સીમા હૈદરે ભારતીય રૂપ ધારણ કર્યું, રાધે રાધેનો પટ્ટો, માંગમાં સિંદૂર પુર્યું

નેપાળ થઈને ભારતમાં પ્રવેશેલી સીમાએ સચિન સાથે લગ્ન કરી લીધા છે અને હવે તે કાયમ ભારતમાં જ રહેવા માગે છે નવી દિલ્હીપ્રેમ માટે પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરની કહાની સૌને ચોંકાવી દે છે. સીમાની મુલાકાત ઓનલાઈન ગેમિંગ દ્વારા ઉત્તર પ્રદેશના નોઈડામાં રહેતા સચિન મીના સાથે થઈ હતી. પરંતુ હવે આ સ્ટોરી ઘણી આગળ વધી ગઈ…

કુદરતી આફતો સામ રામમંદિર 1000 વર્ષ અડગ રહેશે

મંદિરના નિર્માણમાં ક્યાંય પણ લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, રામ મંદિરનો પાયો ભૂકંપ પ્રતિરોધક ક્ષમતા ધરાવે છે અયોધ્યાશ્રી રામ જન્મભૂમિ સંકુલમાં નિર્માણાધીન રામ મંદિર માત્ર ભવ્યતા જ નહીં પરંતુ ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ ટોચ પર રહેશે. રામ મંદિરના નિર્માણ માટે કાર્યકારી સંસ્થાના એન્જિનિયરોએ દાવો કર્યો છે કે રામ મંદિર 8.0 રિક્ટર સ્કેલની તીવ્રતાના ભૂકંપ સામે પણ…

દેહરાદૂનમાં ડ્રાઈવરની બેદરકારીથી બસ પાણીના પ્રવાહમાં ફસાઈ

વીડિયોમાં વરસાદી નદીના ઝડપી વહેતા પાણીમાં ફસાયેલી બસમાંથી મુસાફરો સુરક્ષિત રીતે બહાર નીકળવાનો પ્રયાસ કરતા જોવા મળે છે દેહરાદૂનદેશના અલગ-અલગ રાજ્યોમાં વરસાદને કારણે અનેક જગ્યાએ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યો છે. વરસાદની ઋતુમાં નદીઓના જળસ્તરમાં વધારો થતાં અચાનક પાણીનો પ્રવાહ વાહનચાલકોને ભારે પડી…

બિહારના કટિહાર જિલ્લામાં ગંગા ઘાટ પર પાણી લેવા જતાં ચાર બાળકો ડૂબી ગયા

2 બાળકોનો જીવ બચાવી લેવાયા, તમામ બાળકો કોઢાગોલા બ્લોકના ખેરિયા ગામમાંથી ગંગા સ્નાન કરવા માટે કાઢાગોલા ઘાટ પર આવ્યા હતા કટિહારપવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે જ બિહારમાં મોટી દુર્ઘટના સર્જાવાના મોટા અહેવાલ સામે આવ્યા છે. બિહારના કટિહાર જિલ્લામાં કાઢાગોલા ઘાસ પાસે સ્નાન દરમિયાન 6 બાળકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. આ તમામ પૂજા માટે…

મમતાના ભત્રિજા સામેની સીબીઆઈ-ઈડી તપાસ પર રોકનો સુપ્રીમનો ઈનકાર

અભિષેક બેનર્જી ઇચ્છે તો તે આ કેસને રદ્દ કરવા માટે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી શકે છે કોલકાતાપશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અને સાંસદ અભિષેક બેનર્જીને કોઈ રાહત મળી નથી.સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસ પર સ્ટે આપવાનો અરજી ફગાવી દીધી છે. કલકત્તા હાઈકોર્ટે અભિષેક સામે તપાસનો આદેશ…

પ.બંગાળની ચૂંટણીઓની હિંસા સહન ન કરી શકાયઃ દિગ્વિજયસિંહ

હું મુખ્યમંત્રી મમતા બેનરજીનો પ્રશંસક રહ્યો છું પરંતુ વર્તમાન પરિસ્થિતિ આપણા લોકતંત્ર માટે સારી નથીઃ કોંગ્રેસના નેતા નવી દિલ્હીપશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી દરમિયાન થયેલી હિંસા બાદ રાજકારણ ગરમાયું છે. આ વચ્ચે હવે કોંગ્રેસના નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહનું નિવેદન સામે આવ્યું છે. સોમવારેઆ મુદ્દે બોલતા દિગ્વિજય સિંહે કહ્યું કે આવી ઘટનાઓને સહન ન…

બીએસઈએ સ્થાપના દિવસ પર નવા લોગોનું અનાવરણ કર્યું

નવા લોગોનો અર્થ છે પ્રકૃતિ પાંચ તત્વોથી બનેલી છે, આ લોગો તેનું જ પ્રતીક છે – પૃથ્વી, આકાશ, વાયુ, અગ્નિ અને પાણી મુંબઈઆજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે બીએસઈનો 149મો સ્થાપના દિવસ છે. આ ખાસ અવસર પર બોમ્બે સ્ટોક એક્સચેન્જ દ્વારા નવા લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું. બીએસઈના ચેરમેન એસ.એસ. મુંદ્રા, એમડી અને સીઈઓ સુંદરરામન…

