ફ્લોર ટેસ્ટ પહેલાં આરજેડી અને ઈન્ડિયાગઠબંધનના સાથીઓ ક્રિકેટ રમ્યા

ભાજપ, રાષ્ટ્રીય જનતા દળ, જનતા દળ યુનાઈટેડ, કોંગ્રેસ જેવા તમામ રાજકીય પક્ષોએ તેમના ધારાસભ્યોની વાડાબંધી પટના બિહારમાં આજે નીતીશ કુમાર સરકારે ફ્લોર ટેસ્ટમાંથી પસાર થવાનું છે. તમામ નજરો આજે એચએએમના ધારાસભ્યો પર છે. નીતીશ કુમાર મહાગઠબંધનની સરકારમાંથી છેડો કરીને તાજેતરમાં જ એનડીએમાં જોડાઈ ગયા હતા અને આજે તેમની સરકારનું ફ્લોર ટેસ્ટ છે. જેને લઈને બિહારનું…

સ્પાઈસ જેટમાં નાણાંકીય સંકટ, હજારો કંપનીઓ પર છટણીની તલવાર

સ્પાઈસજેટ 1400 કર્મચારીઓની છૂટાં કરવાની તૈયારીમાં છે જે ટોટલ વર્કફોર્સના આશરે 15 ટકા જેટલાં થાય છે નવી દિલ્હી મોંઘવારી અને રોજગારીના સંકટ વચ્ચે દુનિયાભરમાં છટણીનો દોર પણ ચાલુ છે ત્યારે ભારતમાં પણ હવે છટણીનો માહોલ ચાલુ થયો છે. તાજેતરમાં ભારતની બજેટ એરલાઈન સ્પાઈસજેટે હજારો કર્મચારીઓની નોકરીઓ પર કાતર ફેરવવાનો નિર્ણય કર્યો છે. કંપની નાણાકીય સંકટનો…

યુપીઆઈ હવે શ્રીલંકા અને મોરેશિયસમાં પણ ચાલશે

શ્રીલંકા અને મોરેશિયસમાં યુપીઆઈ સેવાઓ શરૂ થયા બાદ બંને દેશોના લોકો પોતપોતાના સ્થળોએ તેનો ઉપયોગ કરી શકશે નવી દિલ્હી હવે ભારતની ઓનલાઈન બેંકિંગ ટ્રાન્સફર સિસ્ટમ યુપીઆઈ એટલે  કે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ ફ્રાન્સ, શ્રીલંકા અને મોરેશિયસમાં પણ ચાલશે. આ બાબતની જાહેરાત ભારતીય હાઈ કમિશને દ્વારા 11મી ફેબ્રુઆરીએ કરવામાં આવી હતી. આજે 12મી ફેબ્રુઆરીએ પીએમ મોદી શ્રીલંકાના…

બેટરના રન આઉટ પર અપીલ ન કરાતા અમ્પાયરે આઉટ ન આપ્યો

બોલર કે કોઈ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ અપીલ કરી ન હતી, અમ્પાયર પણ દરેક ખેલાડીને લાંબા સમય સુધી જોતો રહ્યો અને આઉટ આપ્યો નહતો એડિલેડ ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી ટી20આઈ મેચ ગઈકાલે એડિલેડના ઓવલ ગ્રાઉન્ડમાં રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝને 34 રને હરાવ્યું અને 3 મેચની સીરિઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી હતી. પ્રથમ…

કોલોન કેન્સરની રોબોટે સર્જરી કરી, મહિલાનું મોત થયું

હાર્વેની પત્ની સેંડ્રાએ ડા વિંચી રોબોટ જે એક રિમોટ-નિયંત્રિત ડિવાઈસ છે તેનો ઉપયોગ કરી કોલોન કેન્સરના ઈલાજ માટે ઓપરેશન કરાવ્યું હતું નવી દિલ્હી આજે ટેક્નોલોજી વિના આપણે દુનિયાની કલ્પના જ નથી કરી શકતા. તેના વિના તો લોકોનું કામ જ નથી ચાલી રહ્યું. આજે લગભગ દરેક વ્યક્તિના હાથમાં મોબાઈલ ફોન જોવા મળી રહ્યો છે. દરેક ઘરમાં…

