શૂટર તારા શાહદેવના ધર્મપરિવર્તન કેસમાં રકીબુલ હસનને આજીવન કેદ

હાઈકોર્ટના પૂર્વ રજિસ્ટ્રાર મુસ્તાક અહેમદને 15 વર્ષની સખત કેદની સજા અને રકીબુલ હસન ઉર્ફે રણજીત કોહલીની માતા કોસલ રાનીને 10 વર્ષની સજા રાંચી નેશનલ શૂટર તારા  શાહદેવ ધર્મ પરિવર્તન મામલે સીબીઆઈ કોર્ટે આજે સજા સંભળાવી છે. નેશનલ શૂટર તારા શાહદેવને 9 વર્ષ બાદ ન્યાય મળ્યો છે. કોર્ટે મુખ્ય આરોપી રણજીત કોહલી ઉર્ફે રકીબુલ હસનને આજીવન…

દક્ષિણના એક્ટર પવન કલ્યાણે એનડીએ સાથે છેડો ફાડ્યો

બીજેપીને દક્ષિણથી મોટો ઝાટકો, અભિનેતાના પક્ષે ટીડીપીનું સમર્થન કરવાનું એલાન કર્યું નવી દિલ્હી 2024માં લોકસભા ચૂંટણી છે અને તમામ પાર્ટીઓએ પોતાની કમર કસી લીધી છે. ત્યારે આ વચ્ચે હવે બીજેપીને દક્ષિણથી મોટો ઝાટકો લાગ્યો છે. એક્ટર અને નેતા પવન કલ્યાણે આજે ભાજપના નેતૃત્વ વાળી એનડીએનો સાથ છોડવાનું અને ટીડીપીનું સમર્થન કરવાનું એલાન કર્યું છે. તેમણે…

ભાવિ પતિને મોતથી બચાવવા યુવતીને મટકા લગ્ન માટે દબાણ

આ એકદમ વાહિયાત છે અને દરરોજ ઘરે તેની ચર્ચા માનસિક રીતે પરેશાન કરે છે, કોઈ સલાહ? શું આ સત્ય છે?  યુવતીઓ લોકો પાસે માર્ગદર્શન માગ્યું નવી દિલ્હી મુંબઈથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મુંબઈની રહેવાસી 26 વર્ષની  યુવતીએ રીડઈટ પર એક પોસ્ટ શેર કરી છે. જે આજના યુગમાં અને ખાસ કરીને ભણેલા ગણેલા લોકો…

આપના સાંસદ સંજયસિંહની ધરપકડના વિરોધમાં દિલ્હી-મુંબઈ-પૂણેમાં દેખાવો

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ અને નેતાઓએ ઈડી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા નવી દિલ્હી દિલ્હીમાં કથિત લીકર પોલિસી કૌભાંડ મામલે રાજકારણ ગરમાયુ છે. ગઈ કાલે લીકર પોલિસી કૌભાંડ મામલે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહની ધરપકડ કરવામાં આવી હતી. હવે આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ અને નેતાઓ તેમની ધરપકડના વિરોધમાં વિરોધ પ્રદર્શન કર્યું છે. દિલ્હી, મુંબઈ…

જોધપુર સળગતું હતું ત્યારે ગેહલોત ક્યાં હતાઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનમાં લગભગ 5 હજાર કરોડ રૂપિયાના અનેક વિકાસ કાર્યોનો શિલાન્યાસ કર્યો જોધપુર રાજસ્થાનમાં આ વખતે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. વિધાનસભા ચૂંટણીને લઈને બીજેપી એક્ટિવ મોડમાં છે. ત્યારે પીએમ મોદીએ આજે જોધપુરમાં જનસભા કરી હતી. આ દરમિયાન પીએમ મોદી પર નિશાન સાધ્યુ હતું. જનસભા શરૂ કરવા પહેલા મોદીએ રાજસ્થાનની જનતા માટે લગભગ 5…

મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન તરીકે શિવરાજની વિદાય નક્કી હોવાના સંકેત

