અન્યોને અસર કરતો આતંક ગંભીર ન ગણવાથી દેશની વિશ્વસનીયતા નહીં રહેઃ જયશંકર

ભારતે આતંકવાદી હુમલા માટે હમાસની નિંદા કરી, એક મજબૂત સરકાર અને એક સારી સરકાર એક જ સિક્કાની બે બાજુ છે: જયશંકર નવી દિલ્હીવિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, જો ભારત અન્ય દેશોને અસર કરતા આતંકવાદને ગંભીર ન ગણે તો તેની કોઈ વિશ્વસનીયતા નહીં રહે. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યુ છે કે જ્યારે હમાસ-ઈઝરાયેલ વચ્ચે…

આંદોલનકારીઓએ બીડમાં એનસીપીના ધારાસભ્યના ઘરને આગ લગાવી

ડેપ્યુટી સીએમ અજિત પવારના સમર્થક અને તેમના જૂથના ધારાસભ્ય પ્રકાશ સોલંકેના ઘરે દેખાવકારોએ પથ્થરમારો કરી દીધો મુંબઈમહારાષ્ટ્રમાં મરાઠા અનામતનો મુદ્દો ગરમાયો છે. તેની લપેટમાં હવે ધારાસભ્ય પણ આવી ગયા છે. અહેવાલ અનુસાર મરાઠા અનામતના આંદોલનકારીઓએ બીડ જિલ્લામાં સ્થિત એનસીપીના ધારાસભ્ય પ્રકાશ સોલંકેના નિવાસને આગચાંપી દીધી હતી.માહિતી અનુસાર ડેપ્યુટી સીએમ અજિત પવારના સમર્થક અને તેમના જૂથના…

ભારતના ચંદ્રયાન-3 મિશનની સફળતાથી વિશ્વ અચંબિતઃ મોદી

મોદીએ મહેસાણામાં લગભગ રૂ. 5800 કરોડની રેલ, રોડ, પીવાનાં પાણી અને સિંચાઈને લગતી વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું ખેરાલુવડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. પીએમ નરેન્દ્ર મોદીએ મહેસાણામાં લગભગ રૂ. 5800 કરોડની રેલ, રોડ, પીવાનું પાણી અને સિંચાઈને લગતી વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. પીએમ મોદીએ આજે આજે અંબાજી…

ભારત નામ બાળકોમાં ગર્વની ભાવના પેદા કરે છેઃ પ્રોફેસર સીઆઈ ઈસાક

તાજેતરમાં કેરળને કેરલમ કરવાની માંગ થઇ રહી છે તો એવામાં ઇન્ડિયાને ભારત કહેવામાં સમસ્યા શું છે? નવી દિલ્હી‘ઇન્ડિયા વિ. ભારત’ નામ પર ચાલતી ચર્ચા વચ્ચે એનસીઈઆરટી કમિટીના ચેરમેનનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. પ્રોફેસર સીઆઈ ઈસાકે કહ્યું કે, ભારત નામ બાળકોમાં ગર્વની ભાવના પેદા કરે છે. આ કારણે અમે તમામ શાળાના અભ્યાસક્રમમાં ઇન્ડિયાને બદલે…

225 મહિનાના શાસનમાં 250 કૌભાંડ કરનારી ભ્રષ્ટ ભાજપ સરકારની વિદાય નક્કીઃ પ્રિયંકા

મધ્ય પ્રદેશમાં રોજગારીની તકો ખૂબ જ ઓછી છે. એટલા માટે અહીં પલાયન ખૂબ થઈ રહ્યું હોવાનો કોંગ્રેસનાં નેતાનો દાવો દમોહમધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ ઉમેદવારોના પ્રચાર માટે પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા દમોહ પહોંચ્યા હતા. ત્યાં તેમણે એક જનસભાને સંબોધિત કરતા બીજેપી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, એમપીમાંથી બીજેપી સરકારની વિદાય…