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં 5.4ની તિવ્રતાનો ભૂકંપ

આ વખતે આવેલા ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિ.મી. ઊંડે હતું, સદભાગ્યે અત્યાર સુધી કોઈ જાનહાનીના અહેવાલ આવ્યા નથી જમ્મુજમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેને લીધે લોકો ફફડી ઊઠ્યા હતા. આ વખતે વહેલી સવારે 5.38 વાગ્યાના સુમારે ધરા ધ્રૂજી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. સદભાગ્યે કોઈ…

નાના ઉપગ્રહોના લોન્ચિંગ વ્હીકલ એસએસએલવીને ખાનગી ક્ષેત્રને સોંપવા તૈયારી

વ્હીકલ 500 કિગ્રા વજનના ઉપગ્રહોને લો-અર્થ ઓર્બિટમાં મૂકવા માટેની સેવાઓ પ્રદાન કરે છે નવી દિલ્હીટૂંક સમયમાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન તેના નાના સેટેલાઇટ લોન્ચ વ્હીકલને ખાનગી ક્ષેત્રને ટ્રાન્સફર કરશે. આ પહેલા, તે રોકેટ દ્વારા બે ડેવલપમેન્ટ ફ્લાઇટ્સ લોન્ચ કરશે, જે 500 કિગ્રા વજનના ઉપગ્રહોને લો-અર્થ ઓર્બિટમાં મૂકવા માટેની સેવાઓ પ્રદાન કરે છે.એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું…

રેપ પીડિત મહિલાએ આપેલી નિશાની પરથી યુપીથી આરોપી ઝડપાયો

આરોપી યુપીનો રહેવાસી છે અને મુંબઈમાં રહીને ઓટો ડ્રાઈવરનું કામ કરે છે, મહિલા સાથે દુષ્કર્મ આચરતા પહેલા તેની સાથે મારપીટ પણ કરી હતી મુંબઈમુંબઈમાં ઓટોમાં મહિલા સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. પોલીસે મહિલાની નિશાનદેહી પર ઉત્તર પ્રદેશથી આરોપીની ધરપકડ કરી છે. આરોપી યુપીનો રહેવાસી છે અને મુંબઈમાં રહીને ઓટો ડ્રાઈવરનું કામ કરે છે. પોલીસના…

ચીનમાં નર્સરી સ્કૂલમાં છરીથી હુમલામાં છ લોકોનાં મોત

અન્ય એક ઘાયલ, મૃતકોમાં એક શિક્ષક, ત્રણ વિદ્યાર્થીનીઓ અને એક પતિ-પત્નીનો સમાવેશ ગ્વાંગડોંગચીનની આર્થિક શક્તિના કેન્દ્ર તરીકે ઓળખાતા ગ્વાંગડોંગ પ્રાંતની એક નર્સરી સ્કૂલમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળેલા અહેવાલો મુજબ આ ઘટનામાં છ લોકોના મોત થયા છે, જ્યારે અન્ય એક ઘાયલ થયો છે. અહેવાલોમાં પ્રાંતીય સરકારના પ્રવક્તાના હવાલાથી કહેવામાં આવ્યું છે કે મૃતકોમાં એક…

ગોવા રબારીને ડીસા એપીએમસીના ચેરમેન બનાવાયા

વાઈસ ચેરમેન તરીકે અરજણભાઈ પટેલની વરણી કરવામાં આવી અમદાવાદગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના અનેક નેતાઓ પક્ષ છોડીને ભાજપમાં જોડાઈ ગયાં છે. કેટલાક નેતાઓને મલાઈદાર પદ મળ્યાં છે. તો કેટલાક હજી પદની લાલસાની આશા સેવી રહ્યાં છે. ત્યારે તાજેતરમાં ઉત્તર ગુજરાતના કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીએ કોંગ્રેસ સાથેનો 35 વર્ષ જુનો નાતો તોડીને…

શિવસેનાના ચિહનને લઈને સુપ્રીમમાં 31 જુલાઈએ સુનાવણી

ચૂંટણી પંચે શિંદે જૂથને ધનુષ-બાનના ચૂંટણી ચિહ્ન અને પક્ષ પર અધિકારો આપ્યા હતા, જેને ઠાકરે જૂથ દ્વારા પડકારવામાં આવ્યો છે મુંબઈશિવસેનાના ચિહ્નને લઈને ઉદ્ધવ જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર વહેલી સુનાવણીની માંગ પર સુપ્રીમ કોર્ટે 31 જુલાઈએ સુનાવણીનો આદેશ જાહેર કર્યો છે. ઉદ્ધવ જૂથે ચૂંટણી પંચના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. ચૂંટણી પંચે…

