સરકારને ઈઝરાયલ-હમાસ યુધ્ધમાં રસ, મણિપુરની ચિંતા નથીઃ રાહુલ
ભાજપ વિવિધ સમુદાયો, ધર્મો અને સંસ્કૃતિઓ વચ્ચે હિંસા અને ઘમંડને પ્રોત્સાહન આપી રહ્યું હોવાનો કોંગ્રેસના નેતાનો આક્ષેપ ઐઝવાલકોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજથી બે દિવસ માટે મિઝોરમના પ્રવાસે છે. એવામાં આજે તેમણે આઈઝોલમાં એક કાર્યક્રમને સંબોધતા મણિપુરમાં ચાલી રહેલી હિંસાનો ઉલ્લેખ કર્યો હતો. આ દરમિયાન તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતુ.વિધાનસભા ચૂંટણી પહેલા આજે કોંગ્રેસ…
