ભારત સીરિયન વિસ્તાર ગોલન પર ઈઝરાયલના કબજાના વિરોધમાં

પ્રસ્તાવની તરફેણમાં ભારત સહિત 91 દેશોએ મતદાન કર્યું વોશિંગ્ટન ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા એક મહિના કરતાં પણ વધુ સમયથી યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. આ દરમિયાન જ સંયુક્ત રાષ્ટ્ર સંઘ (યુએનજીએ)માં સીરિયાઈ ગોલન પરથી ઈઝરાયલ દ્વારા કબજો ન હટાવવા સામે ગાઢ ચિંતા વ્યક્ત કરતો મહત્ત્વપૂર્ણ પ્રસ્તાવ રજૂ કરાયો હતો. આ પ્રસ્તાવ અંગે ભારતનું…

દેશમાં જ લગ્નો યોજવા વડાપ્રધાનની લોકોને અપીલ

અલગ અલગ શહેરોમાં લગ્નના આંકડાઓ મુજબ થોડા જ દિવસોમાં 38 લાખ લગ્ન થશે, જેમાં ઓછામાં ઓછો 4.74 લાખ કરોડ રૂપિયાની ખર્ચ થશે નવી દિલ્હી પીએમ મોદીએ રવિવારે મન કી બાત કાર્યક્રમમાં ફરી એક વાર લોકલ પ્રોડ્કટસના વપરાશની વાત કરી છે. તેમને 107માં એપિસોડમાં ફરી એકવાર ‘વોકલ ફોર લોકલ’ની વાત કરતા કહ્યું હતું કે, આ સમય…

41 મજૂરોને બચાવવા સુરેન્દ્ર રાજપૂતે પુલી ટ્રોલી તૈયારી કરી

આ એજ વ્યક્તિ છે જેણે 2006 માં હરિયાણામાં બોરવેલમાં પડી ગયેલા બાળક પ્રિન્સનો જીવ બચાવ્યો હતો સિલ્કયારા ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાના પ્રોજેક્ટના ભાગરૂપે બાંધકામ હેઠળની સિલ્ક્યારા-દાંડલગાંવ ટનલ 12 નવેમ્બરે વહેલી સવારે તૂટી પડતાં ફસાયેલા 41 મજૂરોને અંતે એનડીઆરએફ, એસડીઆરએફ, ભારતીય સૈન્ય, વિદેશી ટનલ નિષ્ણાતો સહિત અનેક એજન્સીઓની મદદથી 17 દિવસના અંતે બચાવી લેવાયા છે. આ જ…

તરનજિત સાથે ગેરવર્તણૂક કરનારા સામે પગલાંની માગ

તોફાનીઓ સામે કઠોર પગલાં લેવા માટે ઉક્ત ગુરુદ્વારાના વહીવટકારોને અમેરિકા સ્થિત શિખ સંસ્થાએ અનુરોધ કર્યો વોશિંગ્ટન   અમેરિકા સ્થિત શિખ સંસ્થાએ ગયા વીક એન્ડમાં ન્યૂયોર્કના ગુરુદ્વારામાં ભારતના રાજદૂત તરનજિત સિંઘ સંધુ સાથે કેટલાક શિખોએ કરેલી ગેરવર્તણુંકની ઉગ્ર ટીકા કરી હતી. સાથે તે તોફાનીઓ સામે કઠોર પગલાં લેવા માટે ઉક્ત ગુરુદ્વારાના વહીવટકારોને અનુરોધ કર્યો હતો. સોમવારે…

સાત વર્ષની પુત્રી પર દુષ્કર્મમાં મદદ કરનારી મહિલાના 40 વર્ષની કેદ

પોક્સો કાયદા હેઠળ મહિલાને આ સજા કરવામાં આવી,બળાત્કારી પુરુષે અગાઉ જ આત્મહત્યા કરી લીધી તિરુવનંતપુરમ   કેરળમાં એક માતાને પોતાની જ પુત્રીના બળાત્કારના કેસમાં ૪૦ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. મહિલાએ પોતાના પ્રેમીને પોતાની જ પુત્રી પર બળાત્કાર કરવાની છૂટ આપી હતી. જેથી બળાત્કારમાં મદદ કરવા બદલ પોક્સો કાયદા હેઠળ મહિલાને આ સજા કરવામાં…

