મુરાદાબાદમાં ભાજપના નેતાની ગોળી મારીને હત્યા કરાઈ

બાઈક સવાર હુમલાખોરો એકાએક આવ્યા હતા અને વોક પર નિકળેલા નેતા પર તાબડતોબ ગોળીઓ ચલાવી મોતને ઘાટ ઉતારી દીધા મુરાદાબાદ ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં ભાજપ નેતાની ત્રણ બદમાશોએ ગોળી મારી જાહેરમાં કરી હત્યા હોવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાના સમયે ભાજપના નેતા એપાર્ટમેન્ટની બહાર વૉક પર નીકળ્યા હતા. આ દરમિયાન જ બાઈક સવાર હુમલાખોરો એકાએક આવ્યા…

એશિયા કપમાં ભારતીય ટીમની જર્સી પર પાક.ના નામથી વિવાદ

એવું પહેલીવાર થશે કે જ્યારે ઈન્ડિયન ટીમની જર્સી પર પાકિસ્તાનનું નામ છપાશે, હોસ્ટ દેશનું નામ નાના અક્ષરમાં લોગો નીચે હોય છે નવી દિલ્હી એશિયા કપ 2023ની શરૂઆત આ મહિને 30 ઓગસ્ટથી થવા જઈ રહી છે. જેમાં પાકિસ્તાન આને હોસ્ટ કરશે અને ટૂર્નામેન્ટ હાઈબ્રિડ મોડલમાં રમાઈ રહી છે. એટલે કે કેટલીક મેચ પાકિસ્તાનમાં આયોજિત થશે તો…

આઠ વર્ષમાં 2.46 લાખ લોકોએ ભારતીય પાસપોર્ટ સરન્ડર કર્યા

ભારતીય પાસપોર્ટ સરન્ડર કરીને લોકો અમેરિકા, કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયાના નાગરિકો બનતા હોય છે નવી દિલ્હી ભારત છોડીને વિદેશમાં કાયમ માટે જઈ રહેલા લોકોની સંખ્યા વધી રહી છે. મોટી સંખ્યામાં લોકો ભારતીય પાસપોર્ટ છોડીને વિદેશનું નાગરિકત્વ લઈ રહ્યા છે. સરકારે આપેલા આંકડા પ્રમાણે છેલ્લા 8 વર્ષમાં 2.46 લાખ ભારતીયોએ ભારતીય પાસપોર્ટ સરન્ડર કરી દીધો છે….

શીખ પોલીસકર્મીને દાઢી રાખતા અટકાવવા સામે ભારતનો વિરોધ

અમેરિકી ધારાસભ્યોએ પણ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે અને તેને ધાર્મિક ભેદભાવ ગણાવ્યો ન્યુયોર્ક અમેરિકાના ન્યુયોર્કમાં એક શીખ પોલીસકર્મીને દાઢી રાખવાથી અટકાવ્યા બાદ વિવાદ શરુ થયો છે. જેના પર વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસે વાંધો ઉઠાવ્યો છે. અમેરિકી ધારાસભ્યોએ પણ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે અને તેને ધાર્મિક ભેદભાવ ગણાવ્યો છે. મામલો એવી…

લોકોના આશીર્વાદથી એનડીએ- ભાજપ તમામ રેકોર્ડ તોડીને જીત સાથે વાપસી કરશેઃ વડાપ્રધાન

વિપક્ષ પર પીએમ મોદીનો પ્રહાર, આ એ લોકો છે જે દેશની તાકાતમાં વિશ્વાસ નથી કરતા, કોંગ્રેસ પાસે કોઈ નીતિ નથી, કોઈ ઈરાદો નથી, કોઈ વિઝન નથી નવી દિલ્હીપીએમ મોદી દેશની એનડીએ સરકાર વિરુદ્ધ વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપવા લોકસભા પહોંચ્યા છે. પોતાના સંબોધનની શરૂઆત કરતા પીએમ મોદીએ કહ્યું કે દેશની જનતાએ વારંવાર અમારી…