દિલ્હી અંગે વટહુકમ મામલે કેન્દ્રને સુપ્રીમની નોટિસ, કેજરીને રાહત

કેન્દ્ર સરકારને 2 અઠવાડિયામાં જવાબ રજુ કરવા આદેશ, દિલ્હી સરકારને ઉપરાજ્યપાલને પક્ષકાર તરીકે સામેલ કરવા માટેની અરજીમાં સુધારો કરવાની પણ મંજુરી અપાઈ નવી દિલ્હીઆજે સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં કેન્દ્ર સરકારના વટહુકમ મામલે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કેન્દ્ર સરકારના વટહુકમ વિરુદ્ધ દિલ્હી સરકારની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કોર્ટે કેન્દ્ર સરકારને નોટીસ…

મણિપુરની હિંસામાં પોલીસ કર્મીનું મોત, 10થી વધુ લોકો ઘાયલ

ગોળીબાર કંગપોકલી જિલ્લાના કાંગચુપ વિસ્તારના ગામો અને પહાડી વિસ્તારોને નિશાન બનાવીને કરવામાં આવ્યો ઈમ્ફાલમણિપુરના પશ્ચિમી કંગપોકપી વિસ્તારમાં આખીરાત હિંસક અથડામણો ચાલી હતી, ત્યારબાદ આજે એક પોલીસ કર્મચારીનું મોત નિપજ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ઘટનામાં 10 અન્ય લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે. એક અધિકારીએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે, વહેલી સવારે 3.00…

દેશમાં સોલાપુરમાં સૌથી વધુ સરેરાશ 28 લાખથી વધુ સેલરી મળે છે

ભારતમાં એવરેજ વાર્ષિક સેલેરી રૂ. 18,91,085 છે જ્યારે મોસ્ટ કોમન અર્નિંગ રૂ. 5,76,851 છે, પુરુષોને 19 લાખ 53 હજાર રૂપિયા અને મહિલાઓને 15 લાખ 16 હજાર રૂપિયાથી વધુ સેલરી મળે છે નવી દિલ્હીજુલાઈ 2023 સુધીમાં એવરેજ સેલેરી સર્વેનો ડેટા આવી ગયો છે. ભારતમાં એવરેજ વાર્ષિક સેલેરી રૂ. 18,91,085 છે જ્યારે મોસ્ટ કોમન અર્નિંગ રૂ. 5,76,851…

દેશના અનેક રાજ્યોમાં વરસાદી આફતથી 50થી વધુનાં મોત

દેશભરમાં મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન, આભ ફાટવા, મકાન ધરાશાયી થવા, વૃક્ષો પડવા અને વીજળી પડવા જેવી ઘટનાઓથી ભારે તબાહી નવી દિલ્હીઉત્તર અને પશ્ચિમ ભારતમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. હિમાચલ પ્રદેશ સહિતના પહાડી રાજ્યોને સૌથી વધુ નુકસાન થયું છે. છેલ્લા 24 કલાકમાં મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન, આભ ફાટવા, મકાન ધરાશાયી થવા, વૃક્ષો પડવા અને વીજળી…

સેન્સેક્સ, નિફ્ટીમાં ઉછાળો; રિલાયન્સ 4%ના ઉછાળા સાથે બંધ

સેન્સેક્સમાં 64 અને નિફ્ટીમાં 33 પોઈન્ટનો વધારો, ટાટા સ્ટીલ અને જેએસડબલ્યુ સ્ટીલના શેર પણ ઉછાળા સાથે બંધ મુંબઈસ્થાનિક શેરબજારો આજે તેજી સાથે બંધ થયા છે. બીએસઈ સેન્સેક્સ 63.72 પોઈન્ટ એટલે કે 0.10 ટકાના વધારા સાથે 65,344.17 પોઈન્ટના સ્તર પર બંધ થયો હતો. તેવી જ રીતે,નિફ્ટી 33.45 પોઈન્ટ એટલે કે 0.17%ના વધારા સાથે તે 19,365.25 પોઈન્ટના…

મારી ક્રિકેટ કારકિર્દીમાં મારી પાસે આનાથી વધુ ખાસ ક્ષણ ક્યારેય નથી: સુનીલ ગાવસ્કર 1983ના વર્લ્ડ કપની જીત પર

જેમ જેમ ક્રિકેટ જગત આતુરતાથી ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની રાહ જોઈ રહ્યું છે, ત્યારે ઐતિહાસિક જીતની યાદ ભારતીય ચાહકોના હૃદયમાં ઊંડે સુધી ગુંજી રહી છે. ભારતના દિગ્ગજ ભૂતપૂર્વ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે તેમના જન્મદિવસ પર તેમની શાનદાર ક્રિકેટ કારકિર્દીની તેમની સૌથી પ્રિય સ્મૃતિ સ્ટાર સ્પોર્ટ્સ સાથે શેર કરી, જે આગામી ICC વર્લ્ડ કપ 2023ના…