આરસીબીની એલિસ પેરીની સિક્સરથી ગાડીનો કાંચ તૂટી ગયો

પેરીએ 37 બોલમાં 58 રનની ઇનિંગ રમી હતી. તેણે 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા ચેન્નાઈ ડબલ્યુપીએલ 2024માં ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને યુપી વોરિયર્સ વચ્ચે મેચ રમાઈ હતી. આરસીબીએ આ મેચ 23 રને જીતી હતી. આરસીબી કેપ્ટન સ્મૃતિ મંધાના અને એલિસ પેરીએ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઘણા ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. મંધાનાએ 50…

પીરાણા સર્કલ પાસે ડમ્પરની ટક્કરે બાઈકચાલકનું મોત

ઘટનાને પગલે લોકોના ટોળાઓ એક્ઠા થયા હતા અને રોડ પર ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા અમદાવાદ રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી અકસ્માતની ઘટના વધુ બની રહી છે ત્યારે આજે અમદાવાદ શહેરમાં વધુ એક અકસ્માતની ઘટનાના સમાચાર મળી રહ્યા છે જેમાં પીરાણા સર્કલ પાસે ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. રાજ્યમાં ડમ્પરચાલક દ્વારા અવારનવાર…

અય્યર અને ઈશાનને ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ક્રિકેટને પણ પ્રાથમિકતા આપવી જોઈએઃ પ્રવિણ કુમાર

પૈસા કમાઓ, કોણ ના પાડે છે? પૈસા કમાવા જોઈએ પણ એવું ન થવું જોઈએ કે તમે ડોમેસ્ટિક ક્રિકેટ ન રમો અને દેશને મહત્વ ન આપોઃ પૂર્વ ક્રિકેટર નવી દિલ્હી શ્રેયસ અય્યર અને ઈશાન કિશનની બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બાદબાકી બાદ નવો વિવાદ ઉભો થયો છે. જેમાં પૂર્વ ક્રિકેટરો અને ચાહકોની પ્રતિક્રિયાઓ દરરોજ સામે આવી રહી છે….

આતંકવાદી ષડયંત્રના મામલામાં બેંગલુરુ સહિત 7 રાજ્યોમાં એનઆઈએના દરોડા

એનઆઈએ દ્વારા આતંકવાદીઓ સાથે સંકળાયેલા હોવાની આશંકા ધરાવતા સ્થળોની તપાસ કરવામાં આવી બેંગલુરુ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ આતંકવાદી ષડયંત્રના મામલામાં બેંગલુરુ સહિત 7 રાજ્યોમાં દરોડા પડ્યા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં કેટલાક અજાણ્યા બદમાશોએ બેંગલુરુમાં રાજભવનને ઉડાવી દેવાની ધમકી આપી હતી. જો કે પોલીસે તપાસ બાદ તેને અફવા ગણાવી હતી. આ પછી એનઆઈએએ બેંગલુરુના અડધા ડઝનથી…

લેબનોનથી ઈઝરાયલ પર મિસાઈલ હુમલામાં ભારતીયનું મોત, બે ઘાયલ

લેબનોનથી છોડવામાં આવેલી મિસાઈલ ઈઝરાયેલના ઉત્તરીય સરહદી સમુદાય માર્ગલિયોટ નજીકના બગીચામાં પડતા કેરળના એક ભારતીય નાગરિકનું મોત થયું જેરુસલેમ ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પાંચ મહિનાથી કરતા પણ વધારે સમય વીતી ગયો છે. અત્યાર સુધી બંને પક્ષો વચ્ચે યુદ્ધવિરામના પ્રયાસો સતત નિષ્ફળ રહ્યા છે. આ વચ્ચે ઇઝરાયલ ગાઝા પટ્ટીમાં હમાસ અને લેબનોનથી હિઝબુલ્લાહના…