સંસદમાં સરકારનો નહીં વિપક્ષનો ફ્લોર ટેસ્ટ છેઃ વડાપ્રધાન મોદી

વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો અમારા માટે શુભ છે, વિપક્ષો 2018માં પણ આ પ્રસ્તાવ લાવ્યા હતા, ત્યારબાદ 2019માં એનડીએ અને ભાજપે મોટી જીત નોંધાવી હતી નવી દિલ્હીલોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ 2023 પર ચર્ચા થઈ રહી છે. આ અવિશ્વાસ પ્રસ્તાવનો વિપક્ષનો એજેન્ડા મણિપુર છે. ત્યારે અત્યાર સુધી વિપક્ષી પાર્ટીઓ દ્વારા ભાજપ અને પ્રધાનમંત્રીએ અનેક પ્રહાર કર્યા છે. ગઈકાલે…

BSEની કુલ આવક 37% વધીને રૂ. 271.2 કરોડ Q1 FY24 માટે રૂ. Q1 FY23 માં 197.7 કરોડ

BSEની ઓપરેશનલ આવક 15% વધીને રૂ. 215.6 કરોડથી રૂ. પાછલા વર્ષના સમાન ક્વાર્ટરમાં 186.9 કરોડ Q1 FY24 માટે ઓપરેટિંગ EBITDA રૂ. 70 કરોડ વધીને રૂ. અગાઉના વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં ઓપરેટિંગ EBITDA માર્જિન Q1 FY23 માં 27% થી વધીને Q1 FY24 માં 33% સાથે 49.8 કરોડ અપવાદરૂપ વસ્તુને બાદ કરતા ક્વાર્ટર માટે કંપનીના શેરધારકોને આભારી…

નવી સીઝન પહેલા દરેક LALIGA EA SPORTS ટીમ માટે એક વાત કરવાનો મુદ્દો

2023/24 LALIGA EA SPORTS ઝુંબેશની આગળની 20 ટીમોમાંથી દરેકની મુખ્ય વાર્તાઓ પર એક નજર. એથ્લેટિક ક્લબ અર્નેસ્ટો વાલ્વર્ડે બાસ્કને છેલ્લી સિઝનમાં ટોપ-સેવન ફિનિશ સુધી લઈ જઈ શક્યો ન હતો અને એથ્લેટિક ક્લબ યુરોપિયન ક્વોલિફિકેશનમાંથી ચૂકી ગઈ હતી. ઇનિગો માર્ટિનેઝે એફસી બાર્સેલોના માટે સાઇન કર્યા હોવા છતાં તેમની કરોડરજ્જુને અકબંધ રાખ્યા પછી, લોસ લિયોન્સ નવી સિઝનમાં…

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ ના વિદ્યાર્થીઓએ સરદાર પટેલ સ્મારક ભવનની મુલાકાત લીધી

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)ના વિદ્યાર્થીઓએ સરદાર પટેલ સ્મારક ભવન (અમદાવાદ)ની મુલાકાત લીધી

આરબીઆઈએ ઓનશોર ગ્રોથને ટેકો આપવા માટે વર્તમાન દરને જાળવી રાખ્યો : પ્રશાંત પિંપલે

રિઝર્વ બેન્કે રેપોરેટ જાળવાી રાખતા પ્રશાંત પિંપલે, ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર – ફિક્સ્ડ ઇન્કમ બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડનો અભિપ્રાય અપેક્ષા મુજબ, આરબીઆઈએ તેનો ચાવીરૂપ દર 6.50% પર યથાવત રાખ્યો અને ફુગાવો 4% ટાર્ગેટ બેન્ડની અંદર રહે તેની ખાતરી કરવા માટે અકોમોડેશન પાછું ખેંચવાનું વલણ જાળવી રાખ્યું. મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)ના તમામ 6 સભ્યોએ વૃદ્ધિની ફુગાવાની…

