રાજ્યપાલને સમન્સ પાઠવનારા એસડીએમ અને ડીએમના પેશકાર નિલંબિત

તહેસીલના એસ.ડી.એમ.એ. જ્યુડીશ્યલ કોર્ટના પણ કાનૂની રાજકીય-નિયમોની પણ પરવાહ કર્યા સિવાય રાજ્યપાલનાં નામે, સમન્સ મોકલ્યો હતો લખનૌ   ઉત્તર પ્રદેશના બદાયું જિલ્લાના સીનીયર ડીસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ રાજ્યપાલને સમન્સ મોકલી તેઓની સમક્ષ હાજર થવાં ‘હુકમ’ કર્યો હતો. આ સમન્સ મળતાં રાજભવનમાં ધમાલ મચી ગઈ. પરંતુ તે સમન્સનો તુર્ત જ જવાબ પાઠવતાં ‘સ્પેશ્યલ-સેક્રેટરી-ટુ-ધ-ગવર્નર’ દ્વારા ડીસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (કલેકટર)ની ઓફીસને…

દિલ્હીમાં જીઆરએપીના સ્ટેજ III ને લાગુ કરવા સૂચના

બિનજરૂરી નિર્માણકાર્યો પર બેન મૂકી દેવામાં આવ્યો નવી દિલ્હી મંગળવારની શરૂઆતથી દિલ્હી-એનસીઆરમાં સ્મોગવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન એવું હતું કે લોકોને આંખોમાં બળતરાં થવા લાગ્યા હતા. તેને જોતાં જ વહીવટીતંત્ર એલર્ટ થઇ ગયું હતું. કમિશન ફોર એર ક્વોલિટી એન્ડ મેનેજમેન્ટ (સીએક્યુએમ) એ ગુરુવારે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (જીઆરએપી) ના સ્ટેજ III ને લાગુ…

એથિક્સ કમિટિ સમક્ષ વસ્ત્રાહરણ થયાનો મહુઆ મોઈત્રાનો આક્ષેપ

સાંસદ મહુઆ મોઇત્રાએ ફરી  લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખ્યો નવી દિલ્હી પ્રશ્નો પૂછવાના બદલામાં પૈસા લેવાના આરોપને લઈને વિવાદ શમી રહ્યો નથી. તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) સાંસદ મહુઆ મોઇત્રાએ ફરી  લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખ્યો હતો. પત્રમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે એથિક્સ કમિટી સમક્ષ જ્યારે તેઓ હાજર થયા ત્યારે તેમનું વસ્ત્રહરણ કરાયું.  તેમણે…

પેલેસ્ટાઈન મુદ્દાનું સમાધાન જરુરી છે પણ આતંકવાદ અસ્વીકાર્યઃ ભારત

પેલેસ્ટાઈનના મુદ્દાના ઉકેલ માટે ટુ-સ્ટેટ સોલ્યુશનનો વિકલ્પ હોવો જોઈએઃ જયશંકર રોમ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે રોમમાં આયોજિત સંયુક્ત સત્રમાં ભારતના વિદેશમંત્રીએ સંબોધન કરતા કહ્યું હતું કે 7મી ઓકટોબરે જે થયું તે મોટું કૃત્ય હતું. તેમણે વધુમાં કહ્યું કે યુદ્ધને કારણે સમગ્ર વિસ્તારમાં તણાવની સ્થિતિ છે જેનાથી મધ્ય…

આસામ રાઈફલ્સના સેંકડો જવાનોને એરલિફ્ટ કરી મોરેહ લવાયા

સુરક્ષાદળો ઉગ્રવાદીઓ સામે કડક કાર્યવાહી કરી રહ્યા છે, ખાસ કરીને મ્યાનમારથી આવેલા ઘૂસણખોરોને નિશાન બનાવાઈ રહ્યા છે ઈમ્ફાલ વરિષ્ઠ પોલીસ અધિકારીની હત્યા બાદ મણિપુરમાં સુરક્ષાદળો એક્શનમાં આવી ગયા છે. અહેવાલ છે કે આસામ રાઈફલ્સના સેંકડો જવાનોને એરલિફ્ટ કરી મોરેહ લવાયા છે. અહીં સુરક્ષાદળો ઉગ્રવાદીઓ સામે કડક કાર્યવાહી કરી રહ્યા છે. ખાસ કરીને મ્યાનમારથી આવેલા ઘૂસણખોરોને…

