તિરંગા-મોદીનું અપમાન કરનારા સામે કડક પગલાંની કોંગ્રેસની માગ

કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ ભારત વિરોધી ખાલિસ્તાની  આતંકવાદીઓ વિરુદ્ધ કોઈપણ પ્રકારનો વિલંબ કર્યા વિના જરૂરી કાર્યવાહી કરવાની માગ કરી નવી દિલ્હી ભારત અને કેનેડા વચ્ચે સંબંધો સતત વણસતા જઈ રહ્યા છે.  ખાલિસ્તાની સમર્થકો ભારતને ઉશ્કેરવા માટે દરરોજ વાહિયાત હરકતો કરી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કેનેડામાં ખાલિસ્તાની તત્વો દ્વારા કરાયેલા…

વાઇબ્રન્ટ ગુજરાત રાજ્યની ભાવનાઓને ઉત્તેજન આપવા-વિશ્વ સાથે જોડાવાનું માધ્યમ બનીઃ મોદી

સમિટ રાજ્ય સરકારના નિર્ણય અને કેન્દ્રીત અભિગમને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવા માટેનું એક માધ્યમ બની ગયુઃ વડાપ્રધાન અમદાવાદ  વડાપ્રધાન મોદીએ આજે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 20 વર્ષની ઉજવણી નિમિત્તે કાર્યક્રમને સંબોધન કર્યું હતું. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત 20 વર્ષ પહેલા 28 સપ્ટેમ્બર 2003ના રોજ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે કરવામાં…

વારાણસીમાં રસ્તા પરના પાણીમાં પડેલા બાળકને વૃદ્ધે કરંટથી બચાવ્યો

આ દરમિયાન સ્થળે હાજર અન્ય લોકો દર્શક બની ઉભા રહ્યા, આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ લોકો વૃદ્ધના વખાણ કરી રહ્યા છે વારાણસી ઉત્તરપ્રદેશના વારાણસીમાં એક બાળક વરસાદના કારણે રસ્તા પર ભરાયેલા પાણીમાં પડી ગયો હતો. તે પાણીમાં કરંટ હતો. જેના કારણે તે તરફડવા લાગ્યો હતો. આ દરમિયાન એક વૃદ્ધે હિંમત બતાવી બાળકનો જીવ…

મણિપુરમાં હિંસા મુદ્દે મુખ્યમંત્રીની બરતરફીની કોંગ્રેસ અધ્યક્ષની માગ

147 દિવસથી મણિપુરના લોકો પીડાઈ રહ્યા છે પરંતુ પીએમ મોદી પાસે રાજ્યની મુલાકાત લેવાનો સમય નથીઃ મલ્લિકાર્જુન ખડગેનો આક્ષેપ નવી દિલ્હી દેશનું પૂર્વોત્તર રાજ્ય મણિપુર હિંસાની લપેટમાં છે. થોડા દિવસોની શાંતિ બાદ રાજ્યમાં ઈન્ટરનેટ સેવા ચાલુ કરી દેવામાં આવી છે. ઈન્ટરનેટ સેવા ચાલુ કર્યા બાદ સોશિયલ મીડિયા પર બે વિદ્યાર્થીઓની હત્યાની તસવીર વાયરલ થઈ ગઈ…

મણિપુરમાં જુલાઈમાં ગુમ બે છાત્રોની તસવીરો વાયરલ

આ મામલે રાજ્ય સરકારે તાત્કાલિક અને નિર્ણાયક કાર્યવાહી કરવા આશ્વાસન આપ્યું ઈમ્ફાલ હિંસા પ્રભાવિત પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ઈન્ટરનેટ સેવાઓ બહાલ થઈ ચૂકી છે. જોકે તેના બાદ જુલાઈ મહિનામાં ગુમ થયેલા બે વિદ્યાર્થીઓના શબની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે. આ મામલે રાજ્ય સરકારે તાત્કાલિક અને નિર્ણાયક કાર્યવાહી કરવા આશ્વાસન આપ્યું હતું.  મુખ્યમંત્રી કાર્યાલય…