પોલીસની કાર્યવાહીથી ડરીને હલ્દવાનીથી 300 પરિવારનું પાલયન

વાહનોના અભાવને કારણે લોકો યુપીના ગાઝિયાબાદમાં લાલકુઆન તરફ પગપાળા જતા જોવા મળ્યા હલ્દવાની ઉત્તરાખંડના હલ્દવાનીમાં સ્થિતિ બનભૂલપુરા સામાન્ય થતી જણાતાં પોલીસે કર્ફ્યુમાં રાહત આપવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે, પોલીસની કાર્યવાહીના ડરથી ઘણાં પરિવારો પલાયન કરી રહ્યા છે. અનેક પરિવારો ઘર છોડીને અન્ય શહેરોમાં જઈ રહ્યા છે. અહેવાલ…

પાકિસ્તાનમાં હિંદુ ઉમેદવારનો 1.32 લાખ મતથી ભવ્ય વિજય

નેશનલ એસેમ્બલીમાં સામાન્ય કેટેગરીની બેઠક પર જીત મેળવનાર મહેશ કુમાર પહેલા બિન મુસ્લિમ વ્યક્તિ બની ગયા ઈસ્લામાબાદપાકિસ્તાનની ચૂંટણી બાદ મતગણતરી ચાલુ છે. દરેક મુખ્ય પાર્ટી પોતાની જીતના દાવા કરી રહી છે પણ હજી સુધી ચિત્ર સ્પષ્ટ થયુ નથી.ચૂંટણીમાં કોઈ પાર્ટીને પૂર્ણ બહુમતી મળે તેમ લાગી રહ્યુ નથી. ત્રણ પ્રમુખ પાર્ટીઓ પૈકી આસિફ અલી જરદારીની પાર્ટી…

માત્ર 200 રૂપિયા માટે નાના ભાઈએ મોટા બીની હત્યા કરી

ઉશ્કેરાયેલા નાના ભાઈએ લાકડા વડે મોટાભાઇ પર હુમલો કરી તેને ઘસડી ઓટલા પર લાવી પથ્થર વડે જીવલેણ હુમલો કર્યો વાપીવાપીના કોળીવાડમાં ગઇકાલે શુક્રવારે રાત્રે ઉછીના આપેલા રૂ.200 પરત માંગતા નાનાભાઇ મોટાભાઇ પર લાકડા અને પથ્થર વડે હુમલો કરતા ઘટના સ્થળે મોત થયું હતું.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વાપીના કોળીવાડમાં આવેલી પીનલ ડી પટેલની ચાલીમાં મોહંમદ લતીફ…

ખડગેની આ બધા લોકોની ટિપ્પણી સામે રાજ્યસભાના સભાપતિ નારાજ

ખડગેએ તેમના ભાષણમાં ભારત રત્ન પુરસ્કાર મેળવનારાઓ માટે ‘આ બધા લોકો’ જેવા શબ્દનો ઉપયોગ કર્યો હતો નવી દિલ્હીસંસદમાં ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવા પર ચર્ચા ચાલી રહી હતી, ત્યારે કોંગ્રેસના નેતાઓએ હંગામો મચાવ્યો હતો. આ દરમિયાન રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ ગુસ્સે થઈ ગયા હતા અને વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ નેતાઓને ચેતવણી આપી…

અભિનેતા મિથુન ચક્રવર્તીને કોલકાતાની હોસ્પિટલમાં દાખલ કરાયા

મિથુન ચક્રવર્તી 73 વર્ષના છે, તેમની તબિયત કેવી છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી મુંબઈએક્ટર-રાજનેતા મિથુન ચક્રવર્તીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મિથુનને કોલકાતાની પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સૂત્રોના અનુસાર, એક્ટરને છાતીમાં દુખાવો થયો. ત્યારબાદ તાત્કાલિક તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા. ફેન્સ તેમના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.મિથુન…

