અમદાવાદ જિ. સ્ટેટ ચેસ ચેમ્પિયનશિપ-2023 વરિષ્ઠ (ઓપન) સિલેક્શન માટે મુનશા ટ્રોફી

તારીખ: 10.6.2023 સ્થળ: ઓરિએન્ટ ક્લબ, એલિસબ્રિજ, અમદાવાદ ખાતે આ ટુર્નામેન્ટ આણંદ ચેસ એસોસિએશન દ્વારા ચેસ ન્યુ અમદાવાદ જીલ્લા એસોસિએશનના નેજા હેઠળ યોજવામાં આવી છે. આ ટુર્નામેન્ટ માત્ર અમદાવાદના ખેલાડીઓ માટે છે. આ ટુર્નામેન્ટ ઓરિએન્ટ ક્લબ, અમદાવાદ ખાતે યોજાવા જઈ રહી છે. ટુર્નામેન્ટ 10.6.2023 ના રોજ સવારે 9 વાગ્યે શરૂ થશે. ટોચના પાંચ વિજેતાઓ વચ્ચે કુલ…

અખંડ ભારતના નક્શા પર નેપાળ બાદ બાંગ્લાદેશના પેટમાં તેલ રેડાયું

આ મુદ્દા પર બાંગ્લાદેશ સરકાર ભારત પાસે સ્પષ્ટતા માગશેઃ બાંગ્લાદેશના વિદેશ મંત્રી ઢાકાભારતની નવી સંસદમાં દર્શાવાયેલા અખંડ ભારતના નકશાને લઈને નેપાળ બાદ હવે બાંગ્લાદેશના પેટમાં પણ તેલ રેડાયુ છે.બાંગ્લાદેશના વિદેશ મંત્રીએ કહ્યુ છે કે, આ મુદ્દા પર અમારી સરકાર ભારત પાસે સ્પષ્ટતા માંગશે.અમે નવી દિલ્હીમાં હાઈ કમિશનને સૂચના આપી છે કે, ભારત સરકારનો અખંડ ભારતના…

એઆઈ બે વર્ષમાં ઘણા લોકોને મારી નાખવાના માર્ગેઃ મૈટ ક્લિફોર્ડ

પીએમના સલાહકારનું નામ મૈટ ક્લિફોર્ડ છે જેઓ સરકારના ફાઉન્ડેશન મોડલ ટાસ્કફોર્સનું નેતૃત્વ કરી રહ્યા છે લંડનબ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકના સલાહકારે ચેતવણી આપી છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ માત્ર બે વર્ષમાં ‘ઘણા લોકોને મારી નાખવા’ના શક્તિશાળી બનવાના માર્ગ પર છે. પીએમના સલાહકારનું નામ મૈટ ક્લિફોર્ડ છે જેઓ સરકારના ફાઉન્ડેશન મોડલ ટાસ્કફોર્સનું નેતૃત્વ કરી રહ્યા છે.મૈટ…

કોંગ્રેસના નેતા અહેમદ પટેલનો પુત્ર ફૈઝલ ભાજપ પ્રદેશ પ્રમુખને મળ્યો

ફૈઝલ પટેલની ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે મુલાકાત કર્યા બાદ રાજકારણમાં મોટો ભૂકંપ અમદાવાદગુજરાતની ચૂંટણીમાં કંગાળ દેખાવ કરનાર કોંગ્રેસમાં હવે મોટાપાયે ફેરફાર થવાની સંભાવનાઓ છે. સુત્રોમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને પ્રભારીને બદલી નાંખવામાં આવશે. બીજી બાજુ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના અવસાન બાદ હવે ગુજરાતનો એકપણ ચહેરો કોંગ્રેસ હાઈકમાન્ડ સુધી…

ગુજરાત યુનિવર્સિટીએ મોદીની ડીગ્રી બાબતે કેજરીવાલ સામે કેસ કર્યો

અમદાવાદની મેટ્રો પોલિટન કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાજ્યસભા સાંસદ સંજય સિંહને સમન્સ પાઠવ્યા નવી દિલ્હીગુજરાત યુનિવર્સિટીએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી મેળવવા બાબતે બદનક્ષીનો કેસ દાખલ કર્યો છે. જેમાં અરવિંદ કેજરીવાલના કારણે ગુજરાત યુનિવર્સિટીની છબી ખરડાઈ હોવાના આક્ષેપ સાથે આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં…

કોલ્હાપુરમાં હિન્દુવાદી સંગઠનોની વિરોધ માર્ચ પર લાઠીચાર્જ

અમુક દેખાવકારોની પોલીસે ધરપકડ કરી લીધી છે, બે સમુદાય વચ્ચે તણાવની સ્થિતિને જોતા તંત્ર વચ્ચે કલમ 144 લાગુ કરવામાં આવી કોલ્હાપુરમહારાષ્ટ્રના કોલ્હાપુરમાં હિન્દુવાદી સંગઠનો તરફથી આયોજિત વિરોધ માર્ચના સમયે પોલીસ તરફથી સ્થિતિને કાબૂમાં લેવા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. આ માર્ચ કેટલાક મુસ્લિમ યુવકો તરફથી સોશિયલ મીડિયા પર ઔરંગઝૈબ સંબંધિત સ્ટેટસ મૂકવાના વિરોધમાં યોજવામાં આવી હતી….

છાત્રોના વર્કપરમિટ આપવા પંજાબ સરકારનો કેન્દ્રને પત્ર

ઠગ ટ્રાવેલ એજન્ટ પંજાબની બહારનો રહેવાસી હોવાથી ગૃહમંત્રી અમિત શાહને પણ આ કેસમાં સહકાર આપવા મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલની માગ નવી દિલ્હીઠગ ટ્રાવેલ એજન્ટોની જાળમાં ફસાયેલા લગભગ 700 વિદ્યાર્થીઓ કેનેડાની ફેક કોલેજોમાં ફસાઈ ગયા છે, તેમને વતન પાછા ન મોકલવામાં આવે, પરંતુ તેમના વીઝાને ધ્યાનમાં રાખીને તેમને વર્ક પરમિટ આપવામાં આવે તેવી માગ કરતો પંજાબ…

પાયલટના ભાવિ પગલાં કોંગ્રેસ હાઈકમાન્ડના નિર્ણય પર નિર્ભર

મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે બેઠક યોજી હતી, પરંતુ રાજસ્થાનના બંને કદાવર નેતાઓ વચ્ચે મુખ્ય મુદ્દાઓ નો કોઈ ઉકેલ આવ્યો ન હતો જયપુરકોંગ્રેસ નેતા સચિન પાયલટના આગામી પગલા અંગે અટકળોએ જોર પકડ્યું છે. દરમિયાન તેમની નજીકના સૂત્રોએ જણાવ્યું કે તેઓ તેમની માંગણીઓ પર અડગ છે અને પાર્ટી હાઈકમાન્ડના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. જોકે,…

વર્જિનિયમાં યુનિવર્સિટી પાસે ગોળીબારમાં બેનાં મોત- અનેક ઘાયલ

એક-બે ઘાયલોની હાલત ગંભીર ,ગોળીબાર બાદ બે શકમંદોને કસ્ટડીમાં લેવામાં આવ્યા વર્જિનિયાઅમેરિકાના વર્જિનિયા પ્રાંતના રિચમંડમાં વર્જીનિયા કોમનવેલ્થ યુનિવર્સિટી પાસે ગોળીબારની ઘટના બની છે. રિપોર્ટ્સ અનુસાર, વર્જિનિયા કોમનવેલ્થ યુનિવર્સિટી પાસે હાઇસ્કૂલમાં ઉજવણી બાદ થયેલા ગોળીબારમાં બે લોકોના મોત થયા છે અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. એક-બે ઘાયલોની હાલત ગંભીર હોવાનું માહિતી મળી છે.રિચમંડ પોલીસના…

જબલપુર રેલ વિભાગમાં બે માલગાડી પાટા પરથી ખડી પડી

દુર્ઘટના બાદ અધિકારીઓ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવ્યા, બંને ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી જબલપુરઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના સર્જાયા બાદ હવે મધ્યપ્રદેશના જબલપુર રેલવે વિભાગમાં વધુ બે ટ્રેન દુર્ઘટનાઓ સર્જાઈ હતી. 6 જૂનની રાતે લગભગ 7 વાગ્યે 30 મિનિટ પર રેલવે યાર્ડમાં એક માલગાડીના બે ડબા પાટા પરથી ખડી પડ્યા હતા.આ ઘટનાના ઠીક ચાર કલાક…

