પેરિસમાં હજારો ભક્તોની ઉપસ્થિતિમાં મહંત સ્વામી મહારાજની 93મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી

યુરોપમાં પ્રથમવાર પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં જન્મજયંતીની ઉજવણી, ‘ધ ગુરુ ધેટ ગિવ્સ’ કાર્યક્રમમાં આધ્યાત્મિક જ્ઞાન, સંપ, નિઃસ્વાર્થ પ્રેમ અને ભગવાનની અનુભૂતિનો સંદેશ પેરિસ/બુસી-સેંટ-જ્યોર્જેસયુરોપ તથા વિશ્વના વિવિધ દેશોમાંથી હજારો ભક્તો રવિવાર, 13 સપ્ટેમ્બર 2026ના રોજ બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે બી.એ.પી.એસ.ના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની અંગ્રેજી તારીખ પ્રમાણે 93મી જન્મજયંતીની ભવ્ય ઉજવણીમાં જોડાયા હતા. તેમના જીવન, કાર્ય તથા…

પેરિસમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ પરંપરાની ભવ્ય નગરયાત્રા

એફિલ ટાવર પાસે યોજાયેલી ઐતિહાસિક નગરયાત્રામાં 40થી વધુ દેશોના 5,000 સહભાગીઓ જોડાયા; 1,500થી વધુ કલાકારોએ સાંસ્કૃતિક ઝાંખી રજૂ કરી પેરિસ/બુસી-સેંટ-જ્યોર્જેસ ફ્રાન્સની રાજધાની પેરિસમાં આજે ભારતીય સંસ્કૃતિ, સંગીત, કલા અને હિન્દુ પરંપરાની ભવ્ય ઉજવણી જોવા મળી હતી. વિશ્વવિખ્યાત એફિલ ટાવર નજીક ‘ફેસ્ટિવલ ઓફ કલ્ચર’ અંતર્ગત યોજાયેલી ઐતિહાસિક નગરયાત્રામાં હજારો ભક્તો, કલાકારો, મુલાકાતીઓ અને વિવિધ દેશોના પ્રતિનિધિઓ…

પેરિસ મંદિર મહોત્સવમાં ભક્તિ અને સંસ્કૃતિનો ભવ્ય સંગમ: પાલખી યાત્રાથી સેન નદીની ઐતિહાસિક જળયાત્રા સુધી હજારો લોકો જોડાયા

5,500થી વધુ લોકોની સેન નદી પર સાંસ્કૃતિક નૌકાયાત્રા; 2,500થી વધુ મહિલાઓ-યુવતીઓ પાલખી યાત્રામાં જોડાઈ પેરિસ/બુસી-સેંટ-જ્યોર્જેસ ફ્રાન્સમાં પ્રથમ પરંપરાગત પથ્થરથી નિર્મિત હિન્દુ મંદિરના લોકાર્પણ પ્રસંગે યોજાઈ રહેલા 13 દિવસીય ‘ફેસ્ટિવલ ઓફ કલ્ચર’ એટલે કે પેરિસ મંદિર મહોત્સવમાં ભક્તિ, ભારતીય સંસ્કૃતિ અને ભારત-ફ્રાન્સની મિત્રતાનો ભવ્ય સંગમ જોવા મળી રહ્યો છે. મહોત્સવના ભાગરૂપે 2 સપ્ટેમ્બરે બુસી-સેંટ-જ્યોર્જેસમાં યોજાયેલી પાલખી…

પેરિસ મંદિર મહોત્સવમાં મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં વૈદિક મહાયજ્ઞનો પ્રારંભ

ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરના ઐતિહાસિક લોકાર્પણ પૂર્વે 2થી 14 સપ્ટેમ્બર સુધી મહાયજ્ઞનું આયોજન, વિશ્વશાંતિ અને સર્વના કલ્યાણ માટે પ્રાર્થના પેરિસ/બુસી-સેંટ-જ્યોર્જેસ ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરના ઐતિહાસિક લોકાર્પણ અવસર પૂર્વે બુધવારે, 2 સપ્ટેમ્બરના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં પવિત્ર વૈદિક મહાયજ્ઞનો પ્રારંભ થયો હતો. પેરિસ મંદિર મહોત્સવ અંતર્ગત આયોજિત આ મહાયજ્ઞ 2થી…

ફ્રાન્સના પેરિસમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું ઐતિહાસિક આગમન: ફેસ્ટિવલ ઓફ કલ્ચરનો શુભારંભ