જયપ્રદા રામપુર કોર્ટમાં હાજર થઈ, શરતી જામીન અપાયા

કોર્ટે જયા પ્રદા વિરુદ્ધ જાહેર કરાયેલા વોરંટને પણ પાછું ખેંચી લીધું, જયા પ્રદા 2019ની લોકસભા ચૂંટણીમાં રામપુર બેઠક પર ભાજપના ઉમેદવાર હતા રામપુર પૂર્વ સાંસદ અને અભિનેત્રી જયા પ્રદાને ચૂંટણી આચાર સંહિતા ભંગ સંબંધિત બે કેસમાં ‘ફરાર’ જાહેર કરવામાં આવ્યા હતા. હવે તેઓ ઉત્તરપ્રદેશની રામપુર કોર્ટમાં હાજર થયા હતા. પરતું કોર્ટે તેમને શરતી જામીન આપ્યા…

જ્ઞાનવાપી કેસમાં તળગૃહના સમારકામ માટે કોર્ટની મંજુરી મગાઈ            

અરજી જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં દાખલ કરવામાં આવી છે, જેમાં વ્યાસજીના તળગૃહ ઉપરની છત પર કોઈને જતા રોકવાની પણ માંગ કરવામાં આવી છે નવી દિલ્હી વારાણસી જ્ઞાનવાપી કેસમાં તળગૃહના સમારકામની માગણી કરતી અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. શ્રીકાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટના મુખ્ય કાર્યકારી અધિકારીએ જ્ઞાનવાપીના તળગૃહના સમારકામ માટે કોર્ટમાં અરજી કરી છે. વ્યાસજીના ભોંયરાનું સમારકામ…

મોદીએ પાકિસ્તાનના વડાપ્રધા શાહબાઝ શરીફને શુભેચ્છા પાઠવી

વડા પ્રધાન મોદીએ ફરી એકવાર ભારત વતી પાકિસ્તાન સમક્ષ મિત્રતાનો હાથ લંબાવ્યો ઇસ્લામાબાદ પાકિસ્તાનમાં ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ શરીફ(પીએમએલ-એન) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના ગઠબંધન અંગે સહમતી બની હતી, જે બાદ શાહબાઝ શરીફ પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા છે. એવામાં આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શાહબાઝ શરીફને પાકિસ્તાનના વડા પ્રધાન બનવા…

વોટ્સએપનું થર્ડ-પાર્ટી ચેટ્સ સપોર્ટ ફીચર, યુઝર અન્ય એપ્સ પર ચેટ-મેસેજ મોકલી શકશે

વોટ્સએપના નવા ફીચર્સ આવ્યા બાદ યુઝરને ઈન્ફો સ્ક્રીન નામનો નવો વિકલ્પ મળશે નવી દિલ્હી વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી મેસેજિંગ એપ વોટ્સએપ હવે દરેક વ્યક્તિની જરૂરિયાત બની ગઈ છે. અંગત અને વ્યવસાયિક જીવનમાં તેનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. લોકો વોટ્સએપ પર એક ક્લિકથી નાના-મોટા કામ કરી શકે છે. જેના કારણે તે યુઝર્સના જીવનનો એક…

મોદી સરકારમાં બેકારી વધી, કેન્દ્રની 10 લાખ ખાલી જગ્યા ભરાશેઃ રાહુલ

કોંગ્રેસ તેના ઈલેક્શન મેનિફેસ્ટોમાં આ વચનની જાહેરાત કરે એવી શક્યતાઓ જણાઈ રહી છે નવી દિલ્હી સમગ્ર દેશમાં અત્યારે લોકસભા ચૂંટણીનો રંગ જામી ગયો છે. તેવામાં કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બેરોજગારી વધી રહી હોવાના મુદ્દે નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે યુવાનોને યોગ્ય નોકરીઓની તક નથી મળી રહી. તેમણે સોમવારે વધુમાં કહ્યું…

