ક્યાંકને ક્યાંક લાભના બદલામાં લાભ આપવાનું કામ થયુઃ કપિલ સિબ્બલ

પીએમ મોદીએ ભ્રષ્ટાચાર ખતમ કરવાનું વચન આપતા ન ખાઉંગા ન ખાને દુંગા વાત કહી હતી જે ટાંકીને કોંગ્રેસ નેતાના મોદી પર પ્રહાર નવી દિલ્હી રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસના પૂર્વ નેતા કપિલ સિબ્બલે ચૂંટણી બોન્ડની માહિતી જાહેર થયા બાદ તેને લઈને પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, ચૂંટણી બોન્ડની માહિતી પરથી જાણી શકાય…

ચૂંટણી બોન્ડના નંબરો જાહેર ન કરવા બદલ એસબીઆઈને સુપ્રીમની ફટકાર

નંબરો જાહેર કરવાથી દાન દેનાર દાતા અને રાજકીય પક્ષો વચ્ચેની લિંકને જાહેર થઈ શકે છે, સુપ્રીમ કોર્ટે આ મામલે એસબીઆઈ પાસેથી 18 માર્ચ સુધીમાં જવાબ માંગ્યો નવી દિલ્હી સુપ્રીમ કોર્ટમાં આજે ચૂંટણી બોન્ડ કેસ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી,  અરજીની સુનાવણી કરતા, સુપ્રીમ કોર્ટે એસબીઆઈને પૂછ્યું હતું કે તેણે ચૂંટણી બોન્ડના નંબરો કેમ જાહેર…

ચૂંટણી પંચ આજે લોકસભાની ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરશે

મતદાન તારીખથી લઈને મતગણતરી અને પરિણામ સહિતની તમામ વિગતો જાહેર કરવાની ચૂંટણી પંચ દ્વારા માહિતી અપાઈ નવી દિલ્હી  છેલ્લાં કેટલાંક સમયથી ચર્ચા છે કે લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. એવામાં હવે ખુદ ચૂંટણીપંચે આ અંગેનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવાની ચોક્કસ તારીખ જાહેર કરી દીધી છે. માહિતી અનુસાર ચૂંટણીપંચે કહ્યું છે કે…

નવા ચૂંટણી કમિશનરો માટે જ્ઞાનેશ કુમાર અને સુખબીર સંધુના નામ નક્કી

અધીર રંજન ચૌધરી પણ ચૂંટણી કમિશનરની પસંદગી સાથે જોડાયેલી સમિતિનો ભાગ છે નવી દિલ્હી કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ મોટો દાવો કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કાયદા પ્રધાન અર્જુન મેઘવાલ સાથેની બેઠકમાંથી બહાર આવતાં અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે નવા ચૂંટણી કમિશનરો માટે જ્ઞાનેશ કુમાર અને સુખબીર સંધુના નામ નક્કી કરવામાં આવ્યા…

વડાપ્રધાન પદ માટે પહેલી પસંદ મોદી, બીજા ક્રમે રાહુલ ગાંધી

ભાજપ છેલ્લી બે ચૂંટણી નરેન્દ્ર મોદીના ચહેરા પર લડી રહ્યો છે અને ત્રીજી ચૂંટણી પણ તેમના ચહેરા પર જ લડશે, પરંતુ વિપક્ષે પીએમ પદ માટે પોતાનો ચહેરો જાહેર કર્યો નથી નવી દિલ્હી આગામી લોકસભાની ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી ફરી એકવાર વડાપ્રધાન પદ માટે સૌથી વધુ પસંદગી ધરાવતા ચહેરો બની ગયા છે. એક સર્વેમાં આ વાત…

કોંગ્રેસ પાસે ચૂંટણી ભંડોળની ભયંકર અછત હોવાની ખડગેની કબૂલાત

બેંક ખાતાઓમાં લોકો દ્વારા દાનમાં મળેલા પૈસા રાખવામાં આવ્યા હતા તે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે ફ્રીઝ કરી દીધા હોવાનો કોંગ્રેસના નેતાનો આક્ષેપ નવી દિલ્હી હવે લોકસભાની ચૂંટણીમાં થોડા જ અઠવાડિયા બાકી છે અને તે પહેલા જ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસની ખરાબ હાલત અંગે સંકેત આપી દીધા છે. ખડગેએ સંકેત આપ્યો હતો કે કોંગ્રેસ…

દિલ્હીની ઈમારતમાં ભીષણ આગ, ગુંગળાઈ જતાં ચારનાં મોત

પીડિતોની ઓળખ મનોજ(30), તેમની પત્ની સુમન (28) અને પાંચ તથા ત્રણ વર્ષની બે છોકરીઓ તરીકે થઇ નવી દિલ્હી દિલ્હીના શાહદરાના શાસ્ત્રી નગર વિસ્તારમાં ગુરુવારે સવારે એક રહેણાંક ઇમારતમાં ભીષણ આગ લાગતાં ગુંગળામણને લીધે બે બાળકો અને એક દંપતી સહિત કુલ 4 લોકોના મોત નીપજ્યાં છે. એક અધિકારીએ જણાવ્યું કે પીડિતોની ઓળખ મનોજ(30), તેમની પત્ની સુમન…

