વિશાખાપટ્ટનમમાં ફ્લોટિંગ બ્રિજ ઉદ્ઘાટનના 24 કલાકમાં પાણીમાં તણાઈ ગયો

આ પૂલ સમુદ્રમાં ઉતરવા માટે અથવા પુલ ઉપર ઉભા રહી સમુદ્રનું અદ્ભુત દર્શન કરવા માટે રચવામાં આવ્યો હતો વિશાખાપટ્ટનમ આંધ્ર પ્રદેશની એક આશ્ચર્યજનક ખબર આવી છે. વિશાખાપટ્ટનમ્માં એક ફ્લોટિંગ બ્રિજનું ઉદ્ધાટન શાસક પક્ષ વાય.એસ.આર.સી.પી.ના સાંસદ વાય-વી.સુબ્બા રેડ્ડીએ કર્યું હતું, તે બ્રિજ 24 કલાકમાં જ પાણીમાં તણાઈ ગયો. આ બ્રીજ બનાવવામાં 1.6 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા…

રાજીવ ગાંધીના હત્યારા સંથાનનું ચેન્નાઈની રાજીવ ગાંધી હોસ્પિટલમાં મોત

કાર્ડિયાક અરેસ્ટ પછી, શરૂઆતમાં એવું લાગતું હતું કે તે સ્વસ્થ થઈ જશે, પરંતુ તેને બચાવી શકાયો નહીં ચેન્નાઈ પૂર્વ વડાપ્રધાન દિવંગત રાજીવ ગાંધીનો હત્યારો સંથાન મૃત્યુ પામી ગયો છે. બીમારીની સારવાર દરમિયાન તે મૃત્યુ પામ્યો હતો. જોકે રસપ્રદ વાત એ છે કે સંથાનનું મોત પૂર્વ દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીના નામે જ નિર્માણ પામેલી ચેન્નઈની સરકારી…

હિમાચલમાં ટોસના આધારે ભાજપના મહાજનનો વિજય,. લોકપ્રતિનિધિત્વ કાયદા, 1951ની કલમ 102 હેઠળ ડ્રો થયો

કોંગ્રેસ અને ભાજપ એમ બંનેના ઉમેદવારોને 34-34 મત મળ્યા હતા પરંતુ જીત કે હારનો નિર્ણય ટોસ દ્વારા લેવામાં આવ્યો સિમલા હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની બેઠક પર ભાજપના હર્ષ મહાજન ચૂંટણી જીતી ગયા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવી હારી ગયા. અહીં રાજ્યમાં કોંગ્રેસની સરકાર હોવા છતાં તેના ઉમેદવારનો પરાજય કોંગ્રેસ માટે મોટો ઝટકો મનાઈ રહ્યો છે….

સપાના ધારાસભ્યએ ચીફ વ્હીપપદેથી રાજીનામું આપી દીધું

રાજીનામું રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવને મોકલી આપ્યું, એવું માનવામાં આવી રહ્યું છે કે મનોજ ભારતીય જનતા પાર્ટીને વોટ આપી શકે છે નવી દિલ્હી રાજ્યસભાની ચૂંટણી વચ્ચે સમાજવાદી પાર્ટીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના ધારાસભ્ય મનોજ પાંડેએ ચીફ વ્હીપના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવને મોકલી આપ્યું…

સિતારમણ અને જયશંકરને લોકસભાની ચૂંટણીમાં ઊતારવા ભાજપની યોજના

સીતારમણ હાલ કર્ણાટકથી જ રાજ્યસભાના સભ્ય છે, એસ. જયશંકર ગુજરાતથી રાજ્યસભામાં આવ્યા હતા નવી દિલ્હી કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશ મંત્રી એસ. જયશંકરને લઈને ભાજપે મોટી જાહેરાત કરી છે. ભાજપે બંને કેન્દ્રીય મંત્રીઓને આ વખતે લોકસભા ચૂંટણીમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. જો કે એ નથી જણાવ્યું કે તેઓ કઈ બેઠક પરથી ચૂંટણીમાં ઝંપલાવશે. જણાવી…

