળ તેન હાથની શંકા કરાચી ભારતના પાડોશી દેશ પાકિસ્તાનના સૌથી મોટા પરમાણુ યુનિટમાં વિસ્ફોટના સમાચાર મળી રહ્યા છે. આ  ઘટના પાકિસ્તાનના પંજાબના ડેરા ગાઝી ખાન જિલ્લામાં બની હતી. એવી વાત પણ સામે આવી રહી છે કે 2012થી તહરીક-એ-તાલિબાન-પાકિસ્તાન (ટીટીપી) આ પરમાણુ એકમ પર…

શેપ ઓફ યુન ગાયક એડ શીરાન પોતાના માટે કબર ખોદી રહ્યો છે

32 વર્ષીય સિંગરે આવું એટલા માટે કર્યું કારણ કે, તે ઈચ્છતો હતો કે, તેના મૃત્યુ બાદ તેનો આખો પરિવાર એક જ જગ્યાએ દફનાવવામાં આવે વોશિંગ્ટન દુનિયાભરમાં પોતાના ગીતોથી લોકોને દિવાના બનાવનાર હોલિવૂડ સિંગર એડ શીરાન પોતાની ગાયકી માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે. એડ શીરાનને ‘શેપ ઓફ યુ’ ગીતથી ખાસ ઓળખ મળી હતી પરંતુ હવે તે…

જાપાનને 5-1થી હરાવીને ભારતને એશિયન ગેમ્સ હોકીમાં ગોલ્ડ મેડલ

આ પહેલા ભારત અને જાપાન પૂલ રાઉન્ડમાં પણ ટકરાયા હતા જેમાં ભારત 4-2 થી જીત્યું હતું હાંગઝોઉ ભારતીય હોકી ટીમે એશિયન ગેમ્સ 2023માં ગોલ્ડ મેડલ કબજે કર્યો છે. ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં ગત વખતના એશિયા ચેમ્પિયન જાપાનને 5-1થી હરાવ્યું છે. આ પહેલા ભારત અને જાપાન પૂલ રાઉન્ડમાં પણ ટકરાયા હતા જેમાં ભારત 4-2 થી જીત્યું હતું….

સેન્સેક્સમાં 364 અને નિફ્ટીમાં 108 પોઈન્ટનો વધારો જોવા મળ્યો

બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, ટાઇટન કંપની, ઇન્ડસઇન્ડ બેંક અને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ નિફ્ટીમાં ટોપ ગેઇનર્સ હતા મુંબઈ વ્યાજદરમાં કોઈ ફેરફાર ન થવાને કારણે બજારમાં ખરીદીનો મૂડ જોવા મળી રહ્યો છે. આજે સપ્તાહના અંતિમ દિવસે શેર બજાર લીલા નિશાન સાથે બંધ થવામાં સફળ રહ્યું છે. કારોબારી સપ્તાહના અંતિમ દિવસે બજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ અને…

સિક્કિમમાં 14000 કરોડના ડેમ સંદર્ભે અનેક વખત ચેતવણી અપાઈ હતી

ફ્લડનું નિરીક્ષણ કરતી સિસ્ટમ અંગે રીડિંગ પર ધ્યાન ન અપાયું, જો સમયસર એલર્ટ કરાયા હોત તો કદાચ નુકસાનથી બચી શકાયા હોત ગંગટોક તાજેતરમાં જ સિક્કિમમાં આભ ફાટવાની ઘટના બની. આ ઘટનામાં લ્હોનાક લેકમાં એટલી હદે પાણી આવી ગયું કે ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડની ઘટના બની અને તેના લીધે તીસ્તા નદી ગાંડીતૂર બની હતી. જેના પગલે…

ગિફ્ટી સીટીમાં 300 બેડની મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ બનશે

હોસ્પિટલ અત્યાધુનિક તબીબી સાધનો, વિશ્વકક્ષાની આરોગ્ય-સંભાળની સુવિધા અને વિખ્યાત તબીબોથી સજ્જ હશે, જે સમગ્ર વિસ્તારના દર્દીઓને સેવા પૂરી પાડશે અમદાવાદ  કિશોર મહેતાના પરિવારે પ્રતિષ્ઠિત ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક (ગિફ્ટ) સિટી, ગાંધીનગર ખાતેની પોતાની ૩૦૦ બેડની, મલ્ટિ-સ્પેશિયાલિટી ચેરિટેબલ હોસ્પિટલના નિર્માણ કાર્યમાં નવા જોશ સાથે આગળ વધવાનો નિર્ણય કર્યો છે. આ હોસ્પિટલ અત્યાધુનિક તબીબી સાધનો, વિશ્વકક્ષાની આરોગ્ય-સંભાળની…

