2023/24માં નજર રાખવા લાયક LALIGA EA સ્પોર્ટ્સ સ્ટાર્સ

તેથી પૃથ્વી પરના ઘણા શ્રેષ્ઠ ફૂટબોલરો 2023/24 સીઝનમાં સ્પેનમાં તેમનો વેપાર ચલાવશે. નવી LALIGA EA SPORTS સીઝન શરૂ થવામાં વધુ સમય નથી, સ્પર્ધાના સ્ટાર્સ 11મી ઑગસ્ટના સપ્તાહના અંતે, Matchday 1 થી જવા માટે તૈયાર અને દુર્લભ છે. ગોલ્ડન બોય પુરસ્કારના બે છેલ્લા સ્નાતકોથી લઈને નિયમિત બેલોન ડી’ઓર ઉમેદવારો સુધી, સ્પેનના ટોચના સ્તરમાં ઘણા બધા વિશ્વ-વર્ગના…

નારાયણ રાણેએ સાથી સાંસદને ગૃહમાં જ ધમકાવ્યા

સાંસદે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન અરવિંદ સાવંતને કહ્યું કે ‘ઓય બેસ નીચે… નવી દિલ્હીમંગળવારે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા વચ્ચે માહોલ ગરમ રહ્યો. મણિપુરમાં હિંસા મુદ્દે કેન્દ્ર સરકાર સામે આ અવિશ્વાસ પ્રસ્તાવ લવાયો છે જેના પર ચર્ચા થઇ રહી છે. આ દરમિયાન કેન્દ્રીયમંત્રી નારાયણ રાણે લોકસભામાં બોલતી વખતે નિયંત્રણ ગુમાવી બેઠા અને તેમના સાથી…

ટી20માં સુર્યકુમારે 100 સિક્સર પૂરી કરી

ભારત તરફથી રોહિત શર્મા અને વિરાટ કોહલી બાદ સૂર્યકુમાર યાદવ આ કારનામું કરનાર ત્રીજો ખેલાડી બોર્બાડોસભારતીય ટીમના વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવનું ફોર્મ આખરે વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર પરત ફરતું જોવા મળ્યું હતું. ટી20 સિરીઝની ત્રીજી મેચમાં સૂર્યાએ 44 બોલમાં 188ના સ્ટ્રાઈક રેટ સાથે 83 રનની શાનદાર મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. આના આધારે ટીમ ઈન્ડિયાએ…

કલમ 370 નાબૂદ કરવા પર બ્રેક્ઝિટ જેવા જનમતનો કોઈ પ્રશ્ન જ નથીઃ સુપ્રીમ

કલમ 370ની નાબૂદી બંધારણીય રીતે માન્ય હતી કે નહી તે અંગે કોર્ટ મૂલ્યાંકન કરી રહી છે નવી દિલ્હીસુપ્રીમ કોર્ટમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાને પડકારતી અરજીઓ પર સુનાવણી ચાલી રહી છે ત્યારે ગઈકાલે કોર્ટે મહત્વની ટિપ્પણી કરતા કહ્યું હતું કે કલમ 370 નાબૂદ કરવા પર બ્રેક્ઝિટ જેવા જનમતનો કોઈ પ્રશ્ન જ નથી કારણ કે કલમ 370ની…

ભૂસ્ખલનથી અમરનાથ યાત્રા અસ્થાયી રૂપે અટકાવાઈ

જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર વાહનોની અવાર જવર પણ ઠપ જમ્મુઆજે રામબન જિલ્લામાં ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવેને બંધ કરવામાં આવ્યો હતો, જેના કારણે જમ્મુથી શ્રીનગરની અમરનાથ યાત્રાને અસ્થાયી રૂપે અટકાવવામાં આવી હતી. જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર વાહનોની અવાર જવર પણ ઠપ થઇ ગઈ છે.રામબનમાં ભૂસ્ખલનના કારણે અમરનાથ યાત્રા પર જઈ રહેલા શ્રદ્ધાળુઓને સૌથી વધારે મુશ્કેલીનો…

