ગુજરાતમાં અંદાજે 15-20 હાર્ટટ્રાન્સપ્લાન્ટ વેઈટિંગમાં, અંગદાન અંગે લોકોમાં જાગૃતી જરૂરી

મૈરિંગો સિમ્સ હોસ્પિટલ દ્વારા JIC 2026કોલાબરેટિવ સાયન્સનું આયોજન અમદાવાદ ગુજરાતમાં અંદાજે 15-20 જયારે દેશમાં 2000 જેટલા હાર્ટટ્રાન્સપ્લાન્ટ વેઈટિંગમાં છે ત્યારે લોકોમાં અંગદાનને લઈને જાગૃતી આવવી જરીરી હોવાનું Emeritus JIC અને મૈરિંગો સિમ્સ હોસ્પિટલનાં ચેરમેન ડૉ. કેયુર પરીખે કહ્યું હતું. તેઓ 9થી 11 જાન્યુઆરી દરમિયાન અમદાવાદમાં યોજાયેલી 22મી જોઇન્ટ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ (JIC 2026) સંદર્ભે માહિતી આપતા…

SVGU 1st Media Fest: Winning Smiles Echo in Campus

Ahmedabad Institute of Journalism & Communication (IJC) celebrated its first Media Fest ‘MedWhizz’ at the Sardar Vallabhbhai Global University (SVGU) campus with over 120 participants from schools, colleges and universities of Ahmedabad on January 6, 2026. Amid the presence of SVGU Provost Dr. (Prof.) Subhash Brahmbhatt, the marquee event was outlined by the electric presence of students…

લીલાં શાકભાજીનું મહત્વ સમજાવવા માટે મોડેલ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ     હીરામણિ પ્રાથમિક શાળા (અંગ્રેજી માધ્યમ) ફેવીસ્ટીકદ્વારા શરીરનાં આંતરિક અવયવ (ડાઈજેસ્ટીવ સિસ્ટમ), સંતુલિત આહાર, ખોરાકનાં ઘટકો, આરોગ્ય સંપતિ, આપણું અતુલ્ય શરીર,યોગ અને આર્યુવેદનું જીવનમાં મહત્વ,અને લીલાં શાકભાજીનું મહત્વ સમજાવવા માટે “મોડેલ બનાવવાની સ્પર્ધા” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૩ થી ૭ ના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સ્પર્ધકોને સુંદર અને…

હીરામણિ પ્રાથમિક શાળામાં નાતાલ પર્વની ઉજવણીના ભાગરુપે લેમ્પ બનાવવાની સ્પર્ધા યોજાઈ

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ) નાતાલ પર્વની ઉજવણીના ભાગરુપે લેમ્પ બનાવવાની સ્પર્ધા યોજાઈ. જેમાં વિદ્યાર્થીઓએ સુંદર, રંગબેરંગી, વિવિધ આકારના અને કલાત્મક લેમ્પ બનાવી નાતાલના પર્વની ઉજવણી કરી હતી અને સમાજમાં અજ્ઞાનતારુપી અંધકાર દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનો લેમ્પ દ્વારા શુભ સંદેશ પાઠવ્યો હતો.

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસિક પ્રવૃત્તિનું આયોજન

અમદાવાદ હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ધો.9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ગુજરાતી વિષયમાં આવતો પાઠ –  વાડી પરના વ્હાલાં અંતર્ગત વાડી એટલે શું ?અને તેની આસપાસ રહેતા પ્રાણી-પક્ષીઓની માહિતી મેળવી અને તેના સુંદર ચાર્ટ અને ચિત્રો દ્વારા સુંદર પ્રવૃત્તિ કરેલી. અને પાઠનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. જે પ્રવૃત્તિ દ્વારા અભ્યાસથી આ પાઠ કાયમી અને સરળતાથી…

દાહોદ જેવા છેવાડાના જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આશીર્વાદ રૂપ

આયુષ્ય માન કાર્ડ ન હોત તો મેં મારા પિતાને ક્યારનાય ગુમાવી દીધા હોત.-લાભાર્થીપુત્ર મુર્તુઝા બુટવાલા દાહોદ આપણે અહીં વાત કરવાની છે સરકારશ્રીના આરોગ્ય વિભાગ હેઠળ ચાલતી આયુષ્યમાન કાર્ડ યોજના અંગે. કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૮ માં સામાન્ય લોકોને આર્થિક સ્થિતિ વશ આરોગ્ય સારવાર બાબતે મજબુર થવું ન પડે એ માટે સરકારે લોકોની આર્થિક અને આરોગ્ય અંગેની…