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું 10 માર્ચે 10 મિનિટ ભારત બંધનું એલાન

બંધ દરમિયાન લોકો ઘરની બહાર નીકળીને માતા ગાયના નામ પર 10 મિનિટ સુધી ભજન કરશે વારાણસી ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કાશીમાં મોટું એલાન કર્યું છે. તેમણે કહ્યું કે છેલ્લા 75 વર્ષમાં અમે ઘણી બધી સરકારો જોઈ છે પરંતુ આજ સુધી ગૌ હત્યા પર પ્રતિબંધ લાદવામાં નથી આવ્યો. દુર્ભાગ્યપૂર્ણ છે કે જે દેશમાં…

કાશી વિશ્વનાથ મંદિર ગુરૂકૂળમાં બાળકોને મફત શિક્ષણ અપાશે

શિક્ષકો દ્વારા વેદ ઉપરાંત નવી શિક્ષણ નિતિ હેઠળ આધુનિક વિષયોનો પણ અભ્યાસ કરાવાશે, શિષ્યો શાસ્ત્રીથી લઈને આચાર્ય સુધીની ડિગ્રી મેળવી શકશે વારાણસી કોઈપણ બાળક નિઃશુલ્ક શિક્ષણ મેળવી શકે તે માટે શ્રી કાશી વિશ્વનાથ મંદિર દ્વારા આધુનિક ગુરુકુળની સ્થાપના કરવા પ્રસ્તાવ લવાયો છે. આ ઉપરાંત કાશી વિશ્વનાથ મંદિર ન્યાસ ગુરુકુળમાં આયુર્વેદિક આધારીત હોસ્પિટલ અને ગૌશાળા પણ…

અરવિંદ કેજરીવાલ સાતમી વખત પણ ઈડી સમક્ષ હાજર ન થયા

સીબીઆઈ આગામી થોડા દિવસોમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવાની યોજના બનાવી રહી હોવાનો આપનો દાવો નવી દિલ્હી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે પણ પૂછપરછમાં સામેલ થવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ  ઓફિસ ગયા નહતા. આમ આદમી પાર્ટી (આપ)નું કહેવું છે કે.’મામલો કોર્ટમાં છે. કોર્ટમાં આગામી સુનાવણી 16 માર્ચે છે. રોજ સમન્સ મોકલવાને બદલે ઈડીએ કોર્ટના…

ભારત-યુએસ સબંધો માત્ર ટ્રમ્પના શાસનમાં વિકસ્યા નહતાઃ જયશંકર

ટ્રમ્પનાં સમયમાં થોડા મતભેદો હોવા છતાં ભારત-અમેરિકા સંબંધો વધુ મજબૂત બન્યા હોવાનો દાવો નવી દિલ્હી ભારતના મેઘાવી વિદેશ મંત્રી એસ.જયશંકરે સ્પષ્ટત: કહ્યું હતું કે ભારત અમેરિકા સંબંધો માત્ર ડોનાલ્ડ ટ્રમ્પના સમયથી વિકસ્યા ન હતા, તે બિલ ક્લિન્ટનના સમયથી વિકસ્યા હતા. સાથે તે પણ સત્ય છે કે ટ્રમ્પનાં સમયમાં થોડા મતભેદો હોવા છતાં ભારત-અમેરિકા સંબંધો વધુ…

જૌનપુરમાં બસ અને ટ્રેકટર ટ્રોલી ટકરાતાં છ મજૂરનાં મોત

અકસ્માત સમયે ટ્રેક્ટર ટ્રોલીમાં 12 મજૂરો મુસાફરી કરી રહ્યા હતા, રોડવેઝની બસ પ્રયાગરાજથી જૌનપુર તરફ આવી રહી હતી જૌનપુર ઉત્તર પ્રદેશના જૌનપુરમાં બસ અને ટ્રેક્ટર ટ્રોલી વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં 6 મજૂરોનાં મોતના અહેવાલ મળ્યાં હતા, જ્યારે અન્ય 6 મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત સમયે ટ્રેક્ટર ટ્રોલીમાં 12 મજૂરો મુસાફરી કરી…