તાજેતરના શિવરાજ સિંહના કેટલાક ભાષણો જાણે તેઓ વિદાય જ લઈ રહ્યા હોય તેવા સંકેત આપી રહ્યા છે ભોપાલ મધ્યપ્રદેશમાં હાલમાં વિધાનસભા ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત તો થઈ નથી પરંતુ રાજકારણ અત્યારથી ગરમાયું છે. ખાસ કરીને મુદ્દો એ છે કે ભાજપ જીતે કે હારે… પણ મુખ્યમંત્રી કોણ બનશે? શું શિવરાજ સિંહ ચૌહાણને ફરી આ પદભાર સોંપાશે?…

દિલ્હી-એનસીઆર સહિત ઉ.ભારતના અનેક વિસ્તારોમાં ભૂકંપના તીવ્ર આંચકા

પંખા અને લાઇટ જેવી વસ્તુઓ પણ ફ્લોર પર ધ્રૂજતી જોવા મળી હતી, નોઈડામાં 10 થી 15 સેકન્ડ સુધી સતત ભૂકંપના આંચકા અનુભવાયા હતા નવી દિલ્હી  મંગળવારે દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.2 માપવામાં આવી હતી. પંખા અને લાઇટ જેવી…

ગુનો ગમે એવો મોટો હોય, લાંબા સમયથી જેલમાં બંધ હોય તેને છોડી દેવા જોઈએ

હાઈકોર્ટે 7.5 વર્ષથી જેલમાં બંધ આકાશ ચંડાલિયાને જામીન મંજુર કરતી વખતે આ ટિપ્પણી કરી મુંબઈ મુંબઈ હાઈકોર્ટે ડબલ મર્ડર કેસના આરોપી આકાશ ચંડાલિયાની જામીન અરજી અંગે સુનાવણી હાથ ધરી હતી, જેમાં કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવતા કહ્યું કે, જે અંડર ટ્રાયલ કેદીઓ લાંબા સમયથી જેલમાં બંધ છે, તેમને સામાન્ય રીતે જામીન પર છોડી દેવા જોઈએ, પછી…

નાંદેડ હોસ્પિટલમાં વધુ સાત દર્દી સહિત કુલ મૃત્યુઆંક 31 પર પહોંચ્યો

મહારાષ્ટ્રના મંત્રી હસન મુશ્રીફ નાંદેડની સરકારી હોસ્પિટલની મુલાકાત લેશે નાંદેડ મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાની સરકારી હોસ્પિટલમાં ગઈકાલે 24 દર્દીઓના મોતથી હડકંપ મચી ગયો હતો ત્યારે હવે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ વધુ સાત દર્દીઓના મોતથી 36 કલાકમાં હોસ્પિટલમાં મૃતકોની સંખ્યા 24થી વધીને 31 થઈ ગઈ છે. સુત્રોના અહેવાલ અનુસાર આજે મહારાષ્ટ્રના મંત્રી હસન મુશ્રીફ નાંદેડની સરકારી હોસ્પિટલની…

આઈએસઆઈએસની આડમાં ભારતમાં મંદિરોને ટાર્ગેટ કરવાનું આઈએસઆઈનું કાવતરૂં

ટાર્ગેટ પર અયોધ્યાનું રામ મંદિર, મુંબઈનું છાબડા હાઉસ અને દેશના અનેક મોટા નેતાઓ હોવાનો ખુલાસો નવી દિલ્હી પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ નથી આવી રહ્યું તે ભારત વિરુદ્ધ સતત ષડયંત્ર રચી રહ્યું છે. તાજેતરના મામલે ફરી એક વખત પાકિસ્તાનના નાપાક ઈરાદા સામે આવ્યા છે. ગઈ કાલે દિલ્હી પોલીસે આઈએસઆઈએસ મોડ્યુલના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી સહિત 3…