રેલવે નિવૃત્તીના 3 દિવસ પહેલાં કર્મીની બદલી કરી

રેલવેના એક એન્જિનિયરની છત્તીસગઢનાં બિલાસપુરથી સીધી દિલ્હીમાં બદલી કરવાનો હુકમ જારી કરાયો નવી દિલ્હી   રેલવે મેનેજમેન્ટનો એક અજીબો ગરીબ હુકમ જાણવા મળ્યો છે. જેમાં દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના એક એન્જિનિયરની નિવૃત્તિના ૩ દિવસ પૂર્વે છત્તીસગઢનાં બિલાસપુરથી સીધી દિલ્હીમાં બદલી કરવાનો હુકમ જારી કરાયો હોવાનું જાણવા મળ્યું છે. વાસ્તવમાં તે એન્જિનિયર નિવૃત્ત થવાના છે, તે…

ઈઝરાયેલ-હમાસ યુધ્ધ વિરામ લંબાવવામાં આવ્યું

યુદ્ધવિરામના પાંચમા દિવસે ઈઝરાયેલે 30 પેલેસ્ટિનીઓને મુક્ત કર્યા, જેના બદલામાં હમાસે 12 બંધકોને મુક્ત કર્યા જેરૂસલેમ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામના પાંચમા દિવસે હમાસ દ્વારા 12 બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. ઇઝરાયેલના સંરક્ષણ દળોએ રેડ ક્રોસ સમક્ષ બંધકોને મુક્ત કરવાની પુષ્ટિ કરી હતી. બંધકોની મુક્તિ માટે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે સમજૂતી થઈ છે. કરાર હેઠળ…

સાઉદીમાં 24 વર્ષથી ઓછી વયના વિદેશીને ઘરકામ માટે નહીં રાખી શકાય

આ નિયમો સ્થાનિક શ્રમ બજારને નિયંત્રિત કરવા માટે લાગુ કરવામાં આવ્યા સાઉદી સાઉદી અરબે વર્કિંગ વિઝાને લઈને મોટો ફેરફાર કર્યો છે. આગામી વર્ષ 2024થી અહીં કામ કરતા વિદેશી નાગરિકો માટે નવો નિયમ તૈયાર કરાયો છે. સાઉદી સરકારના માનવ સંસાધન અને સામાજિક વિકાસ મંત્રાલયે માહિતી આપી છે કે 2024 થી 24 વર્ષથી ઓછી ઉંમરનો નાગરિક કોઈપણ…

ભારતમાંના યુએસ દૂતાવાસે રેકોર્ડ 1.40 લાખ છાત્રોને વિઝા જારી કર્યા

લગભગ 50 ટકા જેટલાં અમેરિકી દૂતાવાસ અને કોન્સ્યુલેટ્સ દ્વારા પહેલાં કરતાં વધુ નોન-ઇમિગ્રન્ટ વિઝા પર નિર્ણય લેવાયો વોશિંગ્ટન ભારતમાં આવેલા અમેરિકી દૂતાવાસ અને તેના કોન્સ્યુલેટ્સે ઓક્ટોબર 2022 થી સપ્ટેમ્બર 2023 વચ્ચે 1.40 લાખથી વધુ વિદ્યાર્થીઓને વિઝા જારી કર્યા હતા. અમેરિકાના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતમાં અમારા દૂતાવાસ અને કોન્સ્યુલેટ્સે 140,000 થી વધુ વિદ્યાર્થીઓને વિઝા…

ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય સુનિલ ઓઝાનું નિધન

સુનિલ ઓઝા ભાવનગરના પૂર્વ ધારાસભ્ય હતા, તેઓ છેલ્લા 10 વર્ષથી વારાણસી ખાતે સ્થાયી થયા ભાવનગર ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય અને બિહાર ભાજપના સહ પ્રભારી સુનિલ ઓઝાનું આજે વહેલી સવારે હાર્ટ એટેકના કારણે દિલ્હી ખાતે અવસાન થયું હતું. સુનિલ ઓઝા ભાવનગરના પૂર્વ ધારાસભ્ય હતા. તેઓ છેલ્લા 10 વર્ષથી વારાણસી ખાતે સ્થાયી થયા હતા. સુનિલ ઓઝાના અચાનક…