યુરોપિયન દેશોમાં સિટિઝનશિપ-નોકરીની ઓફર આપવાની લાલચ આપી છેતરપિંડી

યુરોપિયન દેશોમાં વિઝા પ્રોસેસ સરળ હોવા છતાંય નાના શહેરોમાં રહેતા યુવકોને ગેરમાર્ગે દોરીને નાણાં પડાવવામાં આવી રહ્યા છે નવી દિલ્હી ગેરકાયદેસર રીતે ચાલતી કબુતરબાજી પર સરકારની કાર્યવાહી કરતા હવે એજન્ટોએ યુરોપિયન દેશો અને કેનેડા સહિતના દેશોમાં કાયમી સીટીઝનશીપ અને નોકરીની ઓફર આપીને લાખો રૂપિયા ખંખેરવાનું શરૂ કર્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે યુરોપિયન…

આઈટીના પગલાંને કોંગ્રેસે આર્થિક આતંકવાદ ગણાવ્યો

આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે પાર્ટી આર્થિક સંકટનો સામનો કરી રહી છે અને આવકવેરા એપેલેટ ટ્રિબ્યુનલ સમક્ષ રૂ. 210 કરોડની કરની માંગ પેન્ડિંગ છે નવી દિલ્હી કોંગ્રેસે તાજેતરમાં આરોપ લગાવ્યો હતો કે આવકવેરા વિભાગે બેંકોને કોંગ્રેસ, યુથ કોંગ્રેસ (આઈવાયસી) અને નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (એનએસયુઆઈ)ના ખાતામાંથી રૂ. 65 કરોડથી વધુ ટ્રાન્સફર…

ભારતીય મૂળના બ્રિટનના પ્રોફેસરની બેંગ્લુરૂ એરપોર્ટ પર ધરપકડ

બેંગલુરુ એરપોર્ટ પર ઈમિગ્રેશન અધિકારીઓ દ્વારા તેમને કોઈ કારણ આપ્યા વિના ભારતમાં પ્રવેશવાની મંજૂરી આપી ન હોવાનો પ્રોફેસરનો દાવો બેંગ્લુરુ બ્રિટનની વેસ્ટમિન્સ્ટર યુનિવર્સિટીમાં ભારતીય મૂળના પ્રોફેસરની બેંગ્લુરુ એરપોર્ટ પર પહોંચતા જ અટકાયત કરવામાં આવી હતી અને ત્યારબાદ એરપોર્ટથી બ્રિટન પાછા મોકલી દેવામાં આવ્યા. પ્રોફેસરને કર્ણાટકની કોંગ્રેસ સરકારે એક કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. લંડનમાં…

ભારતે પાકિસ્તાન તરફ જતી રાવી નદીના પાણીને રોકી દીધુ

વિશ્વ બેન્કની દેખરેખમાં 1960માં થયેલી ‘સિંધુ જળ સંધિ’ હેઠળ રાવીના પાણી પર ભારતનો વિશેષ અધિકાર છે નવી દિલ્હી ભારતે પાકિસ્તાન તરફ જતી રાવી નદીના પાણીને રોકી દીધુ છે. ભારતે ડેમનું નિર્માણ કરીને રાવી નદીના પાણીને પાકિસ્તાન તરફ જતુ રોક્યુ છે. વિશ્વ બેન્કની દેખરેખમાં 1960માં થયેલી ‘સિંધુ જળ સંધિ’ હેઠળ રાવીના પાણી પર ભારતનો વિશેષ અધિકાર…

અગ્નિપથ યોજનાથી બે લાખ યુવાનોનાં સપનાં તૂટ્યાઃ ખડગે

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુને આ યોજનાને લઈને પત્ર લખ્યો નવી દિલ્હી કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી પહેલા અગ્નિપથ યોજનાનો મુદ્દો ચગાવ્યો છે. કોંગ્રેસે જાહેરાત કરી છે કે, જો તેઓ સત્તામાં આવશે તો અગ્નિપથ યોજનાને બંધ કરીને સેનામાં જૂની ભરતી પ્રક્રિયા લઈને આવશે. તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુને આ…

