અરવિંદ કેજરીવાલ સાતમી વખત પણ ઈડી સમક્ષ હાજર ન થયા

સીબીઆઈ આગામી થોડા દિવસોમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવાની યોજના બનાવી રહી હોવાનો આપનો દાવો નવી દિલ્હી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે પણ પૂછપરછમાં સામેલ થવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ  ઓફિસ ગયા નહતા. આમ આદમી પાર્ટી (આપ)નું કહેવું છે કે.’મામલો કોર્ટમાં છે. કોર્ટમાં આગામી સુનાવણી 16 માર્ચે છે. રોજ સમન્સ મોકલવાને બદલે ઈડીએ કોર્ટના…

ભારત-યુએસ સબંધો માત્ર ટ્રમ્પના શાસનમાં વિકસ્યા નહતાઃ જયશંકર

ટ્રમ્પનાં સમયમાં થોડા મતભેદો હોવા છતાં ભારત-અમેરિકા સંબંધો વધુ મજબૂત બન્યા હોવાનો દાવો નવી દિલ્હી ભારતના મેઘાવી વિદેશ મંત્રી એસ.જયશંકરે સ્પષ્ટત: કહ્યું હતું કે ભારત અમેરિકા સંબંધો માત્ર ડોનાલ્ડ ટ્રમ્પના સમયથી વિકસ્યા ન હતા, તે બિલ ક્લિન્ટનના સમયથી વિકસ્યા હતા. સાથે તે પણ સત્ય છે કે ટ્રમ્પનાં સમયમાં થોડા મતભેદો હોવા છતાં ભારત-અમેરિકા સંબંધો વધુ…

જૌનપુરમાં બસ અને ટ્રેકટર ટ્રોલી ટકરાતાં છ મજૂરનાં મોત

અકસ્માત સમયે ટ્રેક્ટર ટ્રોલીમાં 12 મજૂરો મુસાફરી કરી રહ્યા હતા, રોડવેઝની બસ પ્રયાગરાજથી જૌનપુર તરફ આવી રહી હતી જૌનપુર ઉત્તર પ્રદેશના જૌનપુરમાં બસ અને ટ્રેક્ટર ટ્રોલી વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં 6 મજૂરોનાં મોતના અહેવાલ મળ્યાં હતા, જ્યારે અન્ય 6 મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત સમયે ટ્રેક્ટર ટ્રોલીમાં 12 મજૂરો મુસાફરી કરી…

એઆઈથી તમારું નિધન ક્યારે થશે એ પણ જાણી શકાશે

નેચર કોમ્પ્યુટેશનલ સાયન્સનાં જર્નલમાં માહિતી આપવામાં આવી નવી દિલ્હી તમને જાણીને આશ્ચર્ય થશે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ એઆઈ હવે તમોને તમારૂં નિધન કયા દિવસે થશે તે પણ દર્શાવશે. તમે તે સાંભળી ચોંકી જશો પરંતુ તે સત્ય છે. એઆઈનો ઉપયોગ ડેથ કેલક્યુલેટર બનાવવામાં પણ થઇ શકે તેમ છે. લોકો આથી ચોંકી તો ગયા છે પરંતુ તે સાથે…

યુરોપિયન દેશોમાં સિટિઝનશિપ-નોકરીની ઓફર આપવાની લાલચ આપી છેતરપિંડી

યુરોપિયન દેશોમાં વિઝા પ્રોસેસ સરળ હોવા છતાંય નાના શહેરોમાં રહેતા યુવકોને ગેરમાર્ગે દોરીને નાણાં પડાવવામાં આવી રહ્યા છે નવી દિલ્હી ગેરકાયદેસર રીતે ચાલતી કબુતરબાજી પર સરકારની કાર્યવાહી કરતા હવે એજન્ટોએ યુરોપિયન દેશો અને કેનેડા સહિતના દેશોમાં કાયમી સીટીઝનશીપ અને નોકરીની ઓફર આપીને લાખો રૂપિયા ખંખેરવાનું શરૂ કર્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે યુરોપિયન…

ઈસરો માર્સ મિશન-2માં લેન્ડર, રોવર સાથે રોટોકોપ્ટરનો  પ્રયોગ કરશે

નાસાના ઈન્જેન્યુઈટી હેલિકોપ્ટરે ત્રણ વર્ષમાં મંગળના વાતાવરણમાં 72 ફૂટની ઊંચાઈએ 72 વખત ઉડીને આ રાતા ગ્રહના વાતાવરણ વિશે અભ્યાસ કર્યો નવી દિલ્હી ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) હવે તેના ભાવિ માર્સ મિશન-2માં નવા અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો કરવાના તૈયારી કરી રહ્યું છે. ઈસરો માર્સ મિશન-2માં લેન્ડર, રોવર સાથે પહેલી જ વખત  રોટોકોપ્ટર (હેલિકોપ્ટર)નો  વિશિષ્ટ પ્રયોગ…

ધ્રુવ જુરેલની પ્રસંશા કરતા સહેવાગ ટ્રોલ થયો

ઓછામાં ઓછું તમે એક એક્સ-પ્રોફેશનલ ક્રિકેટર જેવું વર્તન કરી શકો છો, ટ્રોલ નહીં, સર, યુઝર્સની પ્રતિક્રિયા નવી દિલ્હી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સીરિઝની ચોથી મેચ રાંચીમાં રમાઈ રહી છે. રાંચી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે યુવા વિકેટકીપર બેટર ધ્રુવ જુરેલે ભારતીય ટીમને મુશ્કેલીમાંથી બહાર નીકાળી હતી. ધ્રુવ જુરેલે ત્રીજા દિવસે પોતાની…

પરીક્ષાખંડમાં મોબાઈલ-સ્માર્ટ વોચ લાવશો તો પોલીસ ફરિયાદ થશે

વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા સમયે આચરાતી કુલ 33 ગેરરીતિની યાદી અને તે બદલ સજાની જોગવાઈ જાહેર કરાઈ ગાંધીનગર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ10 અને 12ની બોર્ડની પરીક્ષામાં થતી ગેરરીતિ બદલ થનારી સજાનું કોષ્ટક જાહેર કરવામાં આવ્યું છે. છે. વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા સમયે આચરાતી કુલ 33 ગેરરીતિની યાદી અને તે બદલ સજાની જોગવાઈ…

મુઈજ્જુનો ભારતીય સૈન્ય કર્મચારીઓ અંગેનો દાવો ખોટો છેઃ શાહિદ

અમારા દેશમાં કોઈ સશસ્ત્ર વિદેશી સૈનિકો તૈનાત નથી, સરકારના શાસનમાં પારદર્શકતા મહત્વની ભૂમિકા ભજવે છે અને સત્ય બહાર આવવું અત્યંત જરૂરી માલી માલદીવના પૂર્વ વિદેશમંત્રી અને વિપક્ષના નવા નેતા અબ્દુલ્લા શાહિદે કહ્યું હતું કે પ્રમુખ મોહમ્મદ મુઈજ્જુ દ્વારા “હજારો ભારતીય સૈન્ય કર્મચારીઓ” વિશે કરવામાં આવેલા દાવા ખોટા છે. અમારા દેશમાં કોઈ સશસ્ત્ર વિદેશી સૈનિકો તૈનાત…

કેન્સરના દર્દીઓ માટે એઈમ્સે એઆઈ આધારિત ફોન એપ લોન્ચ કરી

એઆઈ કેન્સરની સારવારમાં ડોકટરોની જગ્યા લેશે નહીં, પરંતુ તેમને કેન્સરના દર્દીઓની સારવારમાં મદદ કરશે નવી દિલ્હી કેન્સરના દર્દીઓને ધ્યાનમાં રાખીને, દિલ્હી એઈમ્સ એ એક સ્માર્ટ ફોન એપ્લિકેશન – ઉપચાર લોન્ચ કરી છે. આ એઆઈ આધારિત હેલ્થ કેર એપ છે. આ ખાસ એપ ‘ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ’ (એઈમ્સ) દ્વારા બનાવવામાં આવી છે. તેના દ્વારા…

આઈટીના પગલાંને કોંગ્રેસે આર્થિક આતંકવાદ ગણાવ્યો

આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે પાર્ટી આર્થિક સંકટનો સામનો કરી રહી છે અને આવકવેરા એપેલેટ ટ્રિબ્યુનલ સમક્ષ રૂ. 210 કરોડની કરની માંગ પેન્ડિંગ છે નવી દિલ્હી કોંગ્રેસે તાજેતરમાં આરોપ લગાવ્યો હતો કે આવકવેરા વિભાગે બેંકોને કોંગ્રેસ, યુથ કોંગ્રેસ (આઈવાયસી) અને નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (એનએસયુઆઈ)ના ખાતામાંથી રૂ. 65 કરોડથી વધુ ટ્રાન્સફર…

ભારતીય મૂળના બ્રિટનના પ્રોફેસરની બેંગ્લુરૂ એરપોર્ટ પર ધરપકડ

બેંગલુરુ એરપોર્ટ પર ઈમિગ્રેશન અધિકારીઓ દ્વારા તેમને કોઈ કારણ આપ્યા વિના ભારતમાં પ્રવેશવાની મંજૂરી આપી ન હોવાનો પ્રોફેસરનો દાવો બેંગ્લુરુ બ્રિટનની વેસ્ટમિન્સ્ટર યુનિવર્સિટીમાં ભારતીય મૂળના પ્રોફેસરની બેંગ્લુરુ એરપોર્ટ પર પહોંચતા જ અટકાયત કરવામાં આવી હતી અને ત્યારબાદ એરપોર્ટથી બ્રિટન પાછા મોકલી દેવામાં આવ્યા. પ્રોફેસરને કર્ણાટકની કોંગ્રેસ સરકારે એક કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. લંડનમાં…

ભારતે પાકિસ્તાન તરફ જતી રાવી નદીના પાણીને રોકી દીધુ

વિશ્વ બેન્કની દેખરેખમાં 1960માં થયેલી ‘સિંધુ જળ સંધિ’ હેઠળ રાવીના પાણી પર ભારતનો વિશેષ અધિકાર છે નવી દિલ્હી ભારતે પાકિસ્તાન તરફ જતી રાવી નદીના પાણીને રોકી દીધુ છે. ભારતે ડેમનું નિર્માણ કરીને રાવી નદીના પાણીને પાકિસ્તાન તરફ જતુ રોક્યુ છે. વિશ્વ બેન્કની દેખરેખમાં 1960માં થયેલી ‘સિંધુ જળ સંધિ’ હેઠળ રાવીના પાણી પર ભારતનો વિશેષ અધિકાર…

પ્રથમ આઠ ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવવાની યશસ્વીની સિધ્ધિ

બ્રેડમેને પ્રથમ 8 ટેસ્ટ મેચમાં કુલ 1210 રન બનાવ્યા હતા, યશસ્વી જયસ્વાલે અત્યાર સુધી 8 ટેસ્ટ મેચમાં 973 રન બનાવ્યા રાંચી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સીરિઝની ચોથી મેચ રાંચીમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચમાં ભારતની બીજી ઇનિંગમાં 37 રન બનાવીને યશસ્વી જયસ્વાલ આઉટ થયો હતો. યશસ્વી જયસ્વાલ ભલે બીજી…

રોહિતની સરફરાઝને ચેતવણી, ઓય હીરો નહીં બનને કા

સુકાનીની ચેતવણી બાદ સરફરાઝે પહેલા હેલ્મેટ પહેરી અને પછી સિલી પોઈન્ટ પર ફિલ્ડિંગ શરૂ કરી હતી રાંચી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાંચીમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ સરફરાઝ ખાનને ચેતવણી આપી હતી. આ ઘટના રાંચી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે બની હતી. ઈંગ્લેન્ડની ટીમ મેદાન પર બેટિંગ કરી રહી હતી….

ગઝલ ગાયક પદ્મશ્રી પંકજ ઉધાસનું 72 વર્ષની વયે નિધન

ગુજરાતના જેતપુરમાં જન્મેલા ગાયકે મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા મુંબઈ બોલિવૂડના પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસનું 72 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમની પુત્રી નાયાબ ઉદાસે પિતાની નિધનની માહિતી આપી છે. નાયાબે એક પોસ્ટ લખ્યું છે કે, ‘હું તમને બધાને ખૂબ દુઃખ સાથે જણાવી રહી છું કે, પદ્મશ્રી પંકજ ઉધાસનું 26 ફેબ્રુઆરી-2024ના રોજ…

અગ્નિપથ યોજનાથી બે લાખ યુવાનોનાં સપનાં તૂટ્યાઃ ખડગે

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુને આ યોજનાને લઈને પત્ર લખ્યો નવી દિલ્હી કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી પહેલા અગ્નિપથ યોજનાનો મુદ્દો ચગાવ્યો છે. કોંગ્રેસે જાહેરાત કરી છે કે, જો તેઓ સત્તામાં આવશે તો અગ્નિપથ યોજનાને બંધ કરીને સેનામાં જૂની ભરતી પ્રક્રિયા લઈને આવશે. તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુને આ…

માનહાની કેસમાં કેજરીવાલે સુપ્રીમમાં પોતાની ભૂલ સ્વિકારી

સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટની કાર્યવાહી પર રોક લગાવવા આદેશ આપ્યો, આ કેસની આગામી સુનાવણી 11મી માર્ચે થશે નવી દિલ્હી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે માનહાનિના કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન પોતાની ભૂલ સ્વીકારી છે. એક યુટ્યુબરના વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’પર રીપોસ્ટ કરવા બદલ કેજરીવાલ સામે માનહાનિનો કેસ નોંધાયો હતો. આ કેસને રદ્દ કરવા માટે તેમણે…

ઈંગ્લેન્ડને પાંચ વિકેટે હરાવી ભારતનો શ્રેણી પર કબજો

ઈંગ્લેન્ડે ભારતને જીતવા માટે 192 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે ભારતે ટી બ્રેક પહેલા હાંસલ કરી લીધો રાંચી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સીરિઝની ચોથી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 5 વિકેટથી હરાવીને સીરિઝમાં 3-1ની અજેય લીડ મેળવી લીધી છે. ઈંગ્લેન્ડે ભારતને જીતવા માટે 192 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેણે ભારતે ટી બ્રેક પહેલા હાંસલ…

ભારત ટેક્સનું એફ-5 સૂત્ર ટેક્નોલોજીને ટ્રેડિશન સાથે જોડે છેઃ મોદી

વડાપ્રધાનના ‘5એફ વિઝન’થી પ્રેરણા લેતા આ કાર્યક્રમમાં ફાઈબર, ફેબ્રિક અને ફેશન પર મુખ્ય ફોકસ રાખવામાં આવ્યું છે નવી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં દેશમાં આયોજિત થનારા અત્યાર સુધીના સૌથી મોટા ગ્લોબલ ટેક્સટાઈલ પ્રોગ્રામમાંથી એક ‘ભારત ટેક્સ-2024’નું ઉદ્ઘાટન કરી દીધુ છે. ભારત ટેક્સ-2024 આજે 26 ફેબ્રુઆરીથી શરૂ થશે અને ગુરુવાર 29 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. દિલ્હીના…