ટનલમાં ફાસયેલા મજૂરોને બહાર કાઢવામાં આર્નોલ્ડ ડિક્સની મહત્વની ભૂમિકા

આર્નોલ્ડ અંડરગ્રાઉન્ડ અને ટ્રાન્સપોર્ટેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નિષ્ણાત છે ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા છે. તેઓ હવે ખુલ્લી હવામાં શ્વાસ લઈ રહ્યા છે. પરંતુ 17 દિવસ સુધી ચાલેલા આ બચાવ અભિયાનની સફળતા આર્નોલ્ડ ડિક્સ વિના અધૂરી છે. ફસાયેલા કામદારોને ટનલમાંથી બહાર લાવનારા નિષ્ણાતોમાં આર્નોલ્ડની મોટી ભૂમિકા હતી. તેઓ અંડરગ્રાઉન્ડ અને ટ્રાન્સપોર્ટેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં…

બીએસઈનું માર્કેટ કેપિટલાઇઝેશન 330 લાખ કરોડ, ભારતના જીડીપી કરતા વધુ

4 ટ્રિલિયન ડોલરથી વધારે કેપ સાથે ભારતીય શેરબજાર દુનિયામાં પાંચ નંબરનું સેન્સેક્સ બની ગયું મુંબઈ ભારતીય શેરબજારે એક નવો માઈલસ્ટોન સિદ્ધ કર્યો છે. ગઈકાલે બીએસઈનું માર્કેટ કેપિટલાઇઝેશન તેની ઓલટાઇમ હાઈ સપાટી પર પહોંચ્યું હતું. આ સપાટી ઝડપથી વધતી જોવા મળી અને 4.1 ટ્રિલિયન ડોલર એટલે કે 330 લાખ કરોડ થઇ ગઈ છે.  જો આ આંકડા…

સલમાન ખાનની સુરક્ષાની પોલીસે સમીક્ષા કરી

ફેસબુક પર મેસેજમાં ગેંગસ્ટર લખ્યું, સલમાન ખાન એવા ભ્રમમાં ન રહે કે દાઉદ તેને બચાવશે, તેને કોઈ બચાવી નહીં શકે મુંબઈ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની બીજી ધમકી બાદ મુંબઈ પોલીસે મંગળવારે સલમાન ખાનને આપવામાં આવેલી સુરક્ષાની સમીક્ષા કરી હતી. ‘ટાઈગર 3’ના એક્ટરને સતર્ક રહેવા પણ જણાવ્યું હતું. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ધમકી બાદ અભિનેતાને મુંબઈ પોલીસ દ્વારા…

વિરાટ કોહલીનો વ્હાઈટ બોલ ક્રિકેટમાંથી બ્રેક લેવાનો નિર્ણય

ભારતીય ટીમ આવતા મહિને સા. આફ્રિકાના પ્રવાસમાં ત્રણેય ફોર્મેટની સિરીઝ રમશે, જે 10 ડિસેમ્બરે ત્રણ મેચની ટી20 સિરીઝથી શરૂ થશે નવી દિલ્હી ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ વન-ડે વર્લ્ડકપ 2023માં સૌથી વધુ રન બનાવ્યા હતા. પરંતુ હવે તેને લઈને એક ચોંકાવનારી જાણકારી સામે આવી રહી છે. મળેલી માહિતી મુજબ વિરાટ કોહલી સાઉથ આફ્રિકા સામે…

