હીરામણિ સાંધ્યજીવન કુટિરમાં સ્વાસ્થ્યની જાળવણી કવી રીતે રાખવી તેની માહિતી ડોક્ટરો દ્વારા અપાઈ
અમદાવાદ આજરોજ હીરામણિ સાંધ્યજીવન કુટિરમાં (વૃદ્ધાશ્રમ)માં રહેતાં વડીલોને કે.ડી. હોસ્પિટલનાં ડોક્ટરો દ્વારા ઢળતી ઉંમરે પોતાના સ્વાસ્થ્યની સંભાળ કેવી રીતે રાખવી તે બાબતે વિસ્તૃત રીતે પ્રેક્ટિકલ સમજ ડોક્ટરો દ્વારા આપવામાં આવી હતી. આ આરોગ્યલક્ષી સંભાળને સમજવા વૃદ્ધાશ્રમમાં રહેતાં 107 વડીલોએ હાજરી આપી હતી.
