બલૂચિસ્તાનના બે શહેરમાં પાક. સેનાની ચોકી પર હુમલામાં 45 સૈનિકોનાં મોત

બલૂચ વિદ્રોહીઓએ ઘણા પાકિસ્તાની સૈનિકોને બંધક પણ બનાવ્યા ઈસ્લામાબાદબલૂચિસ્તાનમાં પાકિસ્તાનની સરકાર સામે ભડકેલી વિદ્રોહની આગ ભારે વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચુકી છે.બલૂચ લિબરેશન આર્મીએ બલૂચિસ્તાનના માચ અને બોલન શહેરમાં પાકિસ્તાની સેનાની ચોકીઓ પર એક પછી એક સંખ્યાબંધ હુમલા કર્યા હોવાનો અને તેમાં 45 સૈનિકોના મોત થયા હોવાનો દાવો કર્યો છે.બીજી તરફ પાકિસ્તાની મીડિયાના કહેવા પ્રમાણે…

હમાસે ઈઝરાયેલની અસ્થાયી યુધ્ધ વિરામની ઓફર ઠુકરાવી દીધી

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુધ્ધ વિરામ કરાવવા માટે કતારે ઈજિપ્ત અને અમેરિકાની મદદથી પ્રયાસો હાથ ધર્યા છે તેલ અવીવઈઝરાયેલની અસ્થાયી યુધ્ધ વિરામની ઓફર હમાસે ઠુકરાવી દીધી છે અને કહ્યુ છે કે, અમે ગાઝામાં કાયમી યુધ્ધ વિરામ ઈચ્છી રહ્યા છે. એક વખત લડાઈ રોકાય તે પછી જ બંધકોની મુક્તિ માટે વાતચીત થઈ શકશે.ઈઝરાયેલ અને હમાસ વચ્ચે…

હેમંત સોરેનના ઘરમાંથી ઈડીને 36 લાખ રોકડા મળ્યા

કેન્દ્રીય તપાસ એજન્સીની એક ટીમ રાજધાની દિલ્હીમાં શાંતિ નિકેતન સ્થિત સોરેનના આવાસ પર લગભગ 13 કલાક સુધી રોકાઈ હતી નવી દિલ્હીઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુશ્કેલીમાં મુકાયા છે. ઈડીએ ઝારખંડના સીએમના દિલ્હી સ્થિત આવાસ સહિત ત્રણ ઠેકાણા પર દરોડા પાડ્યા છે. કથિત જમીન કૌભાંડમાં ઘેરાયેલા સોરેનના ઠેકાણા પર સર્ચ…

સેન્સેક્સ-નિફ્ટી ભારે નબળાઈ, ટાટા મોટર્સમાં બમ્પર વધારો, બજાજ ફાઈનાન્સ ઘટ્યો

સેન્સેક્સમાં 801 અન નિફ્ટીમાં 209 પોઈન્ટનો મોટો ઘટાડો જોવા મળ્યો, બીપીસીએલના શેરમાં પણ બે ટકાનો ઉછાળો નોંધાયો મુંબઈમંગળવારે શેરબજારમાં શરૂઆતી ઉછાળા પછી દિવસભર વધઘટ જોવા મળી હતી અને કારોબારના અંતે બીએસઈ સેન્સેક્સ 801 પોઈન્ટ ઘટીને 71140 ના સ્તર પર બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 209 પોઈન્ટ ઘટીને 21528 ના સ્તર પર બંધ થયો…

કેસ દાખલ કરતી વખતે જાતિ-ધર્મના ઉલ્લેખની પ્રથા બંધ કરવા આદેશ

કોર્ટમાં કોઈપણ વાદીની જાતિ અથવા ધર્મનો ઉલ્લેખ કરવાનું અમને કોઈ કારણ જોવા મળ્યું નથી, આવી પ્રથાને ખતમ કરી દેવી જોઈએઃ સુપ્રીમનું અવલોકન નવી દિલ્હીસુપ્રીમ કોર્ટે તમામ કોર્ટોને આદેશ આપ્યો છે કે, તેઓ કેસ દાખલ કરતી વખતે વાદીની જાતિ અને ધર્મનો ઉલ્લેખ કરવાની પ્રથા બંધ કરે. ન્યાયાધીશ હિમા કોહલી અને ન્યાયાધીશ અમાનુલ્લાહની બેંચે તમામ હાઈકોર્ટને ખાતરી…

