ન્યૂઝીલેન્ડનો બાંગ્લાદેશ સામે બીજી વન-ડેમાં સાત વિકેટે વિજય

બાંગ્લાદેશે 49.5 ઓવરમાં 291 રન બનાવ્યા જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે 46.2 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો નેલ્સનબુધવારે નેલ્સનમાં રમાયેલી બીજી વનડેમાં ન્યુઝીલેન્ડે બાંગ્લાદેશને 22 બોલ બાકી રહેતા સાત વિકેટે હરાવ્યું હતું. બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા 49.5 ઓવરમાં 291 રન બનાવીને સમગ્ર ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ન્યૂઝીલેન્ડે 46.2 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને…

ફઈબાની એન્ટ્રી પર ભત્રિજાનો નન્નો, કોંગ્રેસને બીએસપી પર સવાલ પૂછ્યા

મલ્લિકાર્જુન ખડગેએ સપા નેતાઓને આશ્વાસન આપ્યું નવી દિલ્હીઆગામી વર્ષે 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીને લઈને મંગળવારે ઈન્ડિયા ગઠબંધનની બેઠક યોજાઈ હતી. સપા પ્રમુખ અખિલેશ યાદવે પણ ઈન્ડિયા ગઠબંધનની ચોથી બેઠકમાં ભાગ લીધો હતો. જોકે, અખિલેશ યાદવની પાર્ટીએ મહાગઠબંધનમાં માયાવતીની બસપાના પ્રવેશ પર કોંગ્રેસને સવાલો પૂછ્યા હતા.સૂત્રોના જણાવ્યા અનુસાર, સમાજવાદી પાર્ટીના નેતા રામ ગોપાલ યાદવે ઈન્ડિયા ગઠબંધનની…

પન્નુ કેસમાં માહિતી મળશે તો ચોક્કસ તપાસ કરીશુઃ મોદી

જો અમારા નાગરિકોમાંથી કોઈએ કંઈ સારું કે ખરાબ કર્યું હોય તો અમે તેની તપાસ કરવા તૈયાર છીએ, કાયદાના શાસન પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા છેઃ વડાપ્રધાન નવી દિલ્હીભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ફાઇનાન્સિયલ ટાઇમ્સ સાથે એક ઇન્ટરવ્યુ આપ્યો. આ દરમિયાન પીએમ મોદીએ અમેરિકામાં એક ભારતીયની હત્યાના ષડયંત્રના આરોપો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “જો અમને કોઈ…

સેન્સેક્સમાં 930 અને નિફ્ટીમાં 303 પોઈન્ટનો કડાકો નોંધાયો

અદાણી ગ્રુપના તમામ નવ શેર નુકશાનમાં બંધ થયા મુંબઈબુધવારે શેરબજારમાં જોરદાર ઘટાડો નોંધાયો છે અને બીએસઈ સેન્સેક્સ લગભગ 930 પોઈન્ટ ઘટીને 70506 ના સ્તર પર બંધ થયો છે જ્યારે નિફ્ટી 303 પોઈન્ટ ઘટીને 21150 પોઈન્ટના સ્તર પર બંધ થયો છે. બુધવારે શેરબજારમાં ટ્રેડિંગ દરમિયાન ગૌતમ અદાણી ગ્રુપની તમામ 9 લિસ્ટેડ કંપનીઓના શેર નબળાઈ પર બંધ…

ધનખડની મિમિક્રી કરનારા કલ્યાણ બેનર્જી સામે દિલ્હી પોલીસે કેસ નોંધ્યો

ડિફેન્સ કોલોની પોલીસ સ્ટેશનમાં અભિષેક ગૌતમ નામના એક વકીલે ફરિયાદ નોંધાવી નવી દિલ્હીવિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કર્યા બાદ સંસદમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રી કરનારા ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીની મુશ્કેલી વધી શકે છે. તેમની વિકુદ્ધ દિલ્હી પોલીસે કેસ નોંધી લીધો છે.ડિફેન્સ કોલોની પોલીસ સ્ટેશનમાં અભિષેક ગૌતમ નામના એક વકીલે ફરિયાદ નોંધાવી છે. જેને પોલીસે સ્વીકાર કરી છે….

લોકસભામાંથી વધુ બે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા

અત્યાર સુધી લોકસભા અને રાજ્યસભાના કુલ 143 સાંસદોની હકાલપટ્ટી કરવામાં આવી ચૂકી છે નવી દિલ્હીસંસદની સુરક્ષામાં ચૂક મુદ્દે ચાલુ હંગામા વચ્ચે લોકસભામાંથી વધુ બે સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આજે સદનની અવમાનના મામલે સ્પીકરે બે વિપક્ષી સાંસદ સી થોમસ અને એએમ આરિફને સંસદ સત્રના બાકીના સમયગાળા માટે સસ્પેન્ડ કરી દીધા છે. અત્યાર સુધી લોકસભા…

ભારતીય નૌસેનાનું સિક્રેટ અન્ડરગ્રાઉન્ડ સબમરીન બંકર આઈએનએસ વર્ષા

આઈએનએસ વર્ષા નૌસેનાના બેઝમાં 8થી 12 સબમરીન પાર્ક કરી શકાશે નવી દિલ્હીભારતીય નૌસેના દ્વારા એક બેઝ (બંકર) તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેનું આએનએસ વર્ષા નામ આપવામાં આવ્યું છે. ત્યા ભારતની પરમાણુ સબમરીન રાખવામાં આવશે. ખાસ વાત એ છે કે, બેઝ પર પરમાણુ સબમરીનને કોઈ જોઈ શકશે નહીં, કારણે કે, અન્ડરગ્રાઉન્ડ બેઝ તૈયાર કરવામાં આવ્યો…

એઆઈએફ દ્વારા જૂની લોન પૂરી કરવા નવી લોનની વ્યવસ્થા પર અંકુશ માટે નિર્ણય

આરબીઆઈ દ્વારા બેંકો, નોન-બેંકિગ નાણાકીય કંપનીઓ અને નાણાકી સસ્થાઓ સાથે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓને ભવિષ્યમાં આવું ન કરવા કહેવાયું નવી દિલ્હીભારતીય રિઝર્વ બેંકએ વૈકલ્પિક રોકાણ ફંડ (એઆઈએફ) દ્વારા જૂની લોન પૂરી કરવા માટે નવી લોન લેવાની વ્યવસ્થા પર અંકુશ લગાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે જેમાં આરબીઆઈ દ્વારા બેંકો, નોન-બેંકિગ નાણાકીય કંપનીઓ અને નાણાકી સસ્થાઓ…

જાતિને દરેક મુદ્દામાં ન ઢસડવી જોઈએઃ મલ્લિકાર્જુન ખડગે

શું રાજ્યસભામાં દરેક વખતે મને બોલવાની મંજૂરી નથી મળતી તો શું હું એમ કહીશ કે હું દલિત છું એટલે મને બોલવાની તક નથી અપાતી, કોંગ્રેસના નેતાનો સવાલ નવી દિલ્હીરાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડની મિમિક્રી કરવા મુદ્દે બુધવારે રાજ્યસભાની અંદર અને બહાર બંને જગ્યાએ ભારે હોબાળાની સ્થિતિ જોવા મળી. સાંસદોને સસ્પેન્ડ કરવા વિરુદ્ધ સંસદના પગથિયાં પર વિપક્ષના…

સુએઝ નહેર પરથી પસાર થતા જહાજો પર યમનના હૂતીના હુમલાએ ચિંતા વધારી

સુએઝ નહેર પર જહાજો પર હુમલા બાદ શિપિંગ કંપનીઓ માર્ગ બદલવા મજબુર, ભારતની પણ મુશ્કેલી વધી નવી દિલ્હીમાત્ર ભારત જ નહીં વિશ્વભરના વેપાર માટે સુએઝ નહેર ખુબ મહત્વ ધરાવે છે. આ નહેર પરથી કોમર્શિયલ જહાજોની હંમેશા અવર-જવર રહેતી હોય છે. જોકે આ કેનાલ ફરી સંકટની ઝટેપમાં આવી ગયું છે. ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે યમનના હૂતી ગ્રૂપ…

સસ્પેન્ડ સાંસદોના ચેમ્બર,ગેલેરી અને લોબીમાં પ્રવેશ પર પ્રતિંબંધ

સાંસદોને દૈનિક ભથ્થું પણ મળશે નહીં, જો કોઈ સાંસદ નોટિસ આપશે તો તેનો પણ સ્વીકાર કરવામાં આવશે નહીં નવી દિલ્હી લોકસભામાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદો પર વધુ એક મોટી કાર્યવાહી કરતા લોકસભાના સચિવાલય દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં સસ્પેન્ડ કરાયેલા સાંસદોના કેટલાક અધિકારો છીનવાયા છે. સંસદના શિયાળુ સત્ર દરમિયાન 13મી ડિસેમ્બરે નવી સંસદમાં…

સેન્ટ જ્યોર્જ પર ભારત સાતમાંતી માત્ર એક વન-ડે જીત્યું છે

સોમેટ જ્યોર્જ પાર્ક ખાતે ઓપનિંગની ભાગીદારી સૌથી વધુ 130 રનની રહી સેન્ટ જ્યોર્જ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સિરીઝની બીજી વનડે મેચ સેંટ જ્યોર્જ પાર્કમાં રમાઈ હતી. આ મેચમાં સાઉથ આફ્રિકાની ટીમે ભારતને 8 વિકેટથી હરાવી સિરીઝમાં 1-1ની સરસાઈ મેળવી લીધી છે.ભારતથી મળેલા 212 રનના ટાર્ગેટનો પીછો કરતા સાઉથ આફ્રિકા તરફહતી ટોની ડી જ્યોર્જીએ 119…

હમાસને ફંડ પહોંચાડનારા સુભી ફરવાનાને ઠાર કર્યાનો ઈઝરાયેલનો દાવો

હમાસના કથિત ફાઈનાન્સર સુભી ફરવાનાને રફાહ પાસે દક્ષિણી ગાઝામાં હવાઈ હુમલામાં ઠાર કરવામાં આવ્યો હતો જેરૂસલેમ ઈઝરાયેલ-હમાસ વચ્ચે છેલ્લા 72 દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં 20 હજારથી વધુ લોકોના મોત થયા છે જ્યારે 50 હજારથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ભીષણ યુદ્ધમાં અનેક પરિવારો ઘર છોડવા મજબૂર બન્યા છે ત્યારે ઈઝરાયેલ…

છ માસમાં 42 હજાર પંજાબીઓએ કેનેડાના પીઆર પડતા મૂક્યા

ચાલુ વર્ષે 2023 ના પ્રથમ 6 મહિનામાં 42 હજાર લોકોએ કેનેડાની કાયમી નાગરિકતા છોડી દીધી નવી દિલ્હી કેનેડામાં ભારતના મોસ્ટ વૉન્ટેડ આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ સર્જાયેલી તંગદિલીની અસર હવે સ્પષ્ટ રીતે દેખાવા લાગી છે. સૌથી વધુ અસર એ કમ્યુનિટી પર થઈ છે જેને વિદેશ ખાસ કરીને કેનેડામાં વસવા માટે ઓળખાય છે. હાં અમે પંજાબીઓની…

તામિલનાડુમાં ભારે વરસાદથી 10નાં મોત, ભારે તારાજી

દક્ષિણના જિલ્લાઓ, ખાસ કરીને તિરુનેલવેલી અને તુતિકોરીનમાં રેકોર્ડ વરસાદ બાદ પૂરની સ્થિતિ થિરૂવનંતપૂરમ તમિલનાડુના દક્ષિણી જિલ્લાઓમાં છેલ્લા બે દિવસમાં ઈતિહાસનો સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. જેમાં 10 લોકોએ જીવ ગુમાવ્યાની માહિતી મળી રહી છે. સામાન્ય જનજીવન લગભગ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. પૂરની ભયંકર સ્થિતિને પગલે દરેક જગ્યાએ પાણી જ પાણી થઈ ગયું છે. એક અહેવાલ…

લોકતંત્રને ટૂંપો અપાઈ રહ્યો છેઃ સોનિયા ગાંધી

નહેરુ જેવા મહાન દેશભક્તોને બદનામ કરવા પ્રયાસ, ઈતિહાસ અને ઐતિહાસિક તથ્યો સાથે ચેડાં કરીને અભિયાન ચલાવાયાનો આક્ષેપ નવી દિલ્હી સંસદના શિયાળુ સત્રમાંથી વિપક્ષના 141 સાંસદોને સસ્પેન્ડ કરાતા કોંગ્રેસ સંસદીય દળ (સીપીપી) ના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પીએમ મોદીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર સામે પ્રહાર કર્યા હતા. સીપીપીની બેઠકમાં સોનિયાએ કહ્યું કે લોકતંત્રને ગળે ટૂંપો અપાઈ રહ્યો…

યુએસની કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને 2024ની ચૂંટણી માટે અયોગ્ય જાહેર કર્યા

આ નિર્ણય અમેરિકામાં કેપિટલ હીલ હિંસામાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોની ભૂમિકાને જોતાં કોર્ટે સંભળાવાયો વોશિંગ્ટન અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો આંચકો લાગ્યો છે. અમેરિકાની એક કોર્ટે ટ્રમ્પને 2024માં યોજાનાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે અયોગ્ય જાહેર કરી દીધા છે.  આ નિર્ણય અમેરિકામાં કેપિટલ હીલ હિંસામાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોની ભૂમિકાને જોતાં કોર્ટે સંભળાવ્યો છે. અમેરિકાની કોલોરાડો સુપ્રીમકોર્ટ…

હું છેલ્લા 20 વર્ષથી આ અપમાન સહન કરી રહ્યો છુઃ મોદી

મોદીએ ફોન કરીને ઉપરાષ્ટ્રપતિ સાથે વાત કરીને મિમિક્રીની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું નવી દિલ્હી સાંસદો દ્વારા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રીની ઘટનાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. ઉપરાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ટેલિફોન આવ્યો હતો. તેમણે કેટલાક સાંસદો દ્વારા ગઈકાલે સંસદ પરિસરમાં કરવામાં આવેલી ઘૃણાસ્પદ હરકત પર…

સુકમામાં પોલીસ સાથેની અથડામણમાં છ નક્સલીઓ ઠાર

ડીઆરજી, બસ્તર ફાઇટર્સ અને કોબ્રા 201 બટાલિયનના જવાનોએ નક્સલવાદીઓ વિરુદ્ધ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું સુકમા સુકમા છત્તીસગઢના સુકમા જિલ્લામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસ સાથેની અથડામણમાં પાંચથી છ નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ડીઆરજી, બસ્તર ફાઇટર્સ અને કોબ્રા 201 બટાલિયનના જવાનોએ નક્સલવાદીઓ વિરુદ્ધ સંયુક્ત…

અમૃતસરમાં એન્કાઉન્ટરમાં ગેંગસ્ટર ઠાર, એક અધિકારી ઘાયલ

ગેંગસ્ટરની ઓળખ અમૃતપાલ સિંહ ઉર્ફે આમરી તરીકે થઈ છે, આરોપી હત્યા અને હત્યાના પ્રયાસના ચાર ગુનામાં સંડોવાયેલો હતો અમૃતસર અમૃતસરમાં એન્કાઉન્ટરઃ પંજાબના અમૃતસરમાં પોલીસ અને બદમાશો વચ્ચે એન્કાઉન્ટર થયું છે. આ એન્કાઉન્ટર જંડિયાલા ગુરુમાં થયું હતું. પોલીસ બલેરો કારમાં મુસાફરી કરી રહેલા બદમાશોનો પીછો કરી રહી હતી. શહેરમાંથી પસાર થતી વખતે બદમાશો શેખફાટા કેનાલ પાસે…