કચ્છમાં 3.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો

કચ્છ પહેલા દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા કચ્છ ગુજરાતના કચ્છ જિલ્લામાંથી વહેલી સવારે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. શુક્રવારે સવારે ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, આ આંચકા સવારે લગભગ 9:00 વાગ્યે અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટરની માહિતી અનુસાર,…

નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય અને આસામમાં વરસાદની શક્યતા

13મી ડિસેમ્બર સુધી દિલ્હીમાં સવારના સમયે ઘુમ્મસવાળું વાતાવરણ રહેશે નવી દિલ્હી પર્વતીય વિસ્તારોમાં થઇ રહેલ હિમવર્ષાને કારણે ઉત્તર ભારતમાં ઠંડી વધી રહી છે. રાજધાની દિલ્હીના તાપમાનમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. યુપી, પંજાબ અને હરિયાણામાં જોરદાર પવન ફૂંકાઇ રહ્યું છે. હવામાન વિભાગે આજે એટલે કે 8મી ડિસેમ્બરના રોજ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડમાં હળવાથી ભારે વરસાદની…

મહુઆ મોઈત્રાના કેસમાં રિપોર્ટ રજૂ થતાં લોકસભામાં હોબાળો

લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી નવી દિલ્હી મહુઆ મોઈત્રાના કેશ ફોર ક્વેશ્ચન કેસમાં એથિક્સ કમિટી દ્વારા તૈયાર કરાયેલો રિપોર્ટ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. જેના પર ગૃહમાં ભારે હોબાળાની સ્થિતિ સર્જાઈ હતી. આ કારણે જ લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. આજે સંસદના શિયાળુ સત્રનો પાંચમો દિવસ…

હોસ્પિટલો- શૈક્ષણિક સંસ્થાઓમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા

યુપીઆઈ દ્વારા પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ. 1 લાખને બદલે 5 લાખ રૂપિયા સુધીનું પેમેન્ટ કરી શકાશે નવી દિલ્હી દેશમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન વધારવા માટે આરબીઆઈ સતત પ્રયાસો કરતી રહે છે. આથી જ દર મહીને યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં વધારો થાય છે. આરબીઆઈ એ ઑફલાઇન ટ્રાન્ઝેક્શન માટે યુપીઆઈ માં એઆઈના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે…

ભાજપે ત્રણ રાજ્યો માટે નિરક્ષકો જાહેર કર્યા, રવિવાર સુધી સીએમનો નિર્ણય

આ નિરીક્ષકો ધારાસભ્ય દળ સાથે બેઠક કરશે અને તેમાં તેમનો અભિપ્રાય મેળવશે નવી દિલ્હી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વિજય બાદથી આ રાજ્યોમાં મુખ્યમંત્રી પદ કોને સોંપાશે તે મુદ્દે ચર્ચા વિચારણાં ચાલી રહી છે. આ સૌની વચ્ચે ભાજપે આ ત્રણેય રાજ્યો માટે નિરીક્ષકોના નામની જાહેરાત કરી દીધી છે.  સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, વિનોદ તાવડે…

અગ્નિ-1 મિસાઈલનું સફળ ટ્રેનિંગ લોન્ચ કરાયું

સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડના નેજા હેઠળ આયોજિત ટ્રેનિંગ લોન્ચ, તમામ ઓપરેશનલ અને તકનીકી પરિમાણોને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું થિરુવનંતપુરમ ગઈકાલે મધ્યમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલ ‘અગ્નિ-1’નું ટ્રેનિંગ લોન્ચ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું. સંરક્ષણ મંત્રાલયે આ અંગે માહિતી આપી છે. મંત્રાલયે કહ્યું કે ઓડિશાના એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી મીડીયમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલ ‘અગ્નિ-1’નું પ્રશિક્ષણ પ્રક્ષેપણ સફળતાપૂર્વક હાથ…

વંદે ભારત ટ્રેન પર ફરી એકવાર પથ્થરમારો, હર્ષ સંઘવી ટ્રેનમાં હતા

પથ્થરમારાને કારણે ટ્રેનમાં કાંચને નુકસાન થયું,જોકે કોઈ મોટી હાનિના અહેવાલ નથી રાજકોટ વંદે ભારત ટ્રેન પર ફરી એકવાર પથ્થરમારાની ઘટના સામે આવી છે. આ વખતે રાજકોટમાં આ ઘટના બની હતી. જોકે અહીં મહત્ત્વપૂર્ણ એ છે કે જ્યારે પથ્થરમારાની ઘટના બની ત્યારે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ જ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા.  માહિતી…

રિઝર્વ બેન્કે સતત પાંચમી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર ન કર્યો

આરબીઆઈના નિર્ણય બાદ વ્યાજ દર 6.5 ટકા પર યથાવત, રેપો રેટમાં ઘટાડો કરીને સસ્તી લોનની ભેટની લોકોની આશા પર પણી ફરી વળ્યું નવી દિલ્હી આરબીઆઈએ સતત 5મી વાર રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી, ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે મોનેટરી પોલિસી કમિટી એ કોઈ ફેરફાર કર્યા વિના રેપો રેટ 6.5 ટકા પર યથાવત રાખ્યો છે….

અર્જુન મુંડાને કૃષિ-ખેડૂત ક્લાયણ મંત્રાલયનો વધારોનો હવાલો

અર્જુન મુંડા પહેલેથી જ આદિજાતિ બાબતોના મંત્રી છે જેને હવે તોમરનાં ખાતાં સોંપાયા મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડ્યા બાદ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કૃષિ મંત્રાલયમાં પોતાનું પદ છોડી દીધું છે. તેમણે આ પદ પરથી રાજીનામું આપ્યું હતું, જેને રાષ્ટ્રપતિએ સ્વીકારી લીધું છે અને હવે કેબિનેટ મંત્રી અર્જુન મુંડાને  કૃષિ મંત્રાલય અને ખેડૂત કલ્યાણ મંત્રાલયનો વધારાનો…

ગુગલે એડવાન્સ એઆઈ મોડેલ જેમિની લોન્ચ કર્યું

જેમિની એઆઈને એક જ સમયે ઘણી રીતે કામ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે વોશિંગ્ટન ગૂગલની મૂળ કંપની આલ્ફાબેટે એપલ અને મેટાને ટક્કર આપવા પોતાનું સક્ષમ એવું મોટું એઆઈ મોડેલ જેમિની લોન્ચ કર્યું. ગૂગલનું આ એઆઈ મોડેલ ખુબ જ એડવાન્સ છે. દુનિયાભરના  બાર્ડ અને પિક્સલ યુઝર્સ માટે જેમિની એઆઈ ઉપલબ્ધ થયું છે. ગૂગલે તેના એઆઈ…

રજિસ્ટ્રી દસ્તાવેજોમાંતી ઉર્દૂ-ફારસી શબ્દો હટાવવા નિર્ણય

હવે સબ રજિસ્ટ્રારે ઉર્દૂની પરીક્ષા નહીં આપવી પડે, પબ્લિક સર્વિસ કમિશન દ્વારા પસંદગી બાદ પણ કાયમી નોકરી માટે આ પરીક્ષા પાસ કરવાની ફરજ પડતી હતી લખનઉ ઉત્તરપ્રદેશમાં (યુપી) યોગી સરકારે રજિસ્ટ્રી દસ્તાવેજોમાંથી ઉર્દૂ-ફારસી શબ્દોને હટાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ ઉપરાંત હવે સબ રજિસ્ટ્રારે ઉર્દૂની પરીક્ષા નહીં આપવી પડે. અત્યાર સુધી પબ્લિક સર્વિસ કમિશન દ્વારા…

2018થી વિદેશોમાં 403 ભારતીય છાત્રોના મોત થયા

રિપોર્ટ અનુસાર, વિશ્વના 34 દેશોમાં કેનેડામાં સૌથી વધુ 91 મૃત્યુ થયા, સરકારે રાજ્યસભામાં માહિતી આપી નવી દિલ્હી ભારતમાં રહેતા ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવાના ઈરાદે વિદેશમાં જાય છે. જેમાં ખાસ કરીને આ વિદ્યાર્થીઓ અમેરિકા, ઈંગ્લેન્ડ, રશિયા અને કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોની પસંદગી કરે છે. આ દરમિયાન ભારત સરકારે એક અહેવાલ બહાર પાડ્યો હતો જેમાં 2018…

2023ના વર્ષ દરમિયાન અલ્મોરા ફોલ્ટથી 124 વાર ધરા ધ્રૂજી

2023ની શરૂઆત 24મી જાન્યુઆરીએ 5.8ની તીવ્રતાના ભૂકંપ સાથે થઈ પછી ત્રીજી ઓક્ટોબરે 6.2ની અને ત્રીજી નવેમ્બરે 6.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો નવી દિલ્હી ભૂકંપની દ્રષ્ટિએ આ વર્ષ ઘણું ખતરનાક સાબિત થયું છે. આ વર્ષની શરુઆતમાં જ 5.8ની તીવ્રતાનો ભૂકંપનો અનુભવાયો હતો અને વર્ષમાં કુલ 124 વાર ધરા ધ્રુજી છે. કેન્દ્રિય મંત્રીએ સંસદમાં અલ્મોરા ફોલ્ટને જવાબદાર ગણાવ્યો…

તેલંગણાના પૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર લપસી પડતાં હોસ્પિટલમાં દાખલ

પીઠમાં ગંભીર ઈજા, સર્જરીની જરૂર પડી શકે છે હૈદ્રાબાદ તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રીને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે સુ્ત્રોમાંથી મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રે તેઓ લપસીને પડી ગયા હતા જેના પગલે તેમને પીઠમાં ગંભીર ઈજા પહોંચી હતી.  તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર  (કેસીઆર) ગઈકાલે લપસીને પડી ગયા હોવાથી હૈદરાબાદની યશોદા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા…

ભાજપે મણિપુરમાં 30 વર્ષથી લાગુ દારૂબંધી ઊઠાવી લીધી

કેબિનેટે રાજ્યની મહેસૂલી આવક વધારવા અને ઝેરીલા દારૂની સપ્લાય રોકવા માટે લીકર પોલિસીમાં ફેરબદલ કર્યા ઈમ્ફાલ દારૂબંધી એક અતિ સંવેદનશીલ મુદ્દો ગણાય છે. આ મુદ્દે કોઈ પણ સરકાર ગમે તેવો નિર્ણય કરતાં પહેલાં અનેકવાર વિચારે છે. ટેક્સની દૃષ્ટિએ આ સરકાર માટે કમાણીનો મોટો સોર્સ હોય છે. જ્યારે લોકો માટે આ ભાવનાત્મક મુદ્દો છે. એટલે જ…

LALIGA EA SPORTS Matchday 16 પૂર્વાવલોકન: Isco રિયલ મેડ્રિડ સામે ટકરાશે અને Barça અને Girona FC વચ્ચે જોરદાર ટક્કર સાથેની ડર્બી

શેડ્યૂલ પર ઘણા બધા આકર્ષક ફિક્સર સાથે, 2023/24 LALIGA EA SPORTS સિઝનનો 16નો મેચ ડે આખા વર્ષના સૌથી મનોરંજક રાઉન્ડમાંનો એક બની શકે છે. ટેબલની ટોચની નજીકની ટીમો વચ્ચે મોટી અથડામણો છે, જેમ કે ત્રીજા સ્થાને રહેલ એફસી બાર્સેલોના વિ બીજા સ્થાને રહેલ ગિરોના એફસી અથવા સાતમા સ્થાને રહેલ રિયલ બેટિસ વિ લીડર રીઅલ મેડ્રિડ,…

યોનેક્સ-સનરાઈઝ ગુવાહાટી માસ્ટર્સ: કાર્તિકેય ગુલશન કુમાર, રાવ અને હર્ષવર્ધનના ડબલ્સ સંયોજને ક્વાર્ટર્સમાં પહોંચવા માટે ક્રમાંકિત પ્રતિસ્પર્ધીઓને અપસેટ કર્યા

ગુવાહાટી: ભારતના કાર્તિકેય ગુલશન કુમારે ક્લિનિકલ પ્રદર્શન સાથે ડેનમાર્કના પાંચમા ક્રમાંકિત મેડ્સ ક્રિસ્ટોફરસનને સીધી ગેમ્સમાં હરાવીને ગુરુવારે અહીં યોનેક્સ-સનરાઇઝ ગુવાહાટી માસ્ટર્સ સુપર 100 બેડમિન્ટન ટૂર્નામેન્ટની મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. અચ્યુતાદિત્ય રાવ અને વેંકટા હર્ષ વર્ધનના ભારતીય પુરૂષ ડબલ્સ સંયોજને ત્યારબાદ ચોથા ક્રમાંકિત વેઈ ચુન વેઈ અને ચાઈનીઝ તાઈપેઈના વુ ગુઆન ઝુન સામે 24-22,…

પીકેએલ સીઝન 10 ના પ્રારંભિક તબક્કાની અંતિમ ગેમમાં પટના પાઇરેટ્સે ગુજરાત જાયન્ટ્સની વિજયકૂચ અટકાવી

અમદાવાદ પ્રો કબડ્ડી લીગની 10મી સિઝનના પ્રારંભિક તબક્કાની અંતિમ ગેમમાં પટના પાઇરેટ્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ગુજરાત જાયન્ટ્સની જીતના સિલસિલાનો અંત એક જોરદાર રસાકસીભર્યા મુકાબલામાં કર્યો હતો. પટના પાઇરેટ્સ શાણપણ અને તાકાત સાથે રમ્યું હતું અને ગુજરાત જાયન્ટ્સ સામે 33-30થી જીત્યું હતું.  સચિન અને રોહિત ગુલિયાએ પટના પાઇરેટ્સ અને ગુજરાત જાયન્ટ્સને રમતના પ્રથમ આક્રમણ સાથે મેદાનમાંથી…

જયપુર પિંક પેન્થર્સ અને બંગાળ વોરિયર્સ વચ્ચે પીકેએલ સીઝન 10 ની પ્રથમ ટાઇ  થઈ

અમદાવાદ  જયપુર પિંક પેન્થર્સ અને બંગાળ વોરિયર્સે ગુરુવારે ટ્રાન્સસ્ટેડિયાના એકેએ એરેના ખાતે ખૂબ જ રસાકસી સાથે 28-28 થી સિઝનની પ્રથમ મેચ ડ્રો રમી હતી. ભવાની રાજપૂતે જયપુર પિંક પેન્થર્સ માટે સુપર 10નો રેકોર્ડ નોંધાવ્યો હતો, આ દરમિયાન વોરિયર્સ તરફથી શ્રીકાંત જાધવે મેચમાં સૌથી વધુ 7 પોઇન્ટ મેળવ્યા હતા. જયપુર પિંક પેન્થર્સે શાનદાર શરૂઆત કરી હતી અને મેચની શરૂઆતની મિનિટોમાં વોરિયર્સને એક…

ACE SAG AITA મહિલા ટેનિસ ટુર્નામેન્ટમાં પ્રિયાંશી ભંડારીનો યુબ્રાની બેનર્જી સામે વિજય

ACE SAG AITA મહિલા ટેનિસ ટુર્નામેન્ટના મુખ્ય ડ્રોમાં ગુજરાતના 7થી વધુ ખેલાડીઓ હોવાથી ગુજરાતના ખેલાડીઓને સારું પ્લેટફોર્મ મળી રહ્યું છે. સ્પર્ધાના ગુરુવારની મેચોના પરિણામ.સિંગલ્સ5મી ક્રમાંકિત પ્રિયાંશી ભંડારીએ પશ્ચિમ બંગાળની ત્રીજી ક્રમાંકિત યુબ્રાની બેનર્જીને 6-0, 6-2થી હરાવી હતી. પ્રિયાંશીએ તેની હિંમત, દૃઢ નિશ્ચય અને સાતત્ય સાથે પશ્ચિમ બંગાળની અનુભવી યુબ્રાની બેનર્જીને આસાનીથી હરાવી હતી.મહારાષ્ટ્રની પૂજા ઇંગલેએ…