પાક.ના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને સાઈફર કેસમાં 10 વર્ષની સજા

ઈમરાનની સાથે તેના સહયોગી અને પૂર્વ વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીને પણ 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી કરાચીપાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈના વડા ઈમરાન ખાનને સાઈફર કેસમાં કોર્ટે 10 વર્ષની જેલની સજા સંભળાવી છે. ઈમરાનની સાથે તેના સહયોગી અને પૂર્વ વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીને પણ 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.પાકિસ્તાનમાં એપ્રિલ…

પોલાર્ડના મેચમાં વિલંબના પ્રયાસથી પ્લેસિસ નારાજ થયો

મેચમાં વિલંબ કરવા માટે, બોલ ફેંકે તે પહેલા રબાડાને પોલાર્ડે બોલાવ્યો અને તે બોલ ફેંકી શક્યો નહીં ડરબનસાઉથ આફ્રિકા 20 લીગમાં ગઈકાલે એમઆઈ કેપ ટાઉન અને જોબર્ગ સુપર કિંગ્સ વચ્ચે એક અદ્ભુત મેચ જોવા મળી હતી. એક સમયે મેચનું પરિણામ લગભગ અશક્ય લાગતું હતું. જોબર્ગ સુપર કિંગ્સે ડકવર્થ લુઈસ મેથડ દ્વારા વરસાદથી પ્રભાવિત મેચ 10…

સિરિયામાં અમેરિકા તેમજ તેના સાથી રાષ્ટ્રોના મિલિટરી બેઝ પર રોકેટો વડે હુમલો

હુમલામાં કોઈ સૈનિકોની જાનહાનિ થવાના કે સૈનિકો ઘાયલ થવાના અહેવાલ મળ્યા નથી, બેઝને પણ હુમલાના કારણે ખાસ નુકસાન થયુ નથી દમાસ્કસજોર્ડન બાદ હવે સિરિયામાં અમેરિકા તેમજ તેના સાથી રાષ્ટ્રોના મિલિટરી બેઝ પર રોકેટો વડે હુમલો કરવામાં આવ્યો છે.રવિવારે જોર્ડનમાં અમેરિકન બેઝ પર થયેલા ડ્રોન એટેકમાં ત્રણ અમેરિકન સૈનિકોના મોત થયા હતા અને આ હુમલા બાદ…

ગણતંત્ર દિવસની પરેડમાં સંસ્કૃતિ મંત્રાલયની ઝાંખીને પ્રથમ ઈનામ મળ્યું

આ પરેડમાં સાંસ્કૃતિક મંત્રાલયના ટેબ્લોની થીમ ભારત: લોકશાહીની જનની હતી નવી દિલ્હીઆ વર્ષે દેશે 75મો ગણતંત્ર દિવસ ઉજવ્યો છે. જેમાં ઉજવણીના ભાગરૂપે કર્તવ્ય પથ પર ટેબ્લો અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ વર્ષે ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન હતા. ગણતંત્ર દિવસની પરેડમાં ભારતના રાજ્યોએ તેમજ વિવિધ મંત્રાલયો અને વિભાગોએ…

ભારતીય યુધ્ધ જહાજ આઈએનએસે 19 પાકિસ્તાની ખલાસીને બચાવ્યા

અગાઉ નૌકાદળના યુદ્ધ જહાજ આઈએનએસ સુમિત્રાએ સોમાલી ચાંચિયાઓ દ્વારા અપહરણ કરાયેલા માછીમારોને બચાવ્યા હતા નવી દિલ્હી ભારતીય યુદ્ધ જહાજ આઈએનએસ સુમિત્રાએ સોમવારે 19 પાકિસ્તાની ખલાસીઓને બચાવી લીધા છે. સોમાલી ચાંચિયાએ માછીમારી જહાજને હાઇજેક કરી લીધું હતું. સોમાલી ચાંચિયાઓ સામે ભારતીય નૌકાદળની કાર્યવાહી ચાલુ છે.  ભારતીય નૌકાદળે આજે દરિયામાં 19 પાકિસ્તાની ખલાસીઓને સોમાલી ચાંચિયાઓની ચુંગાલમાંથી બચાવ્યા…