માનહાની કેસમાં કેજરીવાલે સુપ્રીમમાં પોતાની ભૂલ સ્વિકારી

સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટની કાર્યવાહી પર રોક લગાવવા આદેશ આપ્યો, આ કેસની આગામી સુનાવણી 11મી માર્ચે થશે નવી દિલ્હી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે માનહાનિના કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન પોતાની ભૂલ સ્વીકારી છે. એક યુટ્યુબરના વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’પર રીપોસ્ટ કરવા બદલ કેજરીવાલ સામે માનહાનિનો કેસ નોંધાયો હતો. આ કેસને રદ્દ કરવા માટે તેમણે…

ભારત ટેક્સનું એફ-5 સૂત્ર ટેક્નોલોજીને ટ્રેડિશન સાથે જોડે છેઃ મોદી

વડાપ્રધાનના ‘5એફ વિઝન’થી પ્રેરણા લેતા આ કાર્યક્રમમાં ફાઈબર, ફેબ્રિક અને ફેશન પર મુખ્ય ફોકસ રાખવામાં આવ્યું છે નવી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં દેશમાં આયોજિત થનારા અત્યાર સુધીના સૌથી મોટા ગ્લોબલ ટેક્સટાઈલ પ્રોગ્રામમાંથી એક ‘ભારત ટેક્સ-2024’નું ઉદ્ઘાટન કરી દીધુ છે. ભારત ટેક્સ-2024 આજે 26 ફેબ્રુઆરીથી શરૂ થશે અને ગુરુવાર 29 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. દિલ્હીના…

પત્નીના નામે ખરીદાયેલી સંપત્તિને પારિવારિક સંપત્તિ ગણાશે

મહિલાએ પોતાની કમાણીથી સંપત્તિ ખરીદી છે તો પરિવારના સભ્યોનો તે સંપત્તિ પર અધિકાર રહેશે નહીઃ અલ્લાહબાદ હાઈકોર્ટ અલ્લાહબાદ અલ્લાહાબાદ હાઈકોર્ટે પારિવારિક સંપત્તિ પર ચાલી રહેલા એક વિવાદમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો પતિ દ્વારા પોતાની પત્નીના નામ પર કોઈ સંપત્તિ ખરીદી છે અને તેનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે તો તે સંપત્તિને…

દિલ્હીથી જોડાયેલી બોર્ડર ખુલવા લાગી, . ટિકરી અને કુંડલીથી બેરિકેડ હટાવાયા

25 ફેબ્રુઆરીએ શંભૂ અને ખનૌરી બોર્ડર પર દેશભરના ખેડૂતોને જાગૃત કરાશે નવી દિલ્હી છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતો દિલ્હીની બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે અને દિલ્હી તરફ કૂચ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. જોકે હવે આ આંદોલનને લઈને 12માં દિવસે રાહતના સમાચાર આવ્યા છે. દિલ્હીથી જોડાયેલી બોર્ડર ખુલવા લાગી છે. ટિકરી અને કુંડલીથી બેરિકેડ હટાવવામાં આવી…

દેશમાં પહેલી જુલાઈથી ત્રણ ફોજદારી કાયદા લાગુ થશે

પહેલી જુલાઈ 2024થી નવા કાયદા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ લાગૂ થશે નવી દિલ્હી દેશના ત્રણ નવા ફોજદારી કાયદા જે આઈપીસી, સીઆરપીસી અને એવિડેન્સ એક્ટને બદલવા માટે લવાયા હતા, તે પહેલી જુલાઈ 2024થી લાગુ થશે. પહેલી જુલાઈ 2024થી નવા કાયદા ‘ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા’, ‘ભારતીય ન્યાય સંહિતા’ અને ‘ભારતીય…