રેસિડેન્ટ ડૉક્ટરોની ફરિયાદ પર આરોગ્ય મંત્રીની ત્વરિત કાર્યવાહી, સાઇકિયાટ્રી વિભાગના એસોસિએટ પ્રોફેસરની બદલી

વડોદરા SSG હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન મળી હતી ગંભીર ફરિયાદો : ડૉ. ચિરાગ બારોટની વડોદરાથી ભાવનગર બદલી અમદાવાદ/વડોદરા વડોદરાની સરકારી મેડિકલ કોલેજ અને SSG હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન સાઇકિયાટ્રી વિભાગના રેસિડેન્ટ ડૉક્ટરો દ્વારા કરવામાં આવેલી ગંભીર ફરિયાદને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ તાત્કાલિક ધોરણે ગંભીરતાથી લીધી છે. રેસિડેન્ટ ડૉક્ટરોની લેખિત રજૂઆત બાદ આરોગ્ય અને પરિવાર…

વડોદરાની સરકારી હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઓચિંતી મુલાકાત, દર્દીઓની સુવિધાનું સ્થળ પર નિરીક્ષણ

HOD, તબીબો, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને દર્દીઓ સાથે સીધો સંવાદ; સેનિટેશન, સ્ટ્રેચર, પંખા સહિતની પાયાની સુવિધાઓ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના વડોદરા રાજ્યમાં આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ, સુલભ અને માનવતાસભર બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ વડોદરાની સરકારી હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લઈ વિવિધ વિભાગોની વ્યવસ્થાનું…

‘દ્વિતીય સ્વાસ્થ્ય પરિષદ’ની 26 ભલામણોના ઝડપી અમલીકરણ માટે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક

ભલામણો કાગળ પર નહીં, જમીની સ્તરે પરિણામલક્ષી રીતે અમલમાં આવે તે જરૂરી: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા ગાંધીનગર: રાજ્યની આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવી છેવાડાના નાગરિકો સુધી ત્વરિત અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સુવિધાઓ પહોંચાડવાના હેતુથી સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ‘દ્વિતીય સ્વાસ્થ્ય પરિષદ’ની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં પરિષદ દરમિયાન રજૂ થયેલી ૨૬…

ગુજરાતમાં મોસમી રોગચાળો નિયંત્રણમાં, H1N1 સામે આરોગ્ય વિભાગ સજ્જ

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક; 2019ની H1N1 ગાઇડલાઇન મુજબ સેમ્પલિંગ, ટેસ્ટિંગ અને સારવારનું પાલન કરવા સૂચના ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા પર મેળવેલા નિયંત્રણ તથા સીઝનલ ફ્લૂ એટલે કે H1N1 સામેની આગોતરી તૈયારીઓની સમીક્ષા કરવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. વીડિયો કોન્ફરન્સના…

વરાછા ફૂડ પોઈઝનિંગ: આરોગ્ય મંત્રીની તાત્કાલિક કાર્યવાહી, રેસ્ટોરન્ટ સીલ કરવાની સૂચના

પાંચ વર્ષીય બાળકીના મોતથી ખળભળાટ; અસરગ્રસ્ત પરિવારને શ્રેષ્ઠ સારવાર આપવા આરોગ્ય વિભાગને આદેશ સુરત સુરતના વરાછા વિસ્તારમાં રેસ્ટોરન્ટમાંથી મંગાવેલા પંજાબી શાકનું સેવન કર્યા બાદ એક જ પરિવારના પાંચ સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આ ઘટનામાં પાંચ વર્ષીય બાળકી આર્યાનું દુઃખદ અવસાન થયું છે, જ્યારે પરિવારના અન્ય ચાર સભ્યોની પુણાગામ…

રાત્રે ૧૧ વાગ્યે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અંકલેશ્વર CHC સેન્ટરની ઓચિંતી મુલાકાત