રાજૌરીના કાલાકોટ જંગલોમાં આતંકીઓને શોધવા સેનાનું સર્ચ

સેનાએ પોલીસ સાથે મળીને કાલાકોટ વિસ્તારમાં બ્રોહ અને સૂમ જંગલ વિસ્તારને ઘેરી લીધો જમ્મુ જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના કાલાકોટના જંગલોમાં ગઈકાલે મોડી રાતે આતંકી અને સુરક્ષા દળના જવાન વચ્ચે અથડામણ થઇ હતી. જે મામલે આજે વહેલી સવારથી જ આ જગ્યા પર સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.  શંકાસ્પદ ગતિવિધિની માહિતી મળ્યા બાદ, સેનાએ પોલીસ સાથે મળીને…

કોંગ્રેસ જાતિ આધારિત વસતી ગણતરીને ચૂંટણીનો મુદ્દો બનાવી રહી છે

જાતિ આધારિત વસ્તી ગણતરીએ ઈન્ડિયાગઠબંધનનો મહત્વપૂર્ણ ચૂંટણી મુદ્દો છે પટણા બિહારમાં જાતિ આધારિત વસતિ ગણતરીનો અહેવાલ રજૂ થયો હતો. ડેવલપમેન્ટ કમિશ્નર વિવેક સિંહે રિપોર્ટ જાહેર કર્યો હતો. પાંચ રાજ્યોની આગામી વિધાનસભા અને લોકસભા ચૂંટણી પહેલા જાહેર કરવામાં આવેલા આ રિપોર્ટમાં ચૂંટણી એજન્ડા પણ નક્કી કરવામાં આવ્યો છે. ઈન્ડિયાજાતિ આધારિત વસતિ ગણતરી કરવા માટે કેન્દ્ર પાસે…

નાંદેડ ઘટના પર સ્વાસ્થ્યમંત્રી તાનાજી સાવંતને બરતરફ કરવા વિપક્ષની માગ

કોંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી, એનસીપીના શરદ પવાર અને ઉદ્ધવ શિવસેનાના સાંસદે શિંદે સરકારને ઘેરી નાંદેડ મહારાષ્ટ્રના નાંદેડમાં શંકરરાવ ચૌહાણ સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 24 લોકોના મોતની ઘટના બની હતી. જેમાંથી 12 નવજાત પણ સામેલ હતા. આ ઘટનાથી સ્વાસ્થ્ય વિભાગમાં હડકંપ મચી ગયો હતો. લોકોએ હોસ્પિટલમાં હોબાળો કર્યો અને મામલાની તપાસની માંગ કરી રહ્યા હતી. જે…

બિહાર જાતિગત વસતી ગણતરી મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

સુપ્રીમ કોર્ટ આના પર આગામી 6 તારીખે સુનાવણી હાથ ધરશે, કોર્ટે કહ્યું કે અમે આ મામલે હાલ કંઈ કહી શકીએ નહીં નવી દિલ્હી બિહારમાં સરકાર દ્વારા જાતિગત વસતી ગણતરીના આંકડા જાહેર કરવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો જેમાં એક અરજદારે કોર્ટમાં આ મુદ્દાને ઉઠાવ્યો હતો. સુપ્રીમ કોર્ટ આના પર આગામી 6 તારીખે સુનાવણી હાથ ધરશે….

ન્યૂઝક્લિક વેબસાઇટના પત્રકારોના ઘર પર દરોડા દિલ્હી પોલીસના દરોડા

દિલ્હી પોલીસનાં સ્પેશિયલ સેલે ઘટના સ્થળેથી ઘણાબધા ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેવા કે લેપટોપ, મોબાઈલ જેવા સાધનોને જપ્ત કર્યા નવી દિલ્હી આજે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ એક મોટી કાર્યવાહી હાથ ધરી હતી. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ન્યૂઝક્લિક વેબસાઇટના પત્રકારોના ઘર પર દરોડા પાડી રહી છે. સ્પેશિયલ સેલે વહેલી સવારે દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદમાં એક સાથે દરોડા પાડ્યા…