સિલ્ક્યારા ટનલ એક્સિડેન્ટ પર દેશ માટે કેસ સ્ટડી તૈયાર કરાશે

ભવિષ્યમાં ટનલ નિર્માણ વખતે આપણે કઈ કઈ સાવચેતીઓ રાખવી? કેવી રીતે ખામીઓ દૂર કરવી? તેના પર એનઆઈડીએમ દ્વારા સંપૂર્ણ ચેપ્ટર તૈયાર કરાશે નવી દિલ્હી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (એનઆઈડીએમ) ના કાર્યકારી નિર્દેશક રાજેન્દ્ર રતનું કહ્યું હતું કે ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલ એક્સિડેન્ટ પર દેશ માટે કેસ સ્ટડી તૈયાર કરાશે. ભવિષ્યમાં ટનલ નિર્માણ વખતે આપણે કઈ…

છાત્રોની આત્મહત્યા માટે વાલીઓ જવાબદારઃ સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે કોચિંગ સેન્ટરો પર લગામ લાગવવાની વાતને નકારી કાઢી નવી દિલ્હીદેશના મુખ્ય કોચિંગ હબ તરીકે વિકસેલા રાજસ્થાનના કોટા શહેરમાં હાથ ધરવામાં આવેલા સર્વેમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે ત્યાંના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગંભીર ડિપ્રેશન અને અન્ય માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત છે. ઉપરાંત અહીં વિદ્યાર્થીઓની આત્મહત્યાના દર મહિને કિસ્સાઓ સામે આવે છે. જેના પર…

રાજસ્થાન કોંગ્રેસનું ચાર લાખ સરકારી નોકરી આપવાનું વચન

ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની વ્યાજ મુક્ત લોન આપવામાં આવશે, યુવાનો માટે 10 લાખ નવી નોકરીઓ ઉભી કરવામાં આવશે જયપુરકોંગ્રેસે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે મેનિફેસ્ટો જાહેર કર્યો છે આ મેનિફેસ્ટો પાર્ટી કાર્યાલયમાંથી જાહેર કરવામાં આવ્યો હતો જેમાં યુવાનો, મહિલાઓ અને ખેડૂતો માટે મોટી જાહેરાતો કરવામાં આવી છે.કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે જયપુરના…

કરતારપુર ગુરૂદ્વારામાં પાક. સરકાની મંજૂરીથી ડાન્સ પાર્ટી યોજાઈ

આ ડાન્સ પાર્ટી પછી બધાને દારૂ પીરસવામાં આવ્યો હતો અને માંસ પણ પીરસાતાં ભારત અને પાકિસ્તાનના શિખોનો ભારે વિરોધ ચંદીગઢશિખોના પવિત્ર ગુરૂદ્વારા પૈકીનાં એક ગુરૂદ્વારા કરતારપુર સાહિબ વિભાજન પછી પાકિસ્તાનમાં ગયું છે. તેના પટાંગણમાં એક ડાન્સ પાર્ટી યોજવાની અનુમતિ પાક. સરકારે આપી હતી. આ ડાન્સ પાર્ટી પછી સર્વેને દારૂ પીરસવામાં આવ્યો હતો અને માંસ પણ…

અફઘાનિસ્તાનમાં 4.1ની તીવ્રતાના ભૂકંપથી ભયનો માહોલ

હજુ સુધી કોઈ જાનમાલને નુકશાન થયાના અહેવાલ નથી કાબુલઅફઘાનિસ્તાનમાં ફરી એક વખત મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આપેલી માહિતી પ્રમાણે અફઘાનિસ્તાનમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જોરદાર ભૂકંપના આંચકાના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે મળતી માહિતી અનુસાર હજુ સુધી કોઈ જાનમાલને નુકશાન થયાના અહેવાલ નથી.ઓક્ટોબરની શરૂઆતમાં…

ભારતે માનવહિતમાં યુદ્ધવિરામના વિચારને આવકાર્યું

યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત રૂચિરા કંબોજે કહ્યું કે, માનવહિત માટેના તમામ પગલાંને ભારત આવકારે છે વોશિંગ્ટનઇઝરાયેલ-હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. જેના કારણે અનેક દેશો અને વૈશ્વિક અજેન્સી દ્વારા યુદ્ધવિરામની માંગ ઉઠી છે એવામાં ભારત દ્વારા માનવીયહિત માટે આ યુદ્ધવિરામના વિચારનું સ્વાગત કરવામાં આવ્યું છે.યુએનમાં ભારતના સ્થાયી…