૮૦મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પૂર્વે આરોગ્ય સેવાઓની વ્યવસ્થાનું સ્થળ પર નિરીક્ષણ; દર્દીઓને સમયસર અને ગુણવત્તાયુક્ત સારવાર મળે તે માટે જરૂરી સૂચનાઓ ભરૂચ: ભરૂચ જિલ્લામાં ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પૂર્વે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ મોડી રાત્રે અંકલેશ્વર ખાતે આવેલ CHC સેન્ટરની ઓચિંતી મુલાકાત લીધી હતી. રાત્રે ૧૧ વાગ્યે કરવામાં આવેલી આ મુલાકાત દરમિયાન…

સાવરકુંડલાના જુના સાવર ખાતે રૂ. 1.30 કરોડના ખર્ચે અદ્યતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે લોકાર્પણ; મેડિકલ ફેસિલિટી, ઈમરજન્સી સારવાર, મમતા ક્લિનિક અને ઓપરેશન થિયેટર સહિતની સુવિધાઓથી ગ્રામ્ય વિસ્તારોને મળશે ગુણવત્તાસભર આરોગ્ય સેવા સાવરકુંડલા: અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જુના સાવર મુકામે રૂ. 1.30 કરોડના ખર્ચે નિર્માણ પામેલા અદ્યતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવા આરોગ્ય કેન્દ્રના કાર્યરત થતાં…

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ સામે આરોગ્ય તંત્ર એલર્ટ, 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ

22 બાળકોના મોત, 7 દર્દીઓ સારવાર હેઠળ; અફવાઓથી દૂર રહી સાવચેતી રાખવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અપીલ અમદાવાદ: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણ સતર્ક બન્યા છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ચાંદીપુરા વાયરસની વર્તમાન સ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું કે રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલા તમામ શંકાસ્પદ કેસો ચાંદીપુરાના નથી. અત્યાર…

સુરતમાં અંગદાતા સ્વ. મનુ ડોબરીયાને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ભાવભીની શ્રદ્ધાંજલિ

પી.પી. માણિયા હોસ્પિટલની મુલાકાત લઈ ડોબરીયા પરિવારના માનવતાભર્યા નિર્ણયને બિરદાવ્યો; અંગદાન અંગે વ્યાપક જનજાગૃતિ માટે સમાજને આગળ આવવા અપીલ સુરતગુજરાત સરકારના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સુરતની પી.પી. માણિયા હોસ્પિટલની મુલાકાત લઈ અંગદાતા સ્વર્ગસ્થ મનુ લાલજી ડોબરીયાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન તેમણે ડોબરીયા પરિવાર દ્વારા દુઃખની ઘડીમાં લેવામાં આવેલા અંગદાનના માનવતાભર્યા અને પ્રેરણાદાયી…

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને સરકાર એલર્ટ, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની સમીક્ષા બેઠક

રાજ્યમાં 63 શંકાસ્પદ કેસ નોંધાયા, 12 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ; અસરગ્રસ્ત વિસ્તારોમાં હેલ્થ સ્ક્રીનિંગ અને ડસ્ટિંગ અભિયાન તેજ ગાંધીનગર: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના વધતા શંકાસ્પદ કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર સંપૂર્ણપણે સતર્ક બની છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં રાજ્યની વર્તમાન સ્થિતિ, વાયરસના સંક્રમણની સ્થિતિ, સારવારની તૈયારીઓ અને નિયંત્રણ માટે લેવામાં આવેલા પગલાઓની…

‘ભગત-ભુવા નહીં, સીધા હોસ્પિટલ જાઓ’: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આશા વર્કરોને આપ્યો જનજાગૃતિનો સંદેશ

સુરતના ઓરણા ગામના PHC ખાતે આશા વર્કરો સાથે સંવાદ; વરસાદી ઋતુમાં સાપ-વીંછી કરડવાના કેસમાં અંધશ્રદ્ધા છોડીને તાત્કાલિક સારવાર લેવા અપીલ સુરત સુરત જિલ્લાના ઓરણા ગામ સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આશા વર્કર બહેનો સાથે વિશેષ આરોગ્ય જાગૃતિ સત્ર યોજ્યું હતું. આ દરમિયાન તેમણે વરસાદી ઋતુમાં વધતા સાપ અને વીંછી…