કર્ણાટકમાં બંધથી જનજીવન પ્રભાવિત, 44 ફ્લાઈટ્સ રદ

રાજ્યના વિવિધ ભાગોમાંથી વિવિધ સંગઠનોના 50થી વધુ લોકોની અટકાયત પણ કરવામાં આવી બેંગલુરૂ તમિલનાડુને કાવેરી નદીનું પાણી આપવાના વિરોધમાં આજે કન્નડ સંગઠન ‘કન્નડ ઓક્કુટા’ દ્વારા કર્ણાટકમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ બંધના પગલે રાજ્યમાં અસર જોવા મળી રહી છે. બંધને પગલે રાજ્યભરમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત રાખવામાં આવ્યા છે.  આજે કર્ણાટકમાં રાજ્યવ્યાપી બંધનું…

દિલ્હીમાં 25 કરોડની ચોરીના કેસમાં છત્તીસગઢથી ત્રણની ધરપકડ

દિલ્હી શોરુમથી ચોરી કરાયેલા 18 કિલો સોના અને હીરાના દાગીના અને 12.50 લાખ રૂપિયાની કેશ એક શખ્સ પાસેથી જ્યારે બીજા પાસેથી 28 લાખની મત્તા મળી નવી દિલ્હી દિલ્હીમાં જ્વેલરી શોરૂમમાં 25 કરોડની ચોરીના મામલે છત્તીસગઢથી ત્રણ બદમાશોની ધરપકડ કરવામાં આવી છે.  તેમાંથી એક બદમાશ કુખ્યાત ચોર હોવાની માહિતી મળી રહી છે. સૂત્રો મુજબ પોલીસે તેમની…

ભારતીય સેના 400 હોવિત્ઝર સ્વદેશી તોપ ખરીદશે

આ તોપો દ્વારા માત્ર શેલ જ નહીં પરંતુ ચોકસાઇથી ફાયરિંગ, રોકેટ, ડ્રોન પણ ફાયર કરી શકાય છે નવી દિલ્હી ભારતીય સેના હવે 155 મિલીમીટરની તોપ પર ફોકસ કરે છે. આ તોપો દ્વારા માત્ર શેલ જ નહીં પરંતુ ચોકસાઇથી ફાયરિંગ, રોકેટ, ડ્રોન પણ ફાયર કરી શકાય છે.  વાસ્તવમાં ભારતીય સેના 400 નવી તોપો ખરીદવા જઈ રહી…

આપ ઈન્ડિયા સાથે પણ પંજાબ પોલીસની કાર્યવાહી નહીં અટકેઃ કેજરીવાલ

કોંગ્રેસના નેતાની ધરપકડ બાદ ઈન્ડિયા ગઠબંધન પર સવાલના જવાબમાં દિલ્હીના સીએમએ ગઠબંધન સાથે રહેવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી નવી દિલ્હી પંજાબમાં ડ્રગ્સ મામલે કોંગ્રેસ નેતા સુખપાલ સિંહ ખૈરાની ધરપકડ કરવામાં આવી છે. ખૈરા ગુરુવારે ફેસબુક લાઈવ કરી રહ્યા હતા, તે દરમિયાન પોલીસે તેમની ધરપકડ કરી છે. હવે આ મામલે મોટો હંગામો જોવા મળી રહ્યો છે અને…

ભારતે દોલત બેગ ઓલ્ડી સુધી નવો રોડ બનાવવા 2000 લોકોને કામે લગાડ્યા

નુબ્રા ખીણમાં સસોમાથી કારાકોરમ પાસથી નજીક ડીબીઓ સુધી 130 કિ.મી. લાંબો રોડ અંતિમ અને સૌથી પડકારજનક તબક્કામાં નવી દિલ્હી ભારત લદ્દાખમાં ખુદને મજબૂત કરવા માગે છે. એટલા માટે તે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) નજીક વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ ચોકી તૈયાર કરવાના પ્રોજેક્ટનો પૂરો કરવાના પ્રયાસ કરી રહ્યું છે. તેની મદદથી એલએસી પર આવેલા આ વિસ્તારની કનેક્ટિવિટી…