રામ, રાંદલના મહિમાથી લઈને નૃહસિંહ અવતાર અને સમુદ્ર મંથન સુધીના પ્રસંગોએ શ્રોતાઓનાં રૂંવાડા ઊભા કરી દીધા
માતૃ વંદનાઃ હરિદ્વારમાં જયેન્દ્ર શાસ્ત્રીની ભાગવદનો ત્રીજો દિવસઃ પ્રભુ, માતા અને દેશભક્તિના રંગે શ્રોતા રંગાયા હરિદ્વાર રામનામ અને રાંદલમાના મહિમાથી માંડીને નૃહસિંહ અવતાર અને સમુદ્રમંથનના પ્રસંગોને હરિદ્વારના નારાયણી નિવાસમાં સ્વ. રેવનદાસ પંચાલ પરિવાર દ્વારા બેસાડવામાં આવેલી ભાગવદ કથાના ત્રીજા દિવસે વ્યાસપીઠેથી શાસ્ત્રી જયેન્દ્ર વ્યાસ એવી શૈલીમાં રજૂ કર્યા કે ઉપસ્થિત શ્રોતાઓનાં રૂંવાડા ઊભા થઈ ગયા…