રોહિત શર્માએ 2023/24 સીઝન પહેલા ભારતમાં નવી LALIGA બ્રાન્ડની ઓળખ રજૂ કરી

Viacom18 ની સાથે સાથે, નવી LALIGA EA SPORTS સિઝનમાં ભારતીય પ્રેક્ષકો માટે નવા પ્રસારણ સુધારણાઓ દર્શાવવામાં આવશે, જેમાં AR નો વધુ ઉપયોગ અને વિવિધ સિનેમેટિક કેમેરા એંગલનો સમાવેશ થાય છે. મુંબઈ LALIGA, વિશ્વની સૌથી મોટી ફૂટબોલ ઇકોસિસ્ટમ, LALIGA એમ્બેસેડર, રોહિત શર્મા અને બ્રોડકાસ્ટિંગ પાર્ટનર, Viacom18 સાથે, આગામી LALIGA EA SPORTS સિઝનના પ્રારંભની જાહેરાત કરતાં આનંદ…

તમામની નજર રાધાપ્રિયા અને નામના પર રહેશે

શુક્રવારથી જામનગરમાં સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ જામનગર ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટની છઠ્ઠી આવૃત્તિનો પ્રારંભ શુક્રવારથી જામનગર ખાતે થઈ રહ્યો છે ત્યારે તમામની નજર રાધાપ્રિયા ગોયેલ અને નામના જયસ્વાલ પર રહેશે. જેએમસી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે 11થી 13મી ઓગસ્ટ દરમિયાન ત્રણ દિવસની સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાશે. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા…

વર્લ્ડ કપ પહેલાં કોલકાતાના ઈડન ગાર્ડન પર આગ

ઈડન ગાર્ડનમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું, ડ્રેસિંગ રૂમમાં આગ લાગી, ખેલાડીઓનો તમામ સામાન બળી ગયો કોલકાતાવનડે વર્લ્ડ કપ 2023નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. વર્લ્ડ કપની ઘણી મેચો કોલકાતાના ઈડન ગાર્ડનમાં પણ યોજાવાની છે. આ સ્થિતિમાં વર્લ્ડ કપ પહેલા ઈડન ગાર્ડનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મળેલી માહિતી અનુસાર આગ ગઈકાલે લગભગ 11.50…

મહિલા સાંસદોને મહિલા આઈએએસે મણિપુરની ઘટના યાદ અપાવી

આઈએએસ અધિકારી શૈલબાલા માર્ટિને કહ્યું કે મહિલા સાંસદોએ એ પણ વિચારવું જોઈએ કે મણિપુરની મહિલાઓ પર ત્યારે કેવી વીતી હશે? નવી દિલ્હીલોકસભામાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સામે કથિત અશોભનીય વર્તન કરવાનો આરોપ મૂકનાર મહિલા સાંસદોને એક મહિલા આઈએએસ ઓફિસરે મણિપુરની ઘટના યાદ અપાવી હતી. મધ્યપ્રદેશના સિનિયર મહિલા આઈએએસ અધિકારી શૈલબાલા માર્ટિને કહ્યું કે મહિલા સાંસદોએ…

સિરમૌરમાં આભ ફાટતાં પરિવારના પાંચ સભ્યો લાપતા

સિરમૌરી તાલ ગામમાં 100થી વધુ લોકોને આ દરમિયાન રેસ્ક્યૂ કરવામાં આવ્યા સિમલાહિમાચલ પ્રદેશમાં વરસાદથી રાહત મળવાના સંકેત મળી રહ્યા નથી. જુદા જુદા ક્ષેત્રોમાં આભ ફાટવાના અહેવાલ મળી રહ્યા છે. સિરમૌરમાં ફરી રાતે આભ ફાટવાની ઘટના બની હતી. જેના લીધે વિનાશના દૃશ્યો સર્જાયા હતા.સિરમૌરી તાલ ગામના ત્રણ ઘર આભ ફાટવાથી આવેલા પૂર તથા કાટમાળના પાણીમાં ખરાબ…

કોંગ્રેસ સપના બતાવતી હતી અને ભાજપ સપના સાકાર કરે છેઃ સીતારમણ

2013માં મોર્ગન સ્ટેનલીએ ભારતને વિશ્વની ટોચની પાંચ નબળી અર્થવ્યવસ્થાઓની યાદીમાં સામેલ કર્યું હતું, આજે એ જ મોર્ગન સ્ટેનલીએ ભારતને ઉચ્ચ રેટિંગમાં અપગ્રેડ કર્યું હોવાનો દાવો નવી દિલ્હીકેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે (10 ઓગસ્ટ, 2023) મોદી સરકાર સામે લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર કોંગ્રેસ સહિતના વિપક્ષી નેતાઓની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે,…

કેએમપી એક્સપ્રેસ વે પર પાર્ક ટ્રક સાથે કાર ટકરાતાં ગુજરાતના પાંચ યુવકનાં મોત

પાંચેય મૃતકો મહેસાણાના ચૌધરી સમાજના હતા, પરિવારમાં શોકનો માહોલ રોહતકગુજરાતની ક્રેટા કાર બાદલીથી બહાદુરગઢ તરફ જઈ રહી હતી. તે પાછળથી રોડની બાજુમાં પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી. કારમાં કુલ પાંચ લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી તમામ પાંચના મોત થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર કારમાં સવાર તમામ ગુજરાતના રહેવાસીઓ હતા. પાંચેય મૃતક યુવકો ઉત્તર…

સેન્સેક્સમાં 308 અને નિફ્ટીમાં 89 પોઈન્ટનો કડાકો નોંધાયો

ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, ઈન્ફ્રા, હેલ્થકેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા સેક્ટરના શેર પણ ઘટાડા સાથે બંધ થયા મુંબઈઆજે ફરી લાલ નિશાન સાથે બજાર બંધ થયું છે. સેન્સેક્સમાં 300થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે. એશિયન પેઇન્ટ્સ,આઇટીસી,કોટક મહિન્દ્રા બેંક,બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ અને એપોલો હોસ્પિટલ્સ નિફ્ટીમાં ટોપ લૂઝર હતા. જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝિસ, ઇન્ડસઇન્ડ બેન્ક, અદાણી પોર્ટ્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ અને ઓએનજીસી…

પરિવારનું અપમાન સહન ન થતાં અંજુ ભારત પાછી આવવા માગે છે

હું કોઈ પણ રીતે ઈચ્છું છું કે ભારત જાઉ અને હું ત્યાં જઈ શકું છું, હું દરેક પડકારનો સામનો કરી શકું છું, હું ત્યાંની મીડિયાને જવાબ આપવા માગું છુઃ અંજુ ઈસ્લામાબાદભારતથી વિઝા લઈ પાકિસ્તાન પહોંચેલી અંજુ ફરી એકવાર સ્વદેશ પરત ફરવા માગે છે. ભારતની અંજુ ખૈબર પખ્તુન્વાથી પોતાના ફેસબુક ફ્રેન્ડને મળવા માટે ગઈ હતી. શરૂઆતમાં…

પાકિસ્તાનમાં અચાનક સંસદ ભંગ, ત્રણ માસમાં ચૂંટણી થઈ શકે છે

પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન આ ચૂંટણીમાં  ભાગ લઈ શકશે કે નહીં એ સવાલ, રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ પ્રધાનમંત્રી શાહબાજ શરીફની ભલામણ પર સંસદ ભંગ ઈસ્લામાબાદ પાકિસ્તાનમાં ભારે રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. અડધી રાતે ત્યાં અચાનક સંસદ ભંગ કરી દેવાઈ. એવું મનાઈ રહ્યું છે કે આગામી ત્રણ મહિનાની અંદર ત્યાં ચૂંટણી થઈ શકે છે. આ…