ફ્રાન્સમાં સનાતન હિન્દુ ધર્મ માટે એક ઐતિહાસિક અધ્યાયનો પ્રારંભ બુસી-સેંટ-જ્યોર્જેસ (પેરિસ) બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના ગુરુ અને આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું ૨૯ ઓગસ્ટના રોજ ફ્રાન્સના બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે ભવ્ય આગમન થયું હતું. તેમની પાવન ઉપસ્થિતિમાં આગામી ૬ સપ્ટેમ્બરના રોજ ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરનું લોકાર્પણ થશે. આ ઐતિહાસિક ‘ફેસ્ટિવલ ઓફ કલ્ચર’ (પેરિસ મંદિર મહોત્સવ)…

ફ્રાન્સમાં સનાતન આધ્યાત્મિક પરંપરાનું ઐતિહાસિક સીમાચિહ્ન

પેરિસમાં ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરનું નિર્માણ પૂર્ણ, 6 સપ્ટેમ્બરે મહંત સ્વામી મહારાજ કરશે પ્રાણપ્રતિષ્ઠા પેરિસ કલા, સ્થાપત્ય અને સંસ્કૃતિ માટે વિશ્વવિખ્યાત પેરિસ શહેર હવે સનાતન હિન્દુ આધ્યાત્મિક પરંપરાના એક ઐતિહાસિક કેન્દ્રનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે નવનિર્મિત બી. એ. પી. એસ. સ્વામિનારાયણ હિન્દુ મંદિરનું નિર્માણ પૂર્ણ થયું છે. ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દુ…

બી.એ.પી.એસ. શાહીબાગ મંદિરમાં મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ૮૦મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવાયો

૧૫ હજારથી વધુ હરિભક્તોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રગૌરવ અને રાષ્ટ્રની સુખાકારી માટે મંગલ પ્રાર્થના; સ્વાતંત્ર્ય પર્વે રાષ્ટ્રનિર્માણનો નવો સંકલ્પ અમદાવાદ: પ્રત્યેક વર્ષની ૧૫મી ઓગસ્ટ રાષ્ટ્રના નવનિર્માણની વધુ ઊંચાઈએ પહોંચવાના નવા સંકલ્પનું પર્વ બની રહે છે. દેશભરમાં આજે ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ગૌરવભેર ઉજવણી થઈ રહી છે, ત્યારે અમદાવાદના શાહીબાગ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં પણ સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી…

‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત’ અભિયાનમાં BAPSના 30 હજારથી વધુ યુવાનો જોડાયા, વ્યસનમુક્તિનો સંકલ્પ લીધો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રવ્યાપી અભિયાનને BAPS સ્વામિનારાયણ સંસ્થાનો વ્યાપક પ્રતિસાદ; દેશભરના 60થી વધુ કેન્દ્રોમાં વિશેષ કાર્યક્રમો યોજાયા નવી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત’ સંકલ્પ અભિયાનને દેશભરમાં ઉત્સાહભેર પ્રતિસાદ મળી રહ્યો છે. આ અભિયાનમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના દેશભરના 60થી વધુ કેન્દ્રોમાંથી 30,000થી વધુ યુવાનો અને યુવતીઓ જોડાયા હતા. તમામ…

વલસાડમાં આભ ફાટ્યું: અતિવરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, BAPS સંસ્થા પૂરગ્રસ્તોની મદદે

મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી સંસ્થાના સંતો અને કાર્યકરો દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને ભોજન વ્યવસ્થા શરૂ વલસાડ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ અત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને વલસાડ પંથક અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા મૂશળધાર વરસાદને કારણે જાણે ‘આભ ફાટ્યું’ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અતિવરસાદ અને પૂરના પાણી ફરી…

જોધપુરમાં નવનિર્મિત બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું આગમન

ઐતિહાસિક અને વિશ્વવિખ્યાત મંદિરો જેવા કે અમેરિકામાં રોબિન્સવિલ, ન્યૂજર્સી ખાતેના અક્ષરધામ મંદિર અને અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરના નિર્માતા એવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે, 25 સપ્ટેમ્બરના રોજ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થશે. ૧૯ સપ્ટેમ્બરથી ૨૮ સપ્ટેમ્બર સુધી ચાલનારા આ મંદિર મહોત્સવમાં રાજસ્થાન અને ભારતના વિવિધ રાજ્યો તેમજ અમેરિકા, યુરોપ,…