જૂના સંસદ ભવન પર સાંસદોનું ગ્રુપ ફોટો સેશન યોજાયું

સંયુક્ત ફોટોસેશનમાં  ત્રણ અલગ-અલગ ગ્રુપમાં ફોટા પાડવામાં આવ્યા નવી દિલ્હી આજે નવા સંસદભવનમાં વિશેષ સત્રની શરુઆત થતા પહેલા દેશભરના સાંસદો જૂના સંસદભવન પહોંચ્યા હતા જ્યાં સાંસદોનું ફોટો સેશન કરવામાં આવ્યું હતું. સંયુક્ત ફોટોસેશન માટે વડાપ્રધાન સહિતના રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને અન્ય સાંસદો આજના સંસદ સત્ર પહેલાં સંયુક્ત ફોટો…

હું છું ત્યાં સુધી ડરવાની જરૂર નથી, કેનેડાના સાંસદનું ખાલિસ્તાનીઓને આશ્વાસન

જગમીતસિંહની પાર્ટીના 24 સાંસદ જે ટ્રુડોને ટેકો આપી રહ્યા હોઈ ટ્રુડો પોતાની ખુરશી બચાવવા માટે ખાલિસ્તાનીઓને બચાવી રહ્યા છે ઓટાવા ભારત અને કેનેડાના સબંધોમાં અભૂતપૂર્વ તણાવ જોવા મળી રહ્યો છે અને તેની પાછળનુ કારણ ખાલિસ્તાની આતંકીઓને પ્રોત્સાહન આપવાની કેનેડાની સરકારની નીતિ છે. હવે જ્યારે કેનેડાના પીએમ ટ્રુડોએ ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા માટે ભારત સરકાર…

કેદીઓના બદલે ઈરાનની ફ્રીઝ કરેલી 50000 કરોડન સંપત્તી મુક્ત થશે

સંપત્તિ મુકત થશે તે પછી કેદીઓ અમેરિકાને સોંપવામાં આવશે. હાલમાં આ પ્રોપર્ટીનો હવાલો કતારને આપવામાં આવ્યો છે વોશિંગ્ટન અમેરિકા અને ઈરાન વચ્ચે આખરે કેદીઓની અદલા બદલી થઈ છે. અમેરિકાના પાંચ નાગરિકોને ઈરાને મુક્ત કર્યા બાદ તેઓ તહેરાનથી રવાના થયા હતા. જોકે ઈરાને કહ્યુ છે કે, અમેરિકાએ ઈરાનની ફ્રીઝ કરી રાખેલી 50000 કરોડ રૂપિયાની સંપત્તિ મુકત…

ભારતની વળતી કાર્યવાહી, કેનેડાના રાજદ્વારીને પાંચ દિવસમાં ભારત છોડવા આદેશ

ભારતે કેનેડા પર ખાલિસ્તાની આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓને આશ્રય આપવાનો આરોપ પણ લગાવ્યો નવી દિલ્હી કેનેડાએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહની હત્યામાં ભારતની સંડોવણીનો આરોપ લગાવતા વરિષ્ઠ ભારતીય રાજદ્વારીને હટાવ્યા હતા, ત્યારે હવે કેનેડાની આ કાર્યવાહીના જવાબમાં ભારતે પણ કેનેડાના એક વરિષ્ઠ રાજદ્વારીને દેશમાંથી હાંકી કાઢ્યા છે. સુત્રોના રિપોર્ટ અનુસાર ભારત સરકારે કેનેડાના હાઈ કમિશનરને સવારે બોલાવવામાં…

નિજ્જર હત્યામાં ષડયંત્રના કેનેડાના આક્ષેપો ભારતે ફગાવ્યા

ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે, કેનેડામાં થયેલી હિંસામાં ભારત કોઈ પણ રીતે સામેલ નથી નવી દિલ્હી ભારત અને કેનેડાના સંબંધમાં તણાવની સ્થિતિ સર્જાઈ છે. કેનેડા દ્વારા ભારત પર નિજ્જર હત્યા કેસ મામલે ષડયંત્રના આરોપ લાગવામાં આવ્યા હતા. એવામાં હવે આ મામલે ભારતે પણ પલટ વાર કરતા કેનેડાને જવાબ આપ્યો છે. ભારતે કેનેડાના પીએમ જસ્ટિન…