કેપ્ટને તેના શબ્દોથી નહીં, તેના કામથી સન્માન મેળવવું જોઈએઃ ધોની

વફાદારીનો સન્માન સાથે ઘણો સંબંધ છે, તમે ડ્રેસિંગ રૂમ વિશે વાત કરો, તો જો સપોર્ટ સ્ટાફ અથવા ખેલાડીઓ તમારું સન્માન ન કરે તો વફાદારી મેળવવી મુશ્કેલ છે નવી દિલ્હીમહેન્દ્ર સિંહ ધોની ભારતીય ક્રિકેટના ઈતિહાસના મહાન કેપ્ટનોમાંથી એક છે. ભારતીય ટીમ માટે ત્રણ આઈસીસી ટ્રોફી જીતનાર ધોનીએ આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સને પાંચ વખત ચેમ્પિયન બનાવી પોતાની…

2023-24 માટે પીએફ પર 8.25%ના દરથી વ્યાજ મળશે

આ પહેલા પીએફ ખાતાધારકોને નાણાકીય વર્ષ 2022-23માં 8.15%ના દરે અને 2021-22માં 8.10%ના દરે વ્યાજ મળતુ હતું નવી દિલ્હીકર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)એ પીએફ પર મળતું નવું વ્યાજ દર નક્કી કરી લીધુ છે. પીએફ ખાતાધારકોને નાણાકીય વર્ષ 2023-24 માટે તેમના પીએફ નાણા પર 8.25%ના દરથી વ્યાજ મળશે.નાણાકીય વર્ષ 2023-24 માટે પીએફ ખાતાધારકોને પીએફ એકાઉન્ટમાં મૂકેલા પૈસા…

દેશ હિતમાં તમામ લોકશાહી પક્ષો એકજૂટ થાય તે સારું છેઃ જનરલ મુનીર

સૈન્યની એવી ઈચ્છા છે કે નવાઝ શરીફ ફરી વડાપ્રધાન બને, જ્યારે પીપીપી પ્રમુખ બિલાવલ ભુટ્ટો નવાઝ શરીફને પસંદ નથી કરતા ઈસ્લામાબાદપાકિસ્તાનમાં આ વખતે કોઈની પણ બહુમતી ધરાવતી સરકાર બનતી દેખાઈ રહી નથી. ત્યારે નવાઝ શરીફ અને ઈમરાન ખાન બંને પોત-પોતાની રીતે સરકાર રચવાનો દાવો કરી ચૂક્યા છે. આ દરમિયાન પીટીઆઈના સમર્થકોનો દાવો છે કે બહુમતી…

લોકસભાની ચૂંટણી પહેલાં સીસીએ લાગુ થશેઃ અમિત શાહ

સીએએ કોઈની નાગરિકતા નહીં છીનવે, આપણા મુસ્લિમ ભાઈઓને સીએએને લઈને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હોવાનો દાવો નવી દિલ્હીલોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી એક્ટિવ થઈ ગઈ છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક મોટી જાહેરાત કરી છે. એક સમિટમાં ગૃહમંત્રીએ કહ્યું કે, ‘નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) ચૂંટણી પહેલા દેશભરમાં લાગુ કરવામાં આવશે. હું સ્પષ્ટ કરવા…

સૈન્ય ઠેકાણા પર હુમલાના 12 કેસમાં ઈમરાન ખાનને જામીન

વિદેશમંત્રી રહી ચૂકેલા શાહ મહેમૂદ કુરૈશીને પણ રાહત ઈસ્લામાબાદપાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીના પરિણામો આવે તે પહેલાં જ ઈમરાન ખાન માટે સારા સમાચાર આવ્યા છે. ગત વર્ષે સૈન્ય ઠેકાણે હુમલા મામલે તેમને 12 કેસમાં જામીન મળી ગયા છે. તેમની સાથે જ વિદેશમંત્રી રહી ચૂકેલા શાહ મહેમૂદ કુરૈશીને પણ રાહત મળી છે.માહિતી અનુસાર પાકિસ્તાનની વર્તમાન ચૂંટણીમાં ઈમરાન ખાનના…

