હોંગકોંગને પછાડીને ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું સ્ટોક માર્કેટ

બ્લૂમબર્ગના ડેટા અનુસાર ભારતીય એક્સચેન્જો પર લિસ્ટેડ શેરોનું સંયુક્ત મૂલ્ય 4.33 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી ગયું છે નવી દિલ્હીભારત વિશ્વનું ચોથું સૌથી મોટું સ્ટોક માર્કેટ બની ગયું છે. ભારતે હોંગકોંગને પછાડીને પ્રથમ વખત ટોપ ચારમાં જગ્યા બનાવી છે.બ્લૂમબર્ગના ડેટા અનુસાર સોમવારે ભારતીય એક્સચેન્જો પર લિસ્ટેડ શેરો નું સંયુક્ત મૂલ્ય 4.33 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી ગયું…

ઈલોન મસ્કે યુએનએસસીમાં ભારતના કાયમી સભ્યપદને સમર્થન આપ્યું

સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં, ભારત માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્ય ન હોવું તે તદ્દન વાહિયાત વાત છેઃ મસ્ક વોશિંગ્ટનટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં વૈશ્વિક દેશોના સભ્યો વિશે તેમના વિચારો વ્યક્ત કરીને યુએનએસસીમાં ભારતના કાયમી સભ્યપદને સમર્થન આપ્યું છે.હાલમાં જ યુએસ સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે યુએનએસસીમાં આફ્રિકન…

સેન્સેક્સમાં 1053 અને નિફ્ટીમાં 333 પોઈન્ટનું ગાબડું, રોકાણકારોના 8 લાખ કરોડનું ધોવાણ

પ્રોફિટ બુકિંગના કારણે રેલવેના શેરમાં 16 ટકા સુધીની નબળાઈ, મ્યુચ્યુઅલ ફંડ્સ અને એફઆઈઆઈએ ઝોમેટો સહિત ચાર નવા યુગની ટેક કંપનીઓમાં તેમનો હિસ્સો વધાર્યો મુંબઈમંગળવારે બીએસઈ સેન્સેક્સ 1053 પોઈન્ટની નબળાઈ સાથે 70370 પોઈન્ટના સ્તર પર બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 333 પોઈન્ટ ઘટીને 21,238 પોઈન્ટના સ્તરે બંધ થયો છે. મંગળવારે સોનું 187 રૂપિયાના વધારા…

અયોધ્યામાં રામલલાના દર્શન માટે ભીડ બેકાબૂ, પોલીસના લાઠીચાર્જથી નાસભાગ

સુરક્ષાને ધ્યાને રાખી કમિશનર, આઈજી અને એડીજી સહિતના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને શ્રદ્ધાળુઓને શાંતિ જાળવવા તેમજ નાસભાગ ન કરવા અપીલ કરી અયોધ્યાઅયોધ્યા રામ મંદિરમાં ગઈકાલે રામલલાની પ્રાણપ્રતિષ્ઠા બાદ પ્રથમ દિવસે મંદિર ખુલ્લુ મુકાતા ભારે ભીડ ઉમટી પડી છે. મંદિર અને પરિસર ખીચોખીચ ભરાઈ જતા પોલીસે સ્થિતિ સંભાળવાનો પ્રયાસ કરી રહી હતી. આ…

આઈસીસી ટીમ ઓફ ધ યરની ટીમોમાં ભારતનe 12 ખેલાડી સામેલ

ઝિમ્બાબ્વે, યુગાન્ડા અને આયરલેન્ડના ખેલાડીઓને પણ આઈસીસી ટીમ ઓફ ધ યર 2023માં સ્થાન મળ્યું પણ બાંગ્લાદેશ અને પાકિસ્તાનના એક પણ ખેલાડીને એક પણ ફોર્મેટમાં સ્થાન મળ્યું નથી દુબઈઆઈસીસીએ તેની ત્રણેય ફોર્મેટ માટે આઈસીસી ટીમ ઓફ ધ યર 2023 જાહેર કરી દીધી છે. આ ત્રણેય ફોર્મેટમાં ભારતના કુલ 12 ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત…