લોકસભાની ચૂંટણી લડવાના કંગના રનૌતે સંકેત આપ્યા

જો ભગવાન શ્રી કૃષ્ણ રાજી થશે તો લોકસભાની ચૂંટણી લડીશઃ કંગના મુંબઈ બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત તેના નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે અને તેને હંમેશા રાજકારણમાં પ્રવેશવાને લઈને સવાલો પૂછવામાં આવે છે ત્યારે હવે તેણે સકારાત્મક જવાબ આપ્યો છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન અભિનેત્રીએ લોકસભા ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે. તેણે કહ્યું છે કે…

જળ જીવન મિશન કૌભાંડમાં રાજસ્થાનમાં આઈએએસ અધિકારીને ત્યાં ઈડીના દરોડા

રાજસ્થાનમાં આશરે 25 જેટલાં ઠેકાણે હાલમાં દરોડાની કાર્યવાહી કરવા ઇડીની ટીમ પહોંચી, અધિકારીઓમાં કાર્યવાહીથી ભારે ફફડાટ જયપુર રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીના માહોલ વચ્ચે ઈડીની કાર્યવાહીએ ચર્ચા જગાવી છે. ગઈકાલે જ એક ઈડી ઓફિસર અને તેનો સહયોગી 15 લાખ રૂપિયાની લાંચ લેતા પકડાયા હતા. ત્યારબાદ હવે જળ જીવન મિશન કૌભાંડ મામલે ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. આ…

2026થી કાયમી ઈમિગ્ર્ટસ નહીં વધારવાનો કેનેડાનો નિર્ણય

કેનેડા સરકારનું 2024માં 4,85,000 પરમેનન્ટ રેસિડેન્ટને તેમજ 2025માં આ સંખ્યા વધારીને પાંચ લાખ સ્થાયી કરવાનું લક્ષય ટોરેન્ટોદર વર્ષે કેનેડામાં સ્થાયી થવા માટે લોકો સપનું જોતા હોય છે તેમા પણ ભારતમાંથી કેનેડા સ્થાયી થતા લોકોની સંખ્યા ઘણી વધારે છે ત્યારે હવે કેનેડામાં કાયમી રહેવાસી બનાવનું સપનું જોનારાને એક મોટો ઝટકો લાગી શકે છે. કેનેડાની સરકારે 2026થી…

ઉપરાષ્ટ્રપતિને મળીને માફી માગવા રાઘવ ચઢ્ઢાને સુપ્રીમની સલાહ

રાજ્યસભાના સભાપતિ સહાનુભૂતિપૂર્વક વિચારશે અને આ મામલાની પતાવટ કરશે નવી દિલ્હીઆમ આદમી પાર્ટી (આપ) ના રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ઢાને સસ્પેન્ડ કરવા મામલે સુપ્રીમકોર્ટે સુનાવણી કરી હતી. સુપ્રીમકોર્ટે રાઘવ ચડ્ઢાને કહ્યું કે રાજ્યસભામાં સભાપતિ જગદીપ ધનખડને જઈને મળો અને તેમનાથી બિનશરતી માફી માગી લો. કોર્ટે કહ્યું કે સભાપતિ સહાનુભૂતિપૂર્વક વિચારશે અને આ મામલાની પતાવટ કરશે. આ…

વેગનર ગ્રુપ દ્વારા હિઝબુલ્લાહ આતંકીઓને એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ આપવાની તૈયારી

ઈઝરાયલના રોકેટ, ફાઈટર જેટ જો હિઝબુલ્લાહને નિશાન બનાવશે તો ડિફેન્સ સિસ્ટમની મિસાઈલો તેના પર જવાબી હુમલો કરશે મોસ્કોઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં રશિયાની પ્રાઈવેટ આર્મી એટલે કે વેગનર ગ્રૂપ ઈઝરાયલ માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે તેમ છે. કેટલાક અહેવાલોમાં દાવો કરાયો છે કે તે હિઝબુલ્લાહ આતંકીઓને એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ આપવાની તૈયારી કરી રહ્યું…