હેમંત સોરેની બીએમડબલ્યુ કાર જપ્ત, એરપોર્ટ પર એલર્ટ

મુખ્યમંત્રી હેમંત સોરેન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહીના ડરથી છેલ્લા 18 કલાકથી ફરાર થઈ ગયા હોવાનો ભાજપનો દાવો રાંચી ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. સોમવારે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની ટીમે સવારે 7 વાગ્યાથી દિલ્હીના શાંતિ નિકેતનમાં સોરેનના ઘર સહિત 3 સ્થળોએ દરોડા પાડવાનું શરૂ કર્યું, જે…

સુદાનમાં યુએન પીસકીપર્સ, મહિલાઓ અને બાળકો સહિત 50થી વધુની હત્યા

અબેઈ એક તેલ સમૃદ્ધ વિસ્તાર છે જે દક્ષિણ સુદાન અને સુદાન દ્વારા સંયુક્ત રીતે સંચાલિત છે, બંને તેના પર દાવો કર્યો છે ખાર્તુમ સુદાનના અબેઈમાં યુએન પીસકીપર્સ, મહિલાઓ અને બાળકો સહિત 50થી વધુ લોકોની હત્યાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના વિવાદિત સુદાન-દક્ષિણ સુદાન સરહદી વિસ્તારના અબેઈમાં બની છે. અધિકારીઓએ કહ્યું કે 2021 પછી સરહદ…

વધુ એક ભારતીય છાત્રનું અમેરિકામાં શંકાસ્પદ મોત

રવિવારે યુનિવર્સિટી કેમ્પસમાંથી ગુમ થયેલા વિદ્યાર્થી નીલ આચાર્યના મૃત્યુની પુષ્ટિ, પોલીસ મૃત્યુની તપાસ કરી રહી છે વોશિંગ્ટન અમેરિકાના ઈન્ડિયાના રાજ્યમાં સ્થિત પ્રતિષ્ઠિત પરડ્યુ યુનિવર્સિટીના ગુમ થયેલા ભારતીય વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત થયું છે. યુનિવર્સિટીએ આ વાતની પુષ્ટિ કરી છે. હાલ વિદ્યાર્થીના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અમેરિકામાં હાલમાં જ ભારતીય વિદ્યાર્થી વિવેક સૈનીને…

ભારતીય મૂળનાં દંપત્તી સામે યુકેમાં કોકેઈન સ્મગલિંગનો ગુનો સાબિત

હાલમાં પતિ-પત્ની યુકેમાં હેનવેલ ખાતે રહે છે, તેમણે ઓસ્ટ્રેલિયામાં 514 કિલો કોકેઈન પહોંચાડ્યું હોવાનો આરોપ સાબિત થઈ ગયો છે લંડન યુકેમાં બેઠા બેઠા ગુજરાતમાં ડબલ મર્ડર કરાવનાર ભારતીય મૂળના કપલ આરતી ધીર અને કંવલજિત રાયજાદા સામે યુકેમાં કોકેઈનના સ્મલગિંગનો ગુનો સાબિત થયો છે. ભારત સરકારે મર્ડર કેસમાં આ પતિ-પત્નીનો કબ્જો સોંપી દેવા યુકેને વિનંતી કરી…

રાજસ્થાનની સરકારી શાળામાં હિજાબ પર પ્રતિબંધથી વિવાદ

કેબિનેટ પ્રધાન ડો.કિરોડીલાલ મીણાએ પણ હિજાબ અને બુરખા પર પ્રતિબંધ લગાવવાની ભલામણ કરી જયપુર કર્ણાટકમાં બે વર્ષ પહેલા હિજાબને લઈને વિવાદ સર્જાયો હતો. હવે બે વર્ષ બાદ એવો જ વિવાદ શરૂ થયો હતો. કર્ણાટકમાં ચૂંટણી પહેલા કોલેજોમાં હિજાબ પહેરવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, ત્યારબાદ તેના પર ભારે રાજનીતિ થઈ હતી અને મામલો કોર્ટમાં પહોંચ્યો હતો….