હિંદુસ્તાન પેન્સિલ્સની 65 વર્ષે પણ નવીનીકરણ સાથે આગેકૂચ

ભારતના બે તૃતીયાંશ શિક્ષિત જનતાએ ક્યારેક ને ક્યારેક અપ્સરા અને નટરાજની પેન્સિલો અને અન્ય ઉત્પાદનોનો વપરાશ કર્યો જ હશે અમદાવાદઘરે ઘરે ઉપયોગમાં લેવાતી સુપ્રસિદ્ધ અપ્સરા અને નટરાજ બ્રાન્ડ્સ વાળી હિન્દુસ્તાન પેન્સિલ, સ્ટેશનરી ઉદ્યોગમાં સૌથી પ્રતિષ્ઠ કંપની છે. 65 વર્ષોમાં આ અદભુત પ્રવાસમાં આ કંપની એમના ગ્રાહકોને સૌથી શ્રેષ્ઠ સ્ટેશનરી આપે છે. અને સમયની માંગને ધ્યાનમાં…

સરકાર એક કરોડ ઘરો પર રૂફટોપ સોલર લગાવશેઃ મોદી

આનાથી લોકોનું વીજળીનું બીલ ઓછું થશે અને ભારત ઉર્જાક્ષેત્રે આત્મનિર્ભર બનશે નવી દિલ્હીવડાપ્રદાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લીધા બાદ દિલ્હી પાછા ફરતાની સાથે અત્યંત મહત્વપૂર્મ જાહેરાત કરી છે. મોદીએ કહ્યું હતું કે સુર્યવંશી ભગવાન શ્રી રામના આલોકથી વિશ્વના તમામ ભક્તગણ સદૈવ ઊર્જા પ્રાપ્ત કરે છે. આજે અયોધ્યામાં પ્રાણ-પ્રતિષ્ઠાના શુભ અવસર પર…

એક વાનર હાથમાં ભગવો ઝંડો લઈને વિવાદાસ્પદ માળખાના ગુંબજ પર બેસી ગયો હતો

અધિકારીઓ ઈચ્છતા હતા કે ગુંબજ પરથી ભગવા ઝંડા હટાવવામાં આવે, પરંતુ સુરક્ષાકર્મીઓએ વાનરને ભગવાન હનુમાનનો અવતાર માનીને પરેશાન ન કરવાનો નિર્ણય લીધો અયોધ્યાઆશરે 500 વર્ષની પ્રતિક્ષા બાદ આજે અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી,આરએસએસ પ્રમુખ મોહન ભાગવત, મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથ અને આનંદી બેન પટેલ સહિતના મહાનુભાવોની હાજરીમાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ…

હનુમાન ફિલ્મની ટીમે અયોધ્યાના રામ મંદિર માટે 2,66,41,055 રુપિયા દાન કર્યુ

હનુમાન ફિલ્મના નિર્માતાઓએ વચન પૂર્ણ કર્યું, ફિલ્મે વિશ્વભરમાંથી 150 કરોડનો આંકડો પાર કરી દીધો મુંબઈપ્રશાંત વર્માના નિર્દેશન હેઠળ બનેલી સુપરહીરો ફિલ્મ ‘હનુમાન’ 12 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. તેજ સજ્જા, વરલક્ષ્મી સરથકુમાર, અમૃતા અય્યર અને વિનય રાય અભિનીત આ ફિલ્મ દુનિયાભરમાં બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. ફિલ્મ નિર્માતાઓએ હાલમાં અયોધ્યા રામ મંદિર માટે…

રામનું નામ લઈ જનતા દળ યુનાઈટેડના રાજ્ય પ્રવક્તા ડૉ. સુનિલ કુમાર સિંહનું રાજીનામું

શ્રી રામને હું નમન કરું છું, આ શુભ દિવસે, ભગવાન શ્રી રામજીના આદર્શોને અનુસરીને, તેમના આદેશથી, હું જેડીયુના પ્રવક્તા પદ અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું પટણારામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જનતા દળ યુનાઈટેડમાં નાસભાગ મચી ગઈ છે. જનતા દળ યુનાઈટેડના રાજ્ય પ્રવક્તા અને પટણાના પ્રખ્યાત આંખના ડૉક્ટર ડૉ. સુનિલ કુમાર સિંહે ભગવાન શ્રી રામનું…

