નીતિશને ભાજપમાં શું મળશે, ઈન્ડિયામાં તો વડાપ્રધાનની તક હતીઃ અખિલેશ
નીતિશને ‘ઈન્ડિયા’ ગઠબંધનમાં જાળવી રાખવાની જવાબદારી કોંગ્રેસની છે, તેમની નારાજગી સમજવાની જરૂર હતીઃ અખિલેશ લખનૌબિહારમાં રાજકારણ ગરમાયુ છે. લોકસભાની ચૂંટણીમાં હવે વધુ સમય બાકી નથી રહ્યો પરંતુ ભાજપ વિરુદ્ધ રચાયેલા ‘ઈન્ડિયા’ ગઠબંધન (ઈન્ડિયા એલાયન્સ)માં તિરાડ પડી રહી છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર ફરી એક વખત એનડીએમાં સામેલ થઈ શકે છે તેવી અટકળોએ જોર પકડ્યું છે….