ચીને તાઈવાનના એરસ્પેસની નજીક ફાઈટર વિમાનો મોકલતા ખળભળાટ

તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે સોમવારે એક એલર્ટ જાહેર કરતાં જણાવ્યું કે ચીને છેલ્લા 24 કલાકમાં તેની સૈન્ય પ્રવૃત્તિઓમાં ધરખમ વધારો કર્યો બેઈજિંગ વૈશ્વિક સ્તરે આક્રમક રણનીતિને કારણે એકલાં પડી ગયેલા ચીને હવે તેના પાડોશીઓની હેરાનગતિ કરવાનું વધારી દીધું છે. ફરી એકવાર ડ્રેગને તાઈવાનના એરસ્પેસની નજીક તેના ફાઈટર વિમાનોનો કાફલો મોકલી ખળભળાટ મચાવી દીધો છે.  તાઈવાનના સંરક્ષણ…

રશિયા-યુક્રેન યુદ્ધ પર ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં સુનાવણી

યુક્રેને ગત વર્ષે 24 ફેબ્રુઆરીએ રશિયાના હુમલાના થોડા દિવસો બાદ જ આઈસીજે સમક્ષ આ મામલો ઊઠાવ્યો હતો યુદ્ધના મેદાનમાં એકબીજા સામે લડી રહેલાં રશિયા અને યુક્રેન વચ્ચેનો યુદ્ધનો મામલો હવે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પહોંચી ગઈ છે. ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (આઈસીજે) હવે આ મામલે સુનાવણી કરશે. આજે જ આ મામલે સુનાવણી શરૂ થશે. યુક્રેને ગત વર્ષે…

બ્રિટનનાં દિવંગત રાજકુમારી પ્રિન્સેસ ડાયેનાનું લાલ સ્વેટર નવ કરોડમાં વેચાયું

31 ઓગસ્ટથી તેની હરાજી શરૂ થઈ હતી, હરાજીના અંતિમ મિનિટ સુધી તેના માટે સૌથી મોટી બોલી બે લાખ ડોલરથી ઓછી બોલાઈ હતી, ખરીદનારાના નામનો ખુલાસો થયો નથી લંડનબ્રિટનની દિવંગત રાજકુમારી પ્રિન્સેસ ડાયેનાએ પહેરેલા એક લાલ સ્વેટરની હરાજી કરવામાં આવી છે અને તે નવ કરોડ રૂપિયામાં વેચાયુ છે.સ્વેટર પર સફેદ ઘેંટાઓ વચ્ચે એક કાળુ ઘેંટુ ઉભુ…

ઉ.કોરિયા-રશિયા શસ્ત્ર સોદો કરે તો વધુ પ્રતિબંધની યુએસની ધમકી

રશિયાએ ઉ. કોરિયાને સેટેલાઇટ બનાવવા સંદર્ભે રોકેટસ આપવા કે તે માટેની રોકેટ-ટેકનોલોજી આપવા વચન આપ્યું વોશિંગ્ટન ઉત્તર કોરિયાના સરમુખત્યાર કીમ જોંગ ઉન અને રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિન વચ્ચે રશિયા સમવાયતંત્રનાં કોઓડ્રોમ પાસે મંત્રણાઓ યોજાઈ. અમેરિકા સહિત પશ્ચિમના દેશો તેની ઉપર બાજ નજર રાખી રહ્યા છે. ભારત પણ નજર રાખે છે. પરંતુ તે તટસ્થ ભાવે તે…

