એલએન્ડટી ફાઇનાન્સે કામગીરીના પ્રથમ વર્ષમાં ગુજરાતમાં રૂ. 400 કરોડથી વધુની એસએમઈ લોનનું વિતરણ કર્યું

અમદાવાદ દેશની અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓમાંની એક અને નાના તથા મધ્યમ કદના સાહસો (એસએમઈ)ના વિકાસને ટેકો આપતી એલએન્ડટી ફાઇનાન્સે (એલટીએફ) પ્રથમ વખત રૂ. 436 કરોડની એસએમઈ લોનનું વિતરણ કર્યું છે. ઉલ્લેખનીય છે કે 1 જુલાઈ, 2022ના રોજ કંપનીએ ગુજરાતમાં એસએમઈ ફાયનાન્સ બિઝનેસની શરૂઆત કરી હતી. આ લોન કંપનીના ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા, નવીનતા લાવવા અને ગુજરાત…

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલમાં દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં 40-50 વિદ્યાર્થીઓએ ભાગ લઈ દેશભક્તિની રચનાઓ પ્રસ્તુત કરી હતી.

અમેરિકાનું રેટિંગ ડાઉનગ્રેડ થતાં ભારતીય શેરબજારમાં મોટો કડાકો, રોકાણકારોને 3.51 લાખ કરોડ રૂપિયાનું નુકસાન

સેન્સેક્સમાં 676, નિફ્ટીમાં 207 પોઈન્ટનો ઘટાડો, ક્રેડિટ રેટિંગ એજન્સી ફિચે યુએસ ક્રેડિટ રેટિંગ એએએ થી ઘટાડીને એએ+ કરતા ભારત સહિત એશિયન-યુરોપિયન બજારોમાં ભારે કડાકો મુંબઈભારતીય શેર બજારમાં આજે બુધવારનો દિવસ બરબાદીનો દિવસ સાબિત થયો છે. આજે માર્કેટમાં જોરદાર કડાકો બોલ્યો છે. જેના કારણે રોકાણકારોની સંપ્તિતિમાં કરોડો રુપિયાનો ઘટાડો નોંધાયો છે. અમેરિકાના રેટિંગ ડાઉનગ્રેડની અસર વિશ્વભરના…

રાજકોટ સોની બજારમાંથી અલકાયદા સાથે સંકળાયેલા 3ની ધરપકડ

રાજકોટના સોની બજારમાં છેલ્લા છ મહિનાથી કારગીર બનીને રહેતાં ત્રણ શખ્સો આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા હોવાની એટીએસને બાતમી મળી હતી રાજકોટતાજેતરમાં જ અમદાવાદમાંથી અલકાયદા સાથે સંકળાયેલા શખ્સોને એટીએસએ ઝડપી પાડ્યા હતાં. હવે રાજકોટમાં એટીએસએ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. શહેરના સોની બજારમાં કારીગર તરીકે રહેતાં અને અલકાયદા સાથે સંકળાયેલા ત્રણ શખ્સોની એટીએસ દ્વારા ધરપકડ…

સેન્સેક્સમાં 68 અને નિફ્ટીમાં 59 પોઈન્ટનો ઘટાડો નોંધાયો

ઘટાડા બાદ રોકાણકારોની સંપત્તિ રૂ. 306.89 લાખ કરોડ થઈ, સોમવારે માર્કેટ બંધ રહ્યું ત્યારે બીએસએઈ માર્કેટ કેપ રૂ. 306.62 લાખ કરોડ હતું મુંબઈઓગસ્ટ મહિનાના પ્રથમ અને સપ્તાહનો બીજો કારોબારી દિવસ ભારતીય શેરબજાર માટે નિરાશાજનક રહ્યો હતો. વોલેટાલિટીના કારણે આજે ભારતીય શેરબજાર સાધારણ ઘટાડા સાથે બંધ થયું હતું. આજના ઘટાડા બાદ રોકાણકારોની સંપત્તિ રૂ. 306.89 લાખ…

પવન મુંજાલના ઘર અને ઓફિસો પર ઈડીના દરોડા

ઈડીએ પવન મુંજાલ વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ નોંધ્યો, આ પહેલા પણ હીરો મોટોકોર્પ પર કરચોરી અંગે દરોડા પાડવામાં આવ્યા હતા મુંબઈઈડીએ દેશની સૌથી મોટી ટુ-વ્હીલર કંપની હીરો મોટોકોર્પના એક્ઝિક્યુટિવ ચેરમેન પવન મુંજાલ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ આજે તેમના ઘર અને અલગ-અલગ ઓફિસો પર દરોડા પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે…

સેનામાં બ્રિગ્રેડિયર-ઉપરની રેન્કના અધિકારીઓના સમાન યુનિફોર્મ

આ ફેરફાર સેનામાં સામાન્ય ઓળખ અને સામાન્ય પાત્ર અને દૃષ્ટિકોણને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યો નવી દિલ્હીભારતીય સેનામાં આજથી એક નવો ફેરફાર અમલમાં આવ્યો છે. આ ફેરફાર હેઠળ હવે બ્રિગેડિયર અને તેનાથી ઉપરના રેન્કના તમામ અધિકારીઓ તેમની કેડર અને પ્રારંભિક પોસ્ટિંગને ધ્યાનમાં લીધા વિના સમાન યુનિફોર્મ પહેરશે. આ ફેરફાર સેનામાં સામાન્ય ઓળખ અને સામાન્ય પાત્ર…

છેલ્લા પાંચ વર્ષમાં અર્ધ લશ્કરી દળોમાંથી 50 હજારથી વધુ જવાનોએ નોકરી છોડી

છેલ્લા પાંચ વર્ષમાં અર્ધલશ્કરી દળોના 658 જવાનોએ આત્મહત્યા કરી, અર્ધલશ્કરી દળોના કાર્યકારી વાતાવરણ અને કલ્યાણને સુધારવા માટે સરકાર દ્વારા સતત પગલાં લેવામાં આવી રહ્યા હોવાનો દાવો નવી દિલ્હીસરકારે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં આ લેખિત માહિતી આપતા જણાવ્યું હતું કે, છેલ્લાં પાંચ વર્ષમાં કેન્દ્રીય પોલીસ સુરક્ષા દળો અને આસામ રાઈફલ્સમાં પચાસ હજારથી વધુ જવાનોએ નોકરી છોડી…

મણિપુરમાં સ્થિતિ રાજ્ય પોલીસના નિયંત્રણ બહાર છેઃ ડીવાય ચંદ્રચૂડ

મણિપુરમાં હિંસા સંદર્ભે 250ની ધરપકડ કરવામાં આવી છે, લગભગ 1200ની અટકાયત કરવામાં આવી હોવાની કોર્ટમાં કેન્દ્રની સ્પષ્ટતા નવી દિલ્હીમણિપુરમાં છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલી હિંસક ઘટનાઓ અંગે સુપ્રીમ કોર્ટે આજે ફરી સુનાવણી કરી હતી. અત્યાર સુધીની સુનાવણીમાં કોર્ટે સરકારને કરવામાં આવેલ કાર્યવાહી અંગે સવાલ પૂછ્યા હતા. ત્યારબાદ આજે કરવામાં આવેલ સુનાવણીમાં સીજેઆઈ ડીવાય ચંદ્રચુડે કહ્યું…