હીરામણિ નર્સરી-કે.જી. વિભાગમાં નાતાલની ઉજવણી કરવામાં આવી

હીરામણિ નર્સરી – કે.જી. વિભાગમાં નાતાલની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નર્સરી-કે.જીના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના કૂલ 250 વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો.ડાન્સ ફ્લોર ઉપર ડી.જે. તાલે વિદ્યાર્થીઓ ઝુમી ઊઠ્યા હતાં,સાન્તાક્લોઝે બાળકોને ચોકલેટો વહેંચી નાતાલની ઉજવણીખુબ જ ઉત્સાહભેર કરી હતી.

હીરામણિ સ્કૂલમાં વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

અમદાવાદ  હીરામણિ ગુજરાતી માધ્યમમાં રંગમંચ પર ધોરણ, 1 થી ધોરણ 12 સુધીના 1500 જેટલા વિદ્યાર્થીઓએ વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ ‘સમયચક્ર’માં ભાગ લીધો હતો. જેમાં ચારેય યુગના અવતારોની ઝાંખી રજૂ થઈ હતી.તેમા થીમ પ્રમાણે જુદા જુદા ધોરણનાં વિદ્યાર્થીઓએ સતયુગ, દ્વાપરયુગ ,ત્રેતા યુગ, કલયુગ જેવા વિષયોમાં પોતાની પ્રસ્તુતિ આપી હતી. આ કાર્યક્રમમાં ધોરણ 1 થી 12 સુધીના વિદ્યાર્થીઓએ…

હીરામણિ સાંધ્યજીવન કુટિરમાં જસ્ટિસ ઓન ટ્રાયલ સંસ્થા દ્વારા કાર્યક્રમ યોજાયો

અમદાવાદ હીરામણિ સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)માં જસ્ટિસ ઓન ટ્રાયલ નામની કાનુની સલાહ આપતી સંસ્થા દ્વારા હીરામણિ સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)ના વડીલોને વસિયતનામું, સીનીયરને લગતા કાયદા વગેરે બાબતોએ ઝીણવટપૂર્વક સલાહ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ધારાશાસ્ત્રી કાર્તિક રાવલ, વકીલ સવાણી સાહેબ વગેરેએ ઉપસ્થિત રહી કાનૂની માર્ગદર્શન આપ્યું હતું.

