આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સ માટેના ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ તૈયાર કરવા એઆઇસીટીઇનો જિયો ઇન્સ્ટિટ્યૂટ સંસ્થા સાથે સહયોગ

નવી મુંબઈ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ડેટા સાયન્સ વિષયો માટેના ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ તૈયાર કરવા ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઇસીટીઇ)એ જિયો ઇન્સ્ટિટ્યૂટ સાથે હાથ મીલાવ્યા છે. આ સહભાગી પ્રયાસ એઆઇસીટીઇના અટલ (એઆઇસીટીઇ ટ્રેનિંગ એન્ડ લર્નિંગ) પ્રોગ્રામના ભાગરૂપે શરૂ કરવામાં આવી રહ્યો છે, આ કાર્યક્રમનો ઉદ્દેશ એઆઇસીટીઇ માન્ય સંસ્થાઓના ફેકલ્ટી સભ્યોના કૌશલ્યમાં વધારો કરવા…

વિરાટ કોહલીએ ડ્યૂરોફ્લેક્સ માટેની નવી ક્વિર્કી ટીવીસીમાંલાંબા, સક્રિય જીવન માટે ઉત્તમ નિંદ્રાને સમર્થન આપ્યુ

કેમ્પેન સર્જનાત્મકતામાં સ્ટોપ મોશનનો ઉપયોગ કરે છે જેથી ડ્યૂરોફ્લેક્સની ડૉક્ટર દ્વારા ભલામણ કરાયેલ ઓર્થોપેડિક મેટ્રેસની ડ્યૂરોપેડીક મેટ્રેસ રેન્જને પ્રોત્સાહન આપી શકાય ભારતની અગ્રણી નિંદ્રા ઉકેલ પૂરી પાડતી ડ્યૂરોફ્લેક્સએ વિરાટ કોહલીને રાષ્ટ્રીય બ્રાન્ડ એમ્બેસેડર તરીકે દર્શાવતી તાજેતરની ઍડ ફિલ્મનું અનાવરણ કર્યુ છે, જેમાં તેમની અપવાદરૂપ સંશોધન આધારિત મેટ્રેસિસ બતાવવામાં આવી છે. #GreatSleepGreatHealthની થીમ પર સેટ કરેલી…

બજાજ ફાઇનાન્સ ફિક્સ્ડ ડિપોઝીટે રૂ. 50,000 કરોડનો આંક પાર કર્યો

ડિપોઝીટનો હિસ્સો 30 જૂન, 2023ના રોજ બજાજ ફાઇનાન્સના કન્સોલિડેટેડ ઋણના 21% અને સ્ટેન્ડઅલોન ઉધારમાં 28% જેટલો હતો પુણે/મુંબઈ, ભારતની અગ્રણી અને વૈવિધ્યસભર નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીમાંની એક અને બજાજ ફિનસર્વનો ભાગ એવી બજાજ ફાઇનાન્સ લિમિટેડે આજે જણાવ્યું હતું કે તેની ફિક્સ્ડ ડિપોઝિટ બુકે રૂ. 50,000 કરોડનું સીમાચિહ્ન પાર કર્યું છે. બજાજ ફાઇનાન્સ પાસે પાંચ લાખ ડિપોઝીટર્સ…

ગુજરાત નેફ્રોલોજિસ્ટ એસોસિયેશનની ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી સાથે મુલાકાત

અમદાવાદ ગુજરાત નેફ્રોલોજી એસોસિયેશન દ્વારા PMJAY યોજના હેઠળ ઘટાડેલા દરના વિરોધમાં તા.14 થી 16 ઓગસ્ટ PMJAY યોજના અંતર્ગત ડાયાલિસીસ બંધ રાખવામાં આવેલા. તેમ છતાં સરકાર દ્વારા હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવેલ નથી. ગુજરાતના લાખો ડાયાલિસીસ દર્દીઓના પ્રશ્નને સરકાર ગંભીરતાથી લેતી નથી. ડાયાલિસીસ એ ખુબ જ જટિલ પ્રોસેસ છે. તેમાં નેફ્રોલોજિસ્ટનું માર્ગદર્શન અને દેખરેખ ખુબ…

સેબીએ BSE અને NSE સાથે મળીને વડોદરા, ગુજરાત ખાતે રોકાણકાર સેવા કેન્દ્ર (ISC) ની સ્થાપના કરી