જયશ્રી રામના જયઘોષ સાથે રામમંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ

વડાપ્રધાન મોદી, યોગી અને મોહન ભાગવતે પૂજા-અર્ચના કરી, 84 સેકન્ડના ખૂબ જ ટૂંકા ગાળાના શુભ મુહૂર્તમાં મંદિરમાં રામલલાની પ્રામ પ્રતિષ્ઠા કરાઈ અયોધ્યાઉત્તરપ્રદેશના અયોધ્યામાં બનેલા દિવ્ય અને ભવ્ય રામ મંદિરમાં પ્રભુ શ્રી રામના બાળ સ્વરુપ રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને આરએસએસના વડા મોહન…

હવે રામલલા ટેન્ટમાં નહીં દિવ્ય મંદિરમાં રહેશેઃ નરેન્દ્ર મોદી

22 જાન્યુઆરી એક તારીખ નથી, આ એક નવા કાળચક્રની શરૂઆત છે, મોદીએ તપસ્યામાં કંઈક ખામી રહી ગઈ હોવાનું કહી ભગવાન રામની માફી માગી અયોધ્યાઉત્તરપ્રદેશના અયોધ્યામાં બનેલા દિવ્ય અને ભવ્ય રામ મંદિરમાં પ્રભુ શ્રી રામના બાળ સ્વરુપ રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને આરએસએસના…

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નવા અધ્યક્ષ તરીકે મોહસિન નકવીની નિયુક્તી

ઝકા અશરફને 6 મહિના પહેલા સત્તા પરિવર્તન બાદ નજમ સેઠીની જગ્યાએ પીસીબી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા કરાંચીઝકા અશરફના રાજીનામા બાદ હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને નવા અધ્યક્ષ મળી ગયા છે. મોહસિન નકવીને પીસીબીના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના કાર્યવાહક મુખ્યમંત્રી મોહસિન નકવી ઝકા અશરફનું સ્થાન લેશે. તે પહેલીવાર આ જવાબદારી સંભાળશે.પાકિસ્તાની…

સચીન તેંડુલકરની કારને અયોધ્યામાં પાર્કિંગની જગ્યા ન મળી

સચિનની મુશ્કેલીની જાણ થતાં અધિકારીઓ તુરંત સ્થળ પર દોડી આવ્યા, પ્રાણપ્રતિષ્ઠા બાદ પોલીસ અધિકારીએ સચિનની કાર પાર્ક કરવા અંગે એનાઉન્સમેન્ટ કર્યા પછી કારને પાર્કિંગમાં જગ્યા મળી અયોધ્યાભગવાન રામલલાના પ્રાણપ્રતિષ્ઠાનું આમંત્રણ મળ્યા બાદ ફિલ્મ, રમત-જગત, વેપાર ઉદ્યોગના ઘણા જાણીતા લોકો અયોધ્યા પહોંચ્યા હતા. લગભગ 8000થી વધુ લોકોને સમારોહમાં સામેલ થવા આમંત્રણ અપાયું છે, જેમાં મુખ્ય રાજકીય…

અંગત કારણોસર વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામે પ્રથમ બે ટેસ્ટ નહીં રમે

બોર્ડે કોહલીના નિર્ણયનું સન્માન કરતા તેને બે ટેસ્ટમાંથી મુક્તી આપી નવી દિલ્હીભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 25મી જાન્યુઆરીથી 5 મેચની ટેસ્ટ સીરિઝ રમાનાર છે. આ ટેસ્ટ સીરિઝની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે બીસીસીઆઈએ ટીમની જાહેરાત કરી હતી. આ ટીમમાં સ્ટાર બેસ્ટમેન વિરાટ કોહલી પણ સામેલ હતો. જો કે હવે ભારતીય ટીમના ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે….