ભારતીય વાયુદળને પહેલું સી -295 મિડીયમ ટેકનિકલ ટ્રાન્સપોર્ટ એરક્રાફટ સુપરત

આ વિમાન આઇએએફની સ્કવોડ્ન-નં.૧૧માં દાખલ કરાયું, ભારતીય વાયુદળની સૌથી જૂની સ્કોડન્સ પૈકીની તે સ્કવોડ્ન છે નવીદિલ્હી પહેલું સી -295 મિડીયમ ટેકનિકલ ટ્રાન્સપોર્ટ એરક્રાફટ ભારતીય વાયુદળને સોમવારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની ઉપસ્થિતિમાં સુપ્રત કરવામાં આવ્યું હતું. તેથી વાયુદળની સહાયક શક્તિમાં વૃદ્ધિ થવાની છે. આ પ્રસંગે રાજનાથ સિંહે હેંગરમાં રહેલાં આ વિમાનની સર્વધર્મ પૂજા કરી હતી. તે…

મુસ્લિમો અમારા જ છે, દેશ અમારા જેટલો જ એમનોઃ ભાગવત

ભાજપને લવ જેહાદ અને ધર્મ પરિવર્તન સહિતના વિવિધ મુદ્દાઓ પર વધુ ગંભીરતાથી કામ કરવાની સલાહ લખનઉ સરસંઘચાલક ડો.મોહન ભાગવતે કહ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સમગ્ર સમાજને સંગઠિત કરવા માંગે છે. સંઘ માટે કોઈ પારકું નથી. ભાગવતે ભારપૂર્વક કહ્યું કે મુસ્લિમો અમારાથી અલગ નથી, તેઓ પણ અમારા જ છે. આ દેશ જેટલો અમારો છે એટલો જ…

જાલના નજીક બસ બ્રિજ પરથી પડતાં 20 મુસાફરને ઈજા

ડ્રાઇવરે સ્ટીયરીંગ પરનો કાબૂ ગૂમાવતા આ બસ બ્રિજ પથી નીચે પડી જાલના ડ્રાઇવરે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા એક પ્રાઇવેટ બસ બ્રિજ પરથી નીચે પડતાં થયેલ અકસ્માતમાં 20 મુસાફરોને ઇજા પહોંચી છે. આ ઇજાગ્રસ્તોમાંથી 4ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત સોમવારે મોડી રાતે 12 વાગ્યાની આસપાસ બદનાપૂર તાલુકાના માત્રેવાડી શિવાર પાસે થયો છે.પ્રાપ્ત…

ભાજપે મધ્યપ્રદેશ વિધાસભા ચૂંટણી માટે બીજી યાદી જાહેર કરી,ત્રણ કેન્દ્રીય પ્રધાન સહિત સાત સાંસદોને ટિકિટ

ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલ યાદીમાં નરેન્દ્ર સિંહ તોમર, કૈલાશ વિજયવર્ગીય, રીતી પાઠક, પ્રલ્હાદ પટેલ જેવા મોટા નામોનો પણ સમાવેશ નવી દિલ્હી આગામી મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં 39 નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વર્ષના અંતમાં મધ્ય પ્રદેશમાં ચૂંટણીનો માહોલ જામશે. મધ્ય પ્રદેશ…

રોજ ભારતના 600થી વધુ લોકો નાગરિત્વ છોડે છેઃ 20ની પસંદ કેનેડા

2018 અને 2023 વચ્ચે જે ભારતીયોએ પોતાના દેશનું નાગરિકત્વ છોડ્યું તેમાંથી 1.60 લાખ લોકો કેનેડાના સિટિઝન બન્યા નવી દિલ્હી કેનેડા અને ભારત વચ્ચેના સંબંધોમાં તણાવ છે પરંતુ ભારતની સિટિઝનશિપ છોડનારા લોકોમાં અમેરિકા પછી કેનેડા સૌથી ફેવરિટ હોવાનું જોવા મળ્યું છે. વર્ષ 2018 અને 2023 વચ્ચે જે ભારતીયોએ પોતાના દેશનું નાગરિકત્વ છોડ્યું તેમાંથી 1.60 લાખ લોકો…

દિલ્હીમાં જ્વેલર્સને ત્યાં 25 કરોડની ચોરીથી ખળભળાટ

ચોરો દીવાલમાં કાણું પાડીને શોરૂમના લોકર સુધી પહોંચ્યા હતા અને રોકડ અને દાગીનાઓ સહિત કુલ 25 કરોડ રૂપિયા જેટલી રકમની ચોરી કરી ગયા નવી દિલ્હી દેશની રાજધાની દિલ્હીમાં એક મોટી ચોરીનો સનસનાટી મચાવતો મામલો સામે આવ્યો છે. આ ઘટના ભોગલ વિસ્તારમાં આવેલા જ્વેલર્સને ત્યાં બની હતી. માહિતી અનુસાર મોડી રાતે આ જ્વેલર્સને ત્યાં ચોરોની ટોળકી ત્રાટકી…

હાઈકોર્ટમાં 80 નામ પેન્ડિંગ હોવા મુદ્દે સુપ્રીમની કેન્દ્ર ફટકાર

પેનામો ક્લીયર કરવામાં કેન્દ્ર દ્વારા વિલંબનો આક્ષેપ કરતી અરજીઓની સુનાવણીમાં સુપ્રીમનું કેન્દ્ર સામે કડક વલણ નવી દિલ્હી સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક માટેની કોલેજિયમ વ્યવસ્થાનો મુદ્દો થોડા દિવસ શાંત રહ્યા બાદ ફરીથી ચર્ચામાં આવ્યો છે. ન્યાયાધીશની નિમણુંક માટે કાર્યપાલિકા અને ન્યાપાલિકા વચ્ચેની ટક્કર વચ્ચે આજે સુપ્રીમ કોર્ટનું કડક વલણ જોવા મળ્યું હતું. સુપ્રીમે કેન્દ્રને…

કાર્યકરોને સોશિયલ મીડિયા પર સક્રિય થવા ભાજપનો આદેશ

કમલમ ખાતે પ્રદેશ પ્રમુખની હાજરીમાં સોશિયલ મીડિયા યુથ સમિટનું આયોજન કરાયું અમદાવાદ  ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ રાજકીય પક્ષોએ શરૂ કરી દીધી છે. કોંગ્રેસે સિનિયર નેતાઓને વિવિધ વિસ્તારોની જવાબદારી સોંપી છે. બીજી બાજુ ભાજપે કાર્યકર્તાઓને સોશિયલ મીડિયા પર સક્રિય થવા આદેશ કર્યો છે. આજે કમલમ ખાતે પ્રદેશ પ્રમુખની હાજરીમાં સોશિયલ મીડિયા યુથ સમિટનું કમલમ કાર્યાલય ખાતે…

લેન્ડર-રોવરના સંપર્કની નહિવત શક્યતાથી ચંદ્રયાન-3ની સફળતાના અંતની શક્યતા

ભારત દુનિયાને જેટલું દેખાડવાનું હતું એ દેખાડી દીધું છે અને મહિતી એકઠી કરવાની હતી એ પણ ભેગી કરી લીધી છે નવી દિલ્હી ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર સૂર્યોદય થઇ ગયો છે અને એવી આશા છે કે ઈસરો લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન સાથે ફરી સંપર્ક સાધશે. જોકે હજુ સુધી ઈસરો દ્વારા લેન્ડર અને રોવર સાથે કોઈ…

ભાજપે ત્રણ રાજ્યોના નવા અધ્યક્ષોની નિમણૂક કરી, રિકમેનને મેઘાલય, યેપથોમીની નાગાલેન્ડ અને સેલ્વગનબથીને પુડુચેરીની જવાબદારી

અગાઉ મેઘાલયમાં બીજેપી અધ્યક્ષ પદની કમાન અર્નેસ્ટ માવરી, નાગાલેન્ડમાં તેમજેન ઈમના અલોન્ગ અને પુડુચેરીમાં વી સામિનાથન સંભાળી રહ્યા હતા નવી દિલ્હી બીજેપીએ આજે 3 રાજ્યોના નવા અધ્યક્ષોની નિમણૂક કરી છે. રિકમેન મોમિનને મેઘાલય બીજેપીના પ્રદેશ પ્રમુખ અને બેન્જામિન યેપથોમીની નાગાલેન્ડના પ્રદેશ પ્રમુથ તરીકે નિમણૂક કરી છે. જ્યારે એસ સેલ્વગનબથીને પુડુચેરીના પ્રદેશ પ્રમુખ બનાવાયા છે. આ…