નબળા કન્ટેન્ટને લીધે હિન્દી ફિલ્મો બોક્સ ઓફિસ પર પિટાય છે

દર્શકો હંમેશા આકર્ષક અને સારી રીતે તૈયાર કરેલી સ્ટોરીની શોધમાં હોય છે, ખરાબ સ્ટોરીલાઈન અને અયોગ્ય કલાકારો દર્શકોને આ ફિલ્મોથી દૂર રાખે છે મુંબઈછેલ્લા કેટલાક વર્ષો બોલીવૂડ માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. પઠાણ, ભૂલ ભુલૈયા-2, દૃષ્ટિમ અને ધ કેરલા સ્ટોરી જેવી મુઠ્ઠીભર ફિલ્મોને બાદ કરતાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મોટાભાગની ફિલ્મોનું બોક્સ ઓફિસ પર પ્રદર્શન…

છેતરપિંડી કેસમાં મૃત્યુના બે દિવસ બાદ શખ્સને જામીન મળ્યા

સુરેશ પવાર નામના શખ્સનું 9 મેના રોજ તેમની જામીન અરજી પર સુનાવણી પૂરી થયાના કલાકો બાદ અવસાન થયું હતું મુંબઈભારતની નાણાકીય રાજધાની મુંબઈથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. મુંબઈની એક અદાલતે છેતરપિંડીના કેસમાં ધરપકડ કરાયેલા 62 વર્ષીય વ્યક્તિને “તબીબી અને માનવતાના આધારે” મૃત્યુના બે દિવસ બાદ કામચલાઉ જામીન આપ્યા હતા. આ વ્યક્તિનું નામ સુરેશ…

ગેરહાજર રહેતા 11 તલાટીઓનો એક દિવસનો પગાર કાપી નખાયો

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં ડીડીઓની અધ્યક્ષતામાં વિકાસલક્ષી કામગીરી માટે એક બેઠક બોલાવાઈ હતી જેમાં આ ફરિયાદ સામે આવી ગાંધીનગરગાંધીનગર જિલ્લાના 11 તલાટી સામે ડીડીઓએ મોટી કાર્યવાહી કરતા એક દિવસનો પગાર કાપી નાખવામાં આવ્યો છે. ગાંધીનગરના માણસામાં એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં 11 તલાટીઓ ગેરહાજર રહેતા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠતા કાર્યવાહી કરવામાં આવી હતી. આ…

વળતરની લાલચે નકલી પરિવારજનો પહોંચ્યા, રેલવે ડીએનએ ટેસ્ટના સહારે

પરિવારના વાસ્તવિક સભ્યોની ઓળખ કરવા માટે લોહીના 33 નમૂના ડીએનએ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા બાલાસોરઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહોને લઈને મૂંઝવણ વધતી જઈ રહી છે. બીએમસી કમિશનર વિજય અમૃતા કુલાંગેએ જણાવ્યું હતું કે પરિવારના વાસ્તવિક સભ્યોની ઓળખ કરવા માટે લોહીના 33 નમૂના ડીએનએ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. ઓડિશામાં ડીએનએ ટેસ્ટિંગ સિસ્ટમ…

વર્લ્ડ બેંકે 2023-24 માટે બારતના વિકાસ દરનું અનુમાન ઘટાડીને 6.3 ટકા કર્યું

જાન્યુઆરીમાં લગાવયેલા અંદાજ કરતાં આ 0.3 ટકા પોઈન્ટ ઓછું, વૈશ્વિક વિકાસ દર 2023માં ઘટીને 2.1 ટકા થઈ જશે, જે 2022માં 3.1 ટકા હતો વોશિંગ્ટનવર્લ્ડ બેંકે ચાલુ નાણાકીય વર્ષ 2023-24 માટે ભારતના આર્થિક વિકાસ દરનું અનુમાન ઘટાડીને 6.3 ટકા કર્યું છે. આ વર્લ્ડ બેંક દ્વારા જાન્યુઆરીમાં લગાવયેલા અંદાજ કરતાં આ 0.3 ટકા પોઈન્ટ ઓછું છે. વર્લ્ડ…

સેન્સેક્સમાં 350 અને નિફ્ટીમાં 127 પોઈન્ટનો વધારો થયો

તમામ સેક્ટર લીલા નિશાન સાથે બંધ થયા, કેપિટલ ગુડ્સ, મેટલ, ઓઇલ એન્ડ એફએમસીજી, પાવર, રિયલ એસ્ટેટમાં એક ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો મુંબઈઆરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી મીટિંગમાં લેવાયેલા નિર્ણયોની માહિતી સામે આવે તે પહેલા બુધવારે સ્થાનિક શેરબજારો વધારા સાથે બંધ થયા હતા. એનએસઈ નિફ્ટીએ આ વર્ષમાં પહેલીવાર 18,700ની સપાટી વટાવી હતી. 50 શેરવાળો ઈન્ડેક્સ 127.40…

મણિપુરમાં ભીડે એમ્બ્યુલન્સ અકાવી આગ ચાંપતા માતા-પુત્ર સહિત ત્રણનાં મોત

ગોળીબારની ઘટના દરમિયાન બાળકને માથામાં વાગ્યું હતું અને તેની માતા અને એક સંબંધી તેને ઈમ્ફાલની હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા હતા ત્યારે ઘટના બની ઈમ્ફાલમણિપુરમાં હજુ સ્થિતિ સામાન્ય થઈ નથી. પશ્ચિમ ઇમ્ફાલ જિલ્લામાં લોકોની ભીડે રસ્તામાં એમ્બ્યુલન્સ અટકાવીને તેને આગ ચાંપી દીધી હતી. જેમાં એક આઠ વર્ષનો છોકરો, તેની માતા અને તેમાં સવાર અન્ય એક સંબંધીનું…

બીએસએનએલ માટે 89,000 કરોડ રૂપિયાના રિવાઇવલ પેકેજને મંજૂરી

કેન્દ્રીય કેબિનેટની મંજૂરીથી પેકેજનો ઉપયોગ બીએસએનએલની 4જી અને 5જી સેવાઓને વધારવા માટે કરવામાં આવશે નવી દિલ્હીકેન્દ્રીય કેબિનેટે આજે ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) માટે 89,000 કરોડ રૂપિયાના રિવાઇવલ પેકેજને મંજૂરી આપી છે. પેકેજનો ઉપયોગ બીએસએનએલની 4જી અને 5જી સેવાઓને વધારવા માટે કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર માને છે કે ટેલિકોમમાં સરકારી પીએસયુ તેના…

કોંગ્રેસના પીઢ નેતા ગોવા રબારી કેસરિયો ખેસ ધારણ કરશે

ગોવા રબારી કોંગ્રેસમાંથી સાત વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે ગાંધીનગરદેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યાજાનાર છે ત્યારે ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ઝટકો આપતા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપના બે નેતાઓએ ખેલ પાડી દેઈને કોંગ્રેસના પીઢ નેતાને પોતાની તરફ ખેચવા પ્રયત્ન કર્યા હોવાની ચર્ચા થઈ રહી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન નિરાશાજનક…

નિવૃત્તી પાછી ખેંચતા મોઈન અલીનો ઈંગ્લેન્ડી ટેસ્ટ ટીમમાં સમાવેશ

સ્ટાર ઓલરાઉન્ડરને ઓસ્ટ્રેલિયા સામેની એશિઝ સિરીઝ 2023ની પ્રથમ બે મેચ માટે ઈંગ્લેન્ડની ટીમમાં સામેલ કરવામાં આવ્યો લંડનએશિઝ સિરીઝ 2023 માટે ઈંગ્લેન્ડની ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ટીમના સ્ટાર ઓલરાઉન્ડર મોઈન અલીએ ટેસ્ટ નિવૃત્તિમાંથી યુ-ટર્ન લીધો છે. તેણે તેની ટેસ્ટ નિવૃત્તિ પાછી લઈ લીધી છે. નિવૃત્તિ પાછી ખેંચી લીધા બાદ સ્ટાર ઓલરાઉન્ડરને ઓસ્ટ્રેલિયા સામેની એશિઝ…