શિવલિંગની પરિક્રમા કરવા જતા જ્યોતિષપીઠના શંકરાચાર્યને અયકાવાયા

વારાણસી પોલીસે કલમ 144નો હવાલો આપીને શંકરાચાર્યને કહ્યું હતું કે હાલમાં અંદર જવાની પાબંધી છે અને જો તમારે અંદર જવું હોય તો લેખિતમાં પરવાનગી લાવવી પડશે વારાણસી એએસાઈના સર્વે દરમિયાન ઘણા એવા પુરાવા સામે આવ્યા કે તેનાથી સમજી શકાય કે મસ્જિદ એક હિન્દુ મંદિરના ઢાંચા પર બનાવવામાં આવી છે. તેમ છતાં મુસ્લિમ પક્ષ આ વાત…

સ્વબચાવ માટે યુદ્ધ કરવા અમેરિકા સજ્જઃ જોન કિર્બી

રાષ્ટ્રપતિ જો બિડેન રાષ્ટ્રીય સુરક્ષા ટીમને બે વાર મળ્યા, તેઓ વિવિધ વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે વોશીંગ્ટન જોર્ડનમાં થેયલા ડ્રોન હુમલામાં ત્રણ અમેરિકી સૈનિકો માર્યા ગયા બાદ યુએસના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જોન કિર્બીએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે અમે યુદ્ધ ઇચ્છતા નથી, પરંતુ સ્વરક્ષા માટે જે પણ કરવું જરૂરી હશે એ કરીશું….

અંડર-19 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ભારત-પાક.ની ટક્કરની શક્યતા

ભારતે તેની આગામી બે મેચ ન્યૂઝીલેન્ડ અને નેપાળ સાથે રમવાની છે દુબઇ આઇસીસી મેન્સ અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2024નો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે. આ ટૂર્નામેન્ટ 30 જાન્યુઆરીથી તેના બીજા તબક્કામાં પ્રવેશ કરશે. 12 ટીમો ટૂર્નામેન્ટના સુપર-છ રાઉન્ડમાં પહોંચી છે. હવે સુપર-છ તબક્કાના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. ભારતે તેની આગામી બે મેચ ન્યૂઝીલેન્ડ…

એથ્લેટ અવિનાશ સાબલે-પારૂલ ચૌધરીની યુએસમાં ટ્રેનિંગને મંજૂરી

સરકારે કુસ્તીબાજો અંશુ મલિક અને સરિતા મોરને અનુક્રમે જાપાન અને અમેરિકામાં તાલીમ માટે મંજૂરી આપી નવી દિલ્હી રમત મંત્રાલયે સોમવારે એશિયન ગેમ્સમાં મેડલ વિજેતા દોડવીરો અવિનાશ સાબલે અને પારૂલ ચૌધરીની અમેરિકાના કોલોરાડોમાં ટે્રનિંગ મેળવવાની વિનંતીને મંજૂરી આપી હતી. સરકારે કુસ્તીબાજો અંશુ મલિક અને સરિતા મોરને અનુક્રમે જાપાન અને અમેરિકામાં તાલીમ માટે મંજૂરી આપી છે.નેશનલ રેકોર્ડ…

રંજીત શ્રીનિવાસની હત્યા કેસમાં પીએફઆઈના 15 કાર્યકરોને મોતની સજા

રંજીતની 19મી ડિસેમ્બર 2021માં અલપ્પુઝામાં તેના ઘરે હત્યા કરવામાં આવી હતી થિરુવનંતપુરમ કેરળની એક કોર્ટે આરએસએસ નેતા રંજીત શ્રીનિવાસની હત્યા કેસમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ)ના 15 કાર્યકરોને મોતની સજા સંભળાવી છે. આ તમામ આરોપીઓને વકીલ અને આરએસએસ નેતાની હત્યામાં કોર્ટે દોષિત જાહેર કર્યા હતા. રંજીત શ્રીનિવાસની હત્યા કેસમાં માવેલિક્કારા એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે આજે…