કોંગ્રેસને ડોનેટ ફોર દેશ અભિયાન હેઠળ 3 દિવસમાં 15 કરોડનું દાન મળ્યું

કોંગ્રેસને 3 લાખથી વધુની કાયદેસરની લેવડ-દેવડના માધ્યમથી અત્યાર સુધી 15 કરોડ રૂપિયા મળ્યા નવી દિલ્હી  કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 પહેલાં ફંડ એકઠું કરવા માટે ડોનેટ ફોર દેશ નામે એક અભિયાનની શરૂઆત કરી હતી. લગભગ 31 દિવસ એટલે કે એક મહિનામાં આ દરમિયાન અભિયાન હેઠળ પાર્ટીને 15 કરોડ રૂ.નું દાન મળ્યું છે.  કોંગ્રેસના ખજાનચી અજય માકણે કહ્યું કે…

પીએમ આવાસની લાભાર્થી મહિલાએ સાંસદને કહ્યું, 30 હજાર લીધા છે

ભાજપ સાંસદ ધર્મેન્દ્ર કશ્યપ એક મહિલા લાભાર્થીને પીએમ આવાસ યોજના હેઠળ ઘરની ચાવી સોંપીને સવાલ કર્યો કે કોઈને પૈસા ચુકવ્યા છે? લખનૌ યુપીના બદાયૂંમાં થયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભાજપ સાંસદ ધર્મેન્દ્ર કશ્યપ એક મહિલા લાભાર્થીને પીએમ આવાસ યોજના હેઠળ ઘરની ચાવી સોંપી રહ્યા છે. ચાવી સોંપતા સાંસદ…

અલગ રાજ્યની માગ સાથે એકેએસયુના સભ્યોના ઉગ્ર દેખાવ

દેખાવકારો રેલવેના પાટા પર બેસી ગયા હતા, જેના કારણે ઘણી ટ્રેનોની અવરજવર ખોરવાઈ હતી જલપાઈગુડી પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં અખિલ કામતાપુર વિદ્યાર્થી સંગઠન (એકેએસયુ)ના સદસ્યો અલગ રાજ્યની માગને લઈને ઉગ્ર દેખાવ કરી રહ્યાં છે. આજે સવારથી જ દેખાવકારો રેલવેના પાટા પર બેસી ગયા હતા. જેના કારણે ઘણી ટ્રેનોની અવરજવર ખોરવાઈ હતી. મોટી સંખ્યામાં લોકો રેલવે…

બિલિકિસ કેસના આરોપીઓની આત્મસમર્પણ માટે વધુ સમયની અપીલ ફગાવાઈ

આત્મસમર્પણ કરવા માટે સમય વધારવાની માગણી કરેલી અરજીને ફગાવી દેતાં તમામ દોષિતોને 21 જાન્યુઆરી સુધીમાં આત્મસમર્પણ કરવું પડશે નવી દિલ્હી બિલકિસ બાનો કેસના દોષિતોને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે જેમાં સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનોના 11 દોષિતોએ આત્મસમર્પણ કરતા પહેલા વધુ સમય આપવા માટે દાખલ કરેલી અરજીને ફગાવી દીધી છે. આ દોષિતોએ ગુરુવારે વ્યક્તિગત…

પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમ પહેલા રામલલાના મુખારવિંદની પ્રથમ તસવીર સામે આવી

તસવીરમાં શ્રી રામના ચહેરામાં મધુર હાસ્ય અને માથા પર તિલક જોવા મળી રહ્યું છે અયોધ્યા અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં ભગવાન રામનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. ભક્તો પ્રભુ શ્રીરામના દર્શન માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમ પહેલા રામલલાના મુખારવિંદની પ્રથમ તસવીર સામે આવી છે. આ તસવીર ભગવાન રામલલા ગર્ભગૃહમાં બિરાજમાન થાય તે પહેલા…

