દેશમાં ચોવિસ કલાકમાં કોરોનાના 355 નવા કેસ, કુલ 2331 સક્રિય કેસ

દેશમાં કોરોના સબ-વેરિયન્ટ જેએન.1ના કુલ કેસોની સંખ્યા હવે 1,226 છે નવી દિલ્હી ભારતમાં છેલ્લા દોઢ મહિનામાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો હતો. 31 ડિસેમ્બર 2023ના રોજ એક જ દિવસમાં સૌથી વધુ 841 નવા કેસ નોંધાયા હતા, ત્યારબાદ કોસમાં વધારો જોવા મળ્યો નથી. કુલ સક્રિય કેસમાંથી મોટાભાગના (લગભગ 92 ટકા) સેલ્ફ આઈસોલેશન અને સામાન્ય સારવારથી સ્વસ્થ…

દિલ્હીની સરકારી શાળાની દિવાલ પર ખાલિસ્તાન સમર્થિત સૂત્રો લખાયા

પશ્ચિમ દિલ્હીના નિહાલ વિહાર વિસ્તારમાં એક વીજપોલ પર પણ ખાલિસ્તાન સમર્થિત સૂત્રો લખેલા મળી આવ્યા,એફઆઈઆર નોંધાઈ નવી દિલ્હી દિલ્હીના ઉત્તમ નગરના હસ્તાલ વિસ્તારમાં એક સરકારી શાળાની દીવાલ પર ખાલિસ્તાન સમર્થિત સૂત્રો લખેલા જોવા મળ્યા હતા. આ અંગેની માહિતી પોલીસે આપતા જણાવ્યું કે આરોપીઓને પકડવા માટે તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત પશ્ચિમ દિલ્હીના નિહાલ વિહાર…

ઈરાનની પાક. સામેની કાર્યવાહી દેશની સુરક્ષા માટેઃ ભારત

આતંકવાદ સામે અમારી નીતિ ઝીરો ટોલરન્સની છે. સ્વ-બચાવમાં દેશ જે પગલાં લે છે તે અમે સમજીએ છીએઃ જાયસ્વાલ નવી દિલ્હીઈરાને મંગળવારે પાકિસ્તાનમાં આતંકવાદી અડ્ડાઓ પર હવાઈ હુમલો કર્યો હતો. હવે આ અંગે ભારતનું નિવેદન પણ આવ્યું છે. ભારતના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે માનીએ છીએ કે આ કાર્યવાહીનો…

ઈડીના સમન્સ અવગણીને કેજરીવાલની ગોવા જવાની યોજના

પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ અરવિંદ કેજરીવાલ ગોવા જવાની હોવાની સીએમ કાર્યાલયના અધિકારીની સ્પષ્ટતા નવી દિલ્હીદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કથિત લીકર પોલીસી કેસમાં ફરી એકવાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના સમન્સની અવગણના કરી શકે છે. ઈડીના ચોથા સમન્સને અવગણીને આમ આદમી પાર્ટી (આપ)ના કન્વીનરે ગોવા જવાની યોજના બનાવી છે.મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના કાર્યાલયના એક અધિકારીએ જણાવ્યું કે, ‘તેમના પૂર્વ…

નૌકાદળમાં યુદ્ધ જહાજો પર મહિલા અગ્નિવીરોને તૈનાત કરાશે

હાલમાં લગભગ 50 જેટલી મહિલાઓ યુદ્ધ જહાજ પર સેવા આપી રહી છે નવી દિલ્હીદેશમાં 74માં પ્રજાસત્તાક દિવસની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સરહદ પર દેશની રક્ષા કરવાનું સપનું જોનારી હજારો મહિલાઓ માટે એક મહત્વના સમાચાર છે. સૂત્રો દ્વારા મળતા અહેવાલ છે મુજબ ભારતીય નૌકાદળ થોડા અઠવાડિયામાં જ યુદ્ધ જહાજો પર મહિલા અગ્નિવીરોને તૈનાત કરવાનું શરૂ…

