કૃષ્ણ-સુદામા મિલન, દ્વારકાનાનાથ દ્વારા દ્વારકાને ડૂબાડી દેવાથી લઈને, પારઘીના બાણથી વિંધાઈને સમાધિસ્થ કૃષ્ણના પ્રસંગો સાથે ભાગવદકથાને વિશ્રામ

માતૃ વંદનાઃ હરિદ્વારમાં ભાગવદ કથાનો સાતમો દિવસઃ સુદામા સાથે કૃષ્ણના મિલન આડેના વિઘ્નોથી લઈને પારઘી દ્વારા છોડાયેલા તીરથી વિંધાઈને કૃષ્ણના સમાધિસ્થ થવાના પ્રસંગોને શાસ્ત્રી જયેન્દ્ર વ્યાસે એ રીતે વર્ણવ્યા કે શ્રોતાઓની આંખોમાં આંસુ આવી ગયા હરિદ્વાર કૃષ્ણ દ્વારકાના નાથ તરીકે ફરજ બજાવવા સાથે પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે ત્યાં તેમના બાળપણના સખા (મિત્ર) સુદામાં…

ગોકુળમાં કનૈયાની રાસ લીલા, જરાસંઘ અને કંસ વધથી લઈને દ્વારકાના નાથ બનવા સુધીની કૃષ્ણની રોમાંચક સફરને શાસ્ત્રી જયેન્દ્ર વ્યાસજી રજૂ કરી

માતૃ વંદનાઃ હરિદ્વારમાં ભાગવદનો છઠ્ઠો દિવસઃ ગોપીઓ સાથેની કાનાની લીલા, કાનાને ગોકુળ ન છોડવા ગોપીઓની કાકલૂદીનું શાસ્ત્રીજી દ્વારા સુંદર વર્ણન, પંચાલ પરિવારે ઋક્ષમણિ વિવાહ યોજીને ભાવિકોને મોજ કરાવી હરિદ્વાર કૃષ્ણની લીલા અપરંપાર છે. ગોપીઓની મટકી ફોડીને છેડતી કરનારા કાના એ યોજેલા હોળી ઉત્સવમાં એક ગોપીને તેનો પતિ મોકલતો નથી તો કેવી યુક્તિથી કાનો ગોપીને છોડાવે…

માખણચોરથી ગોવર્ધનને ટચલી આગળીથી ઊંચકવાની કનૈયાની લીલા ભાવિકોએ માણી, છપ્પનભોગનો આનંદ લીધો

માતૃ વંદનાઃ હરિદ્વારમાં ભાગવદનો પાંચમો દિવસઃ શાસ્ત્રી જયેન્દ્ર વ્યાસે માખણચોર બાળ કનૈયાની નટખટ હરકતોથી લઈને ગામજનોને વરૂણના પ્રકોપથી બચાવવા ગોવર્ધનને ઊંચકવાના બહાદૂરીભર્યા ચમત્કારિક પ્રસંગો વર્ણવ્યા હરિદ્વાર ભાગવદમાં કૃષ્ણલીલાનું સુંદર આલેખન કરાયું છે. નટખટ માખણચોર કૃષ્ણ અને ગોપીઓના અનેક પ્રેમની ભક્તિના પ્રસંગોને શાસ્ત્રી જયેન્દ્ર વ્યાસે એવી ખુબી સાથે રજૂ કર્યા કે શ્રોતાઓને મોજ પડી ગઈ. કથા…

રામાઅવતારથી કૃષ્ણાવતારની શાસ્ત્રી જયેન્દ્ર વ્યાસની કથાએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા

માતૃ વંદનાઃ હરિદ્વારમાં ભાગવદનો ચોથો દિવસઃ રામના જન્મથી રામવનવાસ અને ગાદી સંભાળવા સુધી તથા કૃષ્ણ જન્મોત્સવનભવ્ય ઊજવણી હરિદ્વાર ભાગવદ કથામાં ચોથા દિવસની મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રામાઅવતારથી લઈને કૃષ્ણઅવતારની વાત આ દિવસે પ્રસ્તુત કરાય છે. પંચાલ પરિવારે રામાવતાર માટે તો ખાસ કોઈ તૈયારી કરવાની નહતી પણ કૃષ્ણાવતારના પ્રસંગને શાસ્ત્રી જયેન્દ્ર વ્યાસની ઈચ્છા અનુસાર તાદ્શ્ય રજૂ…

રામ, રાંદલના મહિમાથી લઈને નૃહસિંહ અવતાર અને સમુદ્ર મંથન સુધીના પ્રસંગોએ શ્રોતાઓનાં રૂંવાડા ઊભા કરી દીધા

માતૃ વંદનાઃ હરિદ્વારમાં જયેન્દ્ર શાસ્ત્રીની ભાગવદનો ત્રીજો દિવસઃ પ્રભુ, માતા અને દેશભક્તિના રંગે શ્રોતા રંગાયા હરિદ્વાર રામનામ અને રાંદલમાના મહિમાથી માંડીને નૃહસિંહ અવતાર અને સમુદ્રમંથનના પ્રસંગોને હરિદ્વારના નારાયણી નિવાસમાં સ્વ. રેવનદાસ પંચાલ પરિવાર દ્વારા બેસાડવામાં આવેલી ભાગવદ કથાના ત્રીજા દિવસે વ્યાસપીઠેથી શાસ્ત્રી જયેન્દ્ર વ્યાસ એવી શૈલીમાં રજૂ કર્યા કે ઉપસ્થિત શ્રોતાઓનાં રૂંવાડા ઊભા થઈ ગયા…

પરીક્ષિત રાજાના વ્યાસજી પાસે કથાના માટેના સંઘર્ષની ભાવવાહી રજૂઆત

માતૃ વંદનાઃ હરિદ્વારમાં જયેન્દ્ર શાસ્ત્રીની ભાગવદ કથાનો બીજો દિવસ હરિદ્વાર હરિદ્વારના નારાયણી નિવાસમાં સ્વ. રેવનદાસ પંચાલ પરિવાર દ્વારા બેસાડવામાં આવેલી ભાગવદ કથાના બીજી દિવસે વ્યાસપીઠેથી શાસ્ત્રી જયેન્દ્ર વ્યાસે જીવનના માટેના છેલ્લા સાત દિવસની મુદતમાં વ્યાસજી પાસેથી ભાગવદ કથાના પ્રયાસમા આવતા વિઘ્નોની સુંદર વાત ભાવવાહી વાણીમાં રજૂ કરી હતી. શિવજીના ગહન ધ્યાનની કઠણાઈ જયેન્દ્ર મહારાજે તેમની…

માતૃવંદનાઃ અમદાવાદી ભાઈઓએ હરિદ્વારમાં ભાગવદ કથા બેસાડી

જાણીતા કથાકાર જયેન્દ્રભાઈ વ્યાસના વ્યાસપીઠે હરિદ્વારના નારાયણી નિવાસમાં ભાગવદ કથા હરિદ્વારા જીવતા માવતરની ઉપેક્ષા કરનારા અને મૃત્યુ બાદ તેમની પાછળ પુણ્યલાભ માટે ધાર્મિક વિધિઓ કરનારા માટે એક ઉદાહરણ સમાન કાર્ય અમદાવાદના ત્રણ ભાઈઓએ કર્યું છે. નવિન-દિલીપ અને રાકેશ પંચાલ નામના આ ભાઈઓ માતા સવિતાબેન રેવનદાસ પંચાલની ઈચ્છા પૂરી કરવા તેમની હાજરીમાં જ ભાગવદ કથા કરાવી…