ભારત બીજા દેશામાં જાસૂસી કરતું હોવાનો પાકિસ્તાનનો આક્ષેપ

વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ બલોચે આ નિવેદન આપીને કતાર સહિતના ખાડી દેશોને ભડકાવવાનો પ્રયાસ કર્યો નવી દિલ્હીભારતીય નૌસેનાના નવ પૂર્વ અધિકારીઓને જાસૂસીના આરોપમાં કતારે ફાંસીની સજા ફટકાર્યા બાદ આ વિવાદમાં હવે પાકિસ્તાને ભારત સામે ઝેર ઓકવાનો મોકો શોધી લીધો છે.પાકિસ્તાની વિદેશ મંત્રાયલના પ્રવક્તાએ કહ્યુ હતુ કે, કતારની ઘટના દર્શાવી રહી છે કે, ભારત બીજા દેશોમાં…

પાંચ વિકેટ બાદ શમીએ બોલિંગ કોચ પારસ મહામ્બ્રે તરફ ઈશારો કર્યો

ઘટનાનો ખુલાસો કરનારા શુભમન ગિલે શમીએ બોલિંગ કોચ તરફ ઈશારો શા માટે કર્યો તેનું કારણ જણાવ્યું ન હતું મુંબઈમોહમ્મદ શમીએ ગઈકાલે ઘાતક બોલિંગ કરતા શ્રીલંકાની ટીમ 55 રન પર જ ઢેર થઈ હતી અને ભારતે આ મેચ 302 રને જીતી હતી. મોહમ્મદ શમીએ મેચમાં પાંચ વિકેટ ઝડપી હતી. તેણે પાંચ વિકેટ ઝડપ્યા બાદ બોલને પોતાના…

ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023 વચ્ચે 97000 ભારતીયો યુએસકામાં ઘૂસણખોરી કરતા પકડાયા

છેલ્લા પાંચ વર્ષમાં ગેરકાયદે ઘૂસણખોરી કરનારા ભારતીયોની સંખ્યા પાંચ ગણી થઈ વોશિંગ્ટનભારતના લોકોનો અમેરિકા માટેનો ક્રેઝ જાણીતો છે. યેન કેન પ્રકારે અમેરિકામાં ઘૂસવા માટે ભારતના ઘણા લોકો ગમે તે કરી છુટવા માટે તૈયાર હોય છે.અમેરિકાના વિઝા લઈને જનારા ભારતીયોની સાથે સાથે ગેરકાયદેસર રીતે બોર્ડર પાર કરીને અમેરિકામાં ઘૂસવા માંગતા ભારતીયોની સંખ્યા પણ ઘણી મોટી છે….

ઈડન ગાર્ડન ટિકિટ ગોટાળમાં કેબની કી ભૂમિકા નથીઃ સૌરવ

કેબ એ જાણીજોઈને સામાન્ય જનતા માટે ઉપલબ્ધ ટિકિટોનો મોટો હિસ્સો અલગ રાખી દીધો હોવાનો આરોપ નવી દિલ્હીભારતીય ક્રિકેટ બોર્ડના (બીસીસીઆઈ)ના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી ગઈ કાલે પોતાના મોટા ભાઈ અને બંગાળ ક્રિકેટ સંઘના અધ્યક્ષ સ્નેહાશીષ ગાંગુલીના સમર્થનમાં સામે આવ્યા હતા. તેમણે કહ્યું કે, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અહીં યોજાનારા વિશ્વ કપ મુકાબલાના ટીકિટ વિવાદમાં…

ભારત માટે સૌથી વધુ 308 મેચમાં વિજય મેળવનારો વિરાટ પ્રથમ બેટસમેન

કોહલીએ દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર અને સૌથી સફળ કેપ્ટન ધોનીને પાછળ રાખીને ભારત માટે સૌથી સફળ ખેલાડી બની ગયો મુંબઈ ભારતે ગઈકાલે વર્લ્ડ કપ 2023ની 33મી મેચમાં શ્રીલંકા સામે 302 રને મોટી જીત મેળવી હતી. આ જીત સાથે જ વિરાટ કોહલીએ દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર અને સૌથી સફળ કેપ્ટન ધોનીને પાછળ રાખીને ભારત માટે સૌથી…

સેન્સેક્સમાં 283 અને નિફ્ટીમાં 97 પોઈન્ટનો વધારો જોવા મળ્યો

બેંકિંગ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ખરીદીને કારણે બજારમાં મજબૂત ઉછાળો જોવા મળ્યો મુંબઈસારા વૈશ્વિક સંકેતોને કારણે બજારમાં ઉછાળો આવ્યો હતો જેના કારણે સેન્સેક્સ-નિફ્ટી ઉછાળા સાથે બંધ થયા હતા. બીએસઈના તમામ સેક્ટર ઈન્ડેક્સ વધીને બંધ થયા છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદી જોવા મળી હતી. રિયલ્ટી, પીએસઈ, બેન્કિંગ અને ફાર્મા શેર્સમાં ખરીદી હતી. જ્યારે આઈટી, એફએમસીજી,…

અમદાવાદમાં બે-ત્રણ બિલ્ડર ગ્રુપ પર આઈટીના દરોડાથી દોડધામ

શહેરના ત્રણ બિલ્ડર ગ્રુપ પર આઇટી વિભાગે દરોડા પાડયા હતા, સાયન્સ સિટી અને હાઈકોર્ટ નજીકની ઓફિસો પર સર્ચ અને સર્વે હાથ ધરાયો અમદાવાદઅમદાવાદ શહેરના કેટલાક બિલ્ડરો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા પડ્યા હતા. શહેરના બે થી ત્રણ બિલ્ડર ગ્રુપ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. શહેરના ત્રણ બિલ્ડર ગ્રુપ પર આઇટી વિભાગે દરોડા પાડયા હતા. સાયન્સ સિટી…

શિક્ષણ-પ્રશિક્ષણ ક્ષેત્રે નવા માપદંડો સ્થાપવાનો ઉદ્દેશ્ય સાથે નીતા મુકેશ અંબાણી જુનિયર સ્કૂલનો પ્રારંભ

મુંબઈ મુંબઈ શહેર નવેમ્બર 1, 2023ના રોજ નવી શિક્ષણ સંસ્થા નીતા મુકેશ અંબાણી જુનિયર સ્કૂલ (NMAJS)ના ઉદ્દઘાટનનું સાક્ષી બન્યું હતું. આ સંસ્થા શિક્ષણ અને પ્રશિક્ષણના અભિગમોને પુનઃવ્યાખ્યાયિત કરશે. બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ ખાતે ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ (DAIS) કેમ્પસની બાજુમાં આવેલી આ નવી સ્કૂલની કલ્પના અને ડિઝાઇન અત્યાધુનિક કેમ્પસ તરીકે વિદ્યાર્થીઓને શીખવાની મોકળાશ આપવા સાથે નાના-મોટા જૂથો…

પહેલી વાર આંતરરાષ્ટ્રીય યુનિફોર્મ અને ગારમેન્ટ પ્રદર્શન 16-18 ડિસેમ્બરે વારાણસીના શ્રી કાશી વારાણસી દિનદયાલ હેન્ડિક્રાફ્ટ કોમ્પ્લેક્સમાં યોજાશે

વર્લ્ડ યુનિફોર્મ બજાર 2030માં તે 25 અબજ ડોલરે પહોંચવાની ધારણા છે દેશમાં યુનિફોર્મ ઉદ્યોગમાં મોટી વૃદ્ધિ થાય અને મહારાષ્ટ્રમાં સોલાપુર તેનું કેન્દ્ર બને તેવાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં સપનાંને સાકાર કરવા માટે સોલાપુર ગારમેન્ટ મેન્યુફેક્ચર્સ એસોસિયેશન (એસજીએમએ) દ્વારા તેનું વાર્ષિક પ્રદર્શન આ વખતે વડા પ્રધાનના પોતાના સંસદીય મતવિસ્તાર અને ભરપૂર વૃદ્ધિની સંભાવના ધરાવતા વારાણસીમાં લઈ…

AJIO AJIOGRAM સાથે D2C-કેન્દ્રિત ઇન્ટરેક્ટિવ કોમર્સમાં પ્રવેશ કરે છે; ભારતમાંથી આગામી 100 ફેશન સ્ટાર્ટઅપ્સને સશક્ત બનાવવાનું લક્ષ્ય

● ગ્રાહકો AJIO એપમાંથી AJIOGRAM ને ઍક્સેસ કરી શકશે ● આવતા વર્ષ સુધીમાં 200 વિશિષ્ટ ભારતીય ફેશન અને જીવનશૈલી D2C બ્રાન્ડને ઓનબોર્ડ કરવાની યોજના ● યથાસ્થિતિને વિક્ષેપિત કરીને, પ્લેટફોર્મ એક અનન્ય ઉકેલ પ્રદાન કરે છે જે D2C બ્રાન્ડ્સ માટે બ્રાન્ડ નિર્માણ અને દૃશ્યતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે ● પુરૂષો અને સ્ત્રીઓના કપડાં, ફૂટવેર અને…