સરહદે સઘન સુરક્ષા છતાં આતંકી ગતિવિધિ ચિંતાજનકઃ જનરલ મનોજ પાંડે

2027 સુધીમાં સેનામાં ઓપ્ટિમાઈઝેશનની પ્રક્રિયા પૂર્ણ થશે, ત્યાર પછી સેનામાં અંદાજિત એક લાખ લોકો ઓછા થઈ જશે નવી દિલ્હી ભારતીય સેનાના વડા જનરલ મનોજ પાંડેએ આજે દેશની સરહદોની પરિસ્થિતિ અંગે મહત્ત્વની માહિતી આપી હતી. દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જનરલ મનોજ પાંડેએ કહ્યું કે, ‘છેલ્લા 5-6 મહિનામાં રાજોરી અને પૂંછમાં સ્થિતિ અને આતંકવાદી ગતિવિધિ અમારા માટે…

કેનેડા આતંકવાદને યોગ્ય કહે છે, અમેરિકા એમ કરતું નથીઃ ભારત

અમે અમેરિકા અને કેનેડાને એક સરખા માનતા નથી. અમેરિકાને લાગ્યું હતું કે, કોઈ મામલો છે, પરંતુ તેમની વાત સાચી છે કે નહીં, તે અદાલત નક્કી કરશેઃ જયશંકર નવી દિલ્હી ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિઝ્ઝરની હત્યા અને ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના પ્રયાસ મામલે કેનેડા-અમેરિકાના આક્ષેપો વચ્ચે વિદેશમંત્રી એસ.જયશંકરે  સ્પષ્ટ કહ્યું છે કે, ‘ભારતની દ્રષ્ટિએ અમેરિકા અને…

રામચરિત માનસની નકલો સળગાવનારાની અટકાયત યોગ્ય ઠેરવાઈ

આ અરજીઓ આરોપી દેવેન્દ્ર યાદવે તેના પિતા અને સુરેશ યાદવે તેની પત્ની દ્વારા દાખલ કરી હતી અલ્લાહબાદ અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે નેશનલ સિક્યોરિટી એક્ટ (એનએસએ) વિરુદ્ધ બે લોકોની અરજી ફગાવી દીધી છે. બંનેએ એનએસએ હેઠળ તેમની અટકાયત વિરુદ્ધ આ અરજી દાખલ કરી હતી. બંને પર હિંદુ મહાકાવ્ય રામચરિતમાનસની નકલો અપવિત્ર કરવાનો અને સળગાવવાનો આરોપ છે….

આતંકી શાહનવાઝ કેજ્ડ પર્લ ટેલિગ્રામ ચેનલથી મહિલાના સંપર્કમાં આવ્યો હતો

માલદીવની મહિલા આતંકવાદી શહનવાઝની હેન્ડલર હતી, મોહમ્મદ શાહનવાઝ, ભૂતપૂર્વ માઇનિંગ એન્જિનિયર, આઈએસઆઈએસ ઓપરેટિવ બન્યો નવી દિલ્હી ઑક્ટોબર 2023માં આઈએસઆઈએસના મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો તેની તપાસમાં હવે માલદીવની એક મહિલાએ ધરપકડ કરાયેલા આતંકવાદી મોહમ્મદ શાહનવાઝની હેન્ડલર તરીકે સેવા આપી હતી. શાહનવાઝ, ભૂતપૂર્વ માઇનિંગ એન્જિનિયર, આઈએસઆઈએસ ઓપરેટિવ બન્યો, તેણે “કેજ્ડ પર્લ” નામની ટેલિગ્રામ ચેનલ દ્વારા મહિલા…

અજમેરના ઢાઈ દિન કા ઝોપડાને મૂળ સ્વરૂપમાં લાવવા બીજેપીના સાંસદનો કેન્દ્રને પત્ર

ઢાઈ દિન કા ઝોંપડા મૂળરૂપે એક વિશાળ સંસ્કૃત કોલેજ હતી, તે જ્ઞાન અને શાણપણની હિંદુ દેવી સરસ્વતીને સમર્પિત મંદિર હતું અજમેર અજમેરની ‘ઢાઈ દિન કા ઝોપડા’ મસ્જિદને મંદિરમાં પરિવર્તિત કરવાની માગણીએ જોર પકડ્યું છે. બીજેપી સાંસદ રામચરણ બોહરાએ કહ્યું છે કે ટૂંક સમયમાં જ આ જગ્યાએ ફરીથી સંસ્કૃત મંત્રો ગુંજશે. તેમણે આ સ્થળને તેના મૂળ…

