કન્ફર્મ ટિકિટ છતાં અમૃતપાલની પત્નીને યુકે જતા અટકાવાઈ

તેને પહેલા 20 એપ્રિલે અમૃતસરના એરપોર્ટ પર ત્યારબાદ 14 જુલાઈ અને 19 જુલાઈના રોજ દિલ્હીના  દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રોકવામાં આવી ચંડીગઢ આસામની ડિબ્રુગઢ જેલમાં બંધ વારિસ પંજાબ દે ચીફ અમૃતપાલ સિંહની પત્ની કિરણદીપ કૌરને કન્ફર્મ ટિકિટ હોવા છતાં ત્રીજી વખત ભારત છોડીને યુકે જતા અટકાવવામાં આવી છે. તેને પહેલા 20 એપ્રિલે અમૃતસરના…

અભિનેતા રણદીપ હુડ્ડાએ પૂરના પાણીમાં ઊતરીને લોકોને મદદ કરી

રણદીપે સોશ્યલ મીડિયા પર આ સંબંધિત એક પોસ્ટ શેર કરી, ચાહકો તેની ભરપુર પ્રસંશા કરી રહ્યા છે નવી દિલ્હી છેલ્લા કેટલાક દિવસોથી દેશના અનેક રાજ્યોમાં પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ઘણા શહેરો અને ગામડાઓની હાલત ખુબ જ ખરાબ છે. દિલ્હી પણ પૂરની પકડમાંથી બચી શકી નથી. પરંતુ આવા મુશ્કેલ સમયમાં ઘણા લોકો પૂર…

યુએઈમાં હિંદુ મંદિર તૈયાર થવાના આરે, ફેબ્રુઆરીમાં ભક્તો માટે ખુલ્લું મુકાશે

આ મંદિર વૈશ્વિક સદભાવનુ આધ્યાત્મિક કેન્દ્ર બનશે, આ મંદિર થકી ભારતની કલા, મૂલ્યો અને સંસ્કૃતિને યુએઈમાં લાવવામા મદદ મળશે અબુધાબી યુએઈમાં રહેતા હિન્દુ ભાવિકો માટે સ્વામીનારાયણ સંપ્રદાય બીએપીસ દ્વારા બનાવવામાં આવી રહેલુ હિન્દુ મંદિર તૈયાર થવાના આરે છે અને ફેબ્રુઆરીમાં તે ભકતો માટે ખુલ્લુ મુકાશે. ભવ્ય મંદિરનો શાનદાર ઉદઘાટન સમારોહ થશે અને મંદિરના પ્રતિનિધિઓનુ કહેવુ…

ભારતમાં ધાર્મિક ભેદભાવ ભયાનક સ્તરે પહોંચી ચુકયો છેઃ કુપર

અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગના પ્રમુખ રબ્બી અબ્રાહમ કુપરે ભારત સામે ઝેર ઓક્યું નવી દિલ્હી પીએમ મોદીની અમેરિકા યાત્રા બાદ બંને દેશો એક બીજા સાથેના સબંધો મજબૂત થઈ રહ્યા હોવાનો દાવો કરી રહ્યા છે પણ અમેરિકાની સંસ્થાઓ ભારત સામે ઝેરીલા નિવેદનો આપવામાંથી બાજ આવી રહી નથી. અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગના પ્રમુખ રબ્બી અબ્રાહમ કુપરે…

ઈસ્કોન બ્રિજ પર ચાર કાર અથડાઈ, કોઈને ગંભીર ઈજા નથી થઈ

ઘટનાની જાણ થતા જ ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી, બ્રિજ પર અકસ્માતની ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો અમદાવાદ  શહેરના ઈસ્કોન બ્રિજ પર મોડી રાત્રે થયેલા અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. અકસ્માતની ઘટનાથી સૌ કોઈ હચમચી ગયું છે. ત્યારે બ્રિજ પર અકસ્માતમાં 9 લોકોએ જીવ ગુમાવ્યો ત્યાં ફરી ગણતરીના કલાકોમાં વધુ એક અકસ્માતની…

ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહિમને ફરી 30 દિવસનાં પૈરોલ

રામ રહીમ રોહતકની સુનારિયા જેલમાંથી બહાર આવશે, કોર્ટે રામ રહીમને સિરસા ડેરામાં જવાની પરવાનગી આપી નથી નવી દિલ્હી દુષ્કર્મ અને હત્યાનાં ઢગલાબંધ આરોપમાં જેલમાં સજા કાપી રહેલા જાણીતા સંત અને ડેરા સચ્ચા સૌદાનાં વડા ગુરમીત રામ રહિમે ફરી એકવાર 30 દિવસની પૈરોલ મળી છે. થોડા સમય બાદ રામ રહીમ રોહતકની સુનારિયા જેલમાંથી બહાર આવશે.  કોર્ટે…

સોનાની કિંમત તોલાએ 60 હજારની નજીક, ચાંદી 75 હજાર રુપિયાને પાર

બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાની કિંમત 152 રૂપિયા વધીને 59,908 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ નવી દિલ્હી આજે બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (આઈબીજેએ)ની વેબસાઈટ અનુસાર આજે બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાની કિંમત 152 રૂપિયા વધીને 59,908 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. જયારે…