બાયડેનનો પુત્ર હંટર બાયડેન ફેડરલ ફાયર આર્મ્સના આરોપ હેઠળ દોષિત

ડેલાવેરની ફેડરલ કોર્ટમાં દાખલ કરાયેલા અભિયોગ અનુસાર, હંટર સામે 2018 માં બંદૂક ખરીદતી વખતે ડ્રગ્સના ઉપયોગ વિશે ખોટું બોલવાનો આરોપ છે વોશિંગ્ટન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેનની મુશ્કેલીઓ સતત વધતી જઈ રહી છે. તેમના પુત્ર હંટર બાયડેનને ફેડરલ ફાયર આર્મ્સના આરોપ હેઠળ દોષિત ઠેરવાયા છે.  ઉલ્લેખનીય છે કે, હંટર વિરુદ્ધ લાંબા સમયથી તપાસ ચાલી રહી હતી….

યુએસના બે રાજદ્વારીને સાત દિવસમાં રશિયા છોડવા આદેશ

અમેરિકી રાજદ્વારીઓ પર પૂર્વ કર્મચારી દ્વારા જાસૂસી કરાવવાનો આરોપ પણ લગાવાયો મોસ્કો રશિયાના વિદેશ મંત્રાલયે અમેરિકાના બે રાજદ્વારીઓને ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવણી બદલ અનિચ્છનીય વ્યક્તિ ગણાવ્યા હતા અને તેમને સાત દિવસમાં દેશ છોડી જતા રહેવાનો આદેશ કર્યો હતો. રશિયાના મંત્રાલયે એક નિવેદનમાં આરોપ મૂક્યો કે રશિયામાં અમેરિકી દૂતાવાસના પ્રથમ સચિવ જેફ્રે સિલિન અને દ્વિતીય સચિવ ડેવિન…

હેડિંગઃ કેનેડામાં કિશોર સાથેના વિવાદમાં એક શીખ વિદ્યાર્થી પર હુમલો

બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં જાહેર પરિવહન બસમાં અન્ય લોકોની બોલાચાલી બાદ શીખ વિદ્યાર્થીને લાતો-મુક્કા મારવામાં આવ્યા ટોરોન્ટો કેનેડામાં હેટ ક્રાઈમનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં હેટ ક્રાઈમના આ દેખીતા કેસમાં એક શીખ વિદ્યાર્થી પર અન્ય કિશોર સાથેના વિવાદને પગલે હુમલો કરવામાં આવ્યો હતો. ગુરુવારે એક સમાચારમાં આ માહિતી આપવામાં આવી હતી.મળતી માહિતી…

યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકારે ભારતના લોકોને ‘મંદબુદ્ધિ’ ગણાવ્યા

માયખાઈલો પોડોલ્યાકે કહ્યું કે, આ લોકો જે પગલાં ભરે છે તેના વિશે જાણતાં જ નથી કે તેના શું પરિણામ આવશે? કીવભારતના નેતૃત્વમાં આયોજિત જી20 સમિટના ઘોષણાપત્રથી મહદઅંશે નારાજ યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકાર માયખાઈલો પોડોલ્યાકે ભારતના લોકોને ‘મંદબુદ્ધિ’ ગણાવ્યા હતા. તેમણે ભારત જ નહીં ચીનના લોકોને પણ નબળી બૌદ્ધિક ક્ષમતા ધરાવતા લોકો ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે…

મોરક્કોમાં ભૂકંપ અમેરિકાનું કાવતરૂં હોવાની શંકા

ભૂકંપ પહેલા આકાશમાં રહસ્યમય રોશનીનો પ્રકાશ જોવા મળ્યો હતો, જેથી મનાય છે કે આ એક હાઇટેક લેબ દ્વારા સર્જવામાં આવેલ કારસ્તાન છે મોરક્કોભયાવહ ભૂકંપને લીધે આફ્રિકી દેશ મોરક્કોની હાલત દયનીય થઈ ચૂકી છે. 6.8ની તીવ્રતાના આ ભૂકંપમાં 3000થી વધુ લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે. દેશભરમાં ભૂકંપને કારણે મચી ગયેલી તબાહીનો માહોલ સર્જાયો હતો. એક તરફ…

અફઘાનિસ્તચાનમાં રાજદૂતની નિમણૂંક કરનારો ચીમ વિશ્વનો પ્રથમ દેશ

ચીનના આ પગલાથી પાકિસ્તાનને આંચકો, પહેલા અફઘાનિસ્તાન મામલે તાલિબાન સાથે ચીન કોઈ પણ ડિલ વાયા પાકિસ્તાન કરતું હતું કાબુલચીને અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા સંભાળ્યા બાદ પહેલી વખત પોતાના રાજદૂતની નિમણૂંક કરી છે. ચીન અહીંયા તાલિબાનના શાસનમાં રાજદૂતની નિમણૂંક કરનાર દુનિયાનો પહેલો દેશ બન્યુ છે.તાલિબાન દ્વારા કાબુલમાં રાષ્ટ્રપતિ પેલેસમાં ચીનના રાજદૂત ઝાઓ શેંગનુ નુ એક ભવ્ય કાર્યક્રમમાં…

રાષ્ટ્રપતિની ચૂંટણી જીતીશ તો ફેડરલ વર્કફોર્સના 75 ટકાથી વધુને હાંકી કાઢીશઃ રામાસ્વામી

એફબીઆઈ જેવી અને મુખ્ય એજન્સીઓને તાળા મારી દઈશ, 16 લાખથી વધુ લોકોની રોજગારી છીનવાઈ શકે છે વોશિંગ્ટનઅમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી વતી ઉમેદવારોની દાવો ઠોકનારા ભારતીય મૂળના અમેરિકી વિવેક રામાસ્વામીએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો હું 2024ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતી જઈશ તો ફેડરલ વર્કફોર્સના 75% થી વધુ લોકોને નોકરીથી કાઢી…

જનતાનું સમર્થન મળશે તો સત્તા પર જરૂર આવીશુઃ મમતા

શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ ઈન્ડિયા ગઠબંધનના નેતૃત્વ કરવા અંગે સવાલ પુછતા પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રીનો જવાબ નવી દિલ્હીપશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી હાલ દુબઈ અને સ્પેનના 12 દિવસના પ્રવાસે છે. મમતાએ આજે શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે સાથે મુલાકાત કરી હતી અને નવેમ્બરમાં યોજાનાર સ્ટેટ બિઝનેસ સમિટ માટે આમંત્રણ પાઠવ્યું હતું… આ દરમિયાન જ્યારે શ્રીલંકાના રાષ્ટ્રપતિએ મમતાને…

બાઈડન સામે મહાભિયોગની તપાસ શરૂ કરવા સ્પીકરની મંજૂરી

ગૃહની એક સમિતિને બાયડેન પરિવાર સામે તેમના વ્યાપારિક ડીલ અંગે તેમની સામે મહાભિયોગની તપાસ શરૂ કરવા નિર્દેશ વોશિંગ્ટન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેન જી20 સમિટમાંથી પરત ફરતાની સાથે જ મુશ્કેલીમાં મુકાયા છે. હાઉસ સ્પીકર મેકકાર્થીએ તેમની સામે મહાભિયોગની તપાસ શરૂ કરવાની મંજૂરી આપી છે. સ્પીકરે કહ્યું કે તેઓ ગૃહની એક સમિતિને બાયડેન પરિવાર સામે તેમના વ્યાપારિક…

હનોઈમાં 9 માળના એપોર્ટમેન્ટમાં આગથી 12નાં મોત

આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને બચાવ કાર્ય ચાલુ છે, લગભગ 50 લોકોના ઘાયલ થવાની પણ આશંકા હનોઈ વિયેતનામની રાજધાની હનોઈમાં 9 માળના એપાર્ટમેન્ટમાં આગ લાગવાથી ઘણાં લોકોએ જીવ ગુમાવ્યો હતો. મળેલા અહેવાલો મુજબ એપાર્ટમેન્ટમાં લાગેલી ભીષણ આગને કારણે લગભગ 12 લોકોના મોતની આશંકા છે. જો કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો…