દેશમાં ચોવિસ કલાકમાં કોરોનાના 761 કેસ, 12 જણાનાં મોત

એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 4334 થઈ, સૌથી ખરાબ સ્થિતિ કર્ણાટક રાજ્યની છે જ્યાં ગઈકાલે 298 નવા કેસ નોંધાયા નવી દિલ્હી દેશમાં વધી રહેલા કોરોનાના કેસથી કેન્દ્ર અને રાજ્ય સરકારોનું ટેન્શન વધારી દીધુ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ દેશમા છેલ્લા 24 કલાકમાં 761 કેસ નોંધાયા છે જ્યારે કોરોનાથી 12 લોકોએ જીવ ગુમાવ્યો…

સરકારી કર્મીઓને માર્ચ-24ના ક્વાર્ટરમાં પીએફમાં 7.1 ટકા વ્યાજ મળશે

જીપીએફના વ્યાજદરમાં કોઈ પરિવર્તન કરવામાં આવ્યુ નથી નવી દિલ્હી સરકારી કર્મચારીઓ માટે પ્રોવિડન્ટ ફંડના નવા વ્યાજ દર નક્કી થઈ ગયા છે. સરકારે જણાવી દીધુ છે કે જનરલ પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ કરનાર સરકારી કર્મચારીઓને જાન્યુઆરીથી માર્ચ 2024ના ત્રણ મહિના એટલે કે ચાલુ નાણાકીય વર્ષના અંતિમ ત્રિમાસિકમાં 7.1 ટકાના દરથી વ્યાજ મળવાનું છે.  નાણા મંત્રાલયે તાજેતરના નોટિફિકેશનમાં…

યુવાનને ટોર્ચર કરાયાનો પૂર્વ ક્રિકેટર સામે આક્ષેપ

પવનની માતાએ આ કેસમાં તત્કાલિન ડીએસપી અને પૂર્વ ક્રિકેટર જોગીન્દર શર્મા સહિતના પર આરોપ લગાવ્યો હિસ્સાર  હરિયાણાના ડાબરા ગામના 27 વર્ષીય પવનના શંકાસ્પદ મોતના મામલામાં પરિવારે ત્રીજા દિવસે પણ મૃતદેહ લેવાનો ઈન્કાર કરી દીધો હતો. બુધવારે સાંજે સિવિલ હોસ્પિટલમાં સીએમઓ ઓફિસની બહાર પાર્કમાં સ્વજનો ધરણા પર બેઠા હતા. ગુરુવારે પવનની નાની બહેન સંજુની તબિયત પણ…

યુએસ દ્વારા નિખિલ ગુપ્તાના પ્રત્યાર્પણની શંકાએ સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર

આ સંવેદનશીલ મામલામાં સરકાર જ યોગ્ય નિર્ણય લઈ શકે છે, કોર્ટ તેમાં દખલ ન કરી શકેઃ સુપ્રીમ કોર્ટ નવી દિલ્હીઅમેરિકામાં ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના પ્રયાસના કેસમાં આરોપી નિખિલ ગુપ્તા ચેક રિપબ્લિક ની જેલમાં બંધ છે. હવે આ મામલે નિખિલના પરિવારે ભારતની સુપ્રીમ કોર્ટમાં અરજી કરતા કોર્ટે સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. પરિવારે…

રામલલાની મૂર્તિને મોદી સ્પર્શ કરે એ મર્યાદાની વિરુધ્ધઃ પુરીના શંકાચાર્ય

પદની ગરિમાનું ધ્યાનમાં રાખીને પુરીના શંકાચાર્ય સ્વામી નિશ્ચલાનંદનો કાર્યક્રમમાં સામેલ ન થવાનો નિર્ણય પુરીદેશના લાખો હિન્દુઓની પ્રતિક્ષાનો અંત થોડા દિવસો બાદ આવશે જ્યારે ભગવાન રામલલા અયોધ્યામાં ભવ્ય મંદિરમાં બિરાજશે. 22મી જાન્યુઆરીએ થનારા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને જ્યાં દેશભરના શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ આને લઈને રાજકીય પક્ષો એકબીજા પર આક્ષેપ અને…

હોસ્પિટલ્સ લોહી માટે માત્ર પ્રોસેસિંગ ફી જ વસૂલી શકશે

સરકાર તરફથી જાહેર કરાયેલી એડવાઈઝરી તમામ હોસ્પિટલો અને બ્લડ બેન્કોને જારી કરી દેવામાં આવી, નવા નિયમોનું કડક રીતે પાલન કરવા નિર્દેશ નવી દિલ્હીદરેક વ્યક્તિ લોહીની કિંમત જાણે જ છે કે જીવનમાં જીવવા માટે તે કેટલો જરૂરી છે. જ્યારે બીજી બાજુ હવે લોહીના વેચાણનો ધંધો બંધ થશે. એટલે કે હવે દેશમાં લોહી વેચી નહીં શકાય. તેનાથી…

દિલ્હીમાં પેથોલોજી અને રેડિયોલોજી ટેસ્ટમાં કૌભાંડમાં સીબીઆઈ તપાસનો એલજીનો આદેશ

મોહલ્લા ક્લિનિકોમાં નકલી લેબ ટેસ્ટ માટે નકલી અથવા જે મોબાઈલ નંબર સેવામાં જ નથી તેને નોંધીને દર્દીઓની એન્ટ્રી બતાવાઈ નવી દિલ્હી દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે સંકટમાં ઘેરાયેલી કેજરીવાલ સરકાર ફરી એક વખત સંકટના વાદળ ઘેરાયા છે. દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેના હાલના દિવસોમાં કેજરીવાલ સરકાર વિરુદ્ધ એક્શન મોડમાં ચાલી રહ્યા છે ત્યારે એલજીપણ એક પછી…

કોંગ્રેસના આત્મા હિંદુ, આમં6ણ હોય તો અયોધ્યા જવું જોઈએઃ યુટીબી

કોંગ્રેસ પાર્ટીનો આત્મા જ હિન્દૂ છે અને તેમાં છુપાવવા જેવું કંઈ નથીઃ શિવસેનાના મુખપત્ર સામનામાં ટીપ્પણી મુંબઈ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ બાદ 22 જાન્યુઆરીએ ભગવાન રામની મૂર્તીની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ માટે તડામાર તૈયારી ચાલી રહી છે ત્યારે આ મુદ્દા પર રાજકારણ પર ગરમાયું છે. ભાજપ માટે આવનારી લોકસભા ચૂંટણી માટે આ મુદ્દો મહત્વનો સાબિત…

ધરપકડની શક્યતા વચ્ચે કેજરીવાલ ત્રણ દિવસ ગુજરાત આવશે

કેજરીવાલ પાર્ટી કાર્યકર્તા સમ્મેલનમાં હાજરી આપશે તેમજ જાહેરસભાને સંબોધશે નવી દિલ્હી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડીએ દિલ્હીની એક્સાઈઝ નીતિમાં કથિત કૌભાંડ કેસમાં હાજર થવા ત્રીજીવાર સમન્સ મોકલ્યા હતા તેમ છતાં તેઓ ઈડી સમક્ષ હાજર નહોતા થયા ત્યારે તેની સામે આકરા પગલા લેવામાં આવી શકે છે અને પાર્ટીએ દાવો કર્યો છે કે તેની ગમે તે સમયે…

આંધ્રના મુખ્યમંત્રીના બહેન શર્મિલાનો પક્ષ કોંગ્રેસમાં જોડાશે

49 વર્ષીય વાયએસ શર્મિલા તેલંગાણામાં સક્રિય વાયએસઆરતેલંગાણા પાર્ટીના સ્થાપક અને પ્રમુખ છે હૈદ્રાબાદ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીના બહેન અને વાયએસઆરટીપીના પાર્ટી પ્રમુખ વાયએસ શર્મિલા ટૂંક સમયમાં જ પોતાની પાર્ટીને કોંગ્રેસ સાથે જોડશે તેવી જાહેરાત કરવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર કોંગ્રેસ વાયએસ શર્મિલાને લોકસભાની ચૂંટણીમાં મહત્ત્વની ભૂમિકા આપી શકે છે. કોંગ્રેસને પહેલા કર્ણાટકમાં…

કાશ્મીરના કિશ્તવાડમાં 3.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

ભૂકંપનું કેન્દ્ર બિંદુ કિશ્તવાડ નજીક પાંચ કિમી ઊંડે હતું જમ્મુ જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વહેલી સવારે ભારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અધિકારીઓએ કહ્યું કે ગુરુવારે સવારે 3.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપને કારણે અત્યાર સુધી કોઈ મોટી જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.  રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ કહ્યું કે ભૂકંપનો આંચકો મોડી રાતે 12.38 વાગ્યે આવ્યો હતો. જેનું…

ચોરોને પગાર પર રાખતી પહાડી ગેંગના આઠ ઝડપાયા

આ આંતરરાજ્ય ટોળકી જે દેશના વિવિધ રાજ્યોમાં સક્રિય હતીઅને મોબાઈલ ફોન ચોરી કરવાની સાથે ખાતામાંથી પૈસા પણ ઉપાડી લેતી હતી ભૂવનેશ્વર કોઈ તમને પૂછે કે શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ચોરોને નોકરી આપવામાં આવે છે? તેમને માસિક પગાર ચૂકવાય છે? તો તમે જ ના પાડશો. પરંતુ તમને વિશ્વાસ નહીં થાય કે આવો જ એક…

ઈસરો જીસેટ-20 સેટેલાઈટ ફાલ્કન-9 રોકેટથી લોન્ચ કરશે

આ સેટેલાઈટને આ વર્ષના બીજા ક્વાર્ટરમાં લોન્ચ કરવાની યોજના નવી દિલ્હી ભારતીય સ્પેસ એજન્સી ઈસરોએ (ઈસરો) અને ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ (સ્પેસએક્સ) સાથે કરાર કર્યો છે જેમાં ઈસરોના 4.7 ટનના સેટેલાઈટ જીસેટ-20 (જીસેટ-20) જેનું ટૂંક સમયમાં જ નવું નામ જીસેટ એન2 (જીસેટ-એન2) રાખવામાં આવશે તે સ્પેસએક્સના રોકેટ ફાલ્કન-9 રોકેટ દ્વરા લોન્ચ કરવામાં આવશે. આ સેટેલાઈટને…

પાયલોટ ન હોઈ વડોદરાના 100 મુસાફર દિલ્હી એરપોર્ટ પર અટવાયા

એર ઈન્ડિયાની ફ્લાઈટ નિર્ધારિત સમય 4.35 વાગ્યે ઉડાન ભરવાની હતી જેને 7.50ના સમય પર રિશેડ્યુલ કરવામાં આવ્યા બાદ પણ ઉડાન ભરી ન હતી નવી દિલ્હી દિલ્હી અને સમગ્ર ઉત્તર ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી ગાઢ ધુમ્મસને કારણે વિઝિબલિટી ઘટી જાય છે ત્યારે અનેક ટ્રેનો મોડી ચાલી રહી છે અને કેટલીક ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવે છે તો…

કોંગ્રેસના ધારાસભ્ય અને આઈએનએલડીના પૂર્વ ધારાસભ્યને ત્યાં ઈડીના દરોડા

યમુનાનગર, સોનીપત, મોહાલી, ફરીદાબાદ, ચંડીગઢ અને કરનાલ બંને રાજનેતાઓ અને સબંધિત સંસ્થાઓના 20 ઠેકાણા પર સર્ચ સોનીપત ઈડીએ આજે હરિયાણાના યમુનાનગર જિલ્લામાં કથિત ગેરકાયદેસર ખાણકામ સાથે સબંધિત મની લોન્ડરિંગ હેઠળ હરિયાણા કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પંવાર અને પૂર્વ આઈએનએલડીધારાસભ્ય દિલબાગ સિંહ અને અન્ય કેટલાક ઠેકાણા પર દરોડા પાડ્યા છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ…

