ભૂજમાં ઓવૈસીના પક્ષના ત્રણ ઉમમેદવાર જીત્યા, કઠલાલમાં સપાના એક ઉમેદવારનો વિજય

અમદાવાદ ગુજરાતમાં 15 નગર નિગમ, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોની 9,000 થી વધુ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થયા છે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ ઉપરાંત ઓવૈસીની પાર્ટી અને અખિલેશ યાદવની સપાએ પણ પોતાની હાજરી નોંધાવી છે. ભૂજમાં ઓવૈસીની એઆઈએમઆઈએમના ત્રણ ઉમેદવાર જીત્યા કચ્છના ભુજમાં વોર્ડ નંબર-1માં અસદુદ્દીન ઓવૈસીની…

રવિન્દ્ર જાડેજાનાં બહેન, પૂર્વ આઈપીએસ હાર્યા

અમદાવાદ ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા અને કોંગ્રેસ ઉમેદવારનો રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2માં પરાજય ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. આ વખતે ચૂંટણીમાં જાણીતા ચહેરાઓ પૈકી કેટલાકની હાર તો કેટલાકની જીત થઈ છે… રાજકોટ મનપામાં કોંગ્રેસનાં નયનાબા જાડેજા હાર્યા ઉના નપામાં ભાજપનાં રાજલ બારોટની જીત…

સુરતના વરાછામાં 4 હથિયારધારીઓએ બંદૂકની અણીએ ધોળા દિવસે 50 લાખની લૂંટ કરી

સુરત સુરતના વરાછા વિસ્તારમાં પોલીસના ગાલ પર તમાચો મારતી ઘટના સામે આવી છે. સોમવારે ધોળાદિવસે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા(એસબીઆઈ)ની શાખામાં મોટી લૂંટની ઘટનાથી ચર્ચા મચી છે. ચાર હથિયારધારી લૂંટારુઓએ ઘૂસીને બૅન્કમાં હાજર કર્મચારીઓને બંદૂકની અણીએ બંધક બનાવ્યા હતા, અને અંદાજે 50 લાખની મત્તાની ચોરી કરી ત્યાંથી ભાગી છૂટયા હતા. ફિલ્મી ઢબે કર્મચારીઓને ધાક ધમકી આપી…

રાજ્યમાં રાજકોટ સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ, અમદાવાદ સહિત અનેક સ્થળે તાપમાન 44 ડીગ્રીથી ઉપર

અમદાવાદ ગુજરાતમાં હાલ અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી બે દિવસ સુધી રાજ્યમાં ગરમીનું જોર યથાવત્ રહેશે અને અનેક જિલ્લાઓમાં હીટવેવની સ્થિતિ સર્જાશે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી જતાં જનજીવન પ્રભાવિત થયું છે. અમદાવાદ શહેર 44.8 ડીગ્રી સાથે સૌથી ગરમ હવામાન વિભાગ…

આઈઆઈટીઈમાં પ્લેસમેન્ટ ફેરમાં 22 સંસ્થાના છાત્રોએ ભાગ લીધો

ગાંધીનગર ગાંધીનગર ખાતે આવેલી ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાનમાં તારીખ 12 માર્ચ 2026 થી 14 માર્ચ 2026 દરમિયાન પ્લેસમેન્ટ ફેર નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાના વિવિધ વિભાગમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ભાગ લેનાર વિદ્યાર્થીમાંથી  ૮૦ ટકા વિદ્યાર્થીઓને શાળા દ્વારા  નોકરી માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ પ્લેસમેન્ટ ફેર માં ગુજરાતની અલગ અલગ…

સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી ખાતે સસ્ટેનેબિલિટી પહેલ સાથે ‘અર્થ ડે’ ની ઉજવણી

અમદાવાદ સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીએ બિસ્લેરી સાથે મળીને સસ્ટેનેબિલિટી પહેલ સાથે ‘વર્લ્ડ અર્થ ડે’ ની ઉજવણી કરી.  જેમાં યુનિવર્સિટીના વિવિધ વિભાગોના 300થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો  હતો. આ ઉજવણીનો ઉદ્દેશ્ય આકર્ષક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા પર્યાવરણીય જાગૃતિ અને જવાબદાર જીવનને પ્રોત્સાહન આપવાનો હતો. જેમાં પ્લાસ્ટિક રિસાયક્લિંગ વિષય પર જાગૃતિ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું,  વિદ્યાર્થીઓને પ્લાસ્ટિક કચરાના વધતા પડકારો અને ટકાઉ…

