જામનગરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાની ઉપસ્થિતિમાં 163 વિદ્યાર્થીઓનું શાળામાં સ્વાગત, શૈક્ષણિક કીટનું વિતરણ જામનગર જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લાખાબાવળ, સરમત અને રાવલસર ખાતે રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં બાલવાટિકા અને ધોરણ-9માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 163 વિદ્યાર્થીઓએ…

ગુરુ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલની આરોગ્ય સેવાઓ વધુ સુદ્રઢ બનશે: આરોગ્ય મંત્રીની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક

હોસ્પિટલની કાર્યપ્રણાલી, સુવિધાઓ અને માળખાકીય જરૂરિયાતોની વિગતવાર સમીક્ષા; દર્દી-કેન્દ્રીત સેવાઓ પર ભાર જામનગર રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જામનગરની ગુરુ ગોવિંદસિંહ ગવર્મેન્ટ હોસ્પિટલ ખાતે વિવિધ વિભાગોના વડાઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હોસ્પિટલની આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ, આધુનિક અને લોકાભિમુખ બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. બેઠક દરમિયાન હોસ્પિટલની વર્તમાન કામગીરી, ઉપલબ્ધ સુવિધાઓ અને ભવિષ્યની…

જામનગર તાલુકાની 8 શાળાઓમાં 175 બાળકોનો શાળા પ્રવેશોત્સવ યોજાયો

કન્યા કેળવણી મહોત્સવ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય અને સશક્ત સમાજના નિર્માણ તરફનું મહત્વપૂર્ણ પગલું : આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા જામનગર રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં જામનગર તાલુકાની વિવિધ 8 શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત કુલ 175 જેટલા બાળકોને શાળામાં પ્રવેશ અપાવી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું….

ચાંગોદર પ્લાઝ્મા ભેળસેળ કૌભાંડમાં દોષિતોને નહીં છોડાય

દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરનાર સામે કડક કાર્યવાહી થશે : આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા અમદાવાદ અમદાવાદ જિલ્લાના ચાંગોદર વિસ્તારમાં સામે આવેલા પ્લાઝ્મા ભેળસેળ અને હેરાફેરીના કૌભાંડને રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગે ગંભીરતાથી લીધું છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા સ્પષ્ટ જણાવ્યું છે કે દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ વ્યક્તિ કે તત્વને બક્ષવામાં નહીં આવે…

ગિફ્ટ સિટીમાં દારૂ સસ્તો મળશે, વિદેશી દારૂ પરનો વેટ 65 ટકાથી ઘટાડીને 25 ટકા કરાયો, વિશેષ ફી સંપૂર્ણપણે નાબૂદ

ગાંધીનગર ગુજરાત સરકાર દ્વારા ગિફ્ટ સિટીને વૈશ્વિક કક્ષાનું બિઝનેસ અને લાઇફસ્ટાઇલ ડેસ્ટિનેશન બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે નવા જાહેરનામા બહાર પાડી ગિફ્ટ સિટીમાં પીરસાતા વિદેશી દારૂ પરનો વેલ્યુ એડેડ ટેક્સ (VAT) 65 ટકાથી ઘટાડીને 25 ટકા કરી દીધો છે. સાથે જ દારૂના દરેક સર્વિંગ પર વસૂલાતી વિશેષ ફી પણ સંપૂર્ણપણે દૂર…

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 અંતર્ગત જામનગરમાં ઉત્સાહભેર ઉજવણી

રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે 135 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ; તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો જામનગરરાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 અંતર્ગત જામનગર તાલુકાના હડમતિયા ક્લસ્ટરની વિવિધ શાળાઓમાં ઉત્સાહ અને ઉમંગ સાથે કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમોમાં નવા શૈક્ષણિક સત્રમાં…

જામનગરના બેડીમાં મોહરમની નિયાઝ દરમિયાન બે જૂથ વચ્ચે અથડામણ, પાંચ લોકો ઈજાગ્રસ્ત

બાળકો વચ્ચેની ધકામુક્કી બાદ મામલો ઉગ્ર બન્યો, બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી જામનગર: જામનગરના બેડી વિસ્તારમાં મોહરમની નિયાઝ દરમિયાન બનેલી એક સામાન્ય ઘટનાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. બાળકો વચ્ચે પ્રસાદી લેવા બાબતે થયેલી ધકામુક્કી બાદ બંને પક્ષના લોકો આમને-સામને આવી ગયા હતા. લાકડીઓ અને પથ્થરમારાની ઘટનામાં બંને પક્ષના મળી…