દિલ્હીમાં 5-6 ઓક્ટોબરે દેશની તમામ સુરક્ષા એજન્સીની બેઠક

બેઠકમાં વિદેશથી ખાલિસ્તાની-આતંકવાદી અને ગેંગસ્ટરની સાંઠગાંઠ સામે કાર્યવાહી કરવા માટે મજબૂત રણનીતિ બનાવવામાં આવશે નવી દિલ્હી ખાલિસ્તાનની આંતકવાદી નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વણસ્યા છે. આ દરમિયાન હાલમાં જ એનઆઈએ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં 19 ખાલિસ્તાની આંતકવાદીની યાદી જાહેર કરી ઉપરાંત  ખાલિસ્તાનની આંતકવાદી પન્નુની પંજાબ અને ચંડીગઢ સ્થિત મિલકતો…

રાહુલ ગાંધી વાયનાડ નહીં હૈદ્રાબાદથી ચૂંટણી લડીને બતાવે

એઆઈએમઆઈએમ સાંસદ પોતાના સંસદીય ક્ષેત્ર હૈદરાબાદમાં એક જનસભાને સંબોધન કરવા દરમિયાન કોંગ્રેસના નેતાએ પડકાર્યા હૈદ્રાબાદ એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસી તેમના નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે ત્યારે હવે તેણે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે પડકાર ફેક્યો છે જેમાં તેમણે રાહુલ ગાંધીને વાયનાડથી નહીં પરંતુ હૈદરાબાદથી ચૂંટણી લડવા કહ્યું છે.  ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (એઆઈએમઆઈએમ)ના વડા…

કાશ્મીરમાંથી 5 હાઈબ્રિડ આતંકી ઝડપાયા, શસ્ત્રોનો જથ્થો જપ્ત

આદિલ હુસૈન વાની, સુહેલ અહેમદ ડાર, ઈતમાદ અહેમદ લાવે, મેહરાજ અહેમદ લોન અને સબઝાર અહેમદ ખાર જેવા પાંચ હાઈબ્રીડ આતંકવાદીઓની ધરપકડ જમ્મુ જમ્મુ-કાશ્મીરનો કુલગામ જિલ્લો આંતકી હલચલને લઇ અવારનવાર ચર્ચામાં હોય છે. એવામાં ગઈકાલે સુરક્ષા દળોએ કુલગામ જિલ્લામાં બે આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. ઉપરાંત સુરક્ષા દળોને બીજી એક મોટી સફળતા મળી હતી. તેમણે અહીંથી…

હજુ કેટલાક દિવસ સુધી ઉત્તર ભારતમાં વરસાદી માહોલની આગાહી

24 કલાકમાં પ. બંગાળ, ઝારખંડના કેટલાંક ભાગો, અંદમાન-નિકોબાર અને મહારાષ્ટ્રના કેટલાંક ભાગોમાં હળવાથી માધ્યમ વરસાદની શક્યતા નવી દિલ્હી ઉત્તરપ્રદેશ અને બંગાળ સહિત ઘણાં રાજ્યોમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી ગતિવિધિયો નોંધાઈ રહી છે. દિલ્હી એનસીઆરમાં પણ વાતાવરણ ખુશનુમા છે.આઈએમડીના જણાવ્યા અનુસાર આગામી કેટલાંક દિવસો સુધી ઉત્તર ભારતમાં આવું જ વાતાવરણ રહેવાની સંભાવના છે. જયારે નવી દિલ્હીમાં…

પૂરપાટ જતી કાર ઝાડ સાથે ટકરાતાં પાંચનાં મોત

અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ, શાહડોલના રહેવાસી પાંચ લોકોના મોત થયા ઉમરિયા મધ્યપ્રદેશના ઉમરિયામાં એક મોટી અકસ્માતની ઘટના બની છે જેમાં એક પુરપાટ ઝડપે આવી રહેલી કાર ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતની ઘટનામાં પાંચ લોકોના મોત થયા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી કરી…