અનંતનાગમાં વાહન અકસ્માતમાં મહબુબા મુફ્તીનો આબાદ બચાવ

ઘટનામાં તેમના ખાનગી સુરક્ષામાં તહેનાત એક પોલીસ અધિકારીને સામાન્ય ઈજા થઈ જમ્મુ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તીના વાહનનો અકસ્માત થયો છે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી અને તેમના સુરક્ષા અધિકારીઓનો આબાદ બચાવ થયો છે. આ અંગે પીડીપી મીડિયા સેલે માહિતી આપી છે. મુફ્તી અનંદનાગના બોટ કૉલોનીના આગની દુર્ઘટનાના પીડિતોને મળવા જઈ રહ્યા હતા. તેઓ જે વાહનમાં…

આગરાના નેશનલ હાઈવે નંબર 19 પર ટ્રકે 20 વાહનને અડફેટે લેતાં 3નાં મોત

9 લોકો ગંભીર રીતે ઘાયલ, ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પોલીસે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે અને તેના વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો આગરાદેશમાં હાઈવે પર થતા અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે આગરાના નેશનલ હાઈવે નંબર 19 પર એક ભયાનક અકસ્માતની ઘટના બની છે જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે…

સેન્સેક્સમાં 271 અને નિફ્ટીમાં 79 પોઈન્ટનો ઊછાળો નોંધાયો

સિપ્લા, અદાણી એન્ટરપ્રાઇઝ, એચસીએલ ટેક અને અદાણી પોર્ટ્સના શેરમાં સારો ઉછાળો નોંધાયો મુંબઈશેરબજારનો કારોબાર બુધવારે ઉચ્ચ સ્તરે સમાપ્ત થયો. દિવસભરના અસ્થિર કારોબાર બાદ બીએસઈ સેન્સેક્સ 271 પોઈન્ટના વધારા સાથે 71657 પોઈન્ટ પર બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ 79 પોઈન્ટના ઉછાળા સાથે 21623 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. શેરબજારમાં દિવસના અસ્થિર વેપાર દરમિયાન, મીડિયા…

ભારત વિશ્વમિત્રની ભૂમિકા ભજવી રહ્યું છેઃ નરેન્દ્ર મોદી

ભારતના આઝાદીના 100 વર્ષ મનાવશે, ત્યાં સુધી ભારત વિકસીત બની જાય તેવું લક્ષ્ય બનાવાયું છેઃ વડાપ્રધાન ગાંધીનગરવાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલલ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્રમોદીએ નિવેદન આપતા જણાવ્યુ કે ભારતના આઝાદીના 100 વર્ષ મનાવશે. ત્યાં સુધી ભારત વિકસીત બની જાય તેવુ લક્ષ્ય બનાવાયુ છે. તેથી જ અત્યારનો કાળ ભારતનો અમૃત કાળ છે.યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદના આ…

સોનિયા-ખડગે અને અધિર રંજન અયોધ્યા પ્રામ પ્રતિષ્ઠા મહોત્સવમાં નહીં જાય

વર્ષોથી ભાજપ અને આરએસએસએ અયોધ્યામાં રામ મંદિરને રાજકીય પ્રોજેક્ટ બનાવી દીધો હોવાનો આક્ષેપ નવી દિલ્હીઅયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓની ભાગીદારી અંગે ચાલી રહેલી અટકળો અને તણાવનો અંત આવ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ આ સમગ્ર કાર્યક્રમને આરએસએસ અને ભાજપની ઈવેન્ટ ગણાવ્યો છે.કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે સોનિયા ગાંધી કે કોંગ્રેસ અધ્યક્ષ…