દેશમાં ચોવિસ કલાકમાં કોરોનાના 355 નવા કેસ, કુલ 2331 સક્રિય કેસ

દેશમાં કોરોના સબ-વેરિયન્ટ જેએન.1ના કુલ કેસોની સંખ્યા હવે 1,226 છે નવી દિલ્હી ભારતમાં છેલ્લા દોઢ મહિનામાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો હતો. 31 ડિસેમ્બર 2023ના રોજ એક જ દિવસમાં સૌથી વધુ 841 નવા કેસ નોંધાયા હતા, ત્યારબાદ કોસમાં વધારો જોવા મળ્યો નથી. કુલ સક્રિય કેસમાંથી મોટાભાગના (લગભગ 92 ટકા) સેલ્ફ આઈસોલેશન અને સામાન્ય સારવારથી સ્વસ્થ…

દિલ્હીની સરકારી શાળાની દિવાલ પર ખાલિસ્તાન સમર્થિત સૂત્રો લખાયા

પશ્ચિમ દિલ્હીના નિહાલ વિહાર વિસ્તારમાં એક વીજપોલ પર પણ ખાલિસ્તાન સમર્થિત સૂત્રો લખેલા મળી આવ્યા,એફઆઈઆર નોંધાઈ નવી દિલ્હી દિલ્હીના ઉત્તમ નગરના હસ્તાલ વિસ્તારમાં એક સરકારી શાળાની દીવાલ પર ખાલિસ્તાન સમર્થિત સૂત્રો લખેલા જોવા મળ્યા હતા. આ અંગેની માહિતી પોલીસે આપતા જણાવ્યું કે આરોપીઓને પકડવા માટે તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત પશ્ચિમ દિલ્હીના નિહાલ વિહાર…

ઈરાનની પાક. સામેની કાર્યવાહી દેશની સુરક્ષા માટેઃ ભારત

આતંકવાદ સામે અમારી નીતિ ઝીરો ટોલરન્સની છે. સ્વ-બચાવમાં દેશ જે પગલાં લે છે તે અમે સમજીએ છીએઃ જાયસ્વાલ નવી દિલ્હીઈરાને મંગળવારે પાકિસ્તાનમાં આતંકવાદી અડ્ડાઓ પર હવાઈ હુમલો કર્યો હતો. હવે આ અંગે ભારતનું નિવેદન પણ આવ્યું છે. ભારતના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે માનીએ છીએ કે આ કાર્યવાહીનો…

ઈડીના સમન્સ અવગણીને કેજરીવાલની ગોવા જવાની યોજના

પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ અરવિંદ કેજરીવાલ ગોવા જવાની હોવાની સીએમ કાર્યાલયના અધિકારીની સ્પષ્ટતા નવી દિલ્હીદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કથિત લીકર પોલીસી કેસમાં ફરી એકવાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના સમન્સની અવગણના કરી શકે છે. ઈડીના ચોથા સમન્સને અવગણીને આમ આદમી પાર્ટી (આપ)ના કન્વીનરે ગોવા જવાની યોજના બનાવી છે.મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના કાર્યાલયના એક અધિકારીએ જણાવ્યું કે, ‘તેમના પૂર્વ…

નૌકાદળમાં યુદ્ધ જહાજો પર મહિલા અગ્નિવીરોને તૈનાત કરાશે

હાલમાં લગભગ 50 જેટલી મહિલાઓ યુદ્ધ જહાજ પર સેવા આપી રહી છે નવી દિલ્હીદેશમાં 74માં પ્રજાસત્તાક દિવસની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સરહદ પર દેશની રક્ષા કરવાનું સપનું જોનારી હજારો મહિલાઓ માટે એક મહત્વના સમાચાર છે. સૂત્રો દ્વારા મળતા અહેવાલ છે મુજબ ભારતીય નૌકાદળ થોડા અઠવાડિયામાં જ યુદ્ધ જહાજો પર મહિલા અગ્નિવીરોને તૈનાત કરવાનું શરૂ…