ત્રિપુરાની મહારાણી કૃતિ સિંહ અને મૈસૂરના પૂર્વ રાજ પરિવારના વડા યદુવીર કૃષ્ણદત્તને ટિકિટ

ભાજપે અત્યાર સુધીમાં તેની બે યાદીઓમાં કુલ 267 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જો કે આ પૈકી 2 ઉમેદવારોએ પોતાના નામ પાછા ખેંચી લીધા નવી દિલ્હી લોકસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની બીજી યાદીમાં બે રાજવી પરિવારના વંશજોના નામ પણ સામેલ છે. 72 ઉમેદવારોની આ યાદીમાં ત્રિપુરાની મહારાણી કૃતિ સિંહ દેબબર્મા અને ભૂતપૂર્વ મૈસૂર રાજવી પરિવારના…

રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિને દેશમાં એક સાથે ચૂંટણીનો રિપોર્ટ સોંપ્યો

પેનલે ભલામણ કરી છે કે પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવામાં આવે, ત્યારબાદ બીજા તબક્કામાં 100 દિવસમાં સ્થાનિક એકમોની ચૂંટણી યોજવામાં આવે નવી દિલ્હી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિએ આજે ‘એક દેશ એક ચૂંટણી’ને રાષ્ટ્રપતિને પોતાનો રિપોર્ટ સુપરત કરી દીધો છે. દેશભરમાં લોકસભા, રાજ્યોની વિધાનસભાઓ અને સ્થાનિક એકમોની ચૂંટણીઓ…

અશ્લિલ સામગ્રી દર્શાવતી 18 ઓટીટી અને 19 વેબસાઈટ્સ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો

અનેક વખત ચેતવણી આપવામાં આવી હતી છતાં સ્થિતિમાં કોઈ સુધારો ન થવાના કારણે આ ઓટીટી પ્લેટફોર્મ અને વેબસાઈટ્સને બ્લોક કરવામાં આવી નવી દિલ્હી ભારતમાં એક સમયે બિભત્સ સામગ્રી પર આકરા નિયંત્રણો હતા પરંતુ ઓટીટી અને ઈન્ટરનેટના જમાનામાં બિભત્સ કન્ટેન્ટની આખી દુનિયા ખુલી ગઈ છે. તેના કારણે સમાજ પર પડતી વિપરીત અસરને ધ્યાનમાં રાખીને સરકારે આજે…

મહિલાઓને સરવે વગર જ અનામત અપાશેઃ રાહુલ ગાંધી

‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં બહુ ધામધૂમથી આનામત આપી હતી, પરંતુ તમને કહેવામાં આવ્યું કે સરવે પછી જ અનામત આપવામાં આવશેઃ રાહુલ નવી દિલ્હી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ પૂરજોશમાં પ્રચાર કરી રહી છે. રાહુલ ગાંધી હાલ ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે અને તેમની યાત્રા મહારાષ્ટ્રમાં પહોંચી ગઈ છે,…

પેટીએમને ફાસ્ટેગની સેવા આપતી બેંકોની યાદીમાંથી હટાવાઈ

એનએચએઆઈએ ફાસ્ટટેગ સર્વિસ આપતી બેંક અને નોન- બેંકિંગ નાણાકીય કંપનીઓની યાદી અપડેટ કરી નવી દિલ્હી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની કાર્યવાહી બાદ પેટીએમ પેમેન્ટ બેંક પર આખરે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પે ટીએમ પેમેન્ટ્સ બેંક (પીપીબીએલ)પર પ્રતિબંધ લગાવ્યા પછી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ)એ પીપીબીએલને ફાસ્ટેગની સેવા આપતી બેંકોની યાદીમાંથી હટાવી દીધી છે….

દેશમાં સેમીકન્ડક્ટર નિર્માણથી ભારત વૈશ્વિક કેન્દ્ર બની શકશેઃ મોદી

મોદીએ જે ત્રણ સેમિકન્ડક્ટર એકમ શિલાન્યાસ કર્યો તેમાં, ગુજરાતનાં સાણંદ અને ધોલેરામાં એક-એક અને આસામમાં એક એકમનો સમાવેશ થાય છે નવી દિલ્હી આગામી લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હજારો-કરોડોની યોજનાઓનો શિલાન્યાસ અને ઉદઘાટન કરી રહ્યા છે, ત્યારે તેમણે આજે ત્રણ સેમિકન્ડક્ટર એકમોની ભેટ આપી છે. તેમણે આજે (13 માર્ચે) વર્ચુઅલ માધ્યમથી લગભગ 1.25 લાખ…

કેન્સરની નવ નકલી દવા સાથે સાત લોકોની ધરપકડ કરાઈ

આરોપીઓ હોસ્પિટલમાં દર્દીઓને કીમોથેરાપીમાં અપાતા ઈન્જેક્શનની ખાલી શીશીઓ ભેગી કરતા હતા, પછી તે શીશીઓમાં એન્ટી ફંગલ દવાઓ ભરીને વેચતા હતા નવી દિલ્હી દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે નકલી દવાઓના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટમાં સામેલ સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી બે આરોપી દિલ્હીની એક જાણીતી કેન્સર હોસ્પિટલના કર્મચારી છે. પોલીસે આરોપીઓ પાસેથી…

