Admin

મણિપુરની ઘટના શરમજનક, દોષિતોને નહીં છોડાયઃ મોદી

મણિપુરની ઘટનાનો વીડિયો વાયરલ કે શેર ન કરવા સરકારનો આદેશ નવી દિલ્હી મણિપુરમાં બે મહિલાઓને નગ્ન કરી પરેડ કરાવવાના મામલે હવે વડાપ્રધાન મોદીએ પણ પ્રતિક્રિયા આપી છે. પત્રકારોને સંબોધતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે મણિપુરની ઘટના ખરેખર શરમજનક છે. કોઈ દોષિતને છોડવામાં નહીં આવે. આ આખા દેશનું અપમાન થઈ રહ્યું છે. મારા હૃદયમાં ઘણો ક્રોધ…

મણિપુર ઘટનાનો મુદ્દો સંસદમાં ઊઠાવવા વિપક્ષો સજ્જ

ઘટનામાં વિપક્ષ કેન્દ્રમાં રહેલી મોદી સરકારે ઘેરવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર પણ આ મુદ્દા પર સંસદમાં ચર્ચા કરવા તૈયાર નવી દિલ્હી મણિપુરમાં બે મહિલાઓને કપડા ઉતારીને પરેડ કરાવવાની શરમજનક ઘટના બની હતી, ત્યારે હવે વિપક્ષ આ મુદ્દાને સંસદમાં ઉઠાવવાની તૈયારી કરી રહ્યો છે. વિપક્ષે આ પહેલા પણ ઘણીવાર મણિપુર હિંસા પર પ્રધાનમંત્રી…

મણિપુરની ઘટના પર બોલિવૂડ સ્ટાર્સની આકરી પ્રતિક્રિયા

અક્ષય કુમાર, રેણુકા શહાણે, રિચા ચઢ્ઢા સહિત ઘણા બોલીવૂડ સેલેબ્સે પણ આ ચોંકાવનારી ઘટનામાં સંડોવાયેલા ગુનેગારો સામે કડક કાર્યવાહીની માગ કરી નવી દિલ્હી મણિપુરમાં ટોળા દ્વારા બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને પરેડ કરાવવાનો વીડિયો ગઈકાલે વાઈરલ થયો હતો. આ ભયાનક ઘટનાના વીડિયોએ આખા દેશને હચમચાવી દીધો છે. આ બર્બર ઘટનાથી રોષે ભરાયેલા લોકો સોશ્યલ મીડિયા પર…

મણિપુરની ઘટનામાં કડક કાર્યવાહી કરવા સુપ્રીમનો નિર્દેશ

સીજેઆઈએ કહ્યું, આ બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન છે, જો સરકાર પગલાં નહીં લે તો અમે આ મામલે કડક કાર્યવાહી કરીશું ઈમ્ફાલ મણિપુરમાં એક સમુદાયની બે મહિલાઓને કપડાં વગર નગ્ન હાલતમાં ખુલ્લેઆમ પરેડ કરાવવા બદલ દેશભરમાં ગુસ્સો વ્યાપી ગયો છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે પણ આ મામલે સુઓ મોટો હાથ ધરતાં મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે…

લોકો મારી રહ્યા હતા તેથી પુત્રને ત્યાંથી લઈ ગયોઃ પ્રજ્ઞેશ પટેલ

કાર ભાગીદાર નામે નોંધાયેલી, તથ્ય પાસે લાયસન્સ પણ છે, આ મામલે કોર્ટ જે કહેશે તે કરવા આરોપીના પિતા તૈયાર અમદાવાદ અમદાવાદ શહેરમાં મોડી રાત્રે એક ભયાનક અકસ્માત થયો હતો જેમાં 9 લોકોના મોત થયા છે જ્યારે 15થી 20 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત સર્જનાર યુવાનની ઓળખ તથ્ય પટેલ તરીકે થઇ હતી. ઉલ્લેખનીય છે કે,…

કન્ફર્મ ટિકિટ છતાં અમૃતપાલની પત્નીને યુકે જતા અટકાવાઈ

તેને પહેલા 20 એપ્રિલે અમૃતસરના એરપોર્ટ પર ત્યારબાદ 14 જુલાઈ અને 19 જુલાઈના રોજ દિલ્હીના  દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રોકવામાં આવી ચંડીગઢ આસામની ડિબ્રુગઢ જેલમાં બંધ વારિસ પંજાબ દે ચીફ અમૃતપાલ સિંહની પત્ની કિરણદીપ કૌરને કન્ફર્મ ટિકિટ હોવા છતાં ત્રીજી વખત ભારત છોડીને યુકે જતા અટકાવવામાં આવી છે. તેને પહેલા 20 એપ્રિલે અમૃતસરના…

અભિનેતા રણદીપ હુડ્ડાએ પૂરના પાણીમાં ઊતરીને લોકોને મદદ કરી

રણદીપે સોશ્યલ મીડિયા પર આ સંબંધિત એક પોસ્ટ શેર કરી, ચાહકો તેની ભરપુર પ્રસંશા કરી રહ્યા છે નવી દિલ્હી છેલ્લા કેટલાક દિવસોથી દેશના અનેક રાજ્યોમાં પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ઘણા શહેરો અને ગામડાઓની હાલત ખુબ જ ખરાબ છે. દિલ્હી પણ પૂરની પકડમાંથી બચી શકી નથી. પરંતુ આવા મુશ્કેલ સમયમાં ઘણા લોકો પૂર…

યુએઈમાં હિંદુ મંદિર તૈયાર થવાના આરે, ફેબ્રુઆરીમાં ભક્તો માટે ખુલ્લું મુકાશે

આ મંદિર વૈશ્વિક સદભાવનુ આધ્યાત્મિક કેન્દ્ર બનશે, આ મંદિર થકી ભારતની કલા, મૂલ્યો અને સંસ્કૃતિને યુએઈમાં લાવવામા મદદ મળશે અબુધાબી યુએઈમાં રહેતા હિન્દુ ભાવિકો માટે સ્વામીનારાયણ સંપ્રદાય બીએપીસ દ્વારા બનાવવામાં આવી રહેલુ હિન્દુ મંદિર તૈયાર થવાના આરે છે અને ફેબ્રુઆરીમાં તે ભકતો માટે ખુલ્લુ મુકાશે. ભવ્ય મંદિરનો શાનદાર ઉદઘાટન સમારોહ થશે અને મંદિરના પ્રતિનિધિઓનુ કહેવુ…

ભારતમાં ધાર્મિક ભેદભાવ ભયાનક સ્તરે પહોંચી ચુકયો છેઃ કુપર

અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગના પ્રમુખ રબ્બી અબ્રાહમ કુપરે ભારત સામે ઝેર ઓક્યું નવી દિલ્હી પીએમ મોદીની અમેરિકા યાત્રા બાદ બંને દેશો એક બીજા સાથેના સબંધો મજબૂત થઈ રહ્યા હોવાનો દાવો કરી રહ્યા છે પણ અમેરિકાની સંસ્થાઓ ભારત સામે ઝેરીલા નિવેદનો આપવામાંથી બાજ આવી રહી નથી. અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગના પ્રમુખ રબ્બી અબ્રાહમ કુપરે…

ઈસ્કોન બ્રિજ પર ચાર કાર અથડાઈ, કોઈને ગંભીર ઈજા નથી થઈ

ઘટનાની જાણ થતા જ ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી, બ્રિજ પર અકસ્માતની ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો અમદાવાદ  શહેરના ઈસ્કોન બ્રિજ પર મોડી રાત્રે થયેલા અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. અકસ્માતની ઘટનાથી સૌ કોઈ હચમચી ગયું છે. ત્યારે બ્રિજ પર અકસ્માતમાં 9 લોકોએ જીવ ગુમાવ્યો ત્યાં ફરી ગણતરીના કલાકોમાં વધુ એક અકસ્માતની…

ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહિમને ફરી 30 દિવસનાં પૈરોલ

રામ રહીમ રોહતકની સુનારિયા જેલમાંથી બહાર આવશે, કોર્ટે રામ રહીમને સિરસા ડેરામાં જવાની પરવાનગી આપી નથી નવી દિલ્હી દુષ્કર્મ અને હત્યાનાં ઢગલાબંધ આરોપમાં જેલમાં સજા કાપી રહેલા જાણીતા સંત અને ડેરા સચ્ચા સૌદાનાં વડા ગુરમીત રામ રહિમે ફરી એકવાર 30 દિવસની પૈરોલ મળી છે. થોડા સમય બાદ રામ રહીમ રોહતકની સુનારિયા જેલમાંથી બહાર આવશે.  કોર્ટે…

સોનાની કિંમત તોલાએ 60 હજારની નજીક, ચાંદી 75 હજાર રુપિયાને પાર

બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાની કિંમત 152 રૂપિયા વધીને 59,908 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ નવી દિલ્હી આજે બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (આઈબીજેએ)ની વેબસાઈટ અનુસાર આજે બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાની કિંમત 152 રૂપિયા વધીને 59,908 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. જયારે…

સરકારની ચર્ચાની તૈયારી છતાં વિપક્ષોના હોબાળા બાદ સંસદના બન્ને ગૃહની કાર્યવાહી સ્થગિત

સત્ર શરૂ થયા બાદ વિપક્ષોએ ગંભીર ઘટના મુદ્દે વડાપ્રધાનના મૌન પર સવાલ ઊઠાવી હંગામો મચાવ્યા બાદ બંને ગૃહોની કાર્યવાહી શુક્રવાર સુધી સ્થગિત કરાઈ નવી દિલ્હી મણિપુરમાં એક સમુદાયની બે મહિલાઓને કપડાં વગર નગ્ન હાલતમાં ખુલ્લેઆમ પરેડ કરાવવા બદલ દેશભરમાં ગુસ્સો વ્યાપી ગયો છે. આ વીડિયો સામે આવ્યા બાદ સંસદમાં વિપક્ષે મણિપુર મુદ્દે વડાપ્રધાનના મૌન પર…

વાહનોની ચોરીના આરોપમાં 15 ભારતીય કેનેડિયનની ધરપકડ કરાઈ

આ ટોળકી માલસામાન ભરેલા ટ્રકની ચોરી કરતી હતી અને પછી ચોરી કરેલી વસ્તુઓને અજાણ્યા લોકોને વેચી મારતી હતી ટોરેન્ટો અને તેની આજુબાજુના શહેરોમાં કરોડો ડોલરના ઓટો અને માલસામાન લઈ જતા વાહનોની ચોરી કરવાના આરોપમાં 15 ભારતીય કેનેડિયનની ધરપકડ કરાઈ છે. તેમાં મોટાભાગના બ્રામ્પટનના પંજાબી છે. આ ટોળકી માલસામાન ભરેલા ટ્રકની ચોરી કરતી હતી અને પછી…

સીમા હૈદર પાસે બે પાસપોર્ટ, બન્નેમાં જન્મ તારીખ જુદી

કડક પુછપરછ અને તપાસ એજન્સીઓની સઘન તપાસ છતાં સીમા પાકિસ્તાની જાસૂસ હોવાના નક્કર પુરાવા ન મળ્યા ગ્રેટર નોઈડા  પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરને લઈને હવે શંકાઓ વધુ પ્રબળ બની રહી છે. ચાર બાળકો સાથે દુબઈ અને નેપાળના રસ્તે ભારતમાં આવેલી સીમા હૈદર પર પાકિસ્તાનની જાસૂસ હોવાની શંકા છે. યુપી એટીએસે સીમા હૈદર તેના બાળકો અને…

તમામ કેડરના ક્લાસ વન અધિકારીને વિદેશમાં અભ્યાસની તક મળશે

નીતિ લાગુ કરવામાં આવશે તો ક્લાસ વન આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ, આઈએફએસ, જીએએસ, જીપીએસઅને અન્ય કેડરના ઓફિસર્સ જેમ કે સચિવાલય સહિતના વિભાગને પણ લાગુ પડશે ગાંધીનગર ગુજરાત સરકાર એવી નીતિ રજૂ કરી શકે છે, જેનાથી તમામ કેડરના ક્લાસ વન અધિકારીને વિદેશ જઈને અભ્યાસ કરવાની તક મળી શકે છે. અધિકારીઓને વિવિધ સ્કીલ્સ હૈઠળ તૈયાર કરીને તંત્રને સારુ…

સીમા-સચિન સાત દિવસ ઓળખ છુપાવી નેપાળની હોટલમાં રોકાયા હતા

સીમા-સચિન મોટાભાગે રુમમાં જ બંધ રહ્યા હતા, ક્યારેક ક્યારેક સાંજે તેઓ બહાર જતા હતા અને હોટલ બંધ થાય એ પહેલાં રુમમાં આવી જતા હોવાનો હોટલ માલિકનો ખુલાસો ગ્રેટર નોઈડા  પાકિસ્તાનથી ચાર બાળકોને લઈને ભારત આવેલી સીમા હૈદર હાલ ખૂબ જ ચર્ચામાં છે. સીમા હૈદર ડેરિંગવાળી મહિલા હોવાનું પણ સાબિત થયું છે. કારણ કે તે એકલી…

નોઈડામાં કલમ 144 હેઠળ જાહેર મેળાવડા પર પ્રતિબંધ મૂકાયો

નોઈડા અને ગ્રેટર નોઈડામાં જાહેર સ્થળો અને રસ્તાઓ પર નમાઝ, પૂજા અથવા સરઘસ જેવી કોઈ પણ અનુમતિ વગરની ધાર્મિક પ્રવૃત્તિ ન કરવા આદેશ નોઈડા નોઈડા પોલીસે બુધવારે ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 144 હેઠળ જાહેર મેળાવડા પર પ્રતિબંધ મૂક્યો હતો. નોઈડા અને ગ્રેટર નોઈડામાં જાહેર સ્થળો અને રસ્તાઓ પર નમાઝ,…

ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા “આંતરરાષ્ટ્રીય ચેસ ડે” (20મી જુલાઈ)ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી

ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત “આંતરરાષ્ટ્રીય ચેસ ડે” (20મી જુલાઈ) નિમિત્તે ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા ચિલ્ડ્રન યુનિવર્સિટીના સહયોગથી 4 થી 18 વર્ષના બાળકો માટે ઓનલાઈન ફ્રી કોચિંગ માટે રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. ખેલાડીઓ નીચેની લિંક પર ક્લિક કરીને 15મી ઓગસ્ટ, 2023 સુધી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. https://web.cugujarat.ac.in/Tournament ગુજરાતના જાણીતા ચેસ કોચ દ્વારા 16મી…