GLS યુનિવર્સિટીએ 9માં દીક્ષાંત સમારોહમાં 5000+ વિદ્યાર્થીઓને ડિગ્રીઓ એનાયત કરી

 અમદાવાદ  GLS યુનિવર્સિટી દ્વારા 9માં દીક્ષાંત સમારોહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ સમારોહ ખરેખર, શૈક્ષણિક શ્રેષ્ઠતાની ઉજવણી સમાન હતો, જેમાં 5000 થી વધુ વિદ્યાર્થીઓને UG, PG અને ડોક્ટરેટ સ્તરની ડિગ્રીઓ એનાયત કરવામાં આવી હતી.  GLS કેમ્પસ, લો ગાર્ડન સામે, એલિસબ્રિજ, અમદાવાદ ખાતે યોજાયેલા આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ભારતના જાણીતા ક્રિકેટર,  સૂર્યકુમાર યાદવ ઉપસ્થિત રહ્યા હતા તથા તેમની સાથે GLS યુનિવર્સિટીના પ્રમુખ  સુધીર નાણાવટી, ગુજરાત લો સોસાયટીના પ્રમુખ પંકજ પટેલ અને GLS યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. ચાંદની કાપડિયા સહિતના પ્રતિષ્ઠિત મહાનુભાવોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સમાજમાં ઉલ્લેખનીય યોગદાન આપવા બદલ, બે અગ્રણી વ્યક્તિઓ, વિદેશ વિભાગના પ્રભારી વિજય ચૌથાઈવાલે અને પ્રખ્યાત ગુજરાતી અભિનેતા, દિગ્દર્શક અને લેખક સિદ્ધાર્થ રાંદેરિયાને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી.                આ સમારોહમાં મુખ્ય અતિથિ  સૂર્યકુમાર યાદવે શિસ્ત, સખત મહેનત અને શ્રેષ્ઠતાની શોધ પરના પોતાના વિચારોથી સ્નાતકોને પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “સફળતા મેળવવા માટે પ્રતિભા સાથે ધૈર્યવાન અને પ્રતિબદ્ધ હોવું પણ જરૂરી છે. તમે હવે એવી દુનિયામાં પગ મૂકી રહ્યા છો જ્યાં મેદાનની અંદર અને બહાર, બન્ને જગ્યાએ લીડરશીપની જરૂર હોય છે. તમારી વ્યાવસાયિક યાત્રામાં આગળ વધતાં તમારું સમર્પણ તમારી માટે માર્ગદર્શક બને તેવી શુભકામનાઓ આપું છું.”             GLS યુનિવર્સિટીના પ્રમુખ  સુધીર નાણાવટીએ એક પ્રેરક ભાષણ આપ્યું હતું, જેમાં તેમણે સ્નાતકોને સતત બદલાતી દુનિયામાં પરિવર્તનને અપનાવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “વાસ્તવિક દુનિયા તમારી એવી રીતે કસોટી કરશે, જેની તમે હજુ સુધી કલ્પના પણ નહીં કરી હોય, પરંતુ સતત શીખવાની અને આત્મવિશ્વાસ સાથે પડકારોનો સામનો કરવાની ક્ષમતા તમારી સૌથી મોટી તાકાત હશે.”  ગુજરાત લો સોસાયટીના પ્રમુખ પંકજ પટેલે સ્નાતકોને હૃદયપૂર્વક અભિનંદન આપતાં કહ્યું હતું કે, “તમે આ સંસ્થામાંથી ફક્ત જ્ઞાન સાથે જ નહીં, પરંતુ નવી જવાબદારી લઈને બહાર નીકળી રહ્યા છો. તમારી પહેલી નોકરી તમારી કારકિર્દી નથી અને તમારી પહેલી ભૂલ, એ તમારી ઓળખ નથી. ”     GLS યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. ચાંદની કાપડિયાએ વિદ્યાર્થીઓની સફળતા પર ગર્વ વ્યક્ત કર્યો હતો અને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “આ તમારો સમય છે, પણ આ તો ફક્ત શરૂઆત છે. જ્યારે તમે આ કેમ્પસની બહાર નીકળો, ત્યારે યાદ રાખજો કે,  સમય હંમેશા તમારા નિયંત્રણમાં નથી હોતો, પરંતુ તૈયારી તમારા નિયંત્રણમાં હોય છે. ”          GLS યુનિવર્સિટીએ  વિજય ચૌથાઈવાલે અને  સિદ્ધાર્થ રાંદેરિયાને રાષ્ટ્રનિર્માણ, કૂટનીતિ અને કલામાં તેમના અસાધારણ યોગદાનને બિરદાવતા માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી હતી.  વિજય ચૌથાઈવાલેને વિદેશ બાબતોમાં ઉત્કૃષ્ટ નેતૃત્વ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે  સિદ્ધાર્થ રાંદેરિયાને ગુજરાતી રંગભૂમિ અને સિનેમા પર તેમના પ્રભાવ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારોહ અનેક ગૌરવપૂર્ણ ક્ષણોથી ભરપૂર હતો. 40 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તેમના અસાધારણ શૈક્ષણિક પ્રદર્શન માટે ગોલ્ડ અને સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. 37 ડોક્ટરલ વિદ્યાર્થીઓને પીએચ.ડી. ડિગ્રી એનાયત કરવામાં આવી હતી, જેમણે કઠોર સંશોધન અને સમર્પણની એક ઉલ્લેખનીય શૈક્ષણિક સફર પૂર્ણ કરી હતી. આ ઉપરાંત, 40 વિદ્યાર્થીઓને લો(કાયદો), કમ્પ્યુટર એપ્લિકેશન્સ, આઇટી, કોમર્સ,  મેનેજમેન્ટ અને ડિઝાઇન સહિત વિવિધ શાખાઓમાં ‘બેસ્ટ સ્ટુડન્ટ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી સ્કૂલ ઓફ લો (DAU SoL) એ ‘IndusAcX સમિટ 2025’નું આયોજન કર્યું