ભાજપને પછાડવા કોંગ્રેસ દલિત અને પછાત ચહેરાઓના સહારે

  યાદીમાં સામેલ 43 ઉમેદવારોમાં 10 જનરલ કેટેગરીના, 13 ઓબીસી, 10 SC, 9 એસટી અને 2 મુસ્લિમ ઉમેદવારો છે નવી દિલ્હી કોંગ્રેસ પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. યાદીમાં કુલ 43 ઉમેદવારોના નામ છે. આ યાદીની સૌથી ખાસ વાત એ છે કે તેમાં 76 ટકા ઉમેદવારો દલિત અને પછાત છે. યાદીમાં…

ભારતીય મુસ્લિમોને સીએએ કાયદા સાથે કોઈ લેવાદેવા નથી, તેમને હિંદુઓ જેટલો જ અધિકાર છે

સીએએ કાયદો લાગુ થવાથી કોઈપણ ભારતીયને તેની નાગરિકતા સાબિત કરવા માટે કોઈ દસ્તાવેજ રજૂ કરવા માટે કહેવામાં નહીં આવે નવી દિલ્હી સીએએ પર અનેક શંકાઓથી ઘેરાયેલા મુસ્લિમ સમાજને ગૃહ મંત્રાલયે ચિંતા ન કરવાની અપીલ કરી છે. મંગળવારે મોડી સાંજે જારી કરાયેલા એક નિવેદનમાં મંત્રાલયે કહ્યું કે મુસ્લિમોએ નાગરિકતા સંશોધન કાયદાથી ગભરાવાની જરૂર નથી. ભારતીય મુસ્લિમોને…

નાયબ સૈનિ હરિયાણાના નવા મુખ્યમંત્રી બન્યા

ભાજપની નવી સરકાર બની, જોકે તેમ છતાં નવી સરકાર સામે ઘણાં પડકારો યથાવત્ ચંદિગઢ હરિયાણાના રાજકારણમાં આજે ભારે ઉથલ-પાથલ સર્જાઈ છે. આજે ભાજપ અને જનનાયક જનતા પાર્ટી (જેપીપી) વચ્ચે ગઠબંધન તૂટ્યા બાદ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે રાજીનામું આપી દીધું છે. ભાજપે પણ અન્ય પક્ષોના ઉમેદવારોના સાથ મેળવી લીધો છે અને નવી સરકાર બનાવવાની તૈયારી સાથે…

કોંગ્રેસે ગુજરાતના ત્રણ ધારાસભ્ય સહિત 43 ઉમેદવાર જાહેર કર્યા

બીજી યાદીમાં ગુજરાત સિવાય તેમાં રાજસ્થાન, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, દીવ-દમણ અને આસામના ઉમેદવાર પણ સામેલ નવી દિલ્હી લોકસભા ચૂંટણીની ટૂંક સમયમાં જાહેરાત થવાની છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દેવાઈ હતી. કોંગ્રેસે પહેલી યાદીમાં 39 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા, પરંતુ તેમાં ગુજરાતમાંથી એકપણ ઉમેદવાર જાહેર કરાયા ન હતા. હવે…

સીએએનો મોટો લાભ પ.બંગાળમાં રહેતા મતુઆ સમુદાયના 30 લાખ લોકોને થશે

હિંદુઓમાં જોવા મળતી જાતિપ્રથાને પડકારીને  આ સમુદાયની શરુઆત ૧૮૬૦માં હરિચંદ્ર ઠાકુરે કરી હતી કોલક્તા  લોકસભાની ચુંટણી જાહેર થવાની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે કેન્દ્ર સરકારે સીટિઝન એમન્ડમેન્ટ એકટ ( નાગરિકતા સંશોધન કાનુન) લાગુ પાડીને ઐતિહાસિક પગલું ભર્યુ છે. સીઇએના અમલ અને જાહેરાતના સમયને લઇને વિપક્ષો દ્વારા વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આવી રહી છે. સીઇએ અંગે દેશમાં…

પૂર્વોત્તરના મોટાભાગના આદિવાસી વિસ્તારોમાં સીએએ લાગુ નહીં થાય

સીએએ કાયદો જ્યાં દેશના અન્ય ભાગોમાં રહેતા લોકોને મુસાફરી માટે ‘ઇનર લાઇન પરમિટ’ની જરૂર હોય ત્યાં આ કાયદાનો અમલ નહીં થાય નવી દિલ્હી આગામી લોકસભા ચૂંટણીની તારીખોની થોડા જ દિવસોમાં જાહેરાત થઈ શકે છે. તે પહેલા કેન્દ્ર સરકાર દ્વારા  સોમવારે દેશમાં નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) સત્તાવાર રીતે લાગુ કરી દીધો છે. સીએએ લાગુ થવાથી ભારતના…