સુપ્રીમ કોર્ટ 3 દોષિતોની આત્મસમર્પણનો સમયગાળો વધારવાની અપીલ સુનાવણી કરશે

તમામ દોષિતોને આત્મસમર્પણ કરવા માટે 21 જાન્યુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો હતો નવી દિલ્હીબિલકિસ બાનો કેસમાં ત્રણ દોષિતોએ આત્મસમર્પણનો સમયગાળો વધારવા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. આ દોષિતોએ વ્યક્તિગત કારણોને ટાંકીને આત્મસમર્પણનો સમયગાળો વધારવાની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટ ત્રણેય દોષિતોની અરજી પર સુનાવણી કરવા સંમત થઈ છે. ઉલ્લેખનીય છે કે તમામ દોષિતોને આત્મસમર્પણ…

ઈમ્ફાલમાં મહિલા પ્રદર્શનકારીઓએ મશાલ રેલી યોજી

રાજ્યમાં વધી રહેલી હિંસાના વિરોધમાં રાજ્યના મુખ્યમંત્રી એન. બિરેન સિંહના સરકારી આવાસ તરફ પણ રેલી યોજી ઈમ્ફાલમણિપુરમાં હિંસાને લઈને બુધવારે રાજધાની ઈમ્ફાલમાં મહિલા પ્રદર્શનકારીઓએ ‘મશાલ રેલી’ યોજી હતી. આ દરમિયાન તેમણે ગત વર્ષથી રાજ્યમાં વધી રહેલી હિંસાના વિરોધમાં રાજ્યના મુખ્યમંત્રી એન. બિરેન સિંહના સરકારી આવાસ તરફ પણ રેલી યોજી હતી. આ રેલી તેંગનોઉપલ જિલ્લામાં ભારત-મ્યાનમાર…

અવિવાહિત છોકરીઓ પણ માતા-પિતા દ્વારા ગુજરાન ભથ્થાંની હકદાર

ભલે છોકરીઓ કોઈ પણ ધર્મ કે ગમે તે ઉંમરની હોય દેશના ઘરેલું હિંસા અધિનિયમ હેઠળ પરિવારજનોએ તેને ગુજરાન ભથ્થું આપવું જ પડશે અલ્હાબાદઅલ્હાબાદ હાઈકોર્ટ અવિવાહિત છોકરીઓ માટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટ પોતાના એક નિર્ણયમાં સ્પષ્ટ કર્યું છે કે, અવિવાહિત છોકરીઓ પણ માતા-પિતા દ્વારા ગુજરાન ભથ્થાંની હકદાર છે. કોર્ટે પોતાના આદેશમાં એ પણ કહ્યું…

મોદીએ રામમંદિરની ટપાલ ટિકિટ બહાર પાડી, પુસ્તકનું વિમોચન કર્યું

વડાપ્રધાને કુલ છ ટપાલ ટિકિટ બહાર પાડી, જેમાં રામ મંદિર, ભગવાન ગણેશ, હનુમાન, જટાયું, કેવટરાજ અને માતા શબરીનો સમાવેશ થાય છે નવી દિલ્હીવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી રામ જન્મભૂમિ મંદિર પર સ્મારક ટપાલ ટિકિટ બહાર પડી છે.સાથે વિશ્વભરમાં ભગવાન રામ પર જાહેર કરેલી ટિકિટોની એક પુસ્તકનું પણ વિમોચન કર્યું હતું. વડાપ્રધાને કુલ છ ટપાલ ટિકિટ બહાર…

ચેન્નાઈમાં ફ્લાઈટ ટેક ઓફ કરે એ પહેલાં ટાયર ફાટતાં ગભરાટ

130થી વધુ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા, તમામ યાત્રીઓ સુરક્ષિત ચેન્નાઈસદભાગ્યે તમિલનાડુના ચેન્નઈમાં એક મોટી વિમાન દુર્ઘટના સર્જાતા રહી ગઇ. એક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનું ટેક ઓફ કરે તે પહેલાં જ રન વે પર ટાયર ફાટી ગયું હતું જેના લીધે 130થી વધુ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.જોકે સદભાગ્યે ટાયર ફાટ્યા બાદ કોઈ દુર્ઘટના સર્જાઈ નહોતી….