બિઝનેસમેન દર્શનને સંસદના લોગઈન-પાસવર્ડ આપ્યા હતાઃ મહુઆ મોઈત્રા

તેમણે બદલામાં કોઈ રોકડ કે મોંઘી ભેટ લીધી નહોતી, કમિટી સમક્ષ હાજર થવા 5 નવેમ્બર સુધીનો સમય માગ્યો પરંતુ સમિતિએ તેમને 2 નવેમ્બરે હાજર થવા આદેશ કર્યો નવી દિલ્હીદેશના મોટા વેપારી જોડેથી પૈસા લઈને સંસદમાં સવાલ પૂછવાના આરોપમાં પશ્ચિમ બંગાળથી તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રાએ એથિક્સ કમિટી સમક્ષ એક સવાલના જવાબમાં સ્વીકાર્યું હતું કે તેમણે…

રેપ, ચોરી અને લૂંટ જેવા ગુનાઓમાં મુસ્લિમો નંબર 1- મૌલાના બદરુદ્દીન અજમલ

ભારે વિરોધ છતાં મૌલાનાએ નિવેદન પર સ્પષ્ટતા કરતા કહ્યું, , મેં કંઈ ખોટુ નથી કહ્યું. ગુનાઓમાં સામેલ થવાની આદત સીધી રીતે શિક્ષણના અભાવથી જોડાયેલી છે ગુવાહાટીઆસામના ઓલ ઈન્ડિયા યૂનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના ચીફ મૌલાના બદરુદ્દીન અજમલે રેપ, ચોરી અને લૂંટ જેવા ગુનાઓમાં મુસ્લિમોને નંબર 1 ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, અમે જેલ જવામાં પણ નંબર 1…

ઈઝરાયેલ-હમાસ યુધ્ધ વિરામ પર કેન્દ્રના વલણ સામે વિરોધ પક્ષો ભડક્યા

કેન્દ્રએ આ મુદ્દે વલણ સ્પષ્ટ કરવું જોઈએઃ પ્રિયંકા, પેલેસ્ટાઈન મુદ્દે ભારત સરકાર કન્ફ્યૂઝનમાં છેઃ પવાર, આ માનવતાવાદી મુદ્દો છે રાજકીય મુદ્દો નથીઃ ઓવૈસી નવી દિલ્હીસંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ગાઝામાં સંઘર્ષ-વિરામનું આહવાન કરતા પ્રસ્તાવથી ભારતે અંતર જાળવી રાખ્યુ હતું. જેને લઈને કોંગ્રેસ સહિત વિપક્ષે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ભારતના…

શાળા-કોલેજોમાં કેજીથી પીજી સુધી અભ્યાસ કરાવવાનું કોંગ્રેસનું વચન

ભાજપ દેશના લોકો સાથે અન્યાય કરી રહ્યો છેઃ રાહુલ ગાંધી રાયપુરછત્તીસગઢમાં પણ વિધાનસભા ચૂંટણીનું આયોજન ટૂંક સમયમાં થવાનું છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ સહિત અનેક પક્ષો તેમની તાકાત લગાવી રહ્યા છે. આ દરમિયાન સત્તાધારી કોંગ્રેસ તરફથી આજે રાહુલ ગાંધી બે દિવસ માટે અહીં પહોંચ્યા હતા. દરમિયાન તેમણે કાંકેર જિલ્લાના ભાનુપ્રતાપપુરમાં ચૂંટણી સભાને સંબોધી હતી. આ…

છપરામાં દુર્ગા પૂજા વિસર્જન યાત્રામાં અથડામણ થતાં છથી વધુને ઈજા

હાલ પોલીસે આ વિસ્તારમાં ભારે બંદોબસ્ત ગોઠવી દીધો છે, 10 લોકોની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી રહી છપરાબિહાર ના બેગૂસરાય, ઓરંગાબાદ બાદ હવે છપરામાં દુર્ગા પૂજા વિસર્જન યાત્રા પર પથ્થરમારો થયા બાદ ભારે તણાવની સ્થિતિ સર્જાઈ છે. આ ઘટના ભગવાન બજાર પોલીસ સ્ટેશન હેઠળના નવા બજારમાં બની છે. સુરક્ષાને ધ્યાને રાખી હાલ અનુમંડળ વિસ્તારમાં 2…