આ સમિટ, ઉદ્યોગ અને શિક્ષણવિદો વચ્ચે અર્થપૂર્ણ સહયોગને પ્રોત્સાહન આપવા માટે એક મુખ્ય રાષ્ટ્રીય પ્લેટફોર્મ તરીકે યોજવામાં આવી હતી આ કાર્યક્રમમાં 15 જેટલી શૈક્ષણિક અને ઉદ્યોગ પેનલ ચર્ચાઓ થઈ હતી અને ઉપયોગી રિસર્ચ પેપર પ્રેઝન્ટેશન પણ કરવામાં આવ્યું હતું ગાંધીનગર ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી સ્કૂલ ઓફ લો (DAU SoL) એ શનિવારે તેના ગાંધીનગર કેમ્પસમાં ‘IndusAcX સમિટ 2025 : ધ ઇન્ડસ્ટ્રી-એકેડેમિયા એક્સચેન્જ’ કાર્યક્રમનું આયોજન કર્યું હતું….

હીરામણિ સ્કૂલ અંગ્રેજી માધ્યમમાં વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

અમદાવાદ હીરામણિ અંગ્રેજી માધ્યમમાં ‘આનંદમ્’ શીર્ષક હેઠળ ઉજવાયેલ આ વાર્ષિકોત્સવમાં વિવિધતામાં એકતાના દર્શન કરાવતા વિવિધ ડાન્સ, માઈમ, સ્કીટ વગેરે રજૂ કરવામાં આવ્યા. કાશ્મીર થી લઈ કન્યાકુમારી તથા ગુજરાતથી લઈ આસામ સુધીના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા આ પ્રોગ્રામને લગભગ 3500 પ્રેક્ષકો જેમાં વિદ્યાર્થીઓ, વાલીઓ તથા આમંત્રિત મહેમાનોએ માણ્યો. શિવસ્તુતિ, ગરબા, ભાંગડા, લાવણી, ઘુમર તથા પહાડી ડાન્સે…

મોરબી જિલ્લાના બોરિયાપાટી શાળામાં એનિમિયા નિવારણ અને નિયંત્રણ કાર્યક્રમ યોજાયો

મોરબી મોરબી જિલ્લાના બોરિયાપાટી શાળામાં એનિમિયા નિવારણ અને નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત એનિમિયા મુક્ત ભારત અભિયાનના સમર્થનમાં શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરની પરિયોજના હેઠળ આશ્વિનભાઈ ટીમના સક્રિય સભ્ય તરીકે જોડાયા હતા તેમજ UHC લિલાપર રોડ ટીમ દ્વારા સફળ આરોગ્ય તપાસ અને પોષણ કાર્યક્રમ યોજાયો આ કામગીરી દરમિયાન મેડિકલ ઓફિસર ડૉ. અરવિંદ ચૌધરી, ભાવીકાબેન (લેબ ટેક્નિશિયન),…

હીરામણિ પ્રાથમિક શાળામાં આર્ટ અને ક્રાફ્ટ દ્વારા વિવિધ મોડલ બનાવવાની સ્પર્ધા યોજાઈ

અમદાવાદ હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ધો. 5 થી 7 ના વિદ્યાર્થીઓ વચ્ચે આર્ટ અને ક્રાફ્ટ દ્વારા વિવિધ મોડલ બનાવવાની સ્પર્ધા યોજાઈ. જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના સુંદર અને આકર્ષક મોડેલ બનાવ્યા હતાં.

3 વર્ષમાં શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી રાજ્યના ૪.૫ કરોડથી વધુ બાળકોએ લાભ લીધો

છેલ્લા ત્રણ વર્ષમાં બાળકોના આરોગ્યની સમસ્યાઓ શોધીને ૧૭.૫ હજારથી વધુ હૃદય સંબંધિત સર્જરી-સારવાર, ૪,૧૪૯ કીડની સારવાર, ૨,૩૩૬ કલબફૂટ, ૧,૪૦૮ ક્લેફ્ટ લીપ પેલેટ તેમજ ૬૯૨ કેન્સર રોગની સારવાર અપાઈ ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભા પટેલે તેમના કાર્યકાળના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની વિકાસયાત્રાને નવી ગતિ આપી છે. આ ત્રણ વર્ષ સેવા,…