મહારાષ્ટ્રમાં 131 દર્દીના મોત માટે જવાબદાર કોણઃ રાજ્યને પંચની નોટિસ

હોસ્પિટલ મેનેજમેન્ટ અને તંત્ર તરફથી યોગ્ય જવાબ ન મળતાં હવે માનવાધિકાર પંચે રાજ્ય સરકારને નોટિસ પાઠવી 4 સપ્તાહમાં જવાબ આપવા સમય આપ્યો મુંબઈ મહારાષ્ટ્રમાં છેલ્લાં કેટલાક દિવસોથી દર્દીઓનો મોતનો આંકડો સતત વધતો જઈ રહ્યો છે. નાંદેડ બાદ હવે નાગપુરમાં માત્ર ચાર જ દિવસમાં 80 દર્દીઓ મૃત્યુ પામી ચૂક્યા છે. આ દરમિયાન આ બે જિલ્લામાં દર્દીઓના…

મહેન્દ્રસિંહ ધોની જિયોમાર્ટના બ્રાન્ડ એમ્બેસેડર

મુંબઈ દેશના અગ્રણી ઇ-માર્કેટપ્લેસીસમાંના એક રિલાયન્સ રિટેલના જિયોમાર્ટે ભારતીય ક્રિકેટ આઇકોન મહેન્દ્રસિંહ ધોનીને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કરારબદ્ધ કર્યા છે. આ ઉપરાંત, જિયોમાર્ટે તેના તહેવારો માટેના કેમ્પેન જિયોઉત્સવ, સેલિબ્રેશન ઓફ ઇન્ડિયાને નવા રંગરૂપ આપ્યા છે. આ ઉત્સવ 8 ઓક્ટોબર, 2023થી શરૂ થશે. જિયોઉત્સવ કેમ્પેન એ બાબત પર ભાર મૂકે છે કે ધોનીએ દેશને ઉજવણી કરવા માટે ઘણા પ્રસંગો આપ્યા છે પરંતુ…

બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડે બરોડા બીએનપી પારિબા સ્મોલ કેપ ફંડ લોન્ચ કર્યું

ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ જે મુખ્યત્વે સ્મોલ-કેપ શેરોમાં રોકાણ કરે છે મુખ્ય બાબતોઃ મુંબઈ બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડે મુખ્યત્વે સ્મોલ કેપ શેરોમાં રોકાણ કરતી ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ બરોડા બીએનપી પારિબ સ્મોલ કેપ ફંડના લોન્ચની જાહેરાત કરી હતી. ફંડનું સંચાલન શિવ ચનાની (સિનિયર ફંડ મેનેજર) દ્વારા કરવામાં આવશે. શિવ પાસે 24 વર્ષથી વધુનો અનુભવ છે અને મિડ…

પીજીઆઈએમ ઈન્ડિયા એએમસીએ કેટેગરી III ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (એઆઈએફ) લોન્ચ કર્યું અને આ નાણાકીય વર્ષમાં 1000 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખ્યું છે

મુંબઈ  ભારતની સૌથી ઝડપથી વિકસતી એએમસીઓ પૈકીની એક પીજીઆઈએમ ઇન્ડિયા એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે આજે સેબી-રજિસ્ટર્ડ કેટેગરી III એઆઈએફ, પીજીઆઈએમ ઇન્ડિયાઝ ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (એઆઈએફ) શરૂ કરવાની જાહેરાત કરી છે. પીજીઆઈએમ ઈન્ડિયા એસેટ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડના સીઈઓ અજીત મેનને જણાવ્યું હતું કે, “એઆઈએફની શરૂઆત સાથે, અમે રોકાણકારોના વધુ સેગમેન્ટમાં ખાસ કરીને કૌટુંબિક ઓફિસો સહિત ટોચની સંપત્તિ ધરાવતા સ્તરોમાં અમારી…

નવજીવન – સત્ય આર્ટ ગેલેરીમાં અમદાવાદ જેલના બંદીવાનોએ બનાવેલાં પેઈન્ટીંગનું પ્રદર્શન – જેલ ઉદય

અમદાવાદ નવજીવન ટ્રસ્ટ, ગાંધીવિચાર અને અમદાવાદ મધ્યસ્થ જેલના સંયુક્ત ઉપક્રમે બંદીવાનોએ તૈયાર કરેલા પેઈન્ટિંગ્સનું પ્રદર્શન જેલ ઉદય યોજવા જઈ રહ્યું છે. ગાંધી જન્મ જ્યંતિ 2 ઓક્ટોબર, 2023ના રોજ સોમવારે જેલ ઉદય પ્રદર્શન સાંજે 5 વાગ્યે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જે 8 ઓક્ટોબર સુધી સત્ય આર્ટ ગેલેરી ખાતે નિહાળી શકાશે. નવજીવન ટ્રસ્ટ અને ગાંધીવિચાર અમદાવાદ મધ્યસ્થ જેલમાં બંદીવાનોને સત્ય આર્ટ ગેલેરીનું મંચ પુરું…