મહારાષ્ટ્રમાં શિંદે જૂથના 16 ધારાસભ્યોની માન્યતા અકબંધ, શિંદે મુખ્યપ્રધાન રહેશે

ઉદ્ધવ ઠાકરેએ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા મામલે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યા બાદ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષને ચુકાદા મ ટે કહ્યું હતું. ઉધ્ધવ જૂથને મોટો આંચકો મુંબઈશિવસેના ધારાસભ્યની ગેરલાયકાતનો ચુકાદો લાઈવ: વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર મહારાષ્ટ્રમાં શિવસેનાના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગેનો તેમનો ચુકાદો આપી દીધો છે. શિંદે જૂથના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા પર નિર્ણય લેવામાં આવ્યો છે….

પ્રસૂતી માટે મહિલાઓમાં 22 જાન્યુઆરીની ભારે માગ, રામ-જાનકી નામ ફેવરિટ

ઉત્તર પ્રદેશમાં તબીબો પર 22 જાન્યુઆરીએ બાળકની ડિલિવરી કરાવવાનું ભારે દબાણ લખનૌ અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરના ભવ્ય અભિષેકને કારણે ગર્ભવતી મહિલાઓમાં ભારે ઉત્સાહ છે. રાજ્યભરના તબીબો પર 22 જાન્યુઆરીએ બાળકની ડિલિવરી કરાવવાનું ભારે દબાણ છે. ગર્ભવતી મહિલાઓ 22મી જાન્યુઆરીએ જ પોતાના બાળકને જન્મ આપવા માંગે છે. તેની માંગ સાંભળીને ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા…

રોશન સિંહાને સોશિયલ મીડિયા પર જાનથી મારવાની ધમકીઓ મળી છે

સિંહા ગુજરાતમાં રહેતા બિઝનેસમેન છે, તે મૂળ બિહારના છે, તેમને ભારતીય રાજનીતિ, વૈશ્વિક રાજનીતિ અને વિદેશ નીતિમાં રસ છે, તેમને પોતાની હિંદુ ઓળખ પર પણ ગર્વ છે નવી દિલ્હી રોશન સિંહાએ પીએમ મોદીની લક્ષદ્વીપમાં પ્રવાસન વધારવાની અપીલને રી-ટ્વીટ કરતાં માલદીવની સરકારને ચીનની કઠપૂતળી સરકાર ગણાવી હતી. આ પછી સોશિયલ મીડિયા પર યુદ્ધ ફાટી નીકળ્યું હતું….

2023 અત્યાર સુધીનું સૌતી ગરમ વર્ષ, ભવિષ્ય અંગે વૈજ્ઞાનિકોની ચેતવણી

1850-1900ના સમયગાળાના સ્તર કરતાં પ્રથમ વખત દરરોજ સરેરાશ વૈશ્વિક તાપમાન વર્ષ 2023 માં એક ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું નવી દિલ્હી યુરોપિયન ક્લાઈમેટ એજન્સી દ્વારા આપવામાં આવતી માહિતી મુજબ વર્ષ 2023 અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ ઔદ્યોગિકીકરણના પહેલાની તુલનામાં સરેરાશ 1.5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. કોપરનિકસ ક્લાઈમેટ ચેન્જ સર્વિસ (સી3એસ)…

મ.પ્ર.ના શાજાપુરમાં અક્ષત વિતરણ યાત્રા પર મુસ્લિમ ટોળાનો હુમલો

યાત્રા એક મસ્જિદ નજીક પહોંચતા મુસ્લિમ ટોળાએ તલવારોથી હુમલો કર્યો, મહિલાઓએ છત પરથી પથ્થરમારો કર્યો ભોપાલમધ્યપ્રદેશના શાજાપુરમાં, રામ જન્મભૂમિ પર બની રહેલા રામ મંદિરના અભિષેક માટે અક્ષતનું વિતરણ કરી રહેલા હિન્દુ કાર્યકરો પર મુસ્લિમ ટોળાએ હુમલો કર્યો હતો. હિન્દુ કાર્યકર્તાઓ અક્ષત વહેંચવા માટે મસ્જિદ નજીક પહોંચ્યા કે તરત જ મુસ્લિમ ટોળાએ તેમના પર પથ્થરમારો કર્યો.મળતી…