નૂંહમાં થયેલી હિંસા સાથે મારે કોઈ લેવાદેવા નથીઃ મોનુ માનેસર

બજરંગ દળના સભ્ય મોનુ માનેસર હરિયાણામાં ખાસ કરીને મેવાત પ્રદેશમાં ગાય સંરક્ષણનો મુખ્ય ચહેરો ગણવામાં આવે છે નૂંહહરિયાણાના નૂંહમાં થયેલી હિંસા અંગે મોનુ માનેસરનું પહેલું નિવેદન સામે આવ્યું છે. મોનુ માનેસરે મીડિયાને જણાવ્યું કે, હું ગઈકાલે નૂહ ગયો નહોતો. નૂંહમાં થયેલી હિંસા સાથે મારે કોઈ લેવાદેવા નથી. ઉલ્લેખનિય છે કે, નૂંહમાં શરૂ થયેલી હિંસા બાદ…

એલપીજીના કોમર્સિયલ સિલેન્ડરના ભાવમાં 99.75 રૂપિયાનો ઘટાડો

જુલાઈમાં ઓઈલ કંપનીઓ દ્વારા 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 7 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો નવી દિલ્હીઓઈલ કંપનીઓએ આજથી એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યો છે. 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં હવે 99.75 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સાથે દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમત 1680 રૂપિયા પહોંચી ગઈ છે.ઓઈલ કંપનીઓ દર મહિનાની…

રાહુલ ગાંધીએ આઝાદપુર મંડીની મુલાકાત લીધી, લોકો સાથે વાત કરી

આઝાદપુર મંડીથી શાકભાજી વેચનારનો વીડિયો વાયરલ થયો નવી દિલ્હીતાજેરતના દિવસોમાં શાકભાજીના ભાવ આસમાને જોવા મળી રહ્યા છે. આ વધતા જતા ભાવની વચ્ચે આજે સવારે 4 વાગ્યે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આઝાદપુર મંડીની મુલાકાત લીધી હતી. ફક્ત એટલું જ નહીં તેમણે શાકભાજીના ભાવ અંગે લોકો સાથે વાતચીત પણ કરી હતી.થોડા સમય પહેલા આઝાદપુર મંડીથી શાકભાજી…

મણિપુરમાં 10 હજાર માસુમ સહિત 50 હજારથી વધુ લોકો રાહત શિબિરમાઃ ખડગે

મહિલાઓ માટે સુવિધાઓનો અભાવ છે, સાથે જ લોકોને દવાઓ અને ખોરાકની અછતનો સામનો કરવો પડી રહ્યો છે નવી દિલ્હીમણીપુર હિંસા અંગે વિપક્ષ મોદી સરકારને સતત ઘેરી રહ્યો છે. હવે વિપક્ષી દળોનું પ્રતિનિધિમંડળ મણિપુર પ્રવાસથી પરત ફર્યું છે, ત્યારબાદ તમામ નેતાઓ પોતાના અનુભવો જણાવી રહ્યા છે. આ સાથે રાજ્યમાં સ્થિતિ કેટલી બગડી રહી છે તેનો ચિતાર…

યુક્રેનને મોસ્કોના સરકારી બિલ્ડિંગને ડ્રોનથી નિશાન બનાવ્યું

યુક્રેનના આ હુમલાથી મોસ્કોમાં અરાજકતા, હુમલા બાદ રાજધાની મોસ્કોના વનુકોવો એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યું મોસ્કોરશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ વિવાદ ફરી એકવાર વધતો જોવા મળી રહ્યો છે. રશિયન હુમલા બાદ હવે યુક્રેન જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. યુક્રેને આજે ફરી એકવાર રશિયાની રાજધાની મોસ્કો પર ડ્રોન વડે હુમલો કર્યો છે.યુક્રેનિયન ડ્રોને મોસ્કોમાં એક…

ચીનમાં ભારે વરસાદથી પૂર, બેઈજિંગમાં સૌથી માઠી આસર

બેઈજિંગમાં અસંખ્ય કારો પુરના પાણીમાં તણાઈ ગઈ, વિશેષત: પશ્ચિમ બેઈજિંગ અને આસપાસના વિસ્તારો જળમગ્ન બની ગયા બેઈજિંગચીનમાં છેલ્લા કેટલાએ દિવસોથી અનરાધાર વર્ષા થઈ રહી છે. તેમાં આજે (સોમવારે) તો સવારથી શરૂ થયેલી એકધારી વર્ષાએ હાહાકાર મચાવી દીધો છે. પશ્ચિમ બેઈજિંગમાં તો વરસાદનું જોર અત્યંત વધી ગયું છે. તેથી નદીમાં પૂર આવ્યા છે. અચાનક જ આવેલા…

તાજિયા જુલુસ દરમિયાન તિરંગા સાથે છેડછાડ બદલ 18ની ધરપકડ

ધ્વજમાં અશોક ચક્રના સ્થાને ઊર્દૂમાં કેટલાક શબ્દો લખવામાં આવ્યા હતા અને નીચે તલવારનું ચિન્હ હતું મેદીનીનગર (ઝારખંડ) :ઝારખંડના પલામુ જિલ્લામાં તાજીયાના સરઘસ દરમિયાન રાષ્ટ્રધ્વજ સાથે છેડછાડ કરવાની હકીકત બહાર આવી છે. તે બાબતે ૧૮ લોકોની ધરપકડ કરાઈ છે. તેઓની વિરુદ્ધ એફ.આઈ.આર. પણ દાખલ થઈ છે.આ માહિતી આપતાં એડીશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ઋષભ ગર્ગે પત્રકારોને જણાવ્યું…

હરિયાણામાં હિંસાને લઈને એલર્ટ, શાળા-કોલેજો બંધ, કલમ-144 લાગુ

જિલ્લામાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી, અર્ધલશ્કરી દળોની કંપનીઓ પણ તૈનાત કરવામાં આવી ચંદિગઢહરિયાણાના નૂહમાં બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણને લઈને વહીવટીતંત્ર એલર્ટ પર છે. તણાવને ધ્યાનમાં રાખીને જિલ્લા ડેપ્યુટી કમિશનર પ્રશાંત પંવારે સાંજે કલમ 144 લાગુ કરી દીધી હતી. બીજી તરફ આ હિંસાને પગલે ફરીદાબાદમાં શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ…

ક્રૂડ ઓઈલ પરના વિન્ડફોલ ટેક્સમાં પ્રતિ ટન 1600 રૂપિયાનો વધારો

અગાઉ 15 જુલાઈએ સરકારે ફરીથી પેટ્રોલિયમ ક્રૂડ પર વિન્ડફોલ ટેક્સ લગાવ્યો હતો, 1લી ઓગસ્ટથી અમલ નવી દિલ્હીકેન્દ્ર સરકારે આજથી ઓઈલ કંપનીઓને મોટો ઝટકો આપ્યો છે. સરકારે ક્રૂડ ઓઈલ પરના વિન્ડફોલ ટેક્સમાં વધારો કર્યો છે. સરકારે ક્રૂડ ઓઈલ પર એસએઈડી (સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યુટી) વિન્ડફોલ ટેક્સ 1600 રૂપિયા પ્રતિ ટનથી વધારીને 4250 રૂપિયા પ્રતિ ટન કર્યો…

સીમા પાસેથી નકલી દસ્તાવેજો મળતા ફોર્જરીનો કેસ થઈ શકે છે

પબજીથી સીમાએ એકલા સચિન જ નહીં અનેક દિલ્હીમાં રહેતા છોકરાઓ સાથે મિત્રતા કરી હોવાનો દાવો કરાઈ રહ્યો છે નોઈડાસીમા હૈદરનું નામ અત્યારે આખા દેશમાં ચર્ચિત રહ્યું છે. કારણ કે એક બાજુ પબજી ગેમ રમતા રમતા તે ભારતીય યુવક સચિનના પ્રેમમાં પડ્યો હતો. તો બીજી બાજુ ખોટા દસ્તાવેજો બતાવી તેણે ભારતમાં પ્રવેશ કર્યો હતો. હવે પ્રાપ્ત…