સેન્સેક્સમાં 110 અને નિફ્ટીમાં 40 પોઈન્ટનો ઊછાળો નોંધાયો

બેન્કિંગ, ઓટો, ફાર્મા, મેટલ્સ, રિયલ એસ્ટેટ, એનર્જી, ઈન્ફ્રા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેર તેજી સાથે બંધ થયા મુંબઈસપ્તાહના પહેલા દિવસે આજે માર્કેટમાં તેજી જોવા મળી હતી, સવારથી ખુલતા માર્કેટમાં તેજીનો પવન ફૂંકાયેલો રહ્યો. દિવસના અંતે સ્ટૉક માર્કેટમાં બે મોટા ઇન્ડેક્સ બીએસએઇ સેન્સેક્સ અને એનએસઇ નિફ્ટી વધારા સાથે બંધ થયા હતા. દિવસના કારોબારના અંતે આજે બીએસઇનો ઇન્ડેક્સ…

તેજસ્વી યાદવે 22 સપ્ટેમ્બરે અમદાવાદની મેટ્રો કોર્ટમાં હાજર રહેવું પડશે

બદનક્ષી કેસમાં પ્રાથમિક રીતે ગુનો બનતો હોવાનું કોર્ટે નોંધ્યું છે અને સમન્સ ઈશ્યુ કર્યું અમદાવાદગુજરાતીઓને મહાઠગ કહેવાના નિવેદનને લઈને બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની મુશ્કેલીમાં વધારો થયો છે. આ નિવેદનને લઈને અમદાવાદની મેટ્રો કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં બદનક્ષી કેસમાં પ્રાથમિક રીતે ગુનો બનતો હોવાનું કોર્ટે નોંધ્યું છે અને સમન્સ ઈશ્યુ કર્યું…

પુતિનના ભારત આવવા અંગે રાષ્ટ્રપતિ કાર્યલય જ જાહેરાત કરી શકે

રશિયાના રાજદૂત ડેનિસ એલીપોવ સાથે પત્રકારોએ વાત કરતા તેમણે સ્પષ્ટ ઉત્તર આપ્યો નવી દિલ્હીરશિયા-યુક્રેન યુદ્ધને એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે… હજુ પણ બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામની કોઈ સંભાવના જોવા મળી રહી નથી… ત્યારે આગામી મહિને ભારતમાં જી20 શિખર સંમેલન યોજાવાનું છે. ઉપરાંત એવા અહેવાલ પણ વહેતા થયા છે કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર…

હિમાચલમાં વરસાદી આફતથી આસપાસના રાજ્યોના અનેક હાઈવે બંધ

રસ્તાઓ બંધ હોવાથી બાંધકામ સામગ્રીના કન્સાઈનમેન્ટ લઈ જતી હજારો ટ્રકો ફસાતાં. સળીયા, સિમેન્ટ અને બિટ્યુમેનનો સપ્લાય બંધ થવાથી બાંધકામ કંપનીઓની મુશ્કેલી વધી લદાખહિમાચલ પ્રદેશમાં આવેલી આપત્તિ કેન્દ્રશાસિત પ્રદેશ લેહ લદ્દાખના વિકાસ પર ભારે અસર કરી રહી છે. વાદળ ફાટવા અને ભૂસ્ખલનને કારણે કિરાતપુર મનાલી ફોરલેન મંડી જિલ્લામાં સિક્સ લેઈન સહિત અનેક રસ્તાઓ છેલ્લા 15 દિવસથી…

રોહિત શર્માએ વર્લ્ડ કપમાં સદી ફટકારવી જોઈએઃ આકાશ ચોપરા

સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા – આ પ્રકારની લાગણીનું કારણ છે શુભમન ગિલ, રોહિત શર્મા અને વિરાટ કોહલી નવી મુંબઇટીમ ઇન્ડિયાને આવતા મહિને બે મોટી ટૂર્નામેન્ટ રમવાની છે. એશિયા કપ અને વર્લ્ડ કપ તેથી જ ભારતીય ટીમ એશિયા કપ 2023ની તૈયારીમાં વ્યસ્ત છે. આ પછી તરત જ ઓસ્ટ્રેલિયા સામે વનડે શ્રેણી રમવાની છે. વર્લ્ડ…

હવેથી 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવામાં આવશેઃ મોદી

લખનઉ સ્થિત શિયા મૌલાના સૈફ અબ્બાસ નકવીએ આ નામને લઈને વાંધો ઉઠાવ્યો નવી દિલ્હીભારત માટે બુધવારનો દિવસ ઈતિહાસમાં નોંધાય ગયો છે કેમકે આ દિવસે ચંદ્રયાન-3નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ થયુ હતું અને આમ કરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બની ગયો હતો. આ સિદ્ધિ પર પીએમ મોદીએ આજે જાહેરાત કરી હતી કે જ્યાં ચંદ્રયાન…

ઓગસ્ટ કોરો, સપ્ટેમ્બરમાં વરસાદ નહીં પડે તો પાણીની તંગીનાં એંધાણ

વરસાદ ખેંચાશે તો ખેડૂતોની હાલત કફોડી થશે, જળાશયોમાં પુરતો પાણીનો જથ્થો છે પણ પીવાના પાણીને બાદ કરતાં સિંચાઈ માટે કેટલું પાણી મળશે એ તો સરકાર જ નક્કી કરશે અમદાવાદરાજ્યમાં અત્યારસુધી સરેરાશ 28 ઈંચ સાથે મોસમનો 80 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્ય માટે ઓગસ્ટ મહિનો હજુ સુધી સામાન્ય રહ્યો છે અને જેમાં અત્યારસુધી સરેરાશ પોણો ઈંચ…

ચંદ્રયાન-3એ વડાપ્રધાન મોદીનો પબ્લિસિટી સ્ટંટ છે કહેનારા રમેશચંદ્ર ફેફરની અટકાયત

હિન્દુ ધર્મના તમામ મંદિરો પેટ ભરવાના સાધન છે. શા માટે દાન પેટી પ્રથમ આવે છે અને ત્યાર બાદ મૂર્તિના દર્શન થાય છે રાજકોટરાજકોટમાં પૂર્વ સરકારી કર્મચારી અને પોતાને કલ્કી અવતાર ગણાવતા રમેશચંદ્ર એચ. ફેફરે ફરી એક નવો બફાટ કર્યો છે. આ વખતે તેમણે વિવાદિત ધાર્મિક ટિપ્પણી કરી છે. રાજકોટ પોલીસે તેમની વિવાદાસ્પદ નિવેદન સંદર્ભે અટકાયત…

જાણ્યા-સમજ્યા વીના ઓનલાઈન ફ્રેન્ડશીપ ન કરવા સીઆરપીએફના જવાનોને સુચના

યૂનિફોર્મમાં પોતાના વીડિયો કે ફોટો અપલોડ ન કરવા અને અજાણ્યા લોકો સાથે ઓનલાઈન મિત્રતા ન કરવા તંત્ર દ્વારા સુચના અપાઈ નવી દિલ્હીસેનાના જવાનોને સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને કડક સૂચના આપવામાં આવી છે. સીઆરપીએફએ પોતાના જવાનોને જાણ્યા-સમજ્યા વગર ઓનલાઈન ફ્રેન્ડશીપ ન કરવા જણાવ્યું છે. આ ઉપરાંત ફોટો અપલોડ કરવામાં પણ સાવધાની રાખવા માટે જણાવ્યું છે કારણ…

વન-ડે વર્લ્ડ કપમાં રોહિત શર્મા સૌથી વધુ રન બનાવશેઃ સેહવાગ

આઈસીસીએ વીરેન્દ્ર સેહવાગનો આ વીડિયો પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો નવી દિલ્હીપૂર્વ ભારતીય ઓપનર વિરેન્દ્ર સેહવાગે હાલમાં જ આવનારા વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીનું નામ લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. સેહવાગનું કહેવું છે કે ભારતીય હોવાને કારણે તે આ માટે ભારતીય ખેલાડીની પસંદગી કરશે, પરંતુ અહીં તેણે ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન…