ભારતની આંતરિક સુરક્ષાને મજબૂત બનાવવા માટે DRDO એ AI- સક્ષમ ઇમેજિંગ સેટેલાઇટ સિસ્ટમ  પ્રજ્ઞા  ગૃહ મંત્રાલયને સોંપી

ભારતની આંતરિક સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે, DRDO એ ગૃહ મંત્રાલયને એક આધુનિક, AI-સક્ષમ સેટેલાઇટ સિસ્ટમ પહોંચાડી છે. પ્રજ્ઞા નામની આ AI- સક્ષમ સેટેલાઇટ ઇમેજિંગ સિસ્ટમ આંતરિક સુરક્ષા એજન્સીઓની ચપળતા અને આધુનિકતાને વધારવા માટે વિકસાવવામાં આવી છે એસવીએન,નવી દિલ્હી  સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ ભારતની આંતરિક સુરક્ષા વધારવામાં વધુ એક મહત્વપૂર્ણ યોગદાન આપ્યું…

રાહુલ ગાંધી કુંવારા છે , તેઓ મહિલાઓને સમજી શકતા નથી… ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું વિવાદાસ્પદ નિવેદન

ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે મતદાનની તારીખ નજીક આવતાની સાથે જ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક હુમલાઓ વધી ગયા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિશે વ્યક્તિગત ટિપ્પણી કરી હતી, અને દાવો કર્યો હતો કે તેઓ કુંવારા હોવાથી મહિલાઓને સમજી શકતા નથી. કોંગ્રેસે ભાજપના મહિલા…

અગ્રણી જેરિયાટ્રિક હેલ્થકેર : ગુજરાતે GSI મિડટર્મ નેશનલ કોન્ફરન્સ 2026નું આયોજન કર્યું

અમદાવાદ જેરિયાટ્રિક સોસાયટી ઓફ ઈન્ડિયા (GSI)નું ગુજરાત સ્ટેટ ચેપ્ટર GSI મિડટર્મ નેશનલ કોન્ફરન્સ 2026 ની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે, જેનું આયોજન 18 અને 19 એપ્રિલ, 2026નાં રોજ કરવામાં આવ્યું છે. આ લેન્ડમાર્ક ઇવેન્ટ ગુજરાત યુનિવર્સિટીના પ્રતિષ્ઠિત અટલ-કલામ રિસર્ચ પાર્ક ઓડિટોરિયમ ખાતે યોજાઇ છે, જે રાજ્યમાં આ પ્રકારની પ્રથમ મહત્વપૂર્ણ ઇવેન્ટ છે. ભારતમાં વૃદ્ધ લોકોની…

રાજ્યપાલના અધ્યક્ષસ્થાને રેડક્રોસ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

ગાંધીનગર ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખાની ૨૦૨૪-૨૫ની વાર્ષિક સાધારણ સભાનું ૧૬ એપ્રિલના રોજ લોક ભવન, ગાંધીનગર ખાતે આયોજન ગુજરાતના માનનીય રાજ્યપાલ તેમજ ગુજરાત રેડ ક્રોસ સોસાયટીના પ્રમુખ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આયોજિત કરવામાં આવી . જેમાં ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનો (IAS) ની વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા….

અમદાવાદને સ્લમમુક્ત શહેર બનાવવા ભાજપનો સંકલ્પઃ 50000 ઝૂંપડાવાસીઓને પાકા મકાન અપાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચુંટણી માટે સંક્લ્પ પત્ર-2026નું વિમોચન મહાનગર કાર્યાલય ખાતે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના વરદહસ્તે કરવામાં આવ્યું અમદાવાદ સંપુર્ણ સ્લમ મુક્ત અમદાવાદ શહેર બનાવવાનો નિર્ધાર આ સંક્લ્પ પત્રમાં કરવામાં આવ્યો છે, તેના અંતર્ગત 50 હજાર જેટલા રહેણાંક મકાનો બનાવવામાં આવશે, એમ મંત્રી અને મહાનગરના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચુંટણી -2026ના સંક્લ્પ…

