કેરળમાં નિપાહ વાયરસને રોકવા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા

આશરે 700 લોકોની યાદી બનાવાઈ હતી જેઓ દર્દીના સંપર્કમાં આવ્યા હતા તિરુવનંતપુરમકેરળમાં નિપાહ વાયરસથી પીડિત દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થતો જઈ રહ્યો છે. વધુ એક દર્દી વધી જતાં સ્વાસ્થ્ય વિભાગની ચિંતા વધી ગઈ છે. રાજ્યમાં હવે દર્દીઓની સંખ્યા વધીને 5 થઈ ગઈ છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વિણા જ્યોર્જે જણાવ્યું કે ઈન્ફેક્શન ફેલાતો રોકવા રાજ્ય સરકારે…

શ્રીલંકા સામેની મેચમાં પાકિસ્તાની ટીમે પાંચ ફેરફાર કર્યા

ઓપનર ફખર ઝમાન, સલમાન અલી આગા, નસીમ શાહ, હારિસ રઉફ અને ફહીમ અશરફ શ્રીલંકા સામેની મેચમાં પાક. ટીમમાંથી બહાર કોલંબોએશિયા કપ 2023ના સુપર-4 રાઉન્ડમાં પાકિસ્તાનની ટીમ ખુબ ઉત્સાહ સાથે મેદાન પર ઉતરી હતી. ગ્રુપ મેચમાં વરસાદના કારણે મેચ રદ્દ થઇ હતી. ટોસ જીતીને ભારતે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને 266 રનના સ્કોર પર…

આમિરની પુત્રી આયરા 3 ઓક્ટોબરે મંગેતર નુપૂર શિખર સાથે કોર્ટ મેરેજ કરશે

તમામ ફંક્શન રાજસ્થાનના ઉદયપુરમાં થશે, આ ફંક્શન ત્રણ દિવસ સુધી ચાલશે, આ ફંક્શનમાં મિત્રોની સાથે ફેમિલી મેમ્બર સામેલ થશે મુંબઈબોલીવૂડના મિસ્ટર પર્ફેક્સનિસ્ટ કહેવાતા એવા આમિર ખાનની પુત્રી આયરાએ હજુ સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો નથી. પરંતુ તે લોકો વચ્ચે ખુબ ફેમસ છે. તેને સોશ્યલ મીડિયા પર લાખો લોકો ફોલો કરે છે. આયરા પણ પોતાના ફેન્સ…

અનંતનાગમાં સેના-પોલીસનું સંયુક્ત ઓપરેશન સર્ચ જારી

રાજૌરી જિલ્લાના એક અંતરિયાળ ગામમાં શરુ કરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન થયેલી અથડામણમાં બે આતંકી ઠાર કરવામાં આવ્યા જમ્મુગઈકાલે જમ્મુ અને કાશ્મીરના અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં આર્મીના કર્નલ, મેજર અને ડીએસપી શહીદ થયા હતા ત્યારે આજે આ જ વિસ્તારમાં ભારતીય સેનાએ જમ્મુ કાશ્મીર પોલીસ સાથે મળીને ફરી એકવાર ઓપરેશન શરુ કર્યું છે.જમ્મુ કાશ્મીરમાં છેલ્લા…

યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકારે ભારતના લોકોને ‘મંદબુદ્ધિ’ ગણાવ્યા

માયખાઈલો પોડોલ્યાકે કહ્યું કે, આ લોકો જે પગલાં ભરે છે તેના વિશે જાણતાં જ નથી કે તેના શું પરિણામ આવશે? કીવભારતના નેતૃત્વમાં આયોજિત જી20 સમિટના ઘોષણાપત્રથી મહદઅંશે નારાજ યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકાર માયખાઈલો પોડોલ્યાકે ભારતના લોકોને ‘મંદબુદ્ધિ’ ગણાવ્યા હતા. તેમણે ભારત જ નહીં ચીનના લોકોને પણ નબળી બૌદ્ધિક ક્ષમતા ધરાવતા લોકો ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે…

ગૂગલે ફરીથી વૈશ્વિક ભરતી ટીમમાંથી કર્મીઓની છટણી શરૂ કરી

ભરતી પ્રક્રિયાને પણ ધીમે કરી દીધી, કંપની મુખ્ય ભૂમિકાઓ માટે ભરતી કરવા માટે ટીમના નોંધપાત્ર હિસ્સાને જાળવી રાખશે નવી દિલ્હીગ્રાહક માંગ ઘટવાની આશંકાએ વિશ્વભરમાં મંદીનો ઓછાયો ફેલાઈ રહ્યો છે અને ખાસ કરીને કોરોનાકાળ અને બાદમાં ઝડપથી વૃદ્ધિ પામેલા આઈટી સેક્ટરને ઓટનો સામનો કરવો પડી રહ્યો છે. ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટે ફરી એકવાર વૈશ્વિક ભરતી ટીમમાંથી…

80 હજાર પેન્ડિંગ કેસના ડેટા એનજેડીજી પર અપલોડ કરાશે

આ નિર્ણય પારદર્શકતા અને જવાબદેહી લાવવા માટે છે, એનજેડીજી પોર્ટલ પર કેસનો દર મહિનાનો અને વર્ષ અનુસાર વિગતવાર ડેટા હશે નવી દિલ્હીસુપ્રીમકોર્ટે ઐતિહાસિક પહેલ કરતાં તમામ લંબિત કેસના ડેટાને નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રિડ (એનજેડીજી) પર અપલોડ કરવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમકોર્ટ અત્યાર સુધી એનજેડીજી ના દાયરાથી બહાર હતી. સીજેઆઈ ડી.વાય.ચંદ્રચૂડે તેની શરૂઆત…

મોરક્કોમાં ભૂકંપ અમેરિકાનું કાવતરૂં હોવાની શંકા

ભૂકંપ પહેલા આકાશમાં રહસ્યમય રોશનીનો પ્રકાશ જોવા મળ્યો હતો, જેથી મનાય છે કે આ એક હાઇટેક લેબ દ્વારા સર્જવામાં આવેલ કારસ્તાન છે મોરક્કોભયાવહ ભૂકંપને લીધે આફ્રિકી દેશ મોરક્કોની હાલત દયનીય થઈ ચૂકી છે. 6.8ની તીવ્રતાના આ ભૂકંપમાં 3000થી વધુ લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે. દેશભરમાં ભૂકંપને કારણે મચી ગયેલી તબાહીનો માહોલ સર્જાયો હતો. એક તરફ…

સીબીઆઈએ રેલવેના અધિકારીના ઘરેથી 2.61 કરોડની રોકડ રિકવર કરી

અધિકારી જેમ વેબસાઈટ પરથી કોન્ટ્રાક્ટરની ફર્મનું રજિસ્ટ્રેશન રદ કરવાની અને તેનો કોન્ટ્રાક્ટ સમાપ્ત કરવાની ધમકી આપીને 7 લાખ રૂપિયાની લાંચ માંગી રહ્યો હતો ગોરખપુરકેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇએ ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરાયેલા ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના એક વરિષ્ઠ રેલવે અધિકારીના ઘરેથી 2.61 કરોડ રૂપિયાની રોકડ રિકવર કરી છે.મળતી માહિતી મુજબ ઉત્તર પૂર્વ રેલવે, ગોરખપુરના અધિકારી કે.સી….

ફોજદારી કેસોમાં મીડિયા બ્રીફિંગ અંગે બે માસમાં માર્ગદર્શિકાનો સુપ્રીમનો નિર્દેશ

કેટલીકવાર મીડિયા રિપોર્ટ્સ પીડિતની પ્રાઈવસીનું પણ ઉલ્લંઘન કરતી હોવાનું સુપ્રીમ કોર્ટની બેન્ચનું અવલોકન નવી દિલ્હીસુપ્રીમ કોર્ટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને 2 મહિનાની અંદર ફોજદારી કેસોમાં મીડિયા બ્રીફિંગ અંગે માર્ગદર્શિકા તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું હતું કે પક્ષપાતી રિપોર્ટિંગને કારણે લોકો માની બેસે છે કે આરોપીએ ગુનો કર્યો છે.બેન્ચે…

બ્લૂ ડાર્ટે પ્રિમિયમ સર્વિસ ડાર્ટ પ્લેસનું નામ બદલીને ભારત ડાર્ટ કર્યું

રાષ્ટ્રપતિ દ્વારા જી-20 કાર્યક્રમમાં આયોજિત ડિનરના આમંત્રણ પત્રમાં ઇન્ડિયાને બદલે ભારત શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો નવી દિલ્હીદેશનું નામ ઇન્ડિયાથી બદલીને ભારત કરવાને લઈને રાજકીય વર્તુળોમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે લોજિસ્ટિક્સ કંપની બ્લુ ડાર્ટે એક મોટી જાહેરાત કરી છે. કંપનીએ હવે તેની પ્રીમિયમ સર્વિસ ડાર્ટ પ્લસનું નામ બદલીને ભારત ડાર્ટ કરી દીધું છે, એમ બ્લુ…

જુનૈદ-નાસિરને સળગાવવાનો પ્લાન આઠ દિવસ પહેલા બનાવ્યાની મોનુની કબૂલાત

સુરક્ષાના કારણોસર તેને ભરતપુરના મથુરા ગેટ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં ડીગ પોલીસ સ્ટેશનના આધિકારીઓ મોનુ માનેસરની પૂછપરછ કરી ભરતપુરગૌરક્ષક મોનુ માનેસરની મંગળવારે હરિયાણાથી ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને રાજસ્થાન પોલીસને સોંપવામાં આવ્યો હતો. જુનૈદ-નાસિર હત્યા કેસ સંદર્ભે રાજસ્થાન પોલીસ મોનુને માનેસરની કસ્ટડી લીધી હતી. સુરક્ષાના કારણોસર…

ટેક્નિકલ ખામી સર્જાતા એર ઈન્ડિયાની ફ્લાઈટ પાકિસ્તાનના એરસ્પેસમાં પહોંચી ગઈ

આ પ્લેન પાકિસ્તાન હવાઈ ક્ષેત્રમાં 32 હજાર ફુટની ઉંચાઈએ ઉડી રહ્યું હતું, જો કે ફ્લાઈટ બાદમાં સલામત રીતે દિલ્હી પહોંચી ગઈ હતી નવી દિલ્હીદેશની રાજધાની દિલ્હીથી લંડન માટે ઉડાન ભરેલી એયર ઈન્ડિયાની ફ્લાઈટ થોડા સમયમાં જ અચાનક આઈજીઆઈ એરપોર્ટ પર રિટર્ન થઈ હતી. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ ફ્લાઈટે ઉડાન ભરી ત્યારે પ્લેનમાં થોડીક ખામી…

અફઘાનિસ્તચાનમાં રાજદૂતની નિમણૂંક કરનારો ચીમ વિશ્વનો પ્રથમ દેશ

ચીનના આ પગલાથી પાકિસ્તાનને આંચકો, પહેલા અફઘાનિસ્તાન મામલે તાલિબાન સાથે ચીન કોઈ પણ ડિલ વાયા પાકિસ્તાન કરતું હતું કાબુલચીને અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા સંભાળ્યા બાદ પહેલી વખત પોતાના રાજદૂતની નિમણૂંક કરી છે. ચીન અહીંયા તાલિબાનના શાસનમાં રાજદૂતની નિમણૂંક કરનાર દુનિયાનો પહેલો દેશ બન્યુ છે.તાલિબાન દ્વારા કાબુલમાં રાષ્ટ્રપતિ પેલેસમાં ચીનના રાજદૂત ઝાઓ શેંગનુ નુ એક ભવ્ય કાર્યક્રમમાં…

સતત પાંચમા મહિને ઓગસ્ટમાં જથ્થાબંધ ફૂગાવો નેગેટિવ ઝોનમાં રહ્યો

જથ્થાબંધ મોંઘવારીનો દર -0.52 ટકા રહ્યો હતો જે છેલ્લા પાંચ મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો નવી દિલ્હીઆજે વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર ઓગસ્ટમાં સતત પાંચમાં મહીને ભારતનો જથ્થાબંધ ફુગાવાનો દર નેગેટિવ ઝોનમાં રહ્યો છે. જો કે નેગેટિવ ઝોનમાં રહ્યા છતાં જથ્થાબંધ મોંઘવારીનો દર (ડબલ્યુપીઆઈ) -0.52 ટકા રહ્યો હતો જે છેલ્લા પાંચ મહિનાના સર્વોચ્ચ સ્તરે…

ઈન્ડિયાનો એજન્ડા સનાતનને ખતમ કરવાનો છેઃ મોદીના વિપક્ષ પર પ્રહાર

કેટલાક દળો એવા છે જે સમાજને વિભાજિત કરવા માટે એક થયા છે, ગાંધી લક્ષમીબાઈએ સનાતનથી પ્રેરણા લીધી હતી જ્યારે ઘમંડી ગઠબંધનના લોકો સનાતનને ખતમ કરવા માંગે છેઃ મોદી બીનાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના પ્રવાસે ગયા હતા, જ્યા તેમણે અનેક યોજનાનો શિલાન્યાસ કર્યો હતો. આ સિવાય મોદીએ એક જનસભાને સંબોધિત કરી હતી જેમાં તેણે વિપક્ષી ગઠબંધન…

રાષ્ટ્રપતિની ચૂંટણી જીતીશ તો ફેડરલ વર્કફોર્સના 75 ટકાથી વધુને હાંકી કાઢીશઃ રામાસ્વામી

એફબીઆઈ જેવી અને મુખ્ય એજન્સીઓને તાળા મારી દઈશ, 16 લાખથી વધુ લોકોની રોજગારી છીનવાઈ શકે છે વોશિંગ્ટનઅમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી વતી ઉમેદવારોની દાવો ઠોકનારા ભારતીય મૂળના અમેરિકી વિવેક રામાસ્વામીએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો હું 2024ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતી જઈશ તો ફેડરલ વર્કફોર્સના 75% થી વધુ લોકોને નોકરીથી કાઢી…

પાકિસ્તાન છિન્ન-ભિન્ન થશે ત્યારે ભારતમાં આતંક ખતમ થશેઃ વીકે સિંહ

દેશના દક્ષિણ ભાગમાં કેટલીક શક્તિઓએ અંગ્રેજો દ્વારા ઉત્પન્ન કરાયેલ સનાતન ધર્મ વિરોધી વિચારોનો રાજકીય ફાયદો ઉઠાવ્યો હોવાનો આક્ષેપ ઈન્દોરમધ્યપ્રદેશના નવેમ્બરમાં સંભવિત વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રચાર માટે મધ્યપ્રદેશ આવેલા વી.કે.સિંહે ઈન્દોરમાં પત્રકાર સાથે વાતચીત દરમિયાન મોટું નિવેદન આપ્યું હતું. ગઈકાલે અનંતનાગમાં થયેલા હુમલા મામલે ગુસ્સે ભરાયેલા વી.કે.સિંહે પાકિસ્તાનને આડે હાથ લીધું…

ઉજ્જવલા યોજના હેઠળ દેશમાં ત્રણ વર્ષમાં 75 લાખથી વધુ એલપીજી કનેક્શન ફ્રી અપાશે

ઓનલાઈન અને પેપરલેસ કોર્ટનીં સ્થાપના કરવાના ઉદ્દેશ્ય હેઠળ રૂ.7210 કરોડના ઈ-કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટના ત્રીજા તબક્કાને મંજુરી અપાઈ નવી દિલ્હીકેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ભારતમાં જી20 શિખર સંમેલનની સફળતા પર આજે કહ્યું કે, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને જી20 સમિટના સફળ સમાપન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા છે, ઉપરાંત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં એક પ્રસ્તાવ પણ રજુ…

જે30 અમદાવાદ એટીએફ વર્લ્ડ ટેનિસ ટૂર ટૂર્નામેન્ટમાં વ્રજ ગોહિલને હરાવીને તનિષ્ક જાદવનો અપસેટ

અમદાવાદના નવરંગપુરાના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતેની એસીટીએફ કોર્ટ પર રમાઈ રહેલી જે30 અમદાવાદ એટીએફ વર્લ્ડ ટેનિસ ટૂર ટૂર્નામેન્ટના 13 સપ્ટેમ્બર 2023ના રોજ રમાયેલી મેચોના પરિણામ.