સરકારી વિભાગોમાં કરાર આધારિત નોકરીઓમાં પણ અનામત મળશે

તમામ મંત્રાલયો અને વિભાગોને અસ્થાયી પદો પર આ અનામતને કડક રીતે લાગુ કરવા કેન્દ્ર દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો નવી દિલ્હી સરકારી વિભાગોમાં કરાર આધારિત નોકરીઓમાં પણ અનામત મળશે. કેન્દ્ર સરકારે  સુપ્રીમકોર્ટમાં આ માહિતી આપી હતી. કેન્દ્રએ જણાવ્યું કે સરકારી વિભાગોમાં 45 દિવસ કે તેનાથી વધુની અસ્થાયી નિમણૂકમાં એસસી/એસટી/ઓબીસી અનામત મળશે.  કેન્દ્ર સરકારે કહ્યું કે તમામ…

ટ્વીટર ટૂંક સમયમાં ત્રણ પ્રકારના પ્લાન લાવશે

નવા 3 પ્રકાર સબસ્ક્રિપ્શન પ્લાન આ સોશિયલ મીડિયા જાયન્ટને એવા યુઝર્સ પાસેથી પણ આવક મેળવવામાં મદદ કરશે જેઓ હાલમાં મોંઘા પ્લાન નથી લેતા વોશિંગ્ટન ટ્વીટરના સીઈઓ લીંડા યાકારીએ કહ્યું કે એક્સ 3 પ્રકારના સબસ્ક્રિપ્શન પ્લાન બનાવવાની યોજના બનાવી રહ્યું છે. તેમણે આ વાત બેંકર્સ સાથે થયેલી મીટીંગમાં જણાવી હતી. હાલ કંપની એક્સ પ્રીમિયમ માટે રૂ…

કેનેડાએ ભારતમાંથી તેના રાજદ્વારીઓને દક્ષિણ-પૂર્વ એશિયામાં ખસેડ્યા હોવાની શક્યતા

કેનેડાના વિદેશમંત્રી મેલોની જોલીએ નિવેદન આપ્યું કે, સરકાર કર્મચારીઓમાં કાપના મુદ્દે ભારત સાથે રાજદ્વારી રીતે વાતચીત કરી રહી છે નવી દિલ્હી ભારત કેનેડા વચ્ચે તનાવપૂર્ણ સંબંધ જોવા મળી રહ્યા છે. એવામાં ભારતે કેનેડા પર અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરતા 41 કેનેડીયન રાજદ્વારીઓને પાછા બોલવાનો આદેશ આપ્યો હતો. ઉપરાંત ગઈકાલે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પણ એવું…

મેનકા અને વરૂણ ગાંદીનું ભાજપ પત્તું કાપે એવી શક્યતા

માતા-પુત્રે ભાજપના સ્થાનિક કાર્યકરોનો ટેકો ગુમાવી દીધો હોવાના માડિયા રિપોર્ટસ લખનૌ/નવી દિલ્હી   ભારતીય જનતા પાર્ટી ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં મેનકા ગાંધી કે વરૂણ ગાંધીને પિલભત કે સુલ્તાનપુરમાંથી ચૂંટણી લડવાની ટિકીટ આપે તે સંભવિત લાગતું નથી. આ માહિતી આપતાં અખબારો સહિત અન્ય મિડીયા રિપોર્ટસ પણ જણાવે છે કે તે માતા-પુત્રે ભાજપના સ્થાનિક કાર્યકરોનો ટેકો ગુમાવી દીધો…

એક એસ્ટેરોઈડ પૃથ્વી સાથે ટકરાવાની સંભાવના

આ એસ્ટેરોઈડ ૪ કરોડ વર્ષથી પણ પ્રાચીન હશે. તેની સાથે પૃથ્વીને ખાસ સંબંધ છે ન્યૂયોર્ક   આ અનંત બ્રહ્માંડમાં આપણે એકલા નથી. આવા બીજા ૧૩ બ્રહ્માંડો પણ હોઈ શકે તેવું અનુમાન છે. ભારતની ૧૪ લોકની પરિકલ્પના આ સાથે યાદ આવે છે. આપણું સૌર મંડળ એક વિશાળ આકાશગંગામાં રહેલું છે. તે આકાશગંગાની સર્પાકાર વિશાળ નિહારિકાના શિર્ષ…

પંજાબ પાસે અન્ય રાજ્યને આપવા એક ટીપું પાણી નથીઃ માન

અન્ય રાજ્યોને આપીએ છીએ, તેથી વધારે એક ટીપું પણ પાણી આપવાના નથી, પંજાબના મુખ્યપ્રધાનનો કેબિનેટની બેઠકમાં હુંકાર ચંડીગઢ   સર્વોચ્ચ અદાલતે બુધવારે સતલજ-યમુના-લિંક (એસ.વાય.એલ.) માટે પંજાબમાં તેની કેનાલ માટેની જમીનની મોજણી શરૂ કરવા જણાવ્યું હતું, અને તે માટે પંજાબ સરકારને સહકાર આપવા આદેશ આપ્યો હતો. તે પછી બીજા જ દીવસે ગુરૂવારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને…