વર્લ્ડ કોમ્પિટિટિવનેસ ઈન્ડેક્સમાં ભારત પટકાઈને 40મા ક્રમે પહોંચ્યું

સરકારની કાર્યક્ષમતાના સંદર્ભમાં ભારતની સ્થિતિમાં સુધારો થયો છે, જોકે, વ્યાપાર કાર્યક્ષમતા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, આર્થિક પ્રગતિના સંદર્ભમાં ભારતનું રેન્કિંગ થોડું ઘટ્યું નવી દિલ્હીઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટે વર્લ્ડ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ બહાર પાડ્યું છે. તેના રેન્કિંગમાં સિંગાપોર ત્રીજા સ્થાનેથી ચોથા સ્થાને આવી ગયું છે. જો ભારતની વાત કરવામાં આવે તો આ રેન્કિંગમાં તેનું સ્થાન પણ ગબડ્યું છે….

કોઈ કાર્યવાહી વીના પીઓકે ભારતમાં ભળી જશેઃ રાજનાથ સિંહ

જમ્મુમાં રાષ્ટ્રીય સુરક્ષા અંગેના સંમેલનમાં સંરક્ષણ મંત્રીએ આતંકવાદ અંગે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા જમ્મુ-કાશ્મીરસંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. રાજનાથ સિંહે કહ્યું કે, પીઓકેને ભારતમાં ભેળવી દેવાની માંગ થઈ રહી છે, જેમાં અમારે કંઈ જ કરવાની જરૂર નહીં પડે. જમ્મુમાં રાષ્ટ્રીય સુરક્ષા અંગેના સંમેલનમાં સંરક્ષણ મંત્રીએ આતંકવાદ…

સેન્સેક્સ 200 પોઈન્ટ ગગડ્યો અને નિફ્ટી 18700 પર બંધ થયો

અદાણીનો શેર ઘટ્યો, નેટકો ફાર્મા 7.50% વધ્યો, સેન્સેક્સના 30 પેકમાંથી 22 લાલ નિશાન પર બંધ થયા મુંબઈએશિયન બજારોમાં નબળા વલણ અને તાજા વિદેશી ભંડોળના પ્રવાહને કારણે, ભારતીય સ્થાનિક શેરબજાર શુક્રવારે ઘટાડા સાથે બંધ થયું. 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 200 પોઈન્ટ ઘટીને 18700 ના સ્તર ની નીચે બંધ થયા છે. મીડિયા અને મેટલને લગતા…

ભુલાભાઈ પાર્કમાં શાળાની છોકરીએ રોમિયોને પટ્ટાથી ફટકાર્યો

પોલીસે આ રોમિયોની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી અમદાવાદશહેરમાં સ્કૂલ અને કોલેજની વિદ્યાર્થીનીઓની છેડતીના અનેક કિસ્સાઓ સામે આવતાં હોય છે. છેડતીના બનાવો રોકવા માટે પોલીસની શી ટીમ પણ કાર્યરત છે. ત્યારે શહેરમાં છેડતી કરતાં રોમિયોની સામે વિદ્યાર્થીનીઓ અને મહિલાઓ ચૂપ રહે છે જેથી આ પ્રકારના બનાવોમાં વધારો થવા પામ્યો છે. પરંતુ શહેરમાં સ્કૂલમાં ભણતી…

આઆઈટી કાનપુરે નવી ટેક્નોલોજીથી વરસાદનું સફળ ટેસ્ટિંગ કર્યું

ક્લાઉડ સીડિંગ દ્વારા વરસાદ પાડવામાં આઈઆઈટી કાનપુરે મોટી સફળતા મેળવીકાનપુરદેશમાં હવે તે દિવસો દુર નથી… કે જ્યારે વરસાદ નહીં હોય તો ટેકનોલોજી દ્વારા પણ વરસાદ પાડી શકાશે, કારણ કે આવું જ એક કારનામું આઈઆઈટી કાનપુર દ્વારા સામે આવ્યું છે. દેશની દિગ્ગજ આઈઆઈટી યુનિવર્સિટી કાનપુરે નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરી વરસાદનું સફળ ટેસ્ટિંગ કર્યું છે. ક્લાઉડ સીડિંગ…

દેશની 11 ફાર્મા કંપનીઓને ઉત્પાદન બંધ કરવા આદેશ, બે ફાર્મા કંપની બંધ

છેલ્લા 6 મહિનાઓમાં દેશની 134 દવા કંપનીઓ પર નિરિક્ષણ કરવામાં આવ્યું, 5 કંપનીઓ પર એસપીઓ હટાવી લેવામાં આવ્યો નવી દિલ્હીવિદેશોમાં ભારતીય કંપનીઓ પર અનેક સવાલો ઉભા થયા પછી કેન્દ્ર સરકાર સફાળી જાગી કાર્યવાહી શરુ કરી છે. સરકાર તરફથી દવાઓની ગુણવતા ચકાસવાને લઈને એક નવું અભિયાન શરુ કરવામાં આવ્યું છે. છેલ્લા 6 મહિનાઓમાં દેશની 134 દવા…

ટેસ્ટ ટીમમાંથી પૂજારા આઉટ, રોહિત ટેસ્ટ, વન-ડે ટીમનું નેતૃત્વ કરશે

અજિંક્ય રહાણેને ટેસ્ટ અને વનડે સિરીઝમાં હાર્દિક પંડ્યાને વાઈસ કેપ્ટનની જવાબદારી મુંબઈવેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયા આગામી 12મી જુલાઈથી વેસ્ટ ઈન્ડિઝ સામે 2 ટેસ્ટ મેચની સિરીઝ રમશે. સિરીઝની પ્રથમ મેચ ડોમિનિકામાં રમાશે. રોહિત શર્માને ટીમની કમાન સોંપવામાં આવી છે, જ્યારે અજિંક્ય રહાણેને ટીમના વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત…

લોકસભાની ચૂંટણી સાથે મળીને લડવા વિપક્ષો સંમત, આગામી બેઠક સિમલામાં

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પહેલ પર ચાર કલાકની બેઠક બાદ વિપક્ષોએ એકતાનો દાવો કર્યો, દિગ્ગજ વિપક્ષી નેતાઓ ભાજપ સામે આકરા પાણીએ પટનારાજધાની પટનામાં મુખ્યમંત્રી આવાસ પર શુક્રવારે યોજાયેલી બેઠક લગભગ ચાર કલાક સુધી ચાલી હતી. આ બેઠકને લઈને જે માહિતી સામે આવી છે તે મુજબ નીતિશ કુમારને વિપક્ષી એકતાના સંયોજક બનાવવામાં આવી શકે છે. વિપક્ષો…

બીએસઈ ડેરિવેટિવ્ઝ સેગમેન્ટનું ટર્નઓવર રૂ. 6 લાખ કરોડને આંબી ગયું છે, જે અત્યાર સુધીનું સૌથી વધુ ટર્નઓવર છે

કુલ ઓપન ઈન્ટરેસ્ટ રૂ. 31,081 કરોડના મૂલ્યના 4.93 લાખ કોન્ટ્રાક્ટની ટોચે પહોંચ્યું મુંબઈ, 23મી જૂન 2023: એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ ડેરિવેટિવ્ઝનું ટર્નઓવર રૂ. 6,06,637 કરોડ (ઓપ્શન્સમાં રૂ. 6,06,576 કરોડ અને ફ્યુચર્સમાં રૂ. 61 કરોડ)ની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું અને એક્સચેન્જમાં એક દિવસનું સૌથી વધુ ટર્નઓવર નોંધાયું હતું. ટર્નઓવર અગાઉના સપ્તાહના રૂ. 3,42,129 કરોડના એક્સપાયરી ટર્નઓવરથી 77%…

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે MotoGP™ ભારત પ્રથમ ટિકિટનું અનાવરણ કર્યું; BookMyShow પર ટિકિટનું વેચાણ ઉપલબ્ધ છે

આયોજકોએ માનનીય મુખ્યમંત્રીને પ્રખ્યાત ઇટાલિયન રાઇડર એનિઆ બાસ્ટિયાનીનીનું હેલ્મેટ ભેટમાં આપ્યું; અંદાજે 100,000 ઉપલબ્ધ સીટો માટે ₹800 થી ₹40,000 સુધીની ટિકિટની કિંમત લખનૌ ફેરસ્ટ્રીટ સ્પોર્ટ્સે ઉત્તર પ્રદેશના માનનીય મુખ્યમંત્રી તરીકે ખૂબ જ અપેક્ષિત MotoGP™ ભારત ટિકિટ વેચાણની જાહેરાત કરી, શ્રી યોગી આદિત્યનાથે ભારતની પ્રથમ વૈશ્વિક મોટરસાઇકલ ઇવેન્ટ માટે ટિકિટના વેચાણનું અનાવરણ કર્યું કારણ કે આયોજકોએ…

મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર્સ ઉત્તરાખંડ પ્રીમિયર લીગમાં ચમકાવવાનું લક્ષ્ય રાખે છે

મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર આકાશ મધવાલ અને ભૂતપૂર્વ વિકેટ-કીપર આદિત્ય તારે દેહરાદૂનમાં ચાલી રહેલી ઉત્તરાખંડ પ્રીમિયર લીગમાં ભાગ લઈ રહેલા મોટા નામોમાં સામેલ હશે. રાજ્યની સ્થાનિક ટી20 લીગમાં કુલ છ ટીમો 18 મેચોમાં ભાગ લેશે. ફેનકોડ તમામ મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ કરશે. લીગ 22 જૂને શરૂ થઈ હતી અને 30 જૂન સુધી ચાલશે. મેચ બપોરે 3:30…

યુએસમાં વડાપ્રધાન મોદીના માનમાં સ્ટેટ ડિનરમાં મુકેશ અને નીતા અંબાણી હાજર રહ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માનમાં યુએસ પ્રેસિડેન્ટ દ્વારા વ્હાઈટ હાઉસ ખાતે આયોજિત સ્ટેટ ડિનરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી તથા રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર એન્ડ ચેરપર્સન નીતા અંબાણી પરંપરાગત ભારતીય પરિધાનમાં સજ્જ થઈને ઉપસ્થિત રહ્યા હતા. આ ખાસ પ્રસંગ માટે, નીતા અંબાણીએ રિલાયન્સ ફાઉન્ડેશનના ‘સ્વદેશ’માંથી આપણા સાંસ્કૃતિક વારસાનું અભિન્ન અંગ ગણાતી, ભારતીય કળા…

લીગ ઓફ લિજેન્ડ્સ સીડિંગ ઇવેન્ટમાં ટીમ ઇન્ડિયાનું પ્રભુત્વ; એશિયન ગેમ્સ 2022 જીતવા માટે સજ્જ

ઈન્ડિયન લીગ ઓફ લિજેન્ડ્સની ટીમે શ્રીલંકા, કઝાકિસ્તાન અને કિર્ગિસ્તાન સામે હાંગઝોઉમાં પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ માટે અનુકૂળ સીડિંગ મેળવવા માટે આરામદાયક જીત નોંધાવી હતી મકાઉ પોતાની સર્વોચ્ચતાનો દાવો કરતાં, ઈન્ડિયન લીગ ઑફ લિજેન્ડ્સની ટીમે મધ્ય અને દક્ષિણ એશિયા સીડિંગ ઈવેન્ટમાં આકર્ષક પ્રદર્શન કર્યું અને 19મી એશિયન ગેમ્સમાં અનુકૂળ સીડિંગ મેળવવા માટે શ્રીલંકા, કઝાકિસ્તાન અને કિર્ગિસ્તાન સામે સ્ટેટમેન્ટ…

બાલન અલાસ્કન નાઈટ્સ: જીસીએલમાં નજર રાખવા લાયક સ્ટાર્સ

વર્લ્ડ ચેમ્પિયનશિપ રનર-અપ નેપોમ્નિઆચી ગ્લોબલ ચેસમાં ઓપનર કરતાં મજબૂત બાલન અલાસ્કન નાઈટ્સ આગળ છેયુવા ચેસ સેન્સેશન રૌનક સાધવાણી પણ બાલન અલાસ્કન નાઈટ્સ ટીમનો ભાગ છે નવી દિલ્હી, 22 જૂન: 2023 FIDE વર્લ્ડ ચેમ્પિયનશિપ ફાઇનલિસ્ટ ઇયાન નેપોમ્નિઆચી ગ્લોબલ ચેસ લીગની શરૂઆતની આવૃત્તિમાં બાલન અલાસ્કન નાઈટ્સની સ્ટાર-સ્ટડેડ ટીમનું નેતૃત્વ કરે છે જેમાં ચીનની મહિલા વર્લ્ડ રેપિડ ચેમ્પિયન…

ભારત સાથે કાશ્મીર મામલે મંત્રણા થવાની હતીઃ ઈમરાનખાન

ઇમરાન ખાને અમેરિકન થિંક ટેન્ક એટલાન્ટિક કાઉન્સિલને આપેલા ઈન્ટરવ્યુમાં ઉપરોક્ત દાવા કર્યા ઈસ્લામાબાદપાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાનખાને દાવો કર્યો છે કે જ્યારે તેઓ સત્તામાં હતા ત્યારે ભારત સાથે કાશ્મીર સમસ્યાના ઉકેલ માટે કામ કરી રહ્યા હતા. આ અંતર્ગત ભારત સરકાર કાશ્મીર મામલે એક રોડમેપ રજૂ કરવાની તૈયારીમાં હતી અને પ્રધાનમંત્રી ઇસ્લામાબાદની મુલાકાત પણ કરવાના હતા. તેમણે…

સાફ ગેમ્સની ભારત-પાકિસ્તાન મેચમાં મેદાન પર બબાલ

ઉગ્ર બોલાચાલીનો વીડિયો પણ સામે આવ્યો, આ વીડિયોમાં પાકિસ્તાનના ખેલાડીઓ ભારતીય કોચ સાથે બોલાચાલી કરતા દેખાય છે બેંગલુરૂવિશ્વના બે કટ્ટર હરિફ ભારત અને પાકિસ્તાન જ્યારે કોઈપણ રમતમાં એકબીજા સામે રમતા હોય ત્યારે ટીમના પ્રદર્શની સાથે સાથે બીજુ ઘણુ બધુ પણ જોવા મળતુ હોય છે તેમજ માહોલ હંમૈશા ગરમ રહેતો હોય છે. આવુ જ કંઈક ગઈકાલે…

રાજ્યની તમામ કોર્ટ માટે ઈ-આરટીઆઈ પોર્ટલ લૉન્ચ કરાયું

આ પોર્ટલ પરથી અરજદાર આરટીઆઈની ઓનલાઈન અરજીઓ, આરટીઆઈની ફર્સ્ટ અપીલ કરી શકશે, સ્ટેટસ પણ જોઈ શકાશે અમદાવાદગુજરાત હાઈકોર્ટની આઈટી કમિટી અને રુલ્સ કમિટીના નિર્દેશોથી આઈટી સેલ દ્વારા વધુ એક પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યુ છે. રાજ્યની તમામ કોર્ટ માટે ઈ-આરટીઆઈ પોર્ટલ લૉન્ચ કરાયું છે. આ પોર્ટલ પરથી અરજદાર આરટીઆઈની ઓનલાઈન અરજીઓ, આરટીઆઈની ફર્સ્ટ અપીલ કરી શકશે…

રાજ્યભરમાં રાજીવ ગાંધી ભવન બનાવવા કોંગ્રેસનો નિર્ણય

ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકામાં કોંગ્રેસ કાર્યાલય બનાવવામાં આવશે અમદાવાદગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલે જવાબદારી સંભાળ્યા બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસ હાઈકમાન્ડે કમલમની જેમ ગુજરાતભરમાં રાજીવ ગાંધી ભવન બનાવવાનો નિર્ણય લીધો છે. હાઈકમાન્ડે ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકામાં કોંગ્રેસ કાર્યાલય બનાવવાનો નિર્ણય લીધો છે.ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ આજે…

લખનૌ-કાનપુર સહિત યુપીમાં 17 સ્થળે આઈટીનો દરોડા

કાનપુરમાં રાધા મોહન પુરષોત્તમ દાસ જ્વેલર અને એમેરાલ્ડ ગાર્ડન હાઉસિંગ સોસાયટીના પ્રમોટર સંજીવ ઝુનઝુનવાલાના 17 સ્થળો પર સર્ચ ઓપરેશન લખનૌદિલ્હી, એનસીઆર, કાનપુર, લખનૌ, કોલકાતા સહિત ઘણા રાજ્યો અને જિલ્લાઓમાં જ્વેલર્સ/બુલિયન વેપારીઓના ઠેકાણા પર આવકવેરાના દરોડા ચાલુ છે. કાનપુરમાં રાધા મોહન પુરષોત્તમ દાસ જ્વેલર અને એમેરાલ્ડ ગાર્ડન હાઉસિંગ સોસાયટીના પ્રમોટર સંજીવ ઝુનઝુનવાલાના 17 સ્થળો પર સર્ચ…

કર્ણાટકમાં સપ્ચાહમાં એક દિવસ નો બેગ ડે રાખાવાનો નિર્ણય

આ દિવસે બાળકોએ સ્કૂલ બેગ વગર સ્કૂલમાં આવવાનું રહેશે અને પુસ્તકીય અભ્યાસથી અલગ વ્યાવહારિક જ્ઞાન આપવામાં આવશે બેંગલુરુબાળકો પર વધતા સ્કૂલ બેગના વજનને ઘટાડવા માટે કર્ણાટક સરકારે નવા દિશાનિર્દેશ જારી કર્યા છે. નવા નિર્દેશો પ્રમાણે હવે બાળકોના સ્કૂલ બેગનું વજન બાળકના પોતાના વજનના 15 ટકાથી વધુ ન હોવું જોઈએ. રાજ્ય સરકારના આ નિયમથી બાળકોની સ્કૂલ…