ઉદ્ધવ જૂથના ધારાસભ્ય અને તેના સાથીઓને ત્યાં ઈડીના દરોડા

ઈડીએ જોગેશ્વરીમાં એક ભવ્ય હોટલના નિર્માણના સંબંધમાં રવિન્દ્ર વાયકર, તેમની પત્ની અને અન્યો વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ નોંધ્યો મુંબઈમુંબઈમાં શિવસેના જૂથના નેતા અને ધારાસભ્ય અને તેના ભાગીદારો સાથે જોડાયેલા સાત વિવિધ સ્થળે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ દરોડા પાડ્યા હતા.મુંબઈમાં જોગેશ્વરીમાં એક હોટલના નિર્માણના મામલે ઉદ્ધવ જૂથના નેતા અને ધારાસભ્ય રવીન્દ્ર વાયકર અને…

એઆઈ કંપનીના મહિલા સીઈઓ 4 વર્ષના પુત્રની લાશ બેગમાં લઈ જતા ઝડપાયાં

પોલીસે તેની ધરપકડ કરી લીધી છે, મહિલા પાસેથી તેના દીકરાનો મૃતદેહ મળી આવ્યો ગોવાકર્ણાટકના ચિત્રદુર્ગમાંથી એક ચોંકાવનારો હત્યાકાંડ સામે આવ્યો છે. જેમાં એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપનીની મહિલા સીઈઓએ પોતાના 4 વર્ષના દીકરાની હત્યા કરી નાખી છે. મહિલા દીકરાની લાશને બેગમાં લઈને ગોવાથી કર્ણાટક જઈ રહી હતી પરંતુ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. મહિલા પાસેથી…

મુસ્લિમોને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનો વિરોધ કરવા પન્નુની મુસ્લિમોને અપીલ

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન અમૃતસરથી અયોધ્યા સુધીના એરપોર્ટ બંધ કરી દેવા ખાલિસ્તાની આતંકીની ધમકી નવી દિલ્હી અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આ કાર્યક્રમને લઈને તાડામાર તૈયારીઓ ચાલી રહી છે. 500 વર્ષ રાહ જોયા બાદ 22 જાન્યુઆરીના રોજ રામલલા અયોધ્યાના મંદિરમાં વિરાજમાન થશે. આ ક્ષણની દરેક લોકો…

મૂર્તિની વિધિઓ અનુસાર પ્રાણ પ્રતિષ્ઠા કરવી જોઈએઃ સ્વામી નિશ્ચાલનંદ સરસ્વતી

ગોવર્ધન મઠના શંકરાચાર્ય સ્વામી નિશ્ચાલનંદ સરસ્વતીએ આ કાર્યક્રમને લઈને મોદી અને યોગી આદિત્યનાથ પર નારાજગી વ્યક્ત કરી નવી દિલ્હી ઉત્તર પ્રદેશની અયોધ્યા નગરીમાં પ્રભુ શ્રી રામની મુર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ 22મી જાન્યુઆરીએ યોજાનાર છે જેને લઈને પૂરજોશમાં તૈયારી થઈ રહી છે અને ભક્તોમાં ભારે ઉત્સાહ છે ત્યારે ગોવર્ધન મઠના શંકરાચાર્ય સ્વામી નિશ્ચાલનંદ સરસ્વતીએ આ કાર્યક્રમને…

ભારત માટે રાજનૈતિક રીતે લક્ષદ્વીપ ખૂબ જ મહત્વનું સ્થળ છે

લક્ષદ્વીપની રાજધાની કવરત્તીમાં ભારતીય સેનાનું બેઝ છે, જો ચીન સાથે ભારતની તણાવની સ્થિતિ સર્જાય તો લક્ષદ્વીપ ઘણું મદદરૂપ સાબિત થાય એમ છે નવી દિલ્હી તાજેતરમાં વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. ત્યારપછી તેમણે આ પ્રવાસની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ સાથે તેમણે ભારતીયોને આ ટાપુની મુલાકાત લેવાનું પ્લાનિંગ કરવા અપીલ પણ કરી…