સરકારની ચર્ચાની તૈયારી છતાં વિપક્ષોના હોબાળા બાદ સંસદના બન્ને ગૃહની કાર્યવાહી સ્થગિત

સત્ર શરૂ થયા બાદ વિપક્ષોએ ગંભીર ઘટના મુદ્દે વડાપ્રધાનના મૌન પર સવાલ ઊઠાવી હંગામો મચાવ્યા બાદ બંને ગૃહોની કાર્યવાહી શુક્રવાર સુધી સ્થગિત કરાઈ નવી દિલ્હી મણિપુરમાં એક સમુદાયની બે મહિલાઓને કપડાં વગર નગ્ન હાલતમાં ખુલ્લેઆમ પરેડ કરાવવા બદલ દેશભરમાં ગુસ્સો વ્યાપી ગયો છે. આ વીડિયો સામે આવ્યા બાદ સંસદમાં વિપક્ષે મણિપુર મુદ્દે વડાપ્રધાનના મૌન પર…

વાહનોની ચોરીના આરોપમાં 15 ભારતીય કેનેડિયનની ધરપકડ કરાઈ

આ ટોળકી માલસામાન ભરેલા ટ્રકની ચોરી કરતી હતી અને પછી ચોરી કરેલી વસ્તુઓને અજાણ્યા લોકોને વેચી મારતી હતી ટોરેન્ટો અને તેની આજુબાજુના શહેરોમાં કરોડો ડોલરના ઓટો અને માલસામાન લઈ જતા વાહનોની ચોરી કરવાના આરોપમાં 15 ભારતીય કેનેડિયનની ધરપકડ કરાઈ છે. તેમાં મોટાભાગના બ્રામ્પટનના પંજાબી છે. આ ટોળકી માલસામાન ભરેલા ટ્રકની ચોરી કરતી હતી અને પછી…

સીમા હૈદર પાસે બે પાસપોર્ટ, બન્નેમાં જન્મ તારીખ જુદી

કડક પુછપરછ અને તપાસ એજન્સીઓની સઘન તપાસ છતાં સીમા પાકિસ્તાની જાસૂસ હોવાના નક્કર પુરાવા ન મળ્યા ગ્રેટર નોઈડા  પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરને લઈને હવે શંકાઓ વધુ પ્રબળ બની રહી છે. ચાર બાળકો સાથે દુબઈ અને નેપાળના રસ્તે ભારતમાં આવેલી સીમા હૈદર પર પાકિસ્તાનની જાસૂસ હોવાની શંકા છે. યુપી એટીએસે સીમા હૈદર તેના બાળકો અને…

તમામ કેડરના ક્લાસ વન અધિકારીને વિદેશમાં અભ્યાસની તક મળશે

નીતિ લાગુ કરવામાં આવશે તો ક્લાસ વન આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ, આઈએફએસ, જીએએસ, જીપીએસઅને અન્ય કેડરના ઓફિસર્સ જેમ કે સચિવાલય સહિતના વિભાગને પણ લાગુ પડશે ગાંધીનગર ગુજરાત સરકાર એવી નીતિ રજૂ કરી શકે છે, જેનાથી તમામ કેડરના ક્લાસ વન અધિકારીને વિદેશ જઈને અભ્યાસ કરવાની તક મળી શકે છે. અધિકારીઓને વિવિધ સ્કીલ્સ હૈઠળ તૈયાર કરીને તંત્રને સારુ…

સીમા-સચિન સાત દિવસ ઓળખ છુપાવી નેપાળની હોટલમાં રોકાયા હતા

સીમા-સચિન મોટાભાગે રુમમાં જ બંધ રહ્યા હતા, ક્યારેક ક્યારેક સાંજે તેઓ બહાર જતા હતા અને હોટલ બંધ થાય એ પહેલાં રુમમાં આવી જતા હોવાનો હોટલ માલિકનો ખુલાસો ગ્રેટર નોઈડા  પાકિસ્તાનથી ચાર બાળકોને લઈને ભારત આવેલી સીમા હૈદર હાલ ખૂબ જ ચર્ચામાં છે. સીમા હૈદર ડેરિંગવાળી મહિલા હોવાનું પણ સાબિત થયું છે. કારણ કે તે એકલી…

નોઈડામાં કલમ 144 હેઠળ જાહેર મેળાવડા પર પ્રતિબંધ મૂકાયો

નોઈડા અને ગ્રેટર નોઈડામાં જાહેર સ્થળો અને રસ્તાઓ પર નમાઝ, પૂજા અથવા સરઘસ જેવી કોઈ પણ અનુમતિ વગરની ધાર્મિક પ્રવૃત્તિ ન કરવા આદેશ નોઈડા નોઈડા પોલીસે બુધવારે ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 144 હેઠળ જાહેર મેળાવડા પર પ્રતિબંધ મૂક્યો હતો. નોઈડા અને ગ્રેટર નોઈડામાં જાહેર સ્થળો અને રસ્તાઓ પર નમાઝ,…

ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા “આંતરરાષ્ટ્રીય ચેસ ડે” (20મી જુલાઈ)ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી

ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત “આંતરરાષ્ટ્રીય ચેસ ડે” (20મી જુલાઈ) નિમિત્તે ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા ચિલ્ડ્રન યુનિવર્સિટીના સહયોગથી 4 થી 18 વર્ષના બાળકો માટે ઓનલાઈન ફ્રી કોચિંગ માટે રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. ખેલાડીઓ નીચેની લિંક પર ક્લિક કરીને 15મી ઓગસ્ટ, 2023 સુધી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. https://web.cugujarat.ac.in/Tournament ગુજરાતના જાણીતા ચેસ કોચ દ્વારા 16મી…

બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે તેની પ્રથમ ઇક્વિટી સ્કીમ લોન્ચ કરી – બજાજ ફિનસર્વ ફ્લેક્સી કેપ ફંડ

લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ શેરોમાં રોકાણ કરતી ઓપન એન્ડેડ ઈક્વિટી સ્કીમ મુખ્ય બાબતોઃ ·       એનએફઓ 20 જુલાઈ, 2023ના રોજ ખુલે છે અને 7 ઓગસ્ટ, 2023ના રોજ બંધ થાય છે ·       યોજનાનો ઉદ્દેશ્ય મેગાટ્રેન્ડ્સને ઓળખવાનો અને લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ શેરોની તકોમાં રોકાણ કરવાનો છે. ·       યોજના લાંબા ગાળાની, મલ્ટી-થિમેટિક, મલ્ટી-કેપ, મલ્ટી-સેક્ટર અને અભિગમમાં વૃદ્ધિ લક્ષી હશે ·       ઇન્વેસ્ટમેન્ટ ફિલસૂફી InQuBe પર આધારિત છે – એક ઇન-હાઉસ ફ્રેમવર્ક કે જે…

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને શ્રીમતી નીતા અંબાણી ‘ધ મેટ’માં રજૂ કરે છે 600 વર્ષનો ભારતીય ઇતિહાસ

‘ટ્રી એન્ડ સર્પન્ટઃ ભારતમાં પ્રારંભિક બુદ્ધિસ્ટ કળા, ઈ.સ. પૂર્વે 200થી ઇ.સ.400’ 21 જુલાઈથી શરૂ થશે ન્યૂ યોર્ક ‘ટ્રી એન્ડ સર્પન્ટઃ ધ અર્લી બુદ્ધિસ્ટ આર્ટ ઇન ઇન્ડિયા, ઇ.સ.પૂર્વે 200 – ઇ.સ. 400’ ધ મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ (ધ મેટ) ખાતે 21 જુલાઈથી શરૂ થઈ રહ્યું છે. બૌદ્ધ કળાની ઉત્પત્તિને આલેખતા આ અદભૂત પ્રદર્શનનું આયોજન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને ભારતીય પરોપકારી…

ચમોલીમાં ટ્રાન્સફોર્મર ફાટતાં વીજકરંટથી 15 જણાનાં મોત

નમામિ ગંગેના સીવર ટ્રીટમેન્ટ પ્લાન્ટની નજીક કરંટ ફેલાઈ ગયો, સાતથી વધુ લોકો દાઝ્યા ચમોલીઉત્તરાખંડના ચમોલીથી એક આંચકાજનક અહેવાલ આવ્યા છે. અહીં નમામિ ગંગે પ્રોજેક્ટ દરમિયાન ટ્રાન્સફોર્મર ફાટવાથી વીજકરંટ લાગવાની ઘટના બની હતી. જેમાં 15 લોકોના મોત સાથે 7થી વધુ લોકો દાઝી ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. માહિતી અનુસાર નમામિ ગંગેના સીવર ટ્રીટમેન્ટ પ્લાન્ટની નજીક…

સરકાર બનશે તો એક જ દિવસમાં રશિયા-યુક્રેન યુધ્ધનો અંત લાવીશઃ ટ્રમ્પ

રાષ્ટ્રપતિ બાયડેન સહિત અન્ય નેતાઓ પાસે આ મામલાને પહોંચી વળવા માટે પૂરતી તાકાત ન હોવાનો પૂર્વ રાષ્ટ્રપતિનો દાવો વોશિંગ્ટનઅમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે જો તેમની સરકાર બનશે તો તેઓ એક જ દિવસમાં રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવી શકે છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ બાયડેન સહિત અન્ય નેતાઓ પાસે…

એઆઈના ખતરા અંગે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદએ પ્રથમ બેઠક યોજી

યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે એઆઈના ઉપયોગને નિયંત્રિત કરવામાં મદદ કરવા માટે એક નવી આંતરરાષ્ટ્રીય સંસ્થાની રચના કરવાની પહેલ કરી વોશિંગ્ટનસંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદએ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સ્થિરતા માટે એઆઈ દ્વારા ઊભા થયેલા ખતરા અંગે પ્રથમ બેઠક યોજી હતી, જેમાં યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે એઆઈના ઉપયોગને નિયંત્રિત કરવામાં મદદ કરવા માટે એક નવી આંતરરાષ્ટ્રીય સંસ્થાની રચના…