ISC જેનું સંચાલન BSE દ્વારા કરવામાં આવે છે, તેનું ઉદ્ઘાટન શ્રી દ્વારા કરવામાં આવ્યું હતું. મુરલીધર રાવ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર – SEBI, 18 ઓગસ્ટ, 2023 ના રોજ, શ્રી B. J. દિલીપ, પ્રાદેશિક નિયામક – SEBI પશ્ચિમ, શ્રી રવિન્દ્ર પલાંડે, અધિકની હાજરીમાં. જનરલ મેનેજર – એક્સચેન્જો, સ્ટોક બ્રોકર્સ અને મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર્સના પ્રતિનિધિઓ સાથે BSE ઇન્વેસ્ટર્સ પ્રોટેક્શન…

JIOએ પ્રીપેડ પ્લાન્સ પર નેટફ્લિક્સ સબસ્ક્રિપ્શન લોન્ચ કર્યું

મુંબઈ Jio એ આજે બંડલ Netflix સબ્સ્ક્રિપ્શન સાથે Jio પ્રીપેડ પ્લાન લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. નેટફ્લિક્સ સબ્સ્ક્રિપ્શન પહેલાથી જ પસંદગીના Jio પોસ્ટપેડ અને જિયો ફાઇબર પ્લાન પર ઉપલબ્ધ છે, પરંતુ આ પ્રથમ વખત છે કે પ્રીપેડ પ્લાન પર Netflix સબ્સ્ક્રિપ્શન ઉપલબ્ધ થશે. આ લોન્ચ સાથે, 400 મિલિયનથી વધુ Jio પ્રીપેડ ગ્રાહકોને Jio પ્રીપેડ બંડલ્ડ…

370મી કલમ સંદર્ભે કોઈ ઉલ્લંઘન જણાશે તો કોર્ટ હસ્તક્ષેપ કરશેઃ સુપ્રીમ

બંધારણીય બેન્ચે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા વિરુદ્ધ દાખલ અરજીઓ પર 7મા દિવસે દલીલો દરમિયાન સવાલો કર્યા નવી દિલ્હીજમ્મુ-કાશ્મીર મામલે સુનાવણીના 7મા દિવસે સુપ્રીમકોર્ટે અરજદારોને કહ્યું કે શું તમે કલમ 370 ખતમ કરવાની કેન્દ્રની મંશાનું આકલન કરવા ન્યાયિક સમીક્ષા ઈચ્છો છો? કોર્ટે કહ્યું કે ન્યાયિક સમીક્ષા દરમિયાન જો તેમાં કોઈ ઉલ્લંઘન જણાશે તો કોર્ટ હસ્તક્ષેપ પણ…

સુરક્ષાની ચિંતાને ધ્યાનમાં રાખીને લેપટોપની આયાત પર પ્રતિબંધઃ ગોયલ

સરકારના નિર્ણયને કારણે ભાવ કે તેની ઉપલબ્ધતામાં કોઈ સમસ્યા નહીં રહે નવી દિલ્હીપ્રાઈવસીનું ઉલ્લંઘન વૈશ્વિક ચિંતાનો વિષય બની ગયો છે, જેના કારણે અમેરિકા સહિત વિશ્વના તમામ વિકસિત દેશોએ પણ પોતાની ચિંતા વ્યક્ત કરી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભારત સરકાર આ અંગે સતર્ક છે. ભારત વિરોધી દેશોથી ભારત સરકાર સતર્ક છે.એક કાર્યક્રમમાં કેન્દ્રીય વાણિજ્ય અને…

કચરાનો ઉપયોગ કરી વાર્ષિક 65000 મેગાવોટ વીજળી પેદા કરી શકાય

દેશમાં દર વર્ષે 6.5 કરોડ ટન કચરો પેદા થાય છે અને તેના 2030 સુધી વધીને 16.5 કરોડ ટન તથા 2050 સુધીમાં 43.6 કરોડ ટન થવાનું અનુમાન નવી દિલ્હીદેશભરમાં કચરાનો ઉપયોગ કરી વાર્ષિક 65000 મેગાવોટ વીજળી પેદા કરી શકાય છે. જે 2030 સુધીમાં 1.65 લાખ મેગાવોટ અન 2050 સુધીમાં 4.36 લાખ મેગાવોટ સુધી પહોંચી શકે છે….