22 જાન્યુઆરીએ કેન્દ્ર સરકારે અડધો દિવસની રજા જાહેર કરી

સમગ્ર ભારતમાં કેન્દ્ર સરકારની તમામ કચેરીઓ, કેન્દ્રીય સંસ્થાઓ અને કેન્દ્રીય ઔદ્યોગિક સંસ્થાઓ 22 જાન્યુઆરીએ બપોરે 2:30 વાગ્યા સુધી અડધા દિવસ માટે બંધ રહેશે નવી દિલ્હીઅયોધ્યા નગરીમાં ભવ્ય રામ મંદિરમાં થનારા રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે તેમજ દેશભરમાં રામ ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારે આજે એક…

એજન્સી આરોપીઓ સાથે મારપીટ કરી ખોટા નિવેદન લખાવે છેઃ કેજરીવાલ

મને જે 4 નોટિસ મોકલાઈ હતી, તે કાયદાની દ્રષ્ટિએ ગેરકાયદેસર છે. ઈડીએ જ્યારે પણ આવી જનરલ નોટિસો મોકલી, તેને કોર્ટે રદ કરી છેઃ દિલ્હીના મુખ્યમંત્રી નવી દિલ્હીદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના સમન્સની સતત ચોથી વખત અવગણ કરી ઈડી અને ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું, ‘હું લોકસભા ચૂંટણીમાં પ્રચાર ન કરી…

વગર ટિકિટે મુસાફરી કરતા પ્રવાસીને ટીટીઈએ થપ્પડો માર્યા

ઘટનાનો વીડિયો બનાવનારને પણ ટીટીઈએ અપશબ્દો કહ્યા, મોબાઈલ છીનવવા પ્રયાસ કર્યો નવી દિલ્હીટ્રેનમાં મુસાફરી દરમિયાન કેટલાંક લોકો ટિકિટ લીધા વિના યાત્રા કરતા હોય છે, જો કે તેઓ દંડ પણ ચુકવે છે. પરંતુ તાજેતરમાં એક એવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેનો જોઇને લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. વાયરલ થઇ રહેલા…

દેશના 17 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોવિડના જેએન-1 વેરિયન્ટનો પગપેસરો

ભારતીય સાર્સ-કોવ -2 જીનોમિક્સ કન્સોર્ટિયમના ડેટા મુજબ સૌથી વધુ કેસ કર્ણાટકમાં નોંધાયા, ગુજરાતમાં 76 કેસ, દેશમાં કુલ 1226 કેસ નવી દિલ્હીદેશમાં 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કોવિડ-19 સબ વેરિયન્ટ જેએન.1નો પેસારો થયો છે. અત્યાર સુધીમાં નવા વેરિયન્ટના કુલ 1226 કેસ સામે આવ્યા છે. સૌથી વધુ કેસ કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં નોંધાયા છે. આ માહિતી ઈન્સાકોગે ગુરુવારે…

સરકારે આયુષ્માન ભારત યોજના હેઠળ સારવારની યાદીમાંથી 196 રોગને હટાવ્યા

હવે લોકોને આ રોગોની સારવાર સરકારી હોસ્પિટલોમાં જ લેવી પડશે, લાભાર્થીઓને ખાનગી હોસ્પિટલ્સમાં આ રોગોમાં મફત સારવાર નહીં મળી શકે નવી દિલ્હીલોકો સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપે તે માટે સરકારે આયુષ્માન ભારત યોજના શરૂ કરી છે. 2018 માં શરૂ થયેલી આ અદ્ભુત યોજના હેઠળ, અનેક રોગોની મફતમાં સારવાર કરવામાં આવે છે. આ કાર્ડધારકોમાં બાળકોથી લઈને વડીલો…