પોતાની જ પાર્ટીના કાર્યકરો પર બરાડ્યા મનસુખ વસાવા, ‘સમય આવશે ત્યારે બધાને જાહેરમાં ખુલ્લા પાડીશ’
ભાજપના કેટલાક લોકો જ પાર્ટીને નુકસાન પહોંચાડતા હોવાનો આક્ષેપ; દારૂ-જુગારના અડ્ડાઓ સાથે સાંઠગાંઠના પણ ગંભીર આરોપ નર્મદા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીના કેટલાક કાર્યકરો અને હોદ્દેદારો સામે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરતાં ભાજપના આંતરિક વિખવાદને જાહેર મંચ પર ઉજાગર કર્યો છે. નર્મદા જિલ્લાના દેડિયાપાડા સ્થિત જાનકી આશ્રમમાં યોજાયેલી બેઠક દરમિયાન તેમણે કેટલાક ભાજપના આગેવાનો…