સુપ્રીમ કોર્ટ 3 દોષિતોની આત્મસમર્પણનો સમયગાળો વધારવાની અપીલ સુનાવણી કરશે

તમામ દોષિતોને આત્મસમર્પણ કરવા માટે 21 જાન્યુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો હતો નવી દિલ્હીબિલકિસ બાનો કેસમાં ત્રણ દોષિતોએ આત્મસમર્પણનો સમયગાળો વધારવા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. આ દોષિતોએ વ્યક્તિગત કારણોને ટાંકીને આત્મસમર્પણનો સમયગાળો વધારવાની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટ ત્રણેય દોષિતોની અરજી પર સુનાવણી કરવા સંમત થઈ છે. ઉલ્લેખનીય છે કે તમામ દોષિતોને આત્મસમર્પણ…

ઈમ્ફાલમાં મહિલા પ્રદર્શનકારીઓએ મશાલ રેલી યોજી

રાજ્યમાં વધી રહેલી હિંસાના વિરોધમાં રાજ્યના મુખ્યમંત્રી એન. બિરેન સિંહના સરકારી આવાસ તરફ પણ રેલી યોજી ઈમ્ફાલમણિપુરમાં હિંસાને લઈને બુધવારે રાજધાની ઈમ્ફાલમાં મહિલા પ્રદર્શનકારીઓએ ‘મશાલ રેલી’ યોજી હતી. આ દરમિયાન તેમણે ગત વર્ષથી રાજ્યમાં વધી રહેલી હિંસાના વિરોધમાં રાજ્યના મુખ્યમંત્રી એન. બિરેન સિંહના સરકારી આવાસ તરફ પણ રેલી યોજી હતી. આ રેલી તેંગનોઉપલ જિલ્લામાં ભારત-મ્યાનમાર…

અવિવાહિત છોકરીઓ પણ માતા-પિતા દ્વારા ગુજરાન ભથ્થાંની હકદાર

ભલે છોકરીઓ કોઈ પણ ધર્મ કે ગમે તે ઉંમરની હોય દેશના ઘરેલું હિંસા અધિનિયમ હેઠળ પરિવારજનોએ તેને ગુજરાન ભથ્થું આપવું જ પડશે અલ્હાબાદઅલ્હાબાદ હાઈકોર્ટ અવિવાહિત છોકરીઓ માટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટ પોતાના એક નિર્ણયમાં સ્પષ્ટ કર્યું છે કે, અવિવાહિત છોકરીઓ પણ માતા-પિતા દ્વારા ગુજરાન ભથ્થાંની હકદાર છે. કોર્ટે પોતાના આદેશમાં એ પણ કહ્યું…

મોદીએ રામમંદિરની ટપાલ ટિકિટ બહાર પાડી, પુસ્તકનું વિમોચન કર્યું

વડાપ્રધાને કુલ છ ટપાલ ટિકિટ બહાર પાડી, જેમાં રામ મંદિર, ભગવાન ગણેશ, હનુમાન, જટાયું, કેવટરાજ અને માતા શબરીનો સમાવેશ થાય છે નવી દિલ્હીવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી રામ જન્મભૂમિ મંદિર પર સ્મારક ટપાલ ટિકિટ બહાર પડી છે.સાથે વિશ્વભરમાં ભગવાન રામ પર જાહેર કરેલી ટિકિટોની એક પુસ્તકનું પણ વિમોચન કર્યું હતું. વડાપ્રધાને કુલ છ ટપાલ ટિકિટ બહાર…

ચેન્નાઈમાં ફ્લાઈટ ટેક ઓફ કરે એ પહેલાં ટાયર ફાટતાં ગભરાટ

130થી વધુ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા, તમામ યાત્રીઓ સુરક્ષિત ચેન્નાઈસદભાગ્યે તમિલનાડુના ચેન્નઈમાં એક મોટી વિમાન દુર્ઘટના સર્જાતા રહી ગઇ. એક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનું ટેક ઓફ કરે તે પહેલાં જ રન વે પર ટાયર ફાટી ગયું હતું જેના લીધે 130થી વધુ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.જોકે સદભાગ્યે ટાયર ફાટ્યા બાદ કોઈ દુર્ઘટના સર્જાઈ નહોતી….