પૂર્વ અગ્નિવીરોને ગુજરાત સરકારની મોટી ભેટ: પોલીસ, એસઆરપી, જેલ અને વન વિભાગની ભરતીમાં 20% અનામત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય, શારીરિક કસોટીમાંથી મુક્તિ અને વયમર્યાદામાં છૂટછાટ પણ મળશે ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્એદ્ર પટેલે પૂર્વ અગ્નિવીરોના ભવિષ્યને વધુ સુરક્ષિત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ-3 સંવર્ગની સીધી ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 20 ટકા અનામત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ તેમને શારીરિક ક્ષમતા કસોટીમાંથી મુક્તિ…

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનન પર મોટી કાર્યવાહી: રાજકોટ રેન્જના દરોડામાં ₹2.50 કરોડનો મુદ્દામાલ જપ્ત

સાયલાના ગુંદીયાવડા ગામે સરકારી જમીન પર ચાલતી ખનીજ ચોરીનો પર્દાફાશ; 3 એક્સવેટર અને 4 ડમ્પર કબજે સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ગુંદીયાવડા ગામની સીમમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદે ખનન સામે રાજકોટ રેન્જની ટીમે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરકારી જમીન પર મંજૂરી વિના ચાલી રહેલી ખનીજ ચોરીનો પર્દાફાશ કરતાં ટીમે અંદાજે ₹2.50 કરોડના મુદ્દામાલ…

અમરેલીમાં ગોઝારો અકસ્માત: ધાતરવડી બ્રિજ પરથી ટ્રક ખાબકતાં ભીષણ આગ, ચાલક જીવતો ભૂંજાયો

રાજુલા નજીક સર્જાયેલી દુર્ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવ્યું; બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ અમરેલી અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલા ધાતરવડી બ્રિજ પર શનિવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. બ્રિજ પરથી પસાર થઈ રહેલો ટ્રક અચાનક અનિયંત્રિત બની નીચે ખાબક્યો હતો. અકસ્માત બાદ ટ્રકમાં ભીષણ આગ ફાટી નીકળતાં ટ્રક ચાલક કેબિનમાં જ ફસાઈ ગયો હતો…

પાવાગઢમાં દુઃખદ દુર્ઘટના: પથ્થરો ધસી પડતાં બે શ્રદ્ધાળુઓના મોત

ભારે વરસાદના કારણે પાટિયાપુલ નજીક સર્જાઈ ઘટના, પાંચ યાત્રિકોને રેસ્ક્યૂ કરીને હોસ્પિટલ ખસેડાયા પાવાગઢ વિશ્વવિખ્યાત યાત્રાધામ પાવાગઢમાં શુક્રવારે વહેલી સવારે એક ગંભીર અને દુઃખદ દુર્ઘટના સર્જાઈ હતી. પાવાગઢ ડુંગર પર આવેલા પાટિયાપુલ નજીક અચાનક પથ્થરો અને ભેખડ ધસી પડતાં અનેક શ્રદ્ધાળુઓ તેની ચપેટમાં આવી ગયા હતા. ઘટનામાં બે યાત્રિકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે,…

NCC કેડેટ્સને અદ્યતન સાયબર સુરક્ષા કૌશલ્યોથી સજ્જ કરતો સાયબર ડિફેન્ડર કોર્સ RRU ખાતે શરૂ

NCC ગુજરાત ડિરેક્ટોરેટ અને NIELITના સહયોગથી 12 દિવસીય તાલીમ કાર્યક્રમમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના 160થી વધુ કેડેટ્સ જોડાયા ગાંધીનગરરાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU), ગાંધીનગર ખાતે NCC ગુજરાત ડિરેક્ટોરેટની પહેલ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (NIELIT)ના સહયોગથી 12 દિવસીય **સાયબર ડિફેન્ડર કોર્સ (CDC)**નું આયોજન કરવામાં આવ્યું છે. 18 થી 29 જૂન 2026 દરમિયાન યોજાનાર…

ધનવંતરી આયુર્વેદ કોલેજના 188 વિદ્યાર્થીઓને મોટી રાહત, અન્ય કોલેજોમાં ટ્રાન્સફર કરીને બચાવાશે શૈક્ષણિક વર્ષ

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય; નિયમોના ઉલ્લંઘન બદલ કોલેજનું જોડાણ રદ કરવાની પ્રક્રિયા શરૂ ગાંધીનગર: મહીસાગર જિલ્લાના કોયડમ ખાતે આવેલી ધનવંતરી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલમાં અભ્યાસ કરતા 188 વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્યને સુરક્ષિત કરવા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું છે કે કોલેજ લાંબા સમયથી બંધ હોવાને કારણે વિદ્યાર્થીઓનું વર્ષ ન…

ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી

દોષિત વિદ્યાર્થીઓ સામે તાત્કાલિક પગલાં; એક વિદ્યાર્થી બે વર્ષ માટે અને પાંચ વિદ્યાર્થીઓ વિવિધ સમયગાળા માટે કોલેજમાંથી બરતરફ ભાવનગર: ભાવનગર સ્થિત સરકારી મેડિકલ કોલેજમાં સામે આવેલા રેગિંગના ગંભીર બનાવને રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગે અત્યંત ગંભીરતાથી લઈ દોષિત વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચનાના આધારે કોલેજની એન્ટી-રેગિંગ કમિટીએ…

ગુજરાતના 2,000 યુવાનોનો સંકલ્પ: ગુજરાતને દેશનું નંબર-1 રાજ્ય બનાવવાના મિશન સાથે ‘ગુજરાત રાઇઝિંગ છાત્ર સંસદ કોન્ક્લેવ’નું આયોજન

સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી અને છાત્ર સંસદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા ભવ્ય યુવા સંમેલનમાં શિક્ષણ, ઉદ્યોગસાહસિકતા, નેતૃત્વ અને રાષ્ટ્રનિર્માણ પર મન્થન અમદાવાદ: ગુજરાતના યુવાનોને નેતૃત્વ, ઉદ્યોગસાહસિકતા અને રાષ્ટ્રનિર્માણ માટે પ્રેરિત કરવાના ઉદ્દેશ સાથે સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી અને છાત્ર સંસદના સંયુક્ત ઉપક્રમે અમદાવાદના પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે ભવ્ય ‘ગુજરાત રાઇઝિંગ છાત્ર સંસદ કોન્ક્લેવ’નું…

હીરામણિ કે.જી. વિભાગમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી

જુનિયર-સિનિયર કે.જી. અને બાલવાટિકાના ભૂલકાંઓએ વિવિધ યોગાસનો કરી આરોગ્યપ્રદ જીવનનો સંદેશ આપ્યો અમદાવાદ: વિશ્વભરમાં દર વર્ષે 21 જૂનના રોજ ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત હીરામણિ કે.જી. વિભાગ (જુનિયર કે.જી., સિનિયર કે.જી. અને બાલવાટિકા) ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહભેર યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગ એ શરીર, મન અને આત્માના સમન્વયનું પ્રાચીન…

ગુજરાતમાં પ્રિ-મોન્સૂન મેઘમહેર, ખેડાના ગળતેશ્વરમાં 8 કલાકમાં લગભગ 3 ઇંચ વરસાદ

રાજ્યના 46થી વધુ તાલુકાઓમાં વરસાદી માહોલ, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી અમદાવાદ: ગુજરાતમાં પ્રિ-મોન્સૂન પ્રવૃત્તિએ જોર પકડતા રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ગુરુવારે મોડી રાતથી લઈને શુક્રવારે સવારે સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગના આંકડા મુજબ…

અમદાવાદમાં ચોમાસા માટે AMCના કંટ્રોલરૂમ શરૂ, હવે WhatsAppથી પણ ફરિયાદ નોંધાવી શકાશે

પાલડી ખાતે 24×7 મુખ્ય કંટ્રોલરૂમ કાર્યરત, શહેરના 25 ઝોનલ કંટ્રોલરૂમ સાથે સીધી કનેક્ટિવિટી અમદાવાદ: ચોમાસાની ઋતુ દરમિયાન નાગરિકોને ઝડપી રાહત અને સમસ્યાઓના તાત્કાલિક નિવારણ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વિશેષ મોનસૂન કંટ્રોલ રૂમ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. પાલડી ખાતે ગત 1 જૂનથી ત્રણેય શિફ્ટમાં 24 કલાક કાર્યરત મુખ્ય કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે,…

અમદાવાદમાં NEET પરીક્ષાના ત્રણ દિવસ પહેલાં 17 વર્ષીય વિદ્યાર્થીનું મોત, પોલીસ તપાસ શરૂ

ન્યૂ રાણીપ વિસ્તારમાં બનેલી દુઃખદ ઘટના; પરીક્ષાના દબાણ સહિત તમામ પાસાઓની તપાસ અમદાવાદ અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં NEET પરીક્ષાની તૈયારી કરી રહેલા 17 વર્ષીય વિદ્યાર્થીના મોતની ઘટના સામે આવતા વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પરીક્ષાના માત્ર ત્રણ દિવસ પહેલાં બનેલી આ ઘટનાએ પરિવારજનો અને સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ…

સુરતના અડાજણમાં TVS-EV શો-રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો બળીને રાખ

આગની જ્વાળાઓ એપોલો ફાર્મસી અને રેસ્ટોરન્ટ સુધી પહોંચી; 10થી વધુ ફાયર ટેન્ડરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો સુરત સુરતના અડાજણ ચાર રસ્તા નજીક આવેલા TVS ઇલેક્ટ્રિક વ્હીકલ (EV)ના શો-રૂમમાં ગુરુવારે સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેની જ્વાળાઓ અને ધુમાડો દૂર સુધી…