ભાજપે ગત વિધાનસભા ચૂંટણીમાં 209 કરોડથી વધુનો ખર્ચ કર્યો

પાર્ટીએ ચૂંટણી પંચને સોંપેલી વિગતોમાં આપી છે. ચૂંટણી સંસ્થા દ્વારા ખર્ચનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો અમદાવાદગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી છેલ્લા 25 વર્ષ કરતા પણ વધુ સમયથી સત્તામાં છે અને પાર્ટીએ છેલ્લી વિધાનસભામાં રેકોર્ડ બ્રેક સીટો મેળવીને જીત નોંધાવી હતી, ત્યારે પાર્ટીએ વિધાનસભા 2022ની ચૂંટણીમાં રુપિયા 209 કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો. આ માહિતી પાર્ટીએ ચૂંટણી…

રિયલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડેએ યુએસ કોર્ટમાં નાદારીનો કેસ દાખલ કર્યો

કંપનીએ યુએસ બેન્કરપ્સી કોડના ચેપ્ટર 15 હેઠળ સુરક્ષા માગી બેઈજિંગચીનની રિયલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડેએ અમેરિકી કોર્ટમાં નાદારી જાહેર કરવાનો કેસ દાખલ કર્યો છે. કંપનીએ યુએસ બેન્કરપ્સી કોડના ચેપ્ટર 15 હેઠળ સુરક્ષા માગી છે. આ ચેપ્ટર અમેરિકામાં વ્યાપાર કરતા વિદેશી ક્રેડિટર્સ માટે છે, જેમાં તેમની સંપત્તિ જપ્ત કરવાની જોગવાઈઓ છે. ચીનની રિયલ એસ્ટેટ ફર્મની નાદારીની ઘોષણા…

કરોડનું મકાન ધરાશાયી થવા છતાં પોલીસ કોન્સ્ટેબલ ફરજ પર હાજર

54 વર્ષીય અશોક ગુલેરિયા ભારતીય સૈન્યમાં લાન્સ નાયક પદેથી નિવૃત્ત થયા હતા અને તેઓ શિમલામાં હેડ કોન્સ્ટેબલ તરીકે તહેનાત થયા હતા શિમલાહિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિત પંજાબમાં પણ મોનસૂનના સ્વરૂપમાં કહેર વરસી રહ્યો છે. જ્યારે હિમાચલમાં તો પૂર, ભૂસ્ખલન અને આભ ફાટવાની વારંવાર બનતી ઘટનાઓએ બધુ જ વેરવિખેર કરી નાખ્યું છે. રાજ્યને થનારું નુકસાન હજારો કરોડોમાં…

રાહુલ ગાંધી અમેઠીથી જ ચૂંટણી લડશેઃ અજય રાય

પ્રિયંકા ગાંધી જ્યાં પણ કહેશે અમે તેમને સંપૂર્ણ સમર્થન આપીશું, તેમના વિજય માટે દરેક કાર્યકર મહેનત કરશે વારાણસીઅજય રાય ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટીના નવનિયુક્ત અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા બાદ પ્રથમ વખત તેમના ગૃહ જિલ્લા વારાણસીમાં લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટ પર પહોંચતાની સાથે જ હજારો કાર્યકર્તાઓએ ઢોલ, માળા અને અંગ વસ્ત્રો સાથે…

એનઈપી ભાજપ શાસિત રાજ્યોમાં જ લાગુ ન કારઈ હોવાનો ડી.કે. શિવકુમારનો આક્ષેપ

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલી જ મહત્ત્વપૂર્ણ છે તો પછી મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, હરિયાણા અને ગુજરાતમાં તેને લાગુ કેમ નથી કરાઇ? અહીં તો ભાજપ જ સત્તામાં છેઃ કોંગ્રેસના નેતા બેંગલુરૂકર્ણાટકમાં કોંગ્રેસ સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી)ને ખતમ કરવા સામે ભાજપે વિરોધ વ્યક્ત કર્યો હતો. તેના જવાબમાં ઉપમુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે કહ્યું કે એનઈપી ભાજપનો રાજકીય એજન્ડા હતો. તેને…

આદિવાસી વિદ્યાર્થીનું એન્જિનિયર બનવાનું સપનું પૂરું કરવા કોર્ટે 15 ઓગસ્ટે સુનાવણી કરી