મુંબઈના ભાયંદરમાં સનાતન ધર્મ યાત્રા પર તોફાનીઓનો હુમલો

તોફાની તત્વો લાકડીઓ સાથે આવ્યા હતા અને કાર પર હુમલો કર્યો તથા તેઓએ ધાર્મિક ધ્વજ ફાડી નાખ્યો, વાહનોમાં તોડફોડ કરી મુંબઈઅયોધ્યામાં રામ મંદિરના અભિષેકને લઈને દેશ-વિદેશમાં ભારે હોબાળો થઈ રહ્યો છે. અનેક જગ્યાએ સનાતન ધર્મ યાત્રા કાઢવામાં આવી હતી. મુંબઈના મીરા રોડ અને ભાયંદરમાં કાઢવામાં આવી રહેલી સનાતક ધર્મ યાત્રા દરમિયાન હંગામો થયો હતો. પોતાની…

રૂષભ પંતના આઈપીએલમાં પાછા ફરવા અંગે હજુ પણ શંકા

પંત હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી. ભલે તે નેટ પ્રેક્ટિસ માટે પાછો ફર્યો હોય, પરંતુ આટલી મોટી ઈજા બાદ સાજા થવું સરળ નથી, અકસ્માતને કારણે પંતને વધુ કસરત કરવાની સલાહ આપવામાં આવી નથી નવી દિલ્હીભારતીય ક્રિકેટ ટીમનો વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત માર્ગ અકસ્માત બાદ અત્યાર સુધી ટીમમાં પરત ફરી શક્યો નથી. પંતના ચાહકો તેને મેદાનમાં…

પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ મોદીએ ઉપવાસ તોડ્યા, સંતોના આશિર્વાદ લીધા

પીએમ મોદીએ રામલલ્લાને દંડવત કરી પ્રણામ કર્યા બાદ રામલલ્લાના મુખ્ય પૂજારી નૃત્ય ગોપાલ દાસના ચરણ સ્પર્શ કર્યા અયોધ્યાઅયોધ્યામાં બનેલા ભવ્યાતિભવ્ય રામ મંદિરની પ્રાણ- પ્રતિષ્ઠા વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવી હતી. આજે સોમવારે બપોરે 12 કલાક 29 મિનિટ પર અભિજીત મુહૂર્તમાં અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ ગઈ. પીએમ મોદી પણ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા 11…

લાખ રૂપિયાનું લેપ ટોપ મંગાવ્યું અને બોક્સમાંથી જૂનું લેપટોપ નિકળ્યું

મામલો વધતા જોઇને ઓનલાઈન શોપિંગ એપએ તુરંત જવાબ આપતા કહ્યું કે, તમને થયેલા ખરાબ અનુભવને અમે સમજી શકીએ છીએ, તેમજ પર્સનલ મેસેજ દ્વારા વ્યક્તિનો સંપર્ક કરવા જણાવ્યું નવી દિલ્હીવર્તમાન સમયમાં લોકો ઓનલાઈન શોપિંગ કરવાનું વધુ પસંદ કરે છે. જેમાં ઘર બેઠા વસ્તુ પણ મળી જાય છે અને ખાસું ડિસ્કાઉન્ટ પણ. એવામાં સેલ દરમિયાન તો ભારે…

રૂતુજાએ KPB ટ્રસ્ટ ITF મહિલા ઓપનની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો

બેંગલુરુ રુતુજા ભોસલેએ KPB ટ્રસ્ટ ITF મહિલા ઓપનની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો પરંતુ કેટલાક નાટકીય વળાંકો અને વળાંકોમાંથી પસાર થતા પહેલા તેણે જાપાનની ચોથી ક્રમાંકિત મોયુકા ઉચિજીમાને 6-2, 5-7, 7-6થી હરાવ્યો ( 5) ક્વાર્ટર ફાઈનલ મેચમાં જે ત્રણ કલાકથી બે મિનિટ ઓછી ચાલી હતી. વાઈલ્ડ કાર્ડ ટિકિટ પર રમી રહેલી 27 વર્ષીય ભારતીયની ટક્કર ફ્રાન્સની છઠ્ઠી…