વર્લ્ડ કપ ક્રિકેટની ટિકિટ વેચાણની વેબસાઈટ પહેલા દિવસે જ ક્રેશ

ક્રિકેટ ચાહકોને ટિકિટ બુક કરાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, હાલમાં એવી મેચોની ટિકિટોનું વેચાણ થઇ રહ્યું છે જેમાં ભારત નથી રમી રહ્યું નવી દિલ્હીભારત દ્વારા યોજાનારી ક્રિકેટની મેગા-ઇવેન્ટ વનડે વર્લ્ડ કપ 5મી ઓક્ટોબરથી શરૂ થવા જઇ રહી છે. આ પહેલીવાર છે જ્યારે સમગ્ર વિશ્વકપનું આયોજન ભારતમાં થવા જઈ રહ્યું છે. બીસીસીઆઈ આ મેગા ઈવેન્ટ…

બોગસ સ્પોન્શરશિપથી નોકરી મેળવનારા ફાયર વિભાગના આઠને નોટિસ

બે ડીવીઝનલ ઓફિસર ઉપરાંત પાંચ સ્ટેશન ઓફિસર તથા એક સબ ઓફિસરને સાત દિવસમાં નોટિસનો જવાબ કરવા આદેશ કરાયો અમદાવાદફાયર વિભાગમાં પણ બોગસ સ્પોન્સરશીપના આધારે કેટલાક અધિકારીઓએ નોકરી મેળવી હોવાનું બહાર આવતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ તમામ અધિકારીઓ સામે વિજિલન્સ તપાસ શરુ કરવામા આવી હતી. દરમિયાન વિજિલન્સ તપાસ ચાલતી હોવાથી કેટલાક અધિકારીઓના પ્રોબેશન પિરીયડમાં વધારો કરવાનો…

કાશ્મીરમાંથી આતંકી નેટવર્ક ઊભું કરવાના સંદર્ભે મહિલા-આતંકી ઝડપાયા

સુરક્ષા દળોએ હથિયારોનો મોટો જથ્થો પણ જપ્ત કર્યો, આ બંને પાકિસ્તાનમાં છુપાયેલા આતંકી કમાન્ડર મુસ્તાક મીરના સંપર્કમાં હતા જમ્મુસુરક્ષા દળોએ ઉત્તર કાશ્મીરના બાંદીપોરામાં શંકાસ્પદ હિલચાલ ધ્યાનમાં લીધા બાદ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ વિસ્તારમાં આતંકવાદી નેટવર્ક તૈયાર થાય તે પહેલા જ તેણે તેનો પર્દાફાશ કર્યો હતો.તે જ સમયે, આ કેસમાં એક આતંકવાદી અને એક…

ટ્રાન્સઝેન્ડરને નોકરી-શિક્ષણમાં અનામત મામલે સુપ્રીમની કેન્દ્ર-રાજ્યોને નોટિસ

સમાન અરજીના જવાબમાં, કેન્દ્ર સરકારે અગાઉ કહ્યું હતું કે શૈક્ષણિક સંસ્થાઓ અથવા નોકરીઓમાં હાલની અનામતનો લાભ મેળવી શકાય છે નવી દિલ્હીકેરળની એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિએ ટ્રાન્સજેન્ડર લોકો માટે જાહેર નોકરી અને શિક્ષણમાં અનામતની માંગ કરતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા કેન્દ્ર, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસેથી જવાબ…

એર ઈન્ડિયાના આંતરિક સુરક્ષા ઓડિટમાં ખામીઓ પકડાઈ

ડીજીસીએ દ્વારા ઓચિંતા જ નિરીક્ષણ કરવામાં આવતા એરલાઈન્સે તમામ 13 કેસમાં ફેક રિપોર્ટ તૈયાર કર્યા હોવાનું જણાયું નવી દિલ્હીડાઈરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (ડીજીસીએ)ના સભ્યોની નિરીક્ષણ ટીમે એર ઈન્ડિયાના આંતરિક સુરક્ષા ઓડિટમાં ખામીઓ પકડી છે અને નિયામક આ મામલે તપાસ કરી રહ્યા છે. આ માહિતી ડીજીસીએના અધિકારીઓએ આપી હતી.એર ઈન્ડિયાના પ્રવક્તાએ આ મામલે કહ્યું કે…

કોન્સ્ટેબલ ચેતન સિંહની નાર્કો ટેસ્ટની માગની અરજી ફગાવાઈ

આરોપીએ આવા ટેસ્ટ કરાવવાનો ઇનકાર કર્યો છે, ચૂપ રહેવું તેનો મૂળભૂત અધિકાર છે, અમે તેને દબાણ કરી શકીએ નહીઃ કોર્ટ મુંબઈગયા મહિને 31 જુલાઈના રોજ રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ના કોન્સ્ટેબલ ચેતન સિંહે જયપુર મુંબઈ એક્સપ્રેસમાં તેના એક સીનીયર અધિકારી સહિત ચાર લોકોની ગોળી મારીને હત્યા કરી હતી. ફરિયાદી પક્ષે માંગ કરી હતી કે આરોપીના બ્રેઈન…

યુપીમાં મહિલા શિક્ષિકાએ મુસ્લિમ વિદ્યાર્થીને થપ્પડ મરાવ્યા

બાળ અધિકાર સંસ્થાએ મહિલા શિક્ષક સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો, પોલીસે મહિલા શિક્ષક સામે ગુનો નોંધી ધટનાની તપાસ હાથ ધરી મુઝફફરનગરઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરની એક ખાનગી શાળાનો શરમજનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શાળાની એક મહિલા શિક્ષક હિંદુ વિદ્યાર્થીઓને બોલાવીને સામે ઉભેલા મુસ્લિમ વિદ્યાર્થીને થપ્પડ મારવાનું કહી રહી છે. સાથે સાથે શિક્ષિકા મુસ્લિમ…

ઈસરો મેક ઈન ઈન્ડિયાને ચંદ્ર પર લઈ ગયુઃ નરેન્દ્ર મોદી

મોદીએ ચંદ્રયાન-3 મિશનનું લેન્ડર જ્યાં ઉતર્યું હતું તે જગ્યાને ‘શિવ શક્તિ’ નામ આપ્યું, 23 ઓગસ્ટનો દિવસ હવે ‘નેશનલ સ્પેસ ડે’ તરીકે ઉજવવાની જાહેરાત બેંગલુરૂવડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બેંગલુરૂમાં ઈસરોના વૈજ્ઞાનિકોને મળ્યા હતા અને ચંદ્રયાન-3 મિશનની સફળતા માટે તેમને અભિનંદન પાઠવ્યા હતા. ઈસરોના ચેરમેન એસ સોમનાથ વ્યક્તિગત રીતે વડાપ્રધાન મોદીને આવકારવા માટે ગયા હતા. વડાપ્રધાને સોમનાથની…

ઓસ્ટ્રેલિયામાં બે બાળકોની કસ્ટડી ગુમાવનારી ભારતીય માતાએ જીવ આપ્યો

ડોક્ટર સામે ફરિયાદ કરનારી ભારતીય મહિલા સામે ઓસ્ટ્રેલિયાની સરકારે જ સખ્ત પગલાં લેતા તેના પર બાળકોની યોગ્ય સંભાળ ના રાખવાનો આરોપ મૂક્યો બેંગલોરએક ચોંકાવનારી ઘટનામાં ઓસ્ટ્રેલિયામાં સેટલ થયેલા એક ભારતીય દંપતીને પોતાના બંને બાળકોની કસ્ટડી ગુમાવવાનો વારો આવતા વ્યથિત માતાએ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. પ્રિયદર્શિની પાટીલ નામની આ મહિલા મૂળ કર્ણાટકના ધારવાડની વતની હતી,…

મોદીને ચંદ્રયાન-3ના લેન્ડિંગ પોઈન્ટનું નામ આપવાનો કોણે અધિકાર આપ્યોઃ અલ્વી

આપણે ચંદ્રના માલિક નથી, એ લેન્ડિંગ પોઈન્ટના માલિક નથી, આવું કરવું ભાજપની ટેવ હોવાનો કોંગ્રેસના નેતાનો આક્ષેપ નવી દિલ્હી વડાપ્રધાન મોદી આજે ગ્રીસની મુલાકાત લીધા બાદ બેંગ્લુરુમાં ઈસરોના વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરી તેમને શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન વૈજ્ઞાનિકોને સંબોધતા પીએમ મોદીએ કેટલીક મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. પીએમએ કહ્યું કે ચંદ્રની જે સપાટી પર ચંદ્રયાન-3નું…