2047 સુધીમાં વિકાસ ભારત બનાવવાનું યુવાનોના હાથમાં છેઃ સુજન આર.ચિનોય

અમદાવાદ સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટી (SVGU)ના કેમ્પસમાં પ્રથમ દીક્ષાંત સમારોહમાં 340 અનુસ્નાતક વિદ્યાર્થીઓમાંથી, મેનેજમેન્ટ, કમ્પ્યુટર એપ્લિકેશન્સ અને પત્રકારત્વ અને સંદેશાવ્યવહારના 25 સુવર્ણ ચંદ્રક વિજેતા વિદ્યાર્થીઓને મુખ્ય મહેમાન દ્વારા ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. રાજકોટના કાઠિયાડમાં જન્મેલા અને ઉછરેલા ચિનોયે સ્નાતક વિદ્યાર્થીઓની પ્રથમ બેચને સંબોધતા કહ્યું કે “દીક્ષાંત સમાપન એક અંત તેમજ શરૂઆત છે કારણ કે…

14 ડિસેમ્બરે સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ

અમદાવાદ સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટી (SVGU) 14 ડિસેમ્બર, 2025 ના રોજ તેના પ્રથમ દીક્ષાંત સમારોહનું આયોજન કરી રહી છે. મુખ્ય મહેમાન રાજદૂત સુજન આર. ચિનોય – SVGU પ્રમુખ સિદ્ધાર્થ પટેલ (MBA, ડલ્લાસ યુનિવર્સિટી, USA), પ્રોવોસ્ટ પ્રો. (ડૉ.) સુભાષ બ્રહ્મા ભટ્ટ (પીએચડી – ઇન્ડોલોજી અને IKS), રજિસ્ટ્રાર ડૉ. મયુર શાહનીની હાજરીમાં – ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ…

પૂર્વ IAS અધિકારીને ગુજરાત સરકારને 1.20 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડવા બદલ 5 વર્ષની સજા

1.20 કરોડનું નુકસાન પહોંચાડવા બદલ સ્પેશિયલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ ( PMLA) કોર્ટે ભૂતપૂર્વ જિલ્લા કલેક્ટરને પાંચ વર્ષની જેલ અને ₹ 50,000 દંડની સજા ફટકારી હતી. તેઓ 2003 થી 2006 દરમિયાન કચ્છ જિલ્લા કલેક્ટર અને જિલ્લા જમીન કિંમત સમિતિ ( DLPC) ના અધ્યક્ષ હતા. એસવીએન, અમદાવાદ  1.20 કરોડનું નુકસાન પહોંચાડવા બદલ એક ખાસ પ્રિવેન્શન…

હીરામણિ પ્રાથમિક શાળામાં ન્યુઝ પેપરમાંથી મોડલ બનાવવાની સ્પર્ધા યોજાઈ

અમદાવાદ હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ન્યુઝ પેપરમાંથી મોડલ બનાવવાની સ્પર્ધા યોજાઈ. ધો. 1 થી 4 ના વિદ્યાર્થીઓએ ન્યુઝપેપરમાંથી સાઈકલ, કપ-રકાબી, હિંડોળા, ઝૂંપડી, ફોટોફ્રેમ, ફ્લાવર પોટ, ટોપી, પતંગિયા જેવા વિવિધ મૉડલ બનાવવાની સ્પર્ધા યોજાઈ. વિદ્યાર્થીઓ ભણવાની સાથે-સાથે અન્ય એક્ટિવિટિમાં પણ પોતે આગળ વધે તે હેતુ થી આવી વિવિધ સ્પર્ધાઓનું હીરામણિમાં આયોજન કરવામાં આવે છે.

રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી કચ્છમાં સામુદાયિક-ધોરણે લીલો ઘાસચારો ઉગાડવાની પહેલનો પ્રારંભ

અમદાવાદ કચ્છના દુર્ગમ પ્રદેશમાં જ્યાં પાણીનું દરેક ટીપુંય અત્યંત મહત્વનું છે, ત્યાં હવે હરિયાળી આશાની લહેરકી પ્રસરી રહી છે. રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી સામુદાયિક-ધોરણે સંચાલિત લીલો ઘાસચારો ઉગાડવા માટેની એક નવી પહેલનું આ સપ્તાહે અબડાસા તાલુકાના આરીખણા ગામમાં ઉદ્દઘાટન કરાયું છે. આશરે 4.5 હેક્ટર જેટલી સામાન્ય જમીન પર શરૂ કરાયેલી આ પહેલ થકી આશરે 1100 પશુઓને ફાયદો થવાની અપેક્ષા છે. જેના…