કામરેજ તાલુકા પંચાયતની બે બેઠકો પર ભાજપનો ભગવો: સેવણી અને ડુંગરા બેઠક બિનહરીફ

આરોગ્ય પ્રફુલ પાનસેરિયાએ બન્ને ઉમેદવારનું સન્માન કર્યું સુરત સુરત જિલ્લાની કામરેજ તાલુકા પંચાયતની પૂર્વે જ ભારતીય જનતા પાર્ટીએ વિજયી ગણેશ કર્યા છે. તાલુકા પંચાયતની બે મહત્વની બેઠકો – સેવણી અને ડુંગરા પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બિનહરીફ ઉમેદવારોનું સન્માન સેવણી બેઠક પરથી ભાજપના યુવા કાર્યકર વિશાલસિંહ દેસાઈ…

GLS શતાબ્દી વર્ષ: ‘GLSU-ATRPM 2026’ સંશોધન કોન્ફરન્સઃ ૧૦૦ સંશોધન વિચારો દ્વારા ‘AI ઇન એક્શન’ની વૈશ્વિક પ્રસ્તુતિ

ડો. કાપડિયા: AI માત્ર સાધન નહીં, પણ પરિવર્તનનું સચોટ માધ્યમ છે અમદાવાદ GLS યુનિવર્સિટી દ્વારા શુક્રવારે તેના અમદાવાદ કેમ્પસ ખાતે હાઇબ્રિડ ફોર્મેટમાં ફ્લેગશિપ ઇન્ટરનેશનલ રિસર્ચ કોન્ફરન્સ ‘GLSU-ATRPM 2026’ નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સનો મુખ્ય વિષય ‘AI ઇન એક્શન’ હતો. યુનિવર્સિટીના શતાબ્દી વર્ષ નિમિત્તે ત્રીજા સ્મરણાત્મક કાર્યક્રમ ‘શોધ શતાબ્દી – ધ રિસર્ચ કોન્ક્લેવ’ અંતર્ગત ‘એડવાન્સિસ ઇન થીયરી, રિસર્ચ એન્ડ પ્રેક્ટિસિસ ઇન મેનેજમેન્ટ’ (ATRPM) પર આ કોન્ફરન્સ યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે, GLS યુનિવર્સિટીએ આ વર્ષે ૨૩…

ગુજરાત: પતિનું માથું પથ્થરથી કચડી નાખ્યું , પછી પત્ની આખી રાત મૃતદેહ પાસે બેસી રહી

ગુજરાતના નર્મદામાં એક પત્નીએ તેના પતિને પથ્થર મારીને મારી નાખ્યો. પતિની હત્યા કર્યા પછી, તે આખી રાત તેના મૃતદેહ પાસે બેસી રહી એસવીએન,નર્મદા  ગુજરાતના નર્મદા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. એક પત્નીએ તેના પતિની ક્રૂરતાથી હત્યા કરી દીધી. પતિની હત્યા કર્યા પછી, સ્ત્રી આખી રાત તેના મૃતદેહ પાસે બેસી રહી. એવું કહેવામાં આવી…

હોટેલ તથા રેસ્ટોરન્ટમાં પનીર અને એનાલોગ અંગેની સ્પે. ડ્રાઇવ હેઠળ 703 કિલોનો જથ્થો નાશ કરાયો

ગાંધીનગર તા. ૦૪ એપ્રિલથી ૦૯ એપ્રિલ દરિમયાન ગુજરાત રાજ્યમાં પનીર અને ચીઝની ગુણવત્તા, સાચી ઓળખ અને ગ્રાહક જાગૃતી સુનિશ્ચિત કરવા માટે રાજ્યવ્યાપી મેગા સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ અિભયાન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્યના ફૂ ડ સેફ્ટી ઓફિસરો દ્વારા હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા તથા અન્ય ફૂ ડ સર્વિસ એકમોમાં તપાસ કરવામાં…

ગુજરાતના IPS અધિકારી મનોજ નિનામાએ રાજીનામું આપ્યું , સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી શકે છે