એન્જિનિયરિંગમાં એડમિશન લીધા પછી, ગૌરવને તેની સીટ કન્ફર્મ કરવા માટે 16 ઓગસ્ટના રોજ બપોરે 3 વાગ્યા સુધીમાં તેનું જાતિનું પ્રમાણપત્ર સબમિટ કરવાનું હતું મુંબઈબોમ્બે હાઈકોર્ટે 15 ઓગસ્ટે રજાના દિવસે પણ કેસની સુનાવણી કરી હતી. મળતી માહિતી પ્રમાણે ગૌરવ વાઘ નામના વિદ્યાર્થીનું જાતિ તપાસ સમિતિએ અનુસૂચિત જનજાતિ (એસટી) પ્રમાણપત્ર રદ કર્યું હતું. જેના માટે બોમ્બે હાઈકોર્ટે…

ભારતીય એથ્લેટ દુતી ચંદ પર ડોપિંગ કેસમાં ચાર વર્ષનો પ્રતિબંધ

દુતી પર લાદવામાં આવેલ ચાર વર્ષનો પ્રતિબંધ જાન્યુઆરી 2023થી ધ્યાનમાં લેવામાં આવશે નવી દિલ્હીભારતીય એથ્લેટ દુતી ચંદ પર એનએડીએએ 4 વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધ ડોપિંગના કારણે મૂકવામાં આવ્યો છે. દુતીનો ટેસ્ટ થયો હતો જેમાં સિલેક્ટિવ એન્ડ્રોજન રીસેપ્ટર મોડ્યુલેટર મળી આવ્યા હતા. દુતી પર લાદવામાં આવેલ ચાર વર્ષનો પ્રતિબંધ જાન્યુઆરી 2023થી ધ્યાનમાં લેવામાં…

સેન્સેક્સ 202 અને નિફ્ટી 55 પોઈન્ટનો ઘટાડા સાથે બંધ રહ્યો

મિડકેપ, સ્મોલકેપ શેરોમાં દબાણ જોવા મળ્યું, આઈટી, પીએસઈ, રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી જ્યારે પીએસયુ બેન્ક,એફએમસીજી, મેટલ ઈન્ડેક્સ ઉછાળા સાથે બંધ થયા મુંબઈસપ્તાહના અંતિમ સત્રમાં લાલ નિશાન સાથે બજાર બંધ થયું છે. કારોબારી સપ્તાહના અંતિમ દિવસે બજારમાં દબાણ જોવા મળ્યું અને સેન્સેક્સ-નિફ્ટી ઘટાડા સાથે બંધ થયા. જો કે આજના કારોબારમાં મિડકેપ, સ્મોલકેપ શેરોમાં દબાણ…

લેન્ડર પ્રોપલ્શન મોડ્યૂલથી અલગ થયા બાદ ચંદ્રયાનના કેમેરામાં ચંદ્રનો શાનદાર નજારો કેદ

ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર 23 ઓગસ્ટે લેન્ડ થશે, ચંદ્રની ધરતી પર લેન્ડ થયા બાદ રોવર ત્યાંની આબોહવા, સિસ્મિક એક્ટિવિટી અને ભૌગોલિક પરિસ્થિતિ અંગે માહિતી આપશેનવી દિલ્હી લેન્ડર મોડ્યુલના પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થયા બાદ ચંદ્રયાન-3 મિશનની પ્રથમ તસવીર સામે આવી છે. આ તસવીર લેન્ડર ઈમેજર દ્વારા લેવામાં આવી છે. આ તસવીર 17 ઓગસ્ટે લેન્ડર ઈમેજરમાં ફીટ…

દિલ્હીથી બિહાર સુધી 19-20 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

રાજસ્થાન, કોંકણ અને ગોવા, મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, કેરળના ભાગોમાં હળવા વરસાદની શક્યતા નવી દિલ્હી દેશભરના ઘણા રાજ્યોમાં વરસાદને કારણે હવામાન ખુશનુમા રહ્યું છે, જ્યારે ઘણા રાજ્યો બિન-સક્રિય ચોમાસાને કારણે સહેજ ભેજનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શુક્રવારે (18 ઓગસ્ટ) રાષ્ટ્રીય રાજધાનીમાં હવામાન સ્વચ્છ રહેવાની ધારણા છે. 19 અને 20 ઓગસ્ટે…