ઈમાનદાર વ્યક્તિને આપણો સમાજ બેવકૂફ સમજે છેઃ સીબીઆઈ કોર્ટ

અમદાવાદ સ્થિત સીબીઆઈ કોર્ટે કરપ્શનના એક કેસમાં ઈન્કમટેક્સના બે રિટાયર્ડ અધિકારીઓને ત્રણ વર્ષની જેલની સજા સુનાવી હતી અમદાવાદ દેશમાં ભ્રષ્ટાચારને રોકવા માટે અનેક રસ્તા અપનાવાઈ રહ્યા હોવા છતાં કરપ્શનનો જાણે કોઈ અંત નથી તેવું લાગે છે. સ્વયં સીબીઆઈ કોર્ટે કહેવું પડ્યું છે કે આજે ભ્રષ્ટાચાર એટલો ફૂલ્યો ફાલ્યો છે કે ઈમાનદાર વ્યક્તિને આપણો સમાજ બેવકૂફ…

ઢોરને રસ્તા પર રખડતા મૂકનારા ગૌપાલકને ત્રણ વર્ષની જેલની સજા

2019ના બનાવમાં કોર્ટે સેક્શન 308, સેક્શન 289 વગેરે કલમો લગાડી, ગૌપાલક સામે પશુઓની ઉપેક્ષા કરવાનો અને લોકો માટે જોખમી સ્થિતિ પેદા કરવાનો આરોપ લાગ્યો હતો અમદાવાદ ગુજરાતમાં રખડતા ઢોરની સમસ્યાના કારણે કેટલાય લોકોના જીવ ગયા છે. રસ્તા પર રખડતી ગાય કે આખલાના કારણે કોઈને ઈજા થઈ હોય અથવા મોત થયું હોય તેવી ઘણી ઘટનાઓ બનતી…

દરેક વ્યક્તિ એઆઈની મદદથી પ્રોગ્રામર હશેઃ જેનસેન હુઆંગ

પ્રોગ્રામિંગ માટે કોડિંગ શિખવાની જરૂર નહીં પડે, હાલમાં એઆઇ લિગલ બાર પરીક્ષા પાસ કરી શકે છે પણ તેને ખાસ પ્રકારની પરીક્ષામાં તકલીફ પડી રહી છે  નવી દિલ્હી   વિશ્વની સૌથી મોટી ચીપ બનાવતી કંપની એનવીડિયાએ ઓપનએઇની ચેટજીપીટીના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ માટે હજારો એનવીડિયા જીપીયુનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કંપનીના સીઇઓ જેનસન…

લોકશાહી ઢબે સરકાર ચલાવવા માટે ભારત પાસેથી ઘણુ શીખવાની જરૂર છેઃ ગૌહર ખાન

શરીફ પરિવારનુ ધ્યાન પોતાના સબંધીઓને ફાયદો પહોંચાડવા માટે છે અને તેના કારણે જરૂર ના હોય તેવા વિભાગોની પણ વહેંચણી કરાઈ હોવાનો આક્ષેપ ઈસ્લામાબાદ પાકિસ્તાનમાં નવી સરકાર બન્યા બાદ નેશનલ એસેમ્બલીનુ સેશન ચાલી રહ્યુ છે અને તેમાં ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહેરિક એ ઈન્સાફના સાસંદો નવી સરકાર પર માછલા ધોઈ રહ્યા છે.   પાકિસ્તાન તહેરિક એ ઈન્સાફના…

ચીનની મેગ્લેવ ટ્રેને પરીક્ષણમાં 623 કિલોમીટરની ઝડપ હાંસલ કરી

આ ટ્રેન સુપરકન્ડક્ટિંગ ટેકનોલોજીથી ચાલતી હોવાની જાણકારી ચાઈના એરોસ્પેસ એન્ડ ઈન્ડસ્ટ્રી કોર્પોરેશને આપી બિજિંગ ભારતમાં મોટાભાગની સુપર ફાસ્ટ ટ્રેનોની મહત્તમ ઝડપ પ્રતિ કલાક 120 થી 130 કિલોમીટર જ છે ત્યારે ચીન પોતાની ટ્રેનોની ઝડપ વધારવા માટે જે ઝડપથી કામ કરી રહ્યુ છે તે જોઈને દુનિયા ચોંકી ઉઠી છે. ચીનમાં ઘણી હાઈ સ્પીડ ટ્રેન અથવા બુલેટ…