સરકારે આઠ યુટ્યુબ ચેનલ પર પ્રતિબંધ લાદી દીધો

સરકાર સોશિયલ મીડિયા પર થઈ રહેલી ગતિવિધિઓ પર સતત નજર રાખી રહી છે તેમા પણ ખોટા સમાચારને લઈને સરકારે ખુબ જ કડક વલણ અપનાવ્યું નવી દિલ્હીસરકારે ગઈકાલે મોટી કાર્યવાહી કરતા આઠ યુટ્યુબ ચેનલો બંધ કરી દીધી છે. સરકારે ગઈકાલે કહ્યું કે તેણે લોકસભાની ચૂંટણી અને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન પર પ્રતિબંધ જેવા ખોટા સમાચાર ફેલાવવા પર…

ટી20માં 50 વિકેટ સૌથી ઝડપથી લેનારો કુલદીપ ભારતીય બોલર

ભારતીય ટીમ માટે અત્યાર સુધી કુલદીપે 30 ટી20 મેચ રમી ચૂકેલા કુલદીપે 14.28ની એવરેજથી 50 વિકેટ ઝડપી છે બાર્બાડોસભારતીય ક્રિકેટ ટીમના ચાઈનામેન લેફ્ટ આર્મ સ્પિનર કુલદીપ યાદવ માટે વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ અત્યાર સુધી ઘણો સારો રહ્યો છે. વનડે સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ કુલદીપ ટી20 સિરીઝમાં પણ શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. ભારતીય ટીમે વેસ્ટ…

ભારત છોડોની વર્ષગાંઠ ઊજવવા નિકળેલા તુષાર ગાંધીની અટકાયત

સાંતાક્રૂઝ પોલીસે થોડા સમય બાદ છોડી દીધા, તુષાર ગાંધીએ ટ્વીટ કરીને તમામ માહિતી શેર કરી મુંબઈમહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની મુંબઈમાં પોલીસે અટકાયત કરી છે. તુષાર ગાંધીએ પોતે ટ્વીટ કરીને અટકાયત કરી હોવાનો દાવો કર્યો છે. તુષારે ટ્વીટ કર્યું કે તેમની સાંતા ક્રુઝ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જોકે થોડા સમય બાદ તેમને છોડી…

હાર્દિકે વિજયી સિક્સર ફટકારી તિલક વર્માને ફિફ્ટીથી વંચિત રાખ્યો

તિલક વર્મા પાસે સતત બીજી ફિફ્ટી ફટકારવાની તક હતી, આવી હરકત પર સોશિયલ મીડિયા પર હાર્દિક ટ્રોલ થયો બાર્બાડોસભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રોવિડન્સમાં રમાયેલી ત્રીજી ટી20 મેચમાં ભારતે વિન્ડીઝને 7 વિકેટે હરાવ્યું હતું. જો કે વેસ્ટ ઈન્ડિઝ હજુ પણ ટી20 સિરીઝમાં 2-1થી આગળ છે. આ મેચના હીરો સૂર્યકુમાર યાદવ (83) અને તિલક વર્મા (49…

ગોપાલ કાંડાના ઘર અ ને ઓફિસો પર ઈડીના દરોડા

ગોપાલ કાંડા હરિયાણા લોકહિત પાર્ટીના મુખિયા છે, તેઓ હરિયાણાની ભાજપ અને જેજેપીની ગઠબંધન સરકારને બહારથી સમર્થન આપી રહ્યા છે ચંદિગઢએન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ હરિયાણાના ચર્ચિત ધારાસભ્ય ગોપાલ કાંડા પર દરોડા પાડ્યા છે. ઈડીની ટીમો સવારે 6 વાગ્યે તેમના ગુરુગ્રામના ઘરે અને એરલાઈન્સ કંપની એમડીએલઆર ઓફિસે પહોંચી હતી. જ્યાં કડક સુરક્ષા વચ્ચે તેના સ્થાને દસ્તાવેજોની ચકાસણી…

નૂહ રમખાણો સુનિયોજિત, રાજકીય પક્ષીની ભૂમિકાની તપાસ જરૂરીઃ દુષ્યંત ચૌટાલા

ડેપ્યુટી સીએમએ વહીવટી નિષ્ફળતાની વાત સ્વીકારતાં કહ્યું કે સરકારના અધિકારી કોઈપણ સ્થિતિનું યોગ્ય રીતે આકલન ન કરી શક્યા નવી દિલ્હીનૂહ રમખાણો મામલે ફરી એકવાર દુષ્યંત ચૌટાલાએ સરકાર સામે સવાલો ઊઠાવ્યા. તેમણે કહ્યું કે સરકાર નૂહમાં સ્થિતિનું સાચું અનુમાન લગાવવામાં જ નિષ્ફળ રહી છે. તેમણે કહ્યું કે જિલ્લા તંત્ર પાસે એવી માહિતી હતી કે ધાર્મિક સરઘસમાં…

આપના સાંસદ ટામેટાંની માળા પહેરીને સંસદ ગૃહમાં પહોંચ્યા

મોંઘવારી મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસમાં આપના સાંસદ સુશીલ ગુપ્તાએ અનોખી રીતે વિરોધ કર્યો નવી દિલ્હીરાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આપ સાંસદ સુશીલ ગુપ્તા ટામેટાંની માળા પહેરીને આવતાં મામલો બગડ્યો હતો. જેના બાદ ગૃહમાં ભારે હોબાળાની સ્થિતિ સર્જાઈ હતી અને જેના પગલે રાજ્યસભાની કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી. રાજ્યસભા બાદ લોકસભામાં…

રાહુલ ગાંધીએ રસ્તામાં અકસ્માતગ્રસ્ત સ્કૂટી ચાલકની મદદ કરી

કોંગ્રેસના નેતા સંસદ જવા નિકળ્યા ત્યારે રસ્તામાં એક સ્કૂટીને અકસ્માત થયો હોઈ તેમણે કાર રોકીને મદદ કરી નવી દિલ્હીલોકસભામાં આજે સતત બીજા દિવસે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ ચર્ચામાં સામેલ થયા છે. આજે કોંગ્રેસના નેતા તેમના નિવાસસ્થાનથી સંસદ જવા નીકળ્યા ત્યારે તેમની કાર અચાનક રોકાઈ ગઈ હતી. તેમની…

અભિનેતા પ્રકાશ રાજના કાર્યક્રમ બાદ છાત્રોએ હોલ ગૌમૂત્રથી સાફ કર્યો

સાઉથ એક્ટર પ્રકાશ રાજ કેન્દ્ર સરકાર વિરુદ્ધ ખૂબ જ અવાજ ઉઠાવી રહ્યા છે, તેમણે અનેક પ્રસંગોએ કહ્યું છે કે ભાજપ ધર્મના નામે લોકોને ડરાવે છે શિવમોગાસાઉથ સિનેમાના જાણીતા કલાકાર અને બોલીવૂડમાં નકારાત્મક ભૂમિકાઓ ભજવવા માટે પ્રખ્યાત એક્ટર પ્રકાશ રાજ તાજેતરમાં એક કાર્યક્રમ માટે કર્ણાટકના શિવમોગામાં આવેલી એક કોલેજ પહોંચ્યા હતા. મળેલા અહેવાલ અનુસાર કોલેજના વિદ્યાર્થીઓએ…

મોસ્કોને ટાર્ગેટ કરનારા યુક્રેનના બે ડ્રોન રશિયાએ તોડી પાડ્યા

આ ડ્રોનના કાટમાળ પડવાથી કોઈને ઈજા થઈ છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે મોસ્કોરશિયા પર યુક્રેનના ડ્રોન હુમલા રોકાવાનુ નામ નથી લઈ રહ્યા. ફરી એક વખત યુક્રેને રશિયા પર ડ્રોન હુમલો કર્યો છે.યુક્રેનને રશિયાની રાજધાની મોસ્કોને ટાર્ગેટ કરવા માટે મોકલેલા બે ડ્રોન રશિયાએ તોડી પાડ્યા છે. હવે એજન્સીઓ તપાસ કરી રહી છે કે,…

ભારત માતાની હત્યાના આરોપ પર સ્મૃતિની ટીપ્પણી, મણિપુર દેશનું અખંડિત અંગ

પહેલીવાર રાષ્ટ્રના ઈતિહાસમાં ભારત માતાની હત્યાની વાત થઈ અને કોંગ્રેસ તાળીઓ વગાડતી રહી, જે ભારતની હત્યા પર તાળી વગાડે છેઃ ભાજપનાં સાંસદ રાહુલ ગાંધીએ અવિશ્વાસ પ્રસ્તાવ પર આક્રમક વલણ અપનાવતા લોકસભામાં મોદી સરકાર સામે જોરદાર પ્રહાર કર્યા હતા. હવે તેની સામે સ્મૃતિ ઈરાનીએ તેમને સત્તાપક્ષ વતી જવાબો આપ્યા હતા. સ્મૃતિ ઈરાની પણ આ દરમિયાન આક્રમક…

રાહુલની ફ્લાઈંગ કિસ પર સ્મૃતિ ઈરાની વિફર્યા

રાહુલ ગાંધીએ બહાર નીકળતી વખતે અભદ્ર ઈશારો કર્યો, આવું માત્ર એક મહિલા દ્વેષી વ્યક્તિ જ કરી શકે છેઃ સ્મૃતિ નવી દિલ્હીકોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે લોકસભામાં મણિપુર વિવાદને લઈને ભાજપ પર જબરદસ્ત પ્રહારો કર્યા… તો રાહુલને વળતો જવાબ આપવા ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિએ ઈરાની પણ આક્રમક જોવા મળ્યા… લોકસભામાં રાહુલ ગાંધીનું ભાષણ બાદ…

ભાજપને દેશ છોડવા મજબૂર કરી દઈશુઃ મમતા બેનર્જી

ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પૂર્વોત્તર રાજ્યોની હાલત સુધારવામાં નિષ્ફળ રહી છે, ભગવા પાર્ટીએ દેશ છોડી દેવો જોઈએ કોલકાતાપશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ આજે મણિપુર હિંસા અંગે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પૂર્વોત્તર રાજ્યોની હાલત સુધારવામાં નિષ્ફળ રહી છે. ભગવા પાર્ટીએ દેશ છોડી દેવો જોઈએ.ઉલ્લેખનિય છે કે, મમતા…

રેલવે ટૂંક સમયમાં 2.4 લાખથી વધુ જગ્યાઓ પર ભરતી કરશે

ભરતીનો ઉદ્દેશ્ય મુખ્ય રુપે સુરક્ષા કર્મચારી, સહાયક સ્ટેશન માસ્ટર, બિન-તકનીકી લોકપ્રિય શ્રેણીઓ અને ટીકિટ ક્લેક્ટરની ભરતી કરાશે નવી દિલ્હીરેલવે દ્વારા જલ્દીથી 2.4 લાખથી વધુ જગ્યાઓ ભરવાની તૈયારી ચાલી રહી છે. તેનો ઉદ્દેશ્ય મુખ્ય રુપે સુરક્ષા કર્મચારી, સહાયક સ્ટેશન માસ્ટર (એએસએમ),બિન-તકનીકી લોકપ્રિય શ્રેણીઓ (એનટીપીસી)અને ટીકિટ ક્લેક્ટર (ટીસી)ની ભરતી થવાની છે.કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે રાજ્યસભામાં…

હરિયાણાના ત્રણ જિલ્લામાં મુસ્લિમ વેપારીઓ પર પ્રતિબંધ

આ પત્રોમાં કહેવામાં આવ્યું છે કે, અમારો ઈરાદો કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી, જે પેઢીઓથી અહીં રહી રહ્યા છે તેમને છોડીને હાલના વર્ષમાં અહીં રહેતા લોકોની ઓળખ ચકાસાશે ચંદિગઢહરિયાણાના ત્રણ જિલ્લા રેવાડી, મહેન્દ્રગઢ અને ઝજ્જરની પચાસથી વધુ પંચાયતોએ તેમના સંબંધિત વિસ્તારોમાં મુસ્લિમ વેપારીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા પત્રો જારી કર્યા છે. આ પચાસ પંચાયતોના…