રાજસ્થાનમાં ગહેલોતે છાત્રોને મફત લેપટોપ સહિત વધુ પાંચ ગેરન્ટી આપી

સીએમ અશોક ગેહલોતને આ ગેરન્ટીઓ અને તેમના કામના સહારે ફરી સત્તામાં વાપસીની આશા જયપુરરાજસ્થાનમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીથી ઠીક પહેલા કોંગ્રેસે હવે લોકોને ગેરન્ટી આપવાનું શરૂ કરી દીધું છે. ગેરન્ટી એટલે કે જો ફરીવાર કોંગ્રેસની સરકાર રચાશે તો પાર્ટી પ્રજા માટે શું શું કરશે? એ વાતની ગેરન્ટી પહેલાથી અપાઈ રહી છે. સીએમ અશોક ગેહલોતને આ ગેરન્ટીઓ…

રાશન કૌભાંડમાં પ.બંગાળના મંત્રી જ્યોતિપ્રિયા મલિકની ધરપકડ

જ્યોતિપ્રિયા મલિક હાલમાં રાજ્યમંત્રી તરીકે વન વિભાગની જવાબદારી સંભાળી રહ્યા છે કોલકાતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ રાશન કૌભાંડ કેસમાં લાંબી પૂછપરછ બાદ ગુરુવારે મોડી રાત્રે પશ્ચિમ બંગાળના મંત્રી જ્યોતિપ્રિયા મલિકની ધરપકડ કરી હતી. કૌભાંડની તપાસના સંદર્ભમાં ઈડીની ટીમ ગુરુવારે સવારે કોલકાતાના સોલ્ટ લેકમાં મલિકના ઘરે પહોંચી હતી. ત્યારપછી ઈડીના અધિકારીઓએ જ્યોતિપ્રિયા મલિકની પૂછપરછ શરૂ કરી,…

5 ડિસેમ્બર સુધી  પ્રસ્તાવિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા ન યોજવા કેન્દ્રને નિર્દેશ

વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ ભાજપ શાષિત કેન્દ્રની યોજનાઓ અને અભિયાનોને લોકો સુધી પહોંચડવા શરુ કરવામાં આવેલો કેન્દ્ર સરકારનો મેગા આઉટરીચ પ્રોગ્રામ છે નવી દિલ્હી ભારતના ચૂંટણી પંચે ગુરુવારે કેન્દ્ર સરકારને આગમી મહીને વિધાનસભા ચૂંટણી છે એ પાંચ રાજ્યોમાં તેની પ્રસ્તાવિત ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ 5 ડિસેમ્બર સુધી ન કાઢવાનો નિર્દેશ આપ્યો હતો. ચૂંટણી પંચે…

કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાને ઝેડ કેટેગરીની સિક્યોરિટી

કર્ણાટકમાં સક્રિય કટ્ટરપંથી સમૂહોમાં સંભવિત જોખમને ધ્યાનમાં રાખી તાજેતરમાં જ આઈબીએ તેમની સુરક્ષાનું મૂલ્યાંકન કર્યું હતું નવી દિલ્હીકર્ણાટકના પૂર્વ સીએમ અને બીજેપીના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પાને ઝેડ કેટેગરીની સિક્યોરિટી મળી છે. તાજેતરમાં જ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ બ્યૂરો દ્વારા ખતરાનું એલર્ટ જાહેર કર્યા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો છે.કર્ણાટકમાં સક્રિય કટ્ટરપંથી સમૂહોમાં સંભવિત જોખમને ધ્યાનમાં…

રાજસ્થાનના મુખ્યપ્રધાનના પુત્ર વૈભવ ગેહલોતને ઈડીનું સમન્સ

આગામી દિવસોમાં રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે આ દરોડા અને સીએમના દીકરા સામે ઈડીના સમન્સે ચર્ચા જગાવી જયપુરએન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ વિદેશી ચલણ મેનેજમેન્ટ એક્ટ 1999 (ફેમા)ના એક કેસ હેઠળ રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતના દીકરા વૈભવ ગેહલોતને સમન્સ મોકલાવ્યું છે. ઇડીએ આ સમન્સ એવા સમયે મોકલ્યું છે જ્યારે એજન્સી પહેલાથી જ રાજસ્થાન…

પાતાલકોટ એક્સપ્રેસ ટ્રેનના બે કોચમાં આગ, 11 લોકો લપેટમાં આવ્યા

સ્થાનિકોએ આગ ઓલવવા પ્રયાસ કર્યો હતો. લગભગ 3 કલાકની મહામહેનતે આગ પર કાબૂ મેળવાયો ભાંડાઈપંજાબના ફરીદકોટથી મધ્યપ્રદેશના સિયોની જતી પાતાલકોટ એક્સપ્રેસ ટ્રેન ભયંકર આગની લપેટમાં આવી ગઈ હતી. આગ ત્યારે લાગી હતી જ્યારે આ ટ્રેન યાત્રીઓથી ભરેલી સ્થિતિમાં ચાલી રહી હતી. આગરાથી 10 કિ.મી. દૂર ભાંડઈ સ્ટેશન નજીક આ આગાની ઘટના બની હતી. જોકે હજુ…

મહારાષ્ટ્ર-કર્ણાટકમાં અકસ્માતની ઘટનાઓમાં કુલ 22નાં મોત

ઘણા લોકો ઘાયલ થયા છે જેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બેંગલુરૂઆજે મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યમાં ત્રણ અલગ-અલગ માર્ગ અકસ્માતની ઘટના બની છે જેમાં 22 લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે જેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.સુત્રોમાંથી મળતી માહિતી મુજબ કર્ણાટકમાં બેંગલુરુ-હૈદરાબાદ હાઈવે પર કાર…

રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખ ગોવિંદસિંહ ડોટાસરાને ત્યાં ઈડીના દરોડા

ઈડીએ અપક્ષ ધારાસભ્ય ઓમપ્રકાશ હુડલાના ઘરે પણ દરોડા પાડ્યા જયપુરરાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીના માહોલ વચ્ચે એક મોટા અહેવાલ મળી રહ્યા છે. રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખ ગોવિંદસિંહ ડોટાસરા પર ઈડી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. માહિતી અનુસાર પેપર લીક કેસમાં સંડોવણીના આરોપો હેઠળ તેમના પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. બીજી તરફ ઈડીએ અપક્ષ ધારાસભ્ય ઓમપ્રકાશ હુડલાના…

ભાજપ ચૂંટણી પહેલા વિપક્ષી નેતાઓ વિરુદ્ધ ઈડીના દરોડાની ગંદી રમત રમી રહી છેઃ મમતા

ભાજપ અને ઈડી વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાનની ધમકી કોલકાતાપશ્ચિમ બંગાળ સરકારમાં અગાઉ ખાદ્ય મંત્રીનો કાર્યભાર સંભાવનાર અને હાલ કોલકાતામાં પશ્ચિમ બંગાળના વન મંત્રી જ્યોતિપ્રિય મલિકના ઘરે ઈડીએ દરોડા પાડ્યા બાદ રાજકારણ ગરમાયું છે. મલિકના ત્યાં દરોડા મામલે મુખ્યમંત્રી મમતા બેનર્જી) ગુસ્સે ભરાયા છે. બેનર્જીએ ભાજપ પર ઈડીના દરોડા અને એનસીઆરટી ભલામણ સહિત ઘણા…

2040 સુધી દેશના ઘણા શહેરોમાં ગરમી ચારથી દસ ગણી વધી શકે છે

ડીએસટીના મહામના સેન્ટર ઓફ એક્સેલેન્સ ઇન ક્લાયમેન્ટ ચેન્જ રીસર્ચના વિશ્લેષણમાં આ ભવિષ્યવાણી કરાઈ, 1961થી 2021 વચ્ચે ભારતમાં હીટવેવના સમયગાળામાં આશરે અઢી દિવસનો વધારો થયો નવી દિલ્હીટેકનોલોજીનો ઉપયોગ કરીને ઝડપથી વિકસી રહેલ વિશ્વ સાથે વધી રહેલ કાર્બન ઉત્સર્જન કારણે ગ્લોબલ વોર્મિંગ ધરતીના વાતાવરણ માટે સૌથી મોટો ખતરો બનીને ઉભરી આવ્યું છે. જો આ રીતે જ કાર્બન…