પી.પી. સવાણી હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગ બાદ રાજ્યભરની હોસ્ટેલોના કિચનની સઘન તપાસ
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના કડક આદેશ : SOPનું પાલન નહીં કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે સુરત સુરતના અબ્રામા સ્થિત પી.પી. સવાણી હોસ્ટેલમાં રાત્રિભોજન બાદ 100થી વધુ વિદ્યાર્થીઓની તબિયત લથડવાની ઘટનાને આરોગ્ય વિભાગે ગંભીરતાથી લીધી છે. ઘટનાની જાણ થતાં જ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને સમયસર સારવાર મળી…