પાકિસ્તાની બોક્સર સાથી મહિલાના પર્સમાંથી પૈસા ચોરીને ભાગી ગયો

પાક. દૂતાવાસને જાણ કરાઈ, પોલીસ ફરિયાદ કરાઈ, પાક. ખેલાડીઓ સ્વદેશ પાછા જવાનું પસંદ કરતા હોતા નથી પેરિસ પાકિસ્તાનીઓ હંમેશા કોઈ ને કોઈ કામના કારણે વિદેશમાં પોતાના દેશનું માથું નીચું કરાવતા હોય છે. તેના માટે આતંકવાદ પણ મોટો મુદ્દો છે. પાકિસ્તાની લોકો પણ દુનિયાભરમાં પોતાના દેશની છબી ખરાબ કરવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. આ દરમિયાન…

અર્જુન મોઢવાડિયા અને અંબરિશ ડેરે કેસરિયો ધારણ કર્યો

કોંગ્રેસ છોડીને આવેલા નેતાઓને ભાજપના રાજ્યના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કેસરિયા પહેરાવ્યા ગાંધીનગર  લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને ભાજપે પોતાના પહેલી યાદીમાં ગુજરાતના 15 સહિત 195 ઉમેદવારની જાહેરત પણ કરી દીધી છે જ્યારે ગુજરાતમાં કોંગ્રેસની હાલત દિવસેને દિવસે ખરાબ થતી જાય છે. રાહુલ ગાંધીની યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરે તે પહેલા જ ગુજરાત કોંગ્રેસના…

વિશ્વના ધનવાનોની યાદીમાં એમેઝોનના  જેફ બેઝોસ ટાચ પર પહોંચ્યા

એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસની પાસે અત્યારે 200 અબજ ડોલરની સંપત્તિ છે નવી દિલ્હી ટેસ્લાના સીઈઓ અને સ્પેસએક્સના માલિક ઈલોન મસ્કે લાંબા સમયથી વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિનું સ્થાન મેળવ્યુ હતુ. જોકે હવે તેઓ દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ રહ્યા નથી. એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ આ ધનવાનોની લિસ્ટમાં પહેલા સ્થાને આવી ગયા છે અને તેમણે ઈલોન મસ્કને બીજા…

મોદી-યોગીને હત્યાની ધમકીના આરોપીની શોધખોળ જારી

ધમકી આપવાના આરોપમાં એક વ્યક્તિ સામે કર્ણાટકના યાદગિરીમાં એફઆઈઆર નોંધવામાં આવી નવી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારવાની ધમકી આપવાના આરોપમાં એક વ્યક્તિ સામે કર્ણાટકના યાદગિરીમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. હાલ, આરોપીને શોધવા માટે પોલીસ વિસ્તારના જુદા-જુદા ભાગોમાં વહેંચાઈ ગઈ છે. યાદગિરી પોલીસે કહ્યુ કે સોશિયલ મીડિયા પર એક…

ચૂંટણીમાં હિંસા સહન નહીં કરાય, સરકારી બાબુઓ નિષ્પક્ષ રહેઃ રાજીવ કુમાર

ચૂંટણી દરમિયાન હિંસા રોકવા માટે ચૂંટણી પંચ સી-વિજિલ નામની એપ્લિકેશન લોન્ચ કરવા જઈ રહ્યું છે જેમાં યુઝર્સઓ ફરિયાદ નોંધાવી શકે છે કોલકાતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે મંગળવારે પશ્ચિમ બંગાળમાં આગામી લોકસભા ચૂંટણીને લઈને કેટલીક મહત્ત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની હિંસા સહન કરવામાં આવશે નહીં. ચૂંટણી…