ઈડીના સમન્સ ગેરકાયદે, ચૂંટણી પહેલાં મારી ધરપકડ કરવા માગે છેઃ કેજરીવાલ

છેલ્લા બે વર્ષમાં આ શબ્દ ઘણી વાર સાંભળ્યો હશે. પરંતુ આ બે વર્ષમાં તપાસ બાદ પણ ક્યાંયથી એક પૈસો મળ્યો ન હોવાનો કેજરીવાલનો દાવો નવી દિલ્હી દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે કેજરીવાલ સરકાર પર સંકટના વાદળો ઘેરાયા છે. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેણે દરેક પ્રશ્નોના જવાબ આપ્યા…

દેશમાં ચોવિસ કલાકમાં કોરોનાના 602 કેસ નોંધાયા

5 લોકોના મૃત્યુ, કોરોનાના કુસ એક્ટિવ કેસની સંખ્યા પણ હવે 4440 થઈ નવી દિલ્હી દેશમાં ફરી એકવાર કોરોના ડરામણો સ્વરૂપ ધારણ કરી રહ્યો હોય તેવું દેખાય છે. આજે ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. દેશમાં એક દિવસમાં નવા 602 કેસ નોંધાયા હતા.  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 602 નવા કેસ…

26 જાન્યુઆરીની પરેડમાં ત્રણ સેનાની મહિલા ટૂકડી ભાગ લેશે

ગણતંત્ર દિવસની પરેડમાં પ્રથમ વખત નૌકાદળ, વાયુસેના અને નૌકાદળની મહિલા અગ્નિવીરોની સંયુક્ત ટુકડી હશે નવી દિલ્હી આ વર્ષે બીટીંગ રીટ્રીટ સંપૂર્ણપણે સ્વદેશી રહેશે. મળતી માહિતી મુજબ આ વર્ષે બીટીંગ રીટ્રીટમાં જે પણ ધૂન વગાડવામાં આવશે તે સંપૂર્ણપણે સ્વદેશી હશે. જે માટે ધૂન પણ પસંદ કરવામાં આવી છે. આ ઉપરાંત ગણતંત્ર દિવસની પરેડમાં પ્રથમ વખત નૌકાદળ,…

મહુઆ મોઈત્રાએ પૂર્વ પ્રેમી પર ગેરકાયદેસર દેખરેખ રખાવી હોવાનો આરોપ

ટીએમસી નેતા મારા ફોન નંબરનો ઉપયોગ કરીને મારા ભૌતિક સ્થાનને ટ્રેક કરી રહી હોવાનો દેહાદ્રાઈનો આક્ષેપ નવી દિલ્હી સંસદમાં પૈસા બદલ પ્રશ્નો પૂછવાના કેસમાં સંસદ સભ્યપદ ગુમાવનાર ટીએમસીનેતા મહુઆ મોઈત્રા હવે નવા વિવાદમાં ફસાતા નજર આવી રહ્યા છે. જે વ્યક્તિએ પૈસા બદલ પ્રશ્નો પૂછવાના આરોપો લગાવ્યા હતા તે જ વ્યક્તિએ ફરી મહુઆ મોઈત્રા પર પશ્ચિમ…

હમાસ સાથેના જંગ બાદ નેતન્યાહૂની લોકપ્રિયતા તળિયે પહોંચી ગઈ

ઈઝરાયેલમાં થયેલા એક સર્વેના તારણો પ્રમાણે માત્ર 15 ટકા લોકો જ યુધ્ધ બાદ વડાપ્રધાન તરીકે નેતાન્યાહૂને જોવા માગે છે તેલ અવીવ ઈઝરાયેલે હમાસ સાથે શરૂ કરેલા જંગ બાદ ઈઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહૂની લોકપ્રિયતામાં કોઈ વધારો નથી થયો. ઉલટાનુ તેમની લોકપ્રિયતા તળિયે પહોંચી ચુકી છે.  ઈઝરાયેલમાં થયેલા એક સર્વેના તારણો પ્રમાણે માત્ર 15 ટકા લોકો જ યુધ્ધ…