22 જાન્યુઆરીએ કેન્દ્ર સરકારે અડધો દિવસની રજા જાહેર કરી

સમગ્ર ભારતમાં કેન્દ્ર સરકારની તમામ કચેરીઓ, કેન્દ્રીય સંસ્થાઓ અને કેન્દ્રીય ઔદ્યોગિક સંસ્થાઓ 22 જાન્યુઆરીએ બપોરે 2:30 વાગ્યા સુધી અડધા દિવસ માટે બંધ રહેશે નવી દિલ્હીઅયોધ્યા નગરીમાં ભવ્ય રામ મંદિરમાં થનારા રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે તેમજ દેશભરમાં રામ ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારે આજે એક…

એજન્સી આરોપીઓ સાથે મારપીટ કરી ખોટા નિવેદન લખાવે છેઃ કેજરીવાલ

મને જે 4 નોટિસ મોકલાઈ હતી, તે કાયદાની દ્રષ્ટિએ ગેરકાયદેસર છે. ઈડીએ જ્યારે પણ આવી જનરલ નોટિસો મોકલી, તેને કોર્ટે રદ કરી છેઃ દિલ્હીના મુખ્યમંત્રી નવી દિલ્હીદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના સમન્સની સતત ચોથી વખત અવગણ કરી ઈડી અને ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું, ‘હું લોકસભા ચૂંટણીમાં પ્રચાર ન કરી…

વગર ટિકિટે મુસાફરી કરતા પ્રવાસીને ટીટીઈએ થપ્પડો માર્યા

ઘટનાનો વીડિયો બનાવનારને પણ ટીટીઈએ અપશબ્દો કહ્યા, મોબાઈલ છીનવવા પ્રયાસ કર્યો નવી દિલ્હીટ્રેનમાં મુસાફરી દરમિયાન કેટલાંક લોકો ટિકિટ લીધા વિના યાત્રા કરતા હોય છે, જો કે તેઓ દંડ પણ ચુકવે છે. પરંતુ તાજેતરમાં એક એવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેનો જોઇને લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. વાયરલ થઇ રહેલા…

દેશના 17 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોવિડના જેએન-1 વેરિયન્ટનો પગપેસરો

ભારતીય સાર્સ-કોવ -2 જીનોમિક્સ કન્સોર્ટિયમના ડેટા મુજબ સૌથી વધુ કેસ કર્ણાટકમાં નોંધાયા, ગુજરાતમાં 76 કેસ, દેશમાં કુલ 1226 કેસ નવી દિલ્હીદેશમાં 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કોવિડ-19 સબ વેરિયન્ટ જેએન.1નો પેસારો થયો છે. અત્યાર સુધીમાં નવા વેરિયન્ટના કુલ 1226 કેસ સામે આવ્યા છે. સૌથી વધુ કેસ કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં નોંધાયા છે. આ માહિતી ઈન્સાકોગે ગુરુવારે…

સરકારે આયુષ્માન ભારત યોજના હેઠળ સારવારની યાદીમાંથી 196 રોગને હટાવ્યા

હવે લોકોને આ રોગોની સારવાર સરકારી હોસ્પિટલોમાં જ લેવી પડશે, લાભાર્થીઓને ખાનગી હોસ્પિટલ્સમાં આ રોગોમાં મફત સારવાર નહીં મળી શકે નવી દિલ્હીલોકો સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપે તે માટે સરકારે આયુષ્માન ભારત યોજના શરૂ કરી છે. 2018 માં શરૂ થયેલી આ અદ્ભુત યોજના હેઠળ, અનેક રોગોની મફતમાં સારવાર કરવામાં આવે છે. આ કાર્ડધારકોમાં બાળકોથી લઈને વડીલો…