ડ્રીસ વૈન એગ્ટ અને તેમની પત્નીનું 93 વર્ષની વયે સાથે મોત

બન્નેની દફનિવિધિ નેધરલેન્ડના નિજમેગેન શહેરમાં એક પ્રાઈવેટ સેરેમનીમાં કરવામાં આવી હતી એમ્સટરડેમનેધરલેન્ડના પૂર્વ વડાપ્રધાન ડ્રીસ વૈન એગ્ટ અને તેમની પત્નીનુ એક સાથે નિધન થયુ છે અને જ્યારે તેઓ મોતને ભેટયા ત્યારે બંનેએ એક બીજાનો હાથ પણ પકડી રાખ્યો હતો.બંનેની ઉંમર 93 વર્ષ હતી.ડ્રીસ વૈન એગ્ટે જ સ્થાપેલા માનવાધિકાર સંગઠન ધ રાઈટ્સ ફોરમના કહેવા પ્રમાણે 1977થી…

ઈન્ટર્વ્યુમાં વ્લાદીમિર પુતિનના પગ ધ્રૂજી રહ્યા હતા

ઈન્ટરવ્યૂ બાદથી પુતિનની તબિયત અંગે શંકા વધી, એક્સપર્ટનું કહેવું છે કે પુતિન કેન્સર અને હૃદય રોગ સહિતની બીમારીઓનો સામનો કરતા હોઈ શકે મોસ્કોરશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન સાથે યુદ્ધ બાદ પ્રથમ વખત ઈન્ટરવ્યૂમાં સામેલ થયા હતા. વૈશ્વિક મીડિયામાં પુતિનના સ્વાસ્થ્ય અંગે અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. જોકે, હવે તાજેતરના એક ઈન્ટરવ્યૂ દરમિયાન પુતિનના પગ…

આઈસીસીએ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટની રેસમાં ત્રણ ભારતીય

ભારતીય કેપ્ટન ઉદય સહારન, સૌમ્ય પાંડે અને મુશીર ખાનને આઈસીસી અંડર-19 વર્લ્ડકપ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ એવોર્ડ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા દુબઈભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે અંડર-19 વર્લ્ડકપ 2024ની ફાઈનલ મેચ રમાનાર છે. ભારતે પ્રથમ સેમિફાઈનલમાં સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાએ બીજી સેમિફાઈનલમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. ભારત અને ઓસ્ટ્રેલિયા ત્રીજી વખત ફાઈનલમાં ટકરાશે. આ પહેલા વર્ષ…

ચાઈનીઝ મૂળના એન્જિનિયરની જાસૂસી બદલ અમેરિકામાં ધરપકડ

એન્જિનિયર પર અમેરિકાની ટોપ સિક્રેટ ટેકનોલોજી ચોરીને ચીનને વેચવાનો આરોપ વોશિંગ્ટનચીનના જાસૂસો આખી દુનિયામાં પોતાનો પગ જમાવવા માટે મથી રહ્યા છે.અમેરિકાની જાસૂસી કરવા માટે પણ ચીન ધમપછાડા કરી રહ્યુ છે. ચાઈનીઝ મૂળના એક અમેરિકન એન્જિનિયર પર અમેરિકાની ટોપ સિક્રેટ ટેકનોલોજી ચોરીને ચીનને વેચવાનો આરોપ લાગ્યો છે. તેની ધરપકડ કરવામાં આવી છે.લોસ એન્જલિસ શહેરના એટોર્ની માર્ટિન…

એનસીબીના પૂર્વ ડાયરેક્ટર સમીર વાનખેડે સામે ઈડીએ કેસ દાખલ કર્યો

સમીર વાનખેડે વિરુદ્ધ ‘પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ’ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો મુંબઈઈડીએ આજે એનસીબીના પૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. સમીર વાનખેડે વિરુદ્ધ ‘પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ’ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ઈડીએ આ મામલે કેસ દાખલ કર્યા બાદ કેટલાક લોકોને સમન્સ પણ પાઠવ્યુ છે. તપાસ એજન્સી…