કોણ છે IPS મનોજ? નિનામા : ગુજરાતના આઈપીએસ અધિકારી મનોજ નિનામા રાજકારણમાં પ્રવેશ કરશે. ગાંધીનગર સ્ટેટ ટ્રાફિક વિંગમાં કાર્યરત મનોજ નિનામાએ સોમવારે સાંજે રાજીનામું આપ્યું હતું. તેઓ ભાજપના જિલ્લા પંચાયત ઉમેદવાર માટે ચૂંટણી લડે તેવી શક્યતા છે. રાજ્યમાં ઉમેદવારોની જાહેરાત શરૂ થઈ રહી છે ત્યારે જ નિનામાનું રાજીનામું આવ્યું છે એસવીએન,અમદાવાદ  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ…

આધ્યાત્મિકતા અને વિજ્ઞાનનો અનોખો સંગમ: અમદાવાદમાં ‘અદ્વૈત અને ઓટિઝમ’ પુસ્તકનું વિમોચન

અમદાવાદ એશિયા ચેરિટેબલ ટ્રસ્ટ (અમદાવાદ) અને સૌમનસ્ય ટ્રસ્ટ (ચેન્નાઈ) દ્વારા જેજી ઓડિટોરિયમ ખાતે ‘અદ્વૈત અને ઓટિઝમ’ પુસ્તકના ગુજરાતી સંસ્કરણનું વિમોચન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં સંગીત ચિકિત્સા અને ભારતીય તત્વજ્ઞાનનો સુંદર સમન્વય જોવા મળ્યો. સૌમનસ્ય ટ્રસ્ટનાં સ્થાપિકા લક્ષ્મી મોહને ઓટિઝમ ધરાવતા બાળકોના વિકાસ માટે સંગીતને ઉપચાર તરીકે અપનાવ્યું છે. સૌમનસ્ય ટ્રસ્ટના બાળકો દ્વારા “અખંડ ભારતના મહાસંતો” વિષયક…

ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય: પેટન્ટ દવાઓ પર 100% ટેરિફ લાદવામાં આવ્યો : શું તે ભારતને અસર કરશે ?

દવાઓ પર 100% ટેક્સ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિર્ણયથી ભારતીય ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. ટ્રમ્પે બ્રાન્ડેડ અને પેટન્ટ કરાયેલી દવાઓ તેમજ તેમના સક્રિય ઘટકો ( API) પર 100% ટેક્સની જાહેરાત કરી છે એસવીએન,નવી દિલ્હી દવાઓ પર 100% કર: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિર્ણયથી ભારતીય દવા ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. ટ્રમ્પે બ્રાન્ડેડ…

AACA Media AdVantage 2026 – દ્વારા Talkshowમાં ભારતના શ્રેષ્ઠ મીડિયા નિષ્ણાતો ગુજરાતના અગ્રણી એડવર્ટાઇઝર્સ અને એડવર્ટાઇઝિંગ એજન્સીઓ સાથે એક જ મંચ પર આવશે

અમદાવાદ: 35 વર્ષોની ઉજવણી – Festival of Advertising અંતર્ગત અમદાવાદ એડવર્ટાઇઝિંગ સર્કલ એસોસિએશન (AACA) એક અનોખી ઉદ્યોગ પહેલ રજૂ કરવા જઈ રહી છે — AACA Media AdVantage 2026 Talkshow. All Gujarat Media Awards અને વિદ્યાર્થીઓ માટે યોજાયેલા Creative Spark ના ભવ્ય સફળતા પછી, આ આવનાર Talkshow ભારતના શ્રેષ્ઠ મીડિયા નિષ્ણાતોને ગુજરાતના અગ્રણી એડવર્ટાઇઝર્સ અને એડવર્ટાઇઝિંગ…

નકલી ડોક્ટરો અને લેભાગુ તત્વો સામે રાજ્ય સરકાર લાલઘૂમ: આચારસંહિતા બાદ કડક કાયદો લાવવાની આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની જાહેરાત

​સુરતરાજ્યમાં આયુર્વેદના નામે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અને યોગ્ય ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા તત્વો સામે હવે રાજ્ય સરકાર કડક વલણ અપનાવવા જઈ રહી છે. સુરત ખાતે આયુર્વેદિક ડોક્ટરો દ્વારા યોગગુરુ પ્રદીપ જોટંગીયા અને અન્ય નકલી ડોક્ટરો વિરુદ્ધ કરવામાં આવેલી રજૂઆત બાદ રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગંભીરતા દાખવી કડક કાર્યવાહીની ખાતરી આપી છે. ​મુખ્ય…