મણિપુરના મોરેહ શહેરમાં દળો અને ઉગ્રવાદીની અથડામણમાં એક કમાન્ડો શહીદ

શંકાસ્પદ કુકી ઉગ્રવાદીઓએ સુરક્ષા દળોની ચોકીને નિશાન બનાવી, પહેલા ચોકી પર ગોળીબાર કર્યો અને ત્યારબાદ બોંમ્બ ફેંક્યા હતા, જેના જવાબમાં જવાનોએ પણ ગોળીબાર કર્યો ઈમ્ફાલમણિપુરમાં છેલ્લા ઘણા સમયથી શાંત પડેલી હિંસા ફરી એકવાર ભડકી ઉઠી છે. ટેગ્નોપાલ જિલ્લાના મોરેહ શહેરમાં આજે સુરક્ષા દળોના જવાન અને ઉગ્રવાદીઓ સામસામે આવી ગયા હતા અને બંને તરફથી ગોળીબાર થયો…

ધુમ્મસથી બે દિવસમાં 300 ફ્લાઈટ રદ, 40 હજાર મુસાફરો ઘટ્યા

1થી 13 જાન્યુઆરી સુધીમાં ભારતમાં સરેરાશ 2883 ડોમેસ્ટિક ફ્લાઈટોનું સંચાલન કરાયું, જેમાં 4,42,370 મુસાફરોએ પ્રવાસ કર્યો, 14 જાન્યુઆરીએ ફ્લાઈટની સંખ્યા ઘટીને 2552 થઈ ગઈ નવી દિલ્હીદેશભરના ઘણા ભાગોમાં કડકડતી ઠંડી સાથે ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે, જેની સૌથી વધુ અસર એર ટ્રાફિકને થઈ છે. કેટલાક દિવસોથી ઘણી ફ્લાઈટો રદ કરાઈ છે અને મુસાફરોની સંખ્યા…

ભારત વિશ્વની સૌથી ચોથી શક્તિશાળી સેના છે

યાદીમાં અમેરિકા ટોચે રહ્યું હતું, જ્યારે ખાસ વાત એ છે કે ટોપ 10 દેશોમાં પાકિસ્તાન આ યાદીમાં ઠેઠ તળીયે હોય તેમ 9મા સ્થાને રહ્યું નવી દિલ્હી ભારતીય સેના વિશ્વની ચોથી સૌથી શક્તિશાળી સેના છે. 2024 માટે તાજેતરમાં બહાર પાડવામાં આવેલી ગ્લોબલ ફાયરપાવરની યાદીમાં સૌથી મજબૂત સેનાઓની વિગતો આપવામાં આવી છે. આ યાદીમાં અમેરિકા ટોચે રહ્યું…

એનસીપીના નેતા શરદ પવારનો રામમંદિરનું આમંત્રણ સ્વિકારવા ઈનકાર

શરદ પવારે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયને પત્ર લખી કાર્યક્રમમાં હાજર નહીં રહી શકે એમ જણાવ્યું મુંબઈ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે ઘણા રાજનેતાઓને આમંત્રણ મોકલાયું છે. તેમાં કોંગ્રેસ સહિત વિપક્ષના ઘણા સાથીઓએ આમંત્રણ ફગાવતાં રામમંદિરના ઉદઘાટન સમારોહને ભાજપનો રાજકીય કાર્યક્રમ ગણાવી દીધો હતો. આ સૌની વચ્ચે વધુ એક દિગ્ગજ અને કદાવર નેતા…

આરએસએસ-ભાજપે અયોધ્યા કાર્યક્રમને મોદીનો રાજકીય કાર્યક્રમ બનાવી દીધોઃ રાહુલ

હિન્દૂ ધર્મના મુખ્ય લોકોએ પણ રામ મંદિરના ઉદઘાટન કાર્યક્રમ અંગે સવાલ કર્યા છે કે, 22મીનો કાર્યક્રમ ચૂંટણીલક્ષી થઈ ગયો છે, તેથી કોંગ્રેસે ન જવાનો નિર્ણય કર્યો છેઃ કોંગ્રેસના નેતા કોહીમાઉત્તરપ્રદેશના અયોધ્યામાં 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ યોજાવના છે, તે પહેલા આજથી ધાર્મિક વિધિ પણ શરૂ થઈ છે. આ કાર્યક્રમમાં સામેલ